Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy 2025 : પાકિસ્તાન સામે મેચ પહેલા ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીનું મોટું નિવેદન

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમો 23 ફેબ્રુઆરીએ ટકરાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પાકિસ્તાન ટીમ પર મોટું નિવેદન આપ્યું છે.

| Updated on: Feb 18, 2025 | 10:24 PM
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સૌથી મોટી મેચ 23 ફેબ્રુઆરીએ રમાશે. આ દિવસે ભારત અને પાકિસ્તાનની ટીમો એકબીજા સામે ટકરાશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. દરેક ક્રિકેટ ચાહક આ મેચની રાહ જોઈ રહ્યા છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સૌથી મોટી મેચ 23 ફેબ્રુઆરીએ રમાશે. આ દિવસે ભારત અને પાકિસ્તાનની ટીમો એકબીજા સામે ટકરાશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. દરેક ક્રિકેટ ચાહક આ મેચની રાહ જોઈ રહ્યા છે.

1 / 5
ભારત-પાકિસ્તાન મેચને ક્રિકેટની સૌથી મોટી ટક્કર માનવામાં આવે છે અને બંને ટીમો ફક્ત ICC ટુર્નામેન્ટ અને એશિયા કપમાં જ ટકરાય છે. આવી સ્થિતિમાં બંને ટીમોના ખેલાડીઓ પર ઘણું દબાણ છે. પાકિસ્તાન સામે મેચ પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પણ આ મેચ પર મોટું નિવેદન આપ્યું છે.

ભારત-પાકિસ્તાન મેચને ક્રિકેટની સૌથી મોટી ટક્કર માનવામાં આવે છે અને બંને ટીમો ફક્ત ICC ટુર્નામેન્ટ અને એશિયા કપમાં જ ટકરાય છે. આવી સ્થિતિમાં બંને ટીમોના ખેલાડીઓ પર ઘણું દબાણ છે. પાકિસ્તાન સામે મેચ પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પણ આ મેચ પર મોટું નિવેદન આપ્યું છે.

2 / 5
ICC ઈવેન્ટ્સમાં ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન સામે ઉપર રહ્યો હોવા છતાં વિરાટ કોહલી પાકિસ્તાન ટીમને બિલકુલ હળવાશથી લેવા માંગતો નથી. સ્ટાર સ્પોર્ટ્સ પર ભારત-પાકિસ્તાન મેચ વિશે વાત કરતા વિરાટ કોહલીએ કહ્યું કે પાકિસ્તાન એક મજબૂત ટીમ છે. આ વખતે પાકિસ્તાનના ખેલાડીઓની ઈજાની કોઈ સમસ્યા નથી. બધા ખેલાડીઓ ફિટ છે. પાકિસ્તાનની ટીમ સારી દેખાઈ રહી છે. પાકિસ્તાને દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં મેચ જીતી છે અને ઘરઆંગણે પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે.

ICC ઈવેન્ટ્સમાં ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન સામે ઉપર રહ્યો હોવા છતાં વિરાટ કોહલી પાકિસ્તાન ટીમને બિલકુલ હળવાશથી લેવા માંગતો નથી. સ્ટાર સ્પોર્ટ્સ પર ભારત-પાકિસ્તાન મેચ વિશે વાત કરતા વિરાટ કોહલીએ કહ્યું કે પાકિસ્તાન એક મજબૂત ટીમ છે. આ વખતે પાકિસ્તાનના ખેલાડીઓની ઈજાની કોઈ સમસ્યા નથી. બધા ખેલાડીઓ ફિટ છે. પાકિસ્તાનની ટીમ સારી દેખાઈ રહી છે. પાકિસ્તાને દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં મેચ જીતી છે અને ઘરઆંગણે પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે.

3 / 5
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી મેચ 2024ના T20 વર્લ્ડ કપ દરમિયાન રમાઈ હતી. ત્યારે બંને ટીમો વચ્ચે ખૂબ મજેદાર ટક્કર જોવા મળી હતી. તે મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું હતું. ODI ફોર્મેટમાં આ બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન રમાઈ હતી. ત્યારે ભારતીય ટીમે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું.

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી મેચ 2024ના T20 વર્લ્ડ કપ દરમિયાન રમાઈ હતી. ત્યારે બંને ટીમો વચ્ચે ખૂબ મજેદાર ટક્કર જોવા મળી હતી. તે મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું હતું. ODI ફોર્મેટમાં આ બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન રમાઈ હતી. ત્યારે ભારતીય ટીમે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું.

4 / 5
જો આપણે ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરીએ તો, બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ છે. જેમાં પાકિસ્તાન ત્રણ વખત જીત્યું છે અને ભારત ફક્ત બે વાર જ જીતી શક્યું છે. આવી સ્થિતિમાં અહીં પાકિસ્તાનનો હાથ ઉપર હોય તેવું લાગે છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં બંને ટીમો વચ્ચે છેલ્લી ટક્કર 2017 માં જોવા મળી હતી. ત્યારે પાકિસ્તાનની ટીમે ભારતને હરાવીને ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો. (All Photo Credit : PTI / GETTY)

જો આપણે ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરીએ તો, બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ છે. જેમાં પાકિસ્તાન ત્રણ વખત જીત્યું છે અને ભારત ફક્ત બે વાર જ જીતી શક્યું છે. આવી સ્થિતિમાં અહીં પાકિસ્તાનનો હાથ ઉપર હોય તેવું લાગે છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં બંને ટીમો વચ્ચે છેલ્લી ટક્કર 2017 માં જોવા મળી હતી. ત્યારે પાકિસ્તાનની ટીમે ભારતને હરાવીને ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો. (All Photo Credit : PTI / GETTY)

5 / 5

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સૌથી મોટી મેચ 23 ફેબ્રુઆરીએ રમાશે, જ્યારે ભારત-પાકિસ્તાન સામ-સામે હશે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક

Follow Us:
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા
ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા
ગુજરાતમાં કાળઝાળ ગરમી, 43 ડિગ્રીથી વધુ તાપમાનની આગાહી
ગુજરાતમાં કાળઝાળ ગરમી, 43 ડિગ્રીથી વધુ તાપમાનની આગાહી
g clip-path="url(#clip0_868_265)">