બાહુબલીના ‘કટપ્પા’ની પૌત્રવધુ એન્જિનિયર, દીકરી ડોક્ટર અને દીકરો છે અભિનેતા, આવો છે પરિવાર
'કટપ્પાં ને બાહુબલી કો ક્યોં મારા' આ ડાયલોગ ખુબ ફેમસ થયો હતો. તો આજે આપણે બાહુબલી ફિલ્મમાં કટપ્પા એટલે તેનું સાચું નામ સત્યરાજ છે. જે બોલિવુડ ફિલ્મ સિકંદરમાં જોવા મળશે. તો સત્યરાજના પરિવાર વિશે રસપ્રદ વાતો જાણીએ.

સત્યરાજનો જન્મ 3 ઓક્ટોબર 1954ના રોજ રંગરાજ તરીકે થયો હતો, સત્યરાજે તેમનું પ્રાથમિક શિક્ષણ કોઈમ્બતુરની સેન્ટ મેરી કોન્વેન્ટ સ્કૂલમાંથી પૂર્ણ કર્યું અને બાદમાં કોઈમ્બતુરના રામનગરની હાઈ સ્કૂલમાંથી દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો. વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી માટે કોઈમ્બતુરની સરકારી કોલેજમાં અભ્યાસ માટે ગયા હતા.

સત્યરાજના પરવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

સત્યરાજ ફિલ્મ નિર્માતા, ફિલ્મ દિગ્દર્શક છે જે મુખ્યત્વે તમિલ ફિલ્મોમાં દેખાય છે. તેઓ તેલુગુ, મલયાલમ, કન્નડ અને બોલિવુડમાં પણ કામ કરે છે. તેઓ ત્રણ ફિલ્મફેર એવોર્ડ સાઉથ અને ત્રણ તમિલનાડુ સ્ટેટ ફિલ્મ એવોર્ડ્સ મેળવી ચૂક્યા છે.

બાહુબલી ફિલ્મમાં કટપ્પાની ભૂમિકા ભજવનાર સાઉથનો અભિનેતા સત્યરાજ હવે બોલિવુડની ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવવા માટે તૈયાર છે. શાહરૂખ ખાન બાદ તે સલમાન ખાનની ફિલ્મમાં મોટા રોલમાં જોવા મળશે. સત્યરાજ સિકંદર ફિલ્મમાં જોવા મળશે.

તમિલ અભિનેતા સત્યરાજ ફિલ્મ બાહુબલીમાં કટપ્પાના પાત્ર માટે જાણીતો છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતુ કે, તેની માતા ન હોતી ઈચ્છતી કે, દીકરો ફિલ્મોમાં કામ કરે , પરંતુ કટપ્પાએ ફિલ્મી દુનિયામાં મોટું નામ કમાયું છે.

આજે અમે તમને કટપ્પાના પરિવાર , કરિયર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણીએ.સત્યરાજે પોતાના અભિયનની કળાથી 600થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.સત્યરાજનું ફિલ્મી કરિયર શાનદાર રહ્યું છે. સત્યરાજનું સાચું નામ રંગરાજ સુબય્યા છે. અભિનેતા સત્યરાજ બોલિવુડની મુંજ્યા ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે.

સત્યરાજે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત 1987માં કરી હતી.સત્યરાજ પહેલીવાર ફિલ્મ 'અન્નકિલી'માં જોવા મળ્યો હતો.સત્યરાજની જીદ અને ફિલ્મો પ્રત્યેના પ્રેમે તેને 'કટપ્પા' બનાવી દીધો છે.

સત્યરાજને ફિલ્મોમાં નાની-નાની ભૂમિકાઓ મળતી હતી. 1978 થી 1985 સુધી સત્યરાજે 75 ફિલ્મોમાં કામ કર્યું. રિપોર્ટ્સનું માનીએ તો સત્યરાજને ફિલ્મ 'સાવી'માં લીડ રોલ મળ્યો હતો.

સિકંદર પહેલા સત્યરાજ શાહરૂખ ખાનની ચેન્નાઈ એક્સપ્રેસ અને પ્રભાસની રાધે શ્યામમાં સપોર્ટિંગ ભૂમિકામાં જોવા મળ્યા છે. તેથી, તે હિન્દી ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે,

સત્યરાજે 2015માં 'બાહુબલી' અને 2017માં 'બાહુબલી 2'માં કટપ્પાનું યાદગાર પાત્ર ભજવ્યું હતું.જેમાં 'કટપ્પાં ને બાહુબલી કો ક્યોં મારા' આ ડાયલોગ ખુબ ફેમસ થયો હતો.

અભિનેતા સત્યરાજનો જન્મ 3 ઓક્ટોબર 1954ના રોજ થયો હતો. સત્યરાજે વર્ષ 1979માં મહેશ્વરી સત્યરાજ સાથે લગ્ન કર્યા હતા. સત્યરાજના પુત્રનું નામ સિબી સત્યરાજ અને પુત્રીનું નામ દિવ્યા સત્યરાજ છે. સત્યરાજનો પુત્ર સિબી સત્યરાજ પણ સાઉથનો અભિનેતા છે. તેમની પુત્રી દિવ્યા ડોક્ટર છે.

14 સપ્ટેમ્બર 2008ના રોજ, સિબીએ રેવતી સાથે લગ્ન કર્યા, જે ચેન્નાઈમાં એક આઈટી કંપનીમાં કામ કરતી એન્જિનિયર છે. લગ્ન કરતા પહેલા બંને 13 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા.

બાહુબલી અને બાહુબલી 2માં કટપ્પાની શાનદાર ભૂમિકા ભજવનાર સત્યરાજ બોલિવુડની સિકંદર ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. રિપોર્ટ અનુસાર આ ફિલ્મ માટે તેને 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

































































