AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતનો પહેલો વ્યક્તિ જે ક્રિકેટ જગતના સર્વોચ્ચ પદ પર પહોંચ્યો અને બન્યો ક્રિકેટનો ‘Most Powerful Person’

BCCI સેક્રેટરીને ICCના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવશે. વર્તમાન ચેરમેન ગ્રેગ બાર્કલેએ નવેમ્બરમાં તેમનો કાર્યકાળ પૂરો થયા પછી પદ ખાલી કરવાના તેમના નિર્ણયની પુષ્ટિ કરી દીધી છે. જે બાદ હવે જય શાહ તેમનું સ્થાન લેશે. જય શાહ આ પદ પર પહોંચનાર પહેલા ગુજરાતી બનશે.

| Updated on: Aug 21, 2024 | 9:07 PM
Share
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના નવા ચેરમેન તરીકે વર્તમાન ગ્રેગ બાર્કલેનું સ્થાન લેશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના નવા ચેરમેન તરીકે વર્તમાન ગ્રેગ બાર્કલેનું સ્થાન લેશે.

1 / 5
ક્રિકેટના સર્વોચ્ચ પદ પર પહોંચનાર જય શાહ ભારતના પાંચમા અને ગુજરાતના પહેલા વ્યક્તિ છે.

ક્રિકેટના સર્વોચ્ચ પદ પર પહોંચનાર જય શાહ ભારતના પાંચમા અને ગુજરાતના પહેલા વ્યક્તિ છે.

2 / 5
જય શાહ પહેલા ચાર ભારતીય ICCના ચેરમેન તરીકે કાર્યભાળ સંભાળી ચૂક્યા છે. જગમોહન દાલમિયા (1997 થી 2000), શરદ પવાર (2010-2012), એન શ્રીનિવાસન (2014 થી 2015) અને શશાંક મનોહર (2015 થી 2020) ICCના ચેરમેન રહી ચૂક્યા છે.

જય શાહ પહેલા ચાર ભારતીય ICCના ચેરમેન તરીકે કાર્યભાળ સંભાળી ચૂક્યા છે. જગમોહન દાલમિયા (1997 થી 2000), શરદ પવાર (2010-2012), એન શ્રીનિવાસન (2014 થી 2015) અને શશાંક મનોહર (2015 થી 2020) ICCના ચેરમેન રહી ચૂક્યા છે.

3 / 5
ખાસ વાત એ છે કે ICC ચેરમેન રહેલા ચારેય ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા નથી. જગમોહન દાલમિયા અને એન શ્રીનિવાસન બિઝનેસમેન છે, જ્યારે શશાંક મનોહર વકીલ અને શરદ પવાર ભારતના મોટા રાજકીય નેતા છે. જ્યારે જય શાહ ભારતના ગૃહમંત્રી અમિત શાહના પુત્ર છે અને ભારતીય બિઝનેસમેન તથા ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર તરીકે કાર્યરત છે.

ખાસ વાત એ છે કે ICC ચેરમેન રહેલા ચારેય ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા નથી. જગમોહન દાલમિયા અને એન શ્રીનિવાસન બિઝનેસમેન છે, જ્યારે શશાંક મનોહર વકીલ અને શરદ પવાર ભારતના મોટા રાજકીય નેતા છે. જ્યારે જય શાહ ભારતના ગૃહમંત્રી અમિત શાહના પુત્ર છે અને ભારતીય બિઝનેસમેન તથા ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર તરીકે કાર્યરત છે.

4 / 5
જગમોહન દાલમિયા કોલકાતા, એન શ્રીનિવાસન તમિલનાડુ, શશાંક મનોહર નાગપુર અને શરદ પવાર બોમ્બેમાં જન્મ્યા હતા. જ્યારે જય શાહનો જન્મ ગુજરાતમાં થયો છે અને તેઓ આ પદ પર પહોંચનાર પહેલા ગુજરાતી છે.

જગમોહન દાલમિયા કોલકાતા, એન શ્રીનિવાસન તમિલનાડુ, શશાંક મનોહર નાગપુર અને શરદ પવાર બોમ્બેમાં જન્મ્યા હતા. જ્યારે જય શાહનો જન્મ ગુજરાતમાં થયો છે અને તેઓ આ પદ પર પહોંચનાર પહેલા ગુજરાતી છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">