T20 World Cup 2024 : વિરાટ કોહલીને આઉટ કરવા ખાસ પ્લાન બનાવવામાં આવશે, બાબર આઝમે કહી મોટી વાત
બાબર આઝમે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ પહેલા વિરાટ કોહલી પર મોટું નિવેદન આપ્યું છે. બાબરે કહ્યું કે તે T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીને વહેલા આઉટ કરવાની રણનીતિ બનાવશે. બાબર આઝમના આ નિવેદન બાદ પાકિસ્તાન ભારત સામે વર્લ્ડ કપમાં કેવું પ્રદર્શન કરે છે અને વિરાટ કોહલીને કેવી રીતે જલદી આઉટ કરે છે, તેના પર બધાની ખાસ નજર રહેશે.

બાબર આઝમે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ પહેલા વિરાટ કોહલી પર મોટું નિવેદન આપ્યું છે. બાબરે કહ્યું કે તે T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીને વહેલા આઉટ કરવાની રણનીતિ બનાવશે. બાબર આઝમના આ નિવેદન બાદ પાકિસ્તાન ભારત સામે વર્લ્ડ કપમાં કેવું પ્રદર્શન કરે છે અને વિરાટ કોહલીને કેવી રીતે જલ્દી આઉટ કરે છે, તેના પર બધાની ખાસ નજર રહેશે.

બાબર આઝમે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ પહેલા વિરાટ કોહલી પર મોટું નિવેદન આપ્યું છે. બાબરે કહ્યું કે તે T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીને વહેલા આઉટ કરવાની રણનીતિ બનાવશે. બાબર આઝમના આ નિવેદન બાદ પાકિસ્તાન ભારત સામે વર્લ્ડ કપમાં કેવું પ્રદર્શન કરે છે અને વિરાટ કોહલીને કેવી રીતે જલ્દી આઉટ કરે છે, તેના પર બધાની ખાસ નજર રહેશે.

બાબરે કહ્યું કે પાકિસ્તાની ટીમ ન્યૂયોર્કની સ્થિતિ વિશે વધુ જાણતી નથી પરંતુ વિરાટ શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે અને તેને રોકવા માટે રણનીતિ બનાવવામાં આવશે.

બાબર આઝમને નવા કોચ ગેરી કર્સ્ટન પાસેથી પણ ઘણી અપેક્ષાઓ છે. ગેરીએ 2011માં ભારતને T20 વર્લ્ડ કપ જીતવામાં મદદ કરી હતી અને પાકિસ્તાની કેપ્ટનનું માનવું છે કે તેના ઇનપુટથી ટીમને ઘણો ફાયદો થશે.

બાબરે કહ્યું કે ગેરી એક અનુભવી કોચ છે. તેમની હાજરી લાભદાયી રહેશે. ગેરીએ ટીમ મેનેજમેન્ટ સાથે રણનીતિ પર પણ ચર્ચા શરૂ કરી દીધી છે. બાબરે એમ પણ કહ્યું કે કેપ્ટનશીપને લઈને કોઈ મતભેદ નથી.

































































