શું તમને ખબર છે, સ્વાસ્થ્ય માટે સૌથી ઉત્તમ રોટલી કઈ ? આ અનાજ છે બેસ્ટ
આપણા રોજિંદા ભોજનમાં રોટલીનું મુખ્ય સ્થાન ધરાવે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કયા અનાજની રોટલી તમારા સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક છે? મોટાભાગના લોકો ઘઉંની રોટલી ખાય છે, પરંતુ કેટલાક અન્ય અનાજ એવા છે જે પોષણ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘઉં કરતાં પણ વધુ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ વિગતે.

અહીં કેટલાક અનાજની રોટલીઓ વિશે માહિતી આપેલી છે જે તમારા સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પહોંચાડી શકે છે.

બાજરીની રોટલી - બાજરી, જેને મિલેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પોષકતત્ત્વોનો ભંડાર છે. ખાસ કરીને શિયાળામાં તે શરીરને ગરમી આપે છે. તેમાં ભરપૂર ફાઇબર, પ્રોટીન, મેગ્નેશિયમ અને આયર્ન હોય છે. તે પાચન સુધારે છે, ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને વજન ઘટાડવા માટે પણ ઉત્તમ છે.

જુવારની રોટલી - જુવાર તે ગ્લુટેન-મુક્ત અનાજ છે. જે લોકોને ગ્લુટેનથી એલર્જી હોય તેમના માટે આ આદર્શ વિકલ્પ છે. જુવારની રોટલીમાં ફાઇબર, પ્રોટીન અને વિવિધ વિટામિન્સ પ્રચુર માત્રામાં હોય છે. તે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવામાં, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ થાય છે.

રાગીની રોટલી - રાગીમાં કેલ્શિયમનો સર્વોત્તમ સ્ત્રોત છે. હાડકાંને મજબૂત કરવા અને ઓસ્ટિયોપોરોસિસ જેવા રોગોથી બચવા માટે રાગીની રોટલી અત્યંત ફાયદાકારક છે. તેમાં આયર્ન, ફાઇબર અને આવશ્યક એમિનો એસિડ પણ હોય છે. તે ડાયાબિટીસના મેનેજમેન્ટમાં, વજન નિયંત્રણમાં અને એનિમિયા (લોહીની ઉણપ) દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે.

મકાઈની રોટલી - મકાઈની રોટલી, ખાસ કરીને શિયાળામાં ઉત્તર ભારતમાં ખૂબ લોકપ્રિય છે. તેમાં ફાઇબર, વિટામિન A, વિટામિન C અને શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. તે આંખોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પાચન સુધારે છે અને શરીરને જરૂરી ઊર્જા પૂરી પાડે છે.

ઘઉંની રોટલી - ઘઉંની રોટલી સૌથી સામાન્ય છે. તેમાં ફાઇબર, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ હોય છે, જે ઉર્જા આપે છે. ઘઉંમાં વિટામિન બી અને આયર્ન પણ હોય છે, જે એનિમિયાને રોકવામાં મદદ કરે છે. પરંતુ જો ઘઉંને ખૂબ જ વધારે પ્રોસેસ કરવામાં આવે તો તેના પોષક તત્વોમાં ઘટાડો થઈ શકે છે. તેથી આખા ઘઉં (Whole Wheat)ની રોટલી પસંદ કરો.

બધા અનાજના પોતાના ફાયદા છે, પરંતુ રાગીની રોટલી સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. તેનું કારણ તેમાં રહેલા કેલ્શિયમ, આયર્ન અને ગ્લુટેન-ફ્રી ગુણ છે, જે તેને બધી ઉંમરના લોકો માટે યોગ્ય માનવામાં છે. રાગી પચવામાં સરળ છે અને લાંબા સમય સુધી ભૂખને નિયંત્રિત કરે છે.
સામાન્ય જ્ઞાન વધારતા જનરલ નોલેજને લગતા તમામ મહત્વના અને રસપ્રદ સમાચાર માટે આપ અમારા આ ટોપિક પર ક્લિક કરો
