ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહેલ સ્ટાર ખેલાડીએ કહ્યું, ‘હું નિવૃત્તિ અંગે ટ્વિટ કરીશ’

વર્લ્ડ કપમાં ધમાકેદાર પ્રદર્શન કરનાર ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પોતાની નિવૃત્તિની યોજના જાહેર કરી છે. તેણે કહ્યું કે જ્યારે હું ક્રિકેટથી કંટાળી જઈશ ત્યારે હું સંન્યાસ લઈ લઈશ. મોહમ્મદ શમી હાલ ક્રિકેટથી દૂર છે અને ઈજામાંથી સાજો થઈ રહ્યો છે.

| Updated on: Feb 07, 2024 | 7:05 PM
ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમી રહી છે, પરંતુ ઝડપી બોલર મોહમ્મદ શમી તેમાં ભાગ લઈ રહ્યો નથી. વર્લ્ડકપ બાદ ઈજાગ્રસ્ત થયેલો મોહમ્મદ શમી હજુ સ્વસ્થ થઈ રહ્યો છે, પરંતુ આ દરમિયાન તેણે પોતાની નિવૃત્તિ અંગે ચોંકાવનારી વાત કહી છે. શમીએ કહ્યું કે, હું એક દિવસ સવારે ઉઠીને ટ્વિટ કરી નિવૃત્તિની જાહેરાત કરીશ.

ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમી રહી છે, પરંતુ ઝડપી બોલર મોહમ્મદ શમી તેમાં ભાગ લઈ રહ્યો નથી. વર્લ્ડકપ બાદ ઈજાગ્રસ્ત થયેલો મોહમ્મદ શમી હજુ સ્વસ્થ થઈ રહ્યો છે, પરંતુ આ દરમિયાન તેણે પોતાની નિવૃત્તિ અંગે ચોંકાવનારી વાત કહી છે. શમીએ કહ્યું કે, હું એક દિવસ સવારે ઉઠીને ટ્વિટ કરી નિવૃત્તિની જાહેરાત કરીશ.

1 / 5
વાસ્તવમાં, મોહમ્મદ શમીએ એક ઈવેન્ટમાં ઘણા મુદ્દાઓ પર વાત કરી. આ દરમિયાન, તેની સાથે નિવૃત્તિની પણ ચર્ચા થઈ હતી, કારણ કે શમી હવે 33 વર્ષનો થઈ ગયો છે. નિવૃત્તિ પર મોહમ્મદ શમીએ કહ્યું કે જે દિવસે હું ક્રિકેટથી કંટાળી જઈશ તે દિવસે હું ક્રિકેટ છોડી દઈશ. કારણ કે હું કોઈ પણ વસ્તુનો ભાર લેવા માંગતો નથી.

વાસ્તવમાં, મોહમ્મદ શમીએ એક ઈવેન્ટમાં ઘણા મુદ્દાઓ પર વાત કરી. આ દરમિયાન, તેની સાથે નિવૃત્તિની પણ ચર્ચા થઈ હતી, કારણ કે શમી હવે 33 વર્ષનો થઈ ગયો છે. નિવૃત્તિ પર મોહમ્મદ શમીએ કહ્યું કે જે દિવસે હું ક્રિકેટથી કંટાળી જઈશ તે દિવસે હું ક્રિકેટ છોડી દઈશ. કારણ કે હું કોઈ પણ વસ્તુનો ભાર લેવા માંગતો નથી.

2 / 5
મોહમ્મદ શમીએ કહ્યું કે મારા પરિવારમાં એવું કોઈ નથી જે મને કરિયર કે અન્ય બાબતો વિશે સમજાવે. જે દિવસે સવારે ઉઠી મને એમ લાગશે કે મારે ગ્રાઉન્ડ પર નથી જવું, એ જ દિવસે ટ્વીટ કરીશ કે ભાઈ, હું નિવૃત્ત થઈ રહ્યો છું. શમીનું આ નિવેદન પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

મોહમ્મદ શમીએ કહ્યું કે મારા પરિવારમાં એવું કોઈ નથી જે મને કરિયર કે અન્ય બાબતો વિશે સમજાવે. જે દિવસે સવારે ઉઠી મને એમ લાગશે કે મારે ગ્રાઉન્ડ પર નથી જવું, એ જ દિવસે ટ્વીટ કરીશ કે ભાઈ, હું નિવૃત્ત થઈ રહ્યો છું. શમીનું આ નિવેદન પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

3 / 5
મોહમ્મદ શમી 33 વર્ષનો છે, તે વર્લ્ડ કપ બાદથી ક્રિકેટથી દૂર છે. મોહમ્મદ શમીએ ભારત માટે અત્યાર સુધી 64 ટેસ્ટમાં 229 વિકેટ લીધી છે અને 101 વનડેમાં તેના નામે 195 વિકેટ પણ છે. શમીએ ભારત માટે 23 T-20 મેચમાં 24 વિકેટ લીધી છે. ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી શ્રેણીમાં ટીમ ઈન્ડિયા મોહમ્મદ શમીને સૌથી વધુ મિસ કરી રહી છે.

મોહમ્મદ શમી 33 વર્ષનો છે, તે વર્લ્ડ કપ બાદથી ક્રિકેટથી દૂર છે. મોહમ્મદ શમીએ ભારત માટે અત્યાર સુધી 64 ટેસ્ટમાં 229 વિકેટ લીધી છે અને 101 વનડેમાં તેના નામે 195 વિકેટ પણ છે. શમીએ ભારત માટે 23 T-20 મેચમાં 24 વિકેટ લીધી છે. ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી શ્રેણીમાં ટીમ ઈન્ડિયા મોહમ્મદ શમીને સૌથી વધુ મિસ કરી રહી છે.

4 / 5
ODI વર્લ્ડ કપમાં મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયાનો હુકમનો એક્કો સાબિત થયો હતો. મોહમ્મદ શમી શરૂઆતની કેટલીક મેચોમાં રમ્યો ન હતો, પરંતુ છેલ્લી મેચોમાં તેણે ધારદાર બોલિંગ કરી અને એકલા હાથે ભારતને જીત અપાવી હતી. મોહમ્મદ શમીએ વર્લ્ડ કપમાં 24 વિકેટ લીધી હતી.

ODI વર્લ્ડ કપમાં મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયાનો હુકમનો એક્કો સાબિત થયો હતો. મોહમ્મદ શમી શરૂઆતની કેટલીક મેચોમાં રમ્યો ન હતો, પરંતુ છેલ્લી મેચોમાં તેણે ધારદાર બોલિંગ કરી અને એકલા હાથે ભારતને જીત અપાવી હતી. મોહમ્મદ શમીએ વર્લ્ડ કપમાં 24 વિકેટ લીધી હતી.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">