AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કુદરતની અદ્ભુત કમાલ: એક એવું ફળ જેનો કચરો ક્યારેય ફેંકવો નથી પડતો, દરેક ભાગ આવે છે અનોખા કામમાં

આપણે નાળિયેર પાણી પીને તેની છાલ અને કાચલીને નકામી સમજી ફેંકી દઈએ છીએ, પણ વાસ્તવમાં તેનો દરેક ભાગ કિંમતી છે. ચાલો જાણીએ કે કેવી રીતે નાળિયેરની છાલથી લઈને તેના પાંદડા સુધીની તમામ વસ્તુઓ રસોઈ અને ખેતીમાં અદ્ભુત રીતે કામ આવે છે.

| Updated on: Jul 04, 2026 | 7:22 PM
Share
આપણે બધા ઉનાળામાં કે તરસ છીપાવવા માટે નાળિયેર પાણી પીએ છીએ અને તેની મલાઈ ખાવાની મજા લઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નાળિયેરનું પાણી પીધા પછી કે મલાઈ ખાધા પછી તેની સફર પૂરી નથી થતી? વાસ્તવમાં નાળિયેર કુદરતનું એક એવું અનોખું અને ઝીરો-વેસ્ટ ફળ છે, જેનો એક પણ ભાગ કચરામાં જતો નથી. નાળિયેરના પાણીથી લઈને તેના થડ સુધીની દરેક વસ્તુ માણસના કોઈ ને કોઈ કામમાં આવી જાય છે. ચાલો જાણીએ આ અદ્ભુત ફળના દરેક ભાગના અનોખા ઉપયોગો વિશે.

આપણે બધા ઉનાળામાં કે તરસ છીપાવવા માટે નાળિયેર પાણી પીએ છીએ અને તેની મલાઈ ખાવાની મજા લઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નાળિયેરનું પાણી પીધા પછી કે મલાઈ ખાધા પછી તેની સફર પૂરી નથી થતી? વાસ્તવમાં નાળિયેર કુદરતનું એક એવું અનોખું અને ઝીરો-વેસ્ટ ફળ છે, જેનો એક પણ ભાગ કચરામાં જતો નથી. નાળિયેરના પાણીથી લઈને તેના થડ સુધીની દરેક વસ્તુ માણસના કોઈ ને કોઈ કામમાં આવી જાય છે. ચાલો જાણીએ આ અદ્ભુત ફળના દરેક ભાગના અનોખા ઉપયોગો વિશે.

1 / 7
અમૃત જેવું પાણી અને બહુગુણી મલાઈ: તડકામાંથી આવ્યા પછી નાળિયેરનું એક ગ્લાસ પાણી શરીરમાં નવો જ ઉત્સાહ ભરી દે છે. આ પાણી માત્ર પીવા માટે જ નહીં, પણ સ્મૂધી, મીઠાઈઓ અને ખાસ પ્રકારના સૂપ બનાવવામાં પણ વપરાય છે. તેવી જ રીતે તેની નરમ મલાઈ સીધી ખાવા ઉપરાંત શાકના રસાને ઘટ્ટ કરવા, નાળિયેરનું દૂધ, તેલ અને લોટ બનાવવામાં પણ કામ આવે છે. દુનિયાભરના રસોડામાં નાળિયેરની મલાઈ સૌથી લોકપ્રિય સામગ્રી છે.

અમૃત જેવું પાણી અને બહુગુણી મલાઈ: તડકામાંથી આવ્યા પછી નાળિયેરનું એક ગ્લાસ પાણી શરીરમાં નવો જ ઉત્સાહ ભરી દે છે. આ પાણી માત્ર પીવા માટે જ નહીં, પણ સ્મૂધી, મીઠાઈઓ અને ખાસ પ્રકારના સૂપ બનાવવામાં પણ વપરાય છે. તેવી જ રીતે તેની નરમ મલાઈ સીધી ખાવા ઉપરાંત શાકના રસાને ઘટ્ટ કરવા, નાળિયેરનું દૂધ, તેલ અને લોટ બનાવવામાં પણ કામ આવે છે. દુનિયાભરના રસોડામાં નાળિયેરની મલાઈ સૌથી લોકપ્રિય સામગ્રી છે.

2 / 7
ફૂલમાંથી નીકળતો મીઠો રસ: બહુ ઓછા લોકો જાણે છે કે ખેડૂતો નાળિયેરના ફૂલમાંથી એક ખાસ મીઠો રસ એટલે કે સેપ એકઠો કરે છે. આ રસને ઉકાળીને નાળિયેરની ખાંડ (કોકોનટ સુગર) અને સિરપ બનાવવામાં આવે છે. એટલું જ નહીં, તેને આથો આપીને નાળિયેરનો સરકો (વિનેગર) અને પરંપરાગત પીણાં પણ તૈયાર કરાય છે.

ફૂલમાંથી નીકળતો મીઠો રસ: બહુ ઓછા લોકો જાણે છે કે ખેડૂતો નાળિયેરના ફૂલમાંથી એક ખાસ મીઠો રસ એટલે કે સેપ એકઠો કરે છે. આ રસને ઉકાળીને નાળિયેરની ખાંડ (કોકોનટ સુગર) અને સિરપ બનાવવામાં આવે છે. એટલું જ નહીં, તેને આથો આપીને નાળિયેરનો સરકો (વિનેગર) અને પરંપરાગત પીણાં પણ તૈયાર કરાય છે.

3 / 7
છાલ બને છે રસોઈનું બળતણ: નાળિયેરની ઉપરની સૂકી છાલ (છોતરાં) જેને લોકો નકામી સમજીને ફેંકી દે છે, તેનો ઉપયોગ ગ્રામીણ અને ગરમ પ્રદેશોમાં રસોઈ બનાવવા માટે કુદરતી બળતણ તરીકે થાય છે. આ છાલમાંથી નીકળતો ધુમાડો રસોઈમાં એક અનોખી સુગંધ ઉમેરે છે, જે ખાસ કરીને શેકેલી વાનગીઓ માટે બેસ્ટ માનવામાં આવે છે.

છાલ બને છે રસોઈનું બળતણ: નાળિયેરની ઉપરની સૂકી છાલ (છોતરાં) જેને લોકો નકામી સમજીને ફેંકી દે છે, તેનો ઉપયોગ ગ્રામીણ અને ગરમ પ્રદેશોમાં રસોઈ બનાવવા માટે કુદરતી બળતણ તરીકે થાય છે. આ છાલમાંથી નીકળતો ધુમાડો રસોઈમાં એક અનોખી સુગંધ ઉમેરે છે, જે ખાસ કરીને શેકેલી વાનગીઓ માટે બેસ્ટ માનવામાં આવે છે.

4 / 7
કાચલીમાંથી બને છે સુંદર વાસણો: નાળિયેરની અંદરની કડક કાચલી (શેલ) નો ઉપયોગ આજે ઈકો-ફ્રેન્ડલી વાસણો તરીકે ખૂબ વધી ગયો છે. તેના કદ પ્રમાણે તેમાંથી સુંદર બાઉલ, કપ અને ચમચી બનાવવામાં આવે છે, જેમાં ખાવાનું પીરસવાથી વાનગી વધુ આકર્ષક લાગે છે.

કાચલીમાંથી બને છે સુંદર વાસણો: નાળિયેરની અંદરની કડક કાચલી (શેલ) નો ઉપયોગ આજે ઈકો-ફ્રેન્ડલી વાસણો તરીકે ખૂબ વધી ગયો છે. તેના કદ પ્રમાણે તેમાંથી સુંદર બાઉલ, કપ અને ચમચી બનાવવામાં આવે છે, જેમાં ખાવાનું પીરસવાથી વાનગી વધુ આકર્ષક લાગે છે.

5 / 7
પાંદડા અને થડ પણ છે ઉપયોગી: નાળિયેરના મજબૂત પાંદડાઓનો ઉપયોગ માછલી, ભાત કે અન્ય વાનગીઓને વરાળમાં બાફવા (સ્ટીમિંગ) અથવા ગ્રીલ કરવા માટે થાય છે. આ પાંદડા વાનગીની સુગંધ અને ભેજને અંદર જ જકડી રાખે છે. જ્યારે નાળિયેરનું ઝાડ પૂરું થાય છે, ત્યારે તેના થડના લાકડાનો ઉપયોગ પરંપરાગત ચૂલા અને ઓવનમાં બળતણ તરીકે કરવામાં આવે છે.

પાંદડા અને થડ પણ છે ઉપયોગી: નાળિયેરના મજબૂત પાંદડાઓનો ઉપયોગ માછલી, ભાત કે અન્ય વાનગીઓને વરાળમાં બાફવા (સ્ટીમિંગ) અથવા ગ્રીલ કરવા માટે થાય છે. આ પાંદડા વાનગીની સુગંધ અને ભેજને અંદર જ જકડી રાખે છે. જ્યારે નાળિયેરનું ઝાડ પૂરું થાય છે, ત્યારે તેના થડના લાકડાનો ઉપયોગ પરંપરાગત ચૂલા અને ઓવનમાં બળતણ તરીકે કરવામાં આવે છે.

6 / 7
છેલ્લે બચેલો ભાગ પણ બને છે કિંમતી: જ્યારે નાળિયેરમાંથી તેલ કાઢી લેવામાં આવે છે, ત્યારે જે કૂચો (ખોળ) બચે છે તે પશુઓ માટે ખૂબ જ પૌષ્ટિક આહાર બને છે. તેને જમીનમાં ભેળવીને ઓર્ગેનિક ખાતર પણ બનાવવામાં આવે છે, જે આગામી પાક માટે જમીનને ફળદ્રુપ બનાવે છે. આમ, નાળિયેર કુદરતની એક એવી ભેટ છે જેનો સો ટકા ઉપયોગ થાય છે.

છેલ્લે બચેલો ભાગ પણ બને છે કિંમતી: જ્યારે નાળિયેરમાંથી તેલ કાઢી લેવામાં આવે છે, ત્યારે જે કૂચો (ખોળ) બચે છે તે પશુઓ માટે ખૂબ જ પૌષ્ટિક આહાર બને છે. તેને જમીનમાં ભેળવીને ઓર્ગેનિક ખાતર પણ બનાવવામાં આવે છે, જે આગામી પાક માટે જમીનને ફળદ્રુપ બનાવે છે. આમ, નાળિયેર કુદરતની એક એવી ભેટ છે જેનો સો ટકા ઉપયોગ થાય છે.

7 / 7

બેંક સેવિંગ એકાઉન્ટ કરતા વધુ વ્યાજ કમાવવું છે ? ઓછા સમયના રોકાણ માટે લિક્વિડ અને અલ્ટ્રા શોર્ટ ફંડમાંથી કયો ઓપ્શન છે બેસ્ટ

Follow Us
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
g clip-path="url(#clip0_868_265)">