AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૃથ્વી શો-અજિંક્ય રહાણેને મોટો ફટકો, મુંબઈની ટીમમાંથી થયા બહાર, શ્રેયસ અય્યરે આપી હતી ‘ચેતવણી’

વિજય હજારે ટ્રોફી માટે મુંબઈની ટીમની જાહેરાત કરવામાં આવી છે. મોટા સમાચાર એ છે કે પૃથ્વી શો આ ટીમનો ભાગ નથી. મુંબઈએ પ્રથમ ત્રણ મેચ માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની પસંદગી કરવામાં આવી છે.

| Updated on: Dec 17, 2024 | 6:49 PM
Share
મુંબઈએ વિજય હજારે ટ્રોફી માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. પસંદગીકારોએ પ્રથમ ત્રણ મેચ માટે 17 ખેલાડીઓની ટીમ પસંદ કરી છે. મોટા સમાચાર એ છે કે ઓપનર પૃથ્વી શો આ ટીમ સાથે જોડાયો નથી. શો સૈયદ મુશ્તાક T20 ટૂર્નામેન્ટમાં ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો, શક્ય છે કે તે જોયા બાદ તેને ટીમની બહાર રાખવામાં આવ્યો હોય.

મુંબઈએ વિજય હજારે ટ્રોફી માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. પસંદગીકારોએ પ્રથમ ત્રણ મેચ માટે 17 ખેલાડીઓની ટીમ પસંદ કરી છે. મોટા સમાચાર એ છે કે ઓપનર પૃથ્વી શો આ ટીમ સાથે જોડાયો નથી. શો સૈયદ મુશ્તાક T20 ટૂર્નામેન્ટમાં ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો, શક્ય છે કે તે જોયા બાદ તેને ટીમની બહાર રાખવામાં આવ્યો હોય.

1 / 5
મોટા સમાચાર એ છે કે અજિંક્ય રહાણે પણ પ્રથમ ત્રણ મેચ માટે મુંબઈની ટીમમાં સામેલ નથી. સૈયદ મુશ્તાક ટ્રોફીમાં અજિંક્ય રહાણે પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો. શ્રેયસ અય્યર વિજય હજારે ટ્રોફીમાં પણ મુંબઈનો કેપ્ટન રહેશે. વિજય હજારે ટ્રોફી 21 ડિસેમ્બરથી શરૂ થશે, મુંબઈ તેની પ્રથમ મેચ કર્ણાટક સામે રમશે.

મોટા સમાચાર એ છે કે અજિંક્ય રહાણે પણ પ્રથમ ત્રણ મેચ માટે મુંબઈની ટીમમાં સામેલ નથી. સૈયદ મુશ્તાક ટ્રોફીમાં અજિંક્ય રહાણે પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો. શ્રેયસ અય્યર વિજય હજારે ટ્રોફીમાં પણ મુંબઈનો કેપ્ટન રહેશે. વિજય હજારે ટ્રોફી 21 ડિસેમ્બરથી શરૂ થશે, મુંબઈ તેની પ્રથમ મેચ કર્ણાટક સામે રમશે.

2 / 5
પૃથ્વી શોની ફિટનેસ અને પ્રદર્શન સતત બગડી રહ્યું છે. શોએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં એક પણ અડધી સદી ફટકારી ન હતી. આ ખેલાડીએ 21.88ની એવરેજથી માત્ર 197 રન બનાવ્યા. આ સિવાય તેની ફિટનેસ પણ ઘણી ખરાબ છે જેના કારણે તેને રણજી ટ્રોફીની વચ્ચે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. બીજી તરફ રહાણે શા માટે ટીમની બહાર છે તે બહાર આવ્યું નથી પરંતુ શક્ય છે કે તેને આરામ આપવામાં આવ્યો હોય.

પૃથ્વી શોની ફિટનેસ અને પ્રદર્શન સતત બગડી રહ્યું છે. શોએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં એક પણ અડધી સદી ફટકારી ન હતી. આ ખેલાડીએ 21.88ની એવરેજથી માત્ર 197 રન બનાવ્યા. આ સિવાય તેની ફિટનેસ પણ ઘણી ખરાબ છે જેના કારણે તેને રણજી ટ્રોફીની વચ્ચે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. બીજી તરફ રહાણે શા માટે ટીમની બહાર છે તે બહાર આવ્યું નથી પરંતુ શક્ય છે કે તેને આરામ આપવામાં આવ્યો હોય.

3 / 5
પૃથ્વી શો પર શ્રેયસ અય્યરનું નિવેદન વિજય હજારે ટ્રોફી માટે મુંબઈની ટીમની પસંદગીના એક દિવસ પહેલા આવ્યું છે. તેણે કહ્યું હતું કે શો ક્ષમતાથી ભરપૂર છે, તેણે માત્ર કેટલીક બાબતો સુધારવાની છે. અય્યરે કહ્યું હતું કે પૃથ્વી શોને કોઈ બેબીસીટ કરશે નહીં. આ નિવેદનને શો માટે ચેતવણી તરીકે જોવામાં આવી રહ્યું હતું અને હવે માત્ર 24 કલાક બાદ તે ટીમની બહાર થઈ ગયો છે.

પૃથ્વી શો પર શ્રેયસ અય્યરનું નિવેદન વિજય હજારે ટ્રોફી માટે મુંબઈની ટીમની પસંદગીના એક દિવસ પહેલા આવ્યું છે. તેણે કહ્યું હતું કે શો ક્ષમતાથી ભરપૂર છે, તેણે માત્ર કેટલીક બાબતો સુધારવાની છે. અય્યરે કહ્યું હતું કે પૃથ્વી શોને કોઈ બેબીસીટ કરશે નહીં. આ નિવેદનને શો માટે ચેતવણી તરીકે જોવામાં આવી રહ્યું હતું અને હવે માત્ર 24 કલાક બાદ તે ટીમની બહાર થઈ ગયો છે.

4 / 5
વિજય હજારે ટ્રોફી માટે મુંબઈની ટીમ : શ્રેયસ અય્યર (કેપ્ટન), આયુષ મ્હાત્રે, અંગક્રિશ રઘુવંશી, જય બિસ્તા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, સિદ્ધેશ લાડ, હાર્દિક તામોર, પ્રસાદ પવાર, અથર્વ અંકોલેકર, તનુષ કોટિયન, શાર્દુલ ઠાકુર, જુનૈદ ખાન, રોયસ્ટન ડાયસ, જુનેદ ખાન, હર્ષ તન્ના, વિનાયક ભોઈર. (All Photo Credit : X / MCA)

વિજય હજારે ટ્રોફી માટે મુંબઈની ટીમ : શ્રેયસ અય્યર (કેપ્ટન), આયુષ મ્હાત્રે, અંગક્રિશ રઘુવંશી, જય બિસ્તા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, સિદ્ધેશ લાડ, હાર્દિક તામોર, પ્રસાદ પવાર, અથર્વ અંકોલેકર, તનુષ કોટિયન, શાર્દુલ ઠાકુર, જુનૈદ ખાન, રોયસ્ટન ડાયસ, જુનેદ ખાન, હર્ષ તન્ના, વિનાયક ભોઈર. (All Photo Credit : X / MCA)

5 / 5
g clip-path="url(#clip0_868_265)">