અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ જાહેર જીવનમાં 40 વર્ષથી સક્રીય છે. અમિત શાહે પોલીંગ બુથ એજન્ટથી લઈ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની જવાબદારી નિભાવી છે.
જુલાઈ 2014 માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની જવાબદારી અમિત શાહને સોંપાઈ હતી. 2020 સુધી તેઓએ રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા. 1982માં એબીવીપી ગુજરાતના સહમંત્રી બન્યા હતા. 1984માં અમદાવાદના નારાણપુરામાં પોલીંગ બુથની જવાબદારી નિભાવવાથી રાજકારણમાં આગળ વધવાની શરુઆત કરી હતી.
1980માં તેઓ આરએસએસમાં જોડાયા હતા. વર્ષ 1997માં સરખેજ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડીને સાંસદ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2002 થી 2010 સુધી ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન રહ્યા હતા. ગુજરાત ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ પદે પણ અમિત શાહ રહી ચુક્યા છે.
કોંગ્રેસે ‘વંદે માતરમ’ ના બે ટુકડા કર્યા, બે છંદ ગાવાનો નિર્ણય રાષ્ટ્રવિરોધી, રાષ્ટ્રીય ગીત વિવાદ પર અમિત શાહના પ્રહાર
અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ 'વંદે માતરમ' ના બે ટુકડા કરી દીધા છે. ફક્ત બે છંદ ગાવાનો નિર્ણય રાષ્ટ્રવિરોધી છે. કોંગ્રેસે સંસદના નિર્ણયનો અનાદર કર્યો છે અને પોતાના જીવનું બલિદાન આપનારા લાખો શહીદોનું ધોર અપમાન કર્યું છે.
- Bipin Prajapati
- Updated on: Aug 20, 2026
- 3:37 pm
Breaking News : ISI સમર્થિત શહેઝાદ ભટ્ટીના દેશવ્યાપી નેટવર્ક પર સુરક્ષાદળોનો હથોડો, ગુજરાત સહીત 14 રાજ્યમાં 200થી વધુ ઝડપાયા
સ્વતંત્રતા દિવસ પહેલા, મોદી સરકારે ISI સમર્થિત શહેઝાદ ભટ્ટીના દેશવ્યાપી આતંકવાદી નેટવર્કનો સફાયો કર્યો છે. ગુજરાત સહીત દેશના 14 રાજ્યોમાં ફેલાયેલા આંતકી નેટવર્કના 200 થી વધુ કાર્યકરોની ધરપકડ કરીને કડક પુછપરછ કરવામાં આવી રહી છે.
- Bipin Prajapati
- Updated on: Aug 17, 2026
- 5:35 pm
Breaking News : અમિત શાહનો કોંગ્રેસ પર મોટો પ્રહાર! “વોટ બેંક માટે વંદે માતરમ્નું અપમાન, દેશની જનતા સોનિયા ગાંધીને માફ નહીં કરે”
અમિત શાહે વંદે માતરમ્ ના અપમાન પર કોંગ્રેસ પક્ષ પર આકરો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ કાર્યાલયમાં એક પાપ થયું છે. દેશના લોકો સોનિયા ગાંધીને ક્યારેય માફ નહીં કરે.
- Dhruval Shah
- Updated on: Aug 16, 2026
- 3:01 pm
Breaking News : આંબલી, બોપલ, ઘુમા, શેલામાં પાણી નિકાલનો માસ્ટર પ્લાન તૈયાર, અમિત શાહની સૂચના બાદ કાર્યવાહી
અમદાવાદના આંબલી, બોપલ, ઘુમા, અને શેલા વિસ્તારોમાં જળભરાવની ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દખલગીરી કરી છે.
- Sagar Solanki
- Updated on: Aug 13, 2026
- 7:57 pm
સંસદીય કાર્યવાહીમાં સતત વિક્ષેપ પર અમિત શાહનું નિવેદન, વિપક્ષ ચર્ચા માટે સામે આવે, હું દરેક પ્રશ્નનો જવાબ આપીશ
અમિત શાહે એવુ પણ કહ્યું કે, સરકાર પ્રશ્નકાળ સ્થગિત કરવા તૈયાર છે. વિપક્ષ દ્વારા, "ગુમ" અથવા "ભાગી ગયા" જેવી ભાષાના ઉપયોગની શાહે ટીકા કરી, તે અયોગ્ય હોવાનું જણાવ્યું. તેમણે ભાર મૂક્યો કે ચર્ચા માટે સમય નક્કી થવો જોઈએ, ચર્ચા માટે સરકારની તૈયારીનો પુનરોચ્ચાર કર્યો.
- Bipin Prajapati
- Updated on: Aug 12, 2026
- 1:12 pm
FCRA Bill : 12 ઓગસ્ટથી સંસદમાં થશે ચર્ચા, અમિત શાહને મળ્યા ખ્રિસ્તી ધર્મગુરુઓ !
સૂત્રો અનુસાર, હાલ FCRA વિધેયકના મૂળ ડ્રાફ્ટમાં કોઈ નવા સુધારાનો પ્રસ્તાવ નથી. સરકારનું કહેવું છે કે આ બિલને 12 ઑગસ્ટે ચર્ચા અને મંજૂરી માટે સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે.
- Dhruval Shah
- Updated on: Aug 7, 2026
- 8:26 am
મસ્જિદો ઉપરથી પોલીસે લાઉડસ્પીકરો ઉતરાવી નાખતા જ સાંસદ – પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ દોડ્યો અમિત શાહ પાસે
મસ્જિદો ઉપરમાંથી લાઉડસ્પીકર હટાવવા અંગે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હોબાળો મચ્યો છે. લોકસભાના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ સહિત ટીએમસીના ત્રણ બળવાખોર સાંસદોએ, ગૃહમંત્રી અમિત શાહ પાસે તાત્કાલિક આ મુદ્દે હસ્તક્ષેપ અને નિષ્પક્ષ કાર્યવાહીની માંગ કરી છે.
- Bipin Prajapati
- Updated on: Aug 7, 2026
- 8:17 am
Maharashtra Pune Breaking News “જીવનમાં ક્યારેય ભૂલ નહીં થાય…” અમિત શાહે યુવાનોને આપી આ ખાસ સલાહ !
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 01 ઓગસ્ટના રોજ પુણેમાં હતા. પુણેમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન યુવાનોને લોકમાન્ય બાલ ગંગાધર ટિળક દ્વારા લખાયેલું 'ગીતા રહસ્ય' પુસ્તક વાંચવાની સલાહ આપી.
- Dhruval Shah
- Updated on: Aug 1, 2026
- 3:25 pm
Maharashtra Breaking News : રાજકારણમાં મોટા ભૂકંપના એંધાણ! અમિત શાહ બાદ PM મોદીને મળ્યા મહારાષ્ટ્રના આ મોટા નેતા, શું NCPના બંને જૂથો એક થશે?
NCPના સંભવિત વિલીનીકરણની અટકળો વચ્ચે સુનીલ તટકરેએ અમિત શાહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ બેઠક બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
- Dhruval Shah
- Updated on: Jul 29, 2026
- 9:33 am
આંદોલનકારી Gen-Z વિદ્યાર્થીઓ પર પેલેટ ગનનો ઉપયોગ કરવાનો આદેશ કોણે આપ્યો ? સાદા વસ્ત્રોમાં લોકોને માર મારનારા કોણ હતા ? રાહુલ ગાંધીએ અમિત શાહને લખયો પત્ર
રાહુલ ગાંધીએ અમિત શાહને પત્ર લખીને 20 જુલાઈના રોજ જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર થયેલા "ક્રૂર હુમલા" માટે જવાબદારી લેવાની માંગ કરી છે. તેમણે પેલેટ ગનનો ઉપયોગ કરવાથી એક વિદ્યાર્થીની એક આંખની દ્રષ્ટિ ગુમાવવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને પ્રશ્ન કર્યો હતો કે શું ગૃહમંત્રીએ ઘાતક બળનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. જો તેમણે નહોતી આપી તો પેલેટ ગનનો ઉપયોગ કરવાનું કોણે કહ્યું હતું
- Bipin Prajapati
- Updated on: Jul 26, 2026
- 2:01 pm
Breaking News : ભાજપ માટે પદથી મોટો દેશ, યુવા પેઢી, વિદ્યાર્થી છે, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અમિત શાહે વ્યક્ત કરી પ્રતિક્રિયા
Gen Z Protest : ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણપ્રધાનપદેથી રાજીનામુ આપ્યા બાદ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે ધર્મેન્દ્ર પ્રધાને, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ના અસરકારક અમલીકરણ, માતૃભાષામાં પરીક્ષાઓ યોજવાની જોગવાઈ, શાળાઓનું વિસ્તરણ, ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગને મજબૂત બનાવવા સંબંધિત મહત્વપૂર્ણ સુધારાઓ અમલમાં મૂક્યા હતા.
- Bipin Prajapati
- Updated on: Jul 26, 2026
- 8:40 am
રાજ્યમાં અતિ ભારે વરસાદની સ્થિતિને લઈને રાજ્ય સરકાર એલર્ટ, PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
ગુજરાતમાં હાલ ભારે વરસાદની સ્થિતિ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટીંગ કરી રહ્યા છે. નવસારી, વલસાડની સ્થિતિ વધુ વિકટ બની છે. આ સ્થિતિમાં વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિની જાણકારી મેળવી હતી.
- TV9 Gujarati
- Updated on: Jul 23, 2026
- 7:58 pm
Breaking News: રાષ્ટ્રીય ગીતનું અપમાન કર્યું તો સીધા જેલ ભેગા થશો, ચોમાસુ સત્રમાં અમિત શાહ રજૂ કરશે ‘વંદે માતરમ્’ બિલ
20 જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સરકાર એક મહત્વપૂર્ણ બિલ રજૂ કરવા જઈ રહી છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ ના સન્માનને જાળવી રાખવાનો છે. નવા પ્રસ્તાવ મુજબ, જો કોઈ વ્યક્તિ વંદે માતરમ્ ગાવામાં અડચણ ઊભી કરશે કે તેનું અપમાન કરશે, તો તેને કાયદાકીય રીતે ગુનો ગણીને સજા આપવામાં આવશે.
- Ravi Prajapati
- Updated on: Jul 17, 2026
- 6:59 pm
અમિત શાહની મોટી જાહેરાત, ભારત ટેક્સીની સફળતા બાદ હવે શરૂ કરાશે સહકારી જીવન વીમા કંપની
કેન્દ્રીય મંત્રી અમિત શાહે દેશમાં સહકારી ક્ષેત્રના વિકાસને વેગ આપવા માટે એક નવી સહકારી જીવન વીમા કંપનીની સ્થાપનાની જાહેરાત કરી છે. આ કંપની 'ભારત ટેક્સી' ની તર્જ પર કાર્ય કરશે અને વીમા ક્ષેત્રમાં સહકારી મંડળીઓની ભાગીદારી વધારશે. તેનો ઉદ્દેશ્ય 30 કરોડથી વધુ સભ્યો ધરાવતી 8.5 લાખ સહકારી મંડળીઓને સશક્ત બનાવવાનો છે.
- Bipin Prajapati
- Updated on: Jul 6, 2026
- 7:16 pm
Moonsoon Session: શું PM કે CM કે મંત્રીઓ 30 દિવસ જેલમાં રહેશે તો પદ ગુમાવશે? સરકાર લાવી રહી છે બિલ
Moonsoon Session: જો PM-CM ને જેલ થાય અને 1 મહિનો જેલમાં રહે તો તેમને હોદ્દા પરથી રાજીનામું આપવુ પડશે. સંસદના ચોમાસુ સત્રમાં સરકાર આ અંગે બિલ લાવવાની તૈયારીમાં છે. પહેલા આ બિલને JPC ને મોકલવામા આવ્યુ છે. 17 જુલાઈએ JPC તેને હરી ઝંડી આપે તેવી સંભાવના જોવાઈ રહી છે.
- Mina Pandya
- Updated on: Jul 3, 2026
- 3:59 pm