Monsoon Fruits : વરસાદની સિઝનમાં ખાઓ આ 5 ફળો, રોગપ્રતિકારક શક્તિમાં કરશે ધરખમ વધારો, નહીં જવું પડે ડોક્ટર પાસે

ગરમીથી રાહત આપવાની સાથે આ ઋતુ અનેક બીમારીઓ પણ લઈને આવે છે એટલે ચોમાસાની ઋતુમાં આપણા આહારનું ધ્યાન રાખવું એ આપણી મહત્વની જવાબદારી છે. કારણ કે આ ઋતુમાં આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. ચાલો જાણીએ 5 ફળો જે તમારે ચોમાસામાં વધુ પ્રમાણમાં ખાવા જોઈએ.

| Updated on: Jul 22, 2024 | 5:28 PM
ચોમાસાનું આહલાદક વાતાવરણ કોને ન ગમે? ગરમીથી રાહત આપવાની સાથે આ ઋતુ અનેક બીમારીઓ પણ લઈને આવે છે. તેનાથી બચવા માટે તમારે આહાર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આજે અમે તમને એવા જ 5 ફળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું સેવન જ્યારે ચોમાસામાં કરવામાં આવે તો તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

ચોમાસાનું આહલાદક વાતાવરણ કોને ન ગમે? ગરમીથી રાહત આપવાની સાથે આ ઋતુ અનેક બીમારીઓ પણ લઈને આવે છે. તેનાથી બચવા માટે તમારે આહાર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આજે અમે તમને એવા જ 5 ફળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું સેવન જ્યારે ચોમાસામાં કરવામાં આવે તો તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

1 / 7
વરસાદમાં પ્લમ ખાવાથી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી, વિટામિન કે, કોપર, ફાઈબર, પોટેશિયમ વગેરે હોય છે. તેનાથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીરમાં ચેપનું જોખમ પણ ઓછું થાય છે.

વરસાદમાં પ્લમ ખાવાથી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી, વિટામિન કે, કોપર, ફાઈબર, પોટેશિયમ વગેરે હોય છે. તેનાથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીરમાં ચેપનું જોખમ પણ ઓછું થાય છે.

2 / 7
અત્યંત સ્વાદિષ્ટ લીચી આપણા સ્વાસ્થ્ય માટે પણ એક ઉત્તમ ફળ છે. આ ખાવાથી આપણું પાચનતંત્ર સુધરે છે. સાથે જ લીચી ખાવાથી તમને શ્વાસની તકલીફ પણ ઓછી થાય છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું પણ કામ કરે છે.

અત્યંત સ્વાદિષ્ટ લીચી આપણા સ્વાસ્થ્ય માટે પણ એક ઉત્તમ ફળ છે. આ ખાવાથી આપણું પાચનતંત્ર સુધરે છે. સાથે જ લીચી ખાવાથી તમને શ્વાસની તકલીફ પણ ઓછી થાય છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું પણ કામ કરે છે.

3 / 7
ચોમાસામાં પેટ માટે રામબાણ તરીકે નાસપતીનું સેવન કરવું જોઈએ. જો તમે દરરોજ 1 નાસપતી ખાઓ છો, તો તે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે. ચોમાસા દરમિયાન, તમે તમારા સારા સ્વાસ્થ માટે પેટભરીને નાશપતીનો ખાઈ શકો છો.

ચોમાસામાં પેટ માટે રામબાણ તરીકે નાસપતીનું સેવન કરવું જોઈએ. જો તમે દરરોજ 1 નાસપતી ખાઓ છો, તો તે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે. ચોમાસા દરમિયાન, તમે તમારા સારા સ્વાસ્થ માટે પેટભરીને નાશપતીનો ખાઈ શકો છો.

4 / 7
ચોમાસામાં કે શ્રાવણ માસમાં આવતી જાંબુડા આપણા સ્વાસ્થ્ય માટે રામબાણ સાબિત થાય છે. જાંબુડા ડાયાબિટીસના દર્દીઓ માટે દવાની જેમ કામ કરે છે. તેની સાથે વિટામિન સી, ફાઈબર અને આયર્નથી ભરપૂર જાંબુડા આપણી રોગપ્રતિકારક શક્તિ માટે વરદાન છે.

ચોમાસામાં કે શ્રાવણ માસમાં આવતી જાંબુડા આપણા સ્વાસ્થ્ય માટે રામબાણ સાબિત થાય છે. જાંબુડા ડાયાબિટીસના દર્દીઓ માટે દવાની જેમ કામ કરે છે. તેની સાથે વિટામિન સી, ફાઈબર અને આયર્નથી ભરપૂર જાંબુડા આપણી રોગપ્રતિકારક શક્તિ માટે વરદાન છે.

5 / 7
આયર્ન અને વિટામિનથી ભરપૂર દાડમ તમારા શરીરમાં લોહી વધારવામાં ઘણી મદદ કરે છે. જો તમારા શરીરમાં લોહીની ઉણપ છે, તો તમારે દરરોજ 1 દાડમનું સેવન કરવું જોઈએ. આ સાથે તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું પણ કામ કરે છે.

આયર્ન અને વિટામિનથી ભરપૂર દાડમ તમારા શરીરમાં લોહી વધારવામાં ઘણી મદદ કરે છે. જો તમારા શરીરમાં લોહીની ઉણપ છે, તો તમારે દરરોજ 1 દાડમનું સેવન કરવું જોઈએ. આ સાથે તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું પણ કામ કરે છે.

6 / 7
જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">