Mahakumbh 2025 : અમિત શાહે સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી ! CM યોગી પણ રહ્યા હાજર, જુઓ-Photo
ગૃહમંત્રી અમિત શાહ અને જય શાહ સંગમ પાસે આરતી કરી હતી આખો પરિવાર પણ ત્યાં હાજર રહ્યો હતો. અમિત શાહે ભગવા વસ્ત્રો પહેર્યા હતા અને સંગમના કિનારે પ્રાર્થના કરી હતી. આ સીએમ યોગી આદિત્યનાથ અને યુપી સરકારના ઘણા મંત્રીઓ ત્યાં હાજર રહ્યા હતા

ગૃહમંત્રી અમિત શાહ સોમવારે પ્રયાગરાજ પહોંચ્યા. અમિત શાહ આજે મહાકુંભ 2025નો ભાગ બન્યા અને શ્રદ્ધાનો ડૂબકી લગાવી. ગૃહમંત્રીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના પરિવાર સાથે ત્રિવેણી સંગમ ખાતે અનેક સંતો અને સીએમ યોગી આદિત્યનાથની હાજરીમાં આરતી કરી હતી.

ગૃહમંત્રી અમિત શાહ અને જય શાહ સંગમ પાસે આરતી કરી હતી આખો પરિવાર પણ ત્યાં હાજર રહ્યો હતો

અમિત શાહે ભગવા વસ્ત્રો પહેર્યા હતા અને સંગમના કિનારે પ્રાર્થના કરી હતી. આ સીએમ યોગી આદિત્યનાથ અને યુપી સરકારના ઘણા મંત્રીઓ ત્યાં હાજર રહ્યા હતા

અમિત શાહે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરીને કહ્યું કે, મહાકુંભ એ સનાતન સંસ્કૃતિના અવિરત પ્રવાહનું એક અનોખું પ્રતીક છે. અમિત શાહે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરીને કહ્યું કે, કુંભ સંવાદિતા પર આધારિત આપણા શાશ્વત જીવન દર્શનને પ્રતિબિંબિત કરે છે

અમિત શાહ પહેલા પ્રયાગરાજ પહોંચી અને ત્રિવેણી સંગમ ખાતે ગંગા સ્નાન કર્યું. આ પછી તેઓ બડે હનુમાનજી મંદિર અને અક્ષય વટ જશે. આ સાથે, તેઓ મહારાજ અને અન્ય સંતો સાથે બપોરનું ભોજન કરશે અને જુના અખાડાની મુલાકાત લેશે. પવિત્ર શહેરની મુલાકાત દરમિયાન, તેઓ ગુરુ શરણાનંદજીના આશ્રમની મુલાકાત લેશે અને ગુરુ શરણાનંદજી અને ગોવિંદ ગિરિજી મહારાજને મળશે. આ પછી તેઓ શ્રૃંગેરી, પુરી અને દ્વારકાના શંકરાચાર્યોને પણ મળશે.
ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે. મહાકુંભના વધુ સમાચાર જોવા માટે અહિ ક્લિક કરો

































































