IPL 2025 : જો મુંબઈ અને ગુજરાતની એલિમિનેટર મેચ વરસાદ આવે, તો આ ટીમ બહાર થઈ જશે, જાણો IPLના નિયમો
IPL 2025માં એલિમિનેટર મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાશે. તો ચાલો જાણીએ કે, જો એલિમિનેટર મેચ વરસાદના કારણે ધોવાઈ જાય છે. તો કઈ ટીમ આઈપીએલ 2025માં આઉટ થશે. ચાલો વિસ્તારથી જાણીએ.

ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ બંન્ને ટીમ આઈપીએલનો ખિતાબ જીતી ચૂકી છે. આ બંન્ને ટીમ એલિમિનેટર મેચમાં આમને-સામને થશે. ગુજરાત અને મુંબઈ વચ્ચે એલિમિનેટર મેચ 30મે ના રોજ મુલ્લાપુરના મેદાનમાં રમાશે.

આઈપીએલમાં પ્લેઓફના નિયમ કડક છે. જો ગુજરાત-મુંબઈની એલિમિનેટર મેચ વરસાદના કારણે કે કોઈ અન્ય કારણોસર રદ્દ થાય છે તો કઈ ટીમ બહાર થશે? વિસ્તારથી જાણીએ.

આવી સ્થિતિમાં, જો એલિમિનેટર મેચ દરમિયાન વરસાદ પડે અને મેચ રદ થાય, તો મુંબઈ ઇન્ડિયન્સ એલિમિનેટર રમ્યા વગર બહાર થઈ જશે. IPLના નિયમો અનુસાર, જો એલિમિનેટર મેચ રદ થાય છે, તો પોઈન્ટ ટેબલમાં આગળ રહેતી ટીમ આગામી તબક્કા માટે ક્વોલિફાય થશે.

આઈપીએલ 2015ના પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ ક્રમશ 18 અને 16 અંક છે. ત્યારે જો એલિમિનેટર મેચ રદ થાય છે. તો ગુજરાતની ટીમ બીજા ક્વોલિફાયમાં એન્ટ્રી કરશે. એલિમિનેટર મેચ જીતનારી ટીમનો સામનો ક્વોલિફાય 1ની હારની ટીમ સામે થશે.

આઈપીએલના આ નિયમની ખુબ અલોચના થઈ રહી છે કે, એલિમિનેટર મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. આઈપીએલ 2025માં બીજા ક્વોલિફાયર અને ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.

ગુજરાત એક વખત અને મુંબઈ પાંચ વખત ચેમ્પિયન રહી ચૂકી છે. જો 30 મેના રોજ વરસાદ આવે છે. તો આ નિયમ મુંબઈ ઈન્ડિયન્સને લાગુ પડી શકે છે.
IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































