AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમિત શાહ

અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ જાહેર જીવનમાં 40 વર્ષથી સક્રીય છે. અમિત શાહે પોલીંગ બુથ એજન્ટથી લઈ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની જવાબદારી નિભાવી છે.
જુલાઈ 2014 માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની જવાબદારી અમિત શાહને સોંપાઈ હતી. 2020 સુધી તેઓએ રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા. 1982માં એબીવીપી ગુજરાતના સહમંત્રી બન્યા હતા. 1984માં અમદાવાદના નારાણપુરામાં પોલીંગ બુથની જવાબદારી નિભાવવાથી રાજકારણમાં આગળ વધવાની શરુઆત કરી હતી.
1980માં તેઓ આરએસએસમાં જોડાયા હતા. વર્ષ 1997માં સરખેજ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડીને સાંસદ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2002 થી 2010 સુધી ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન રહ્યા હતા. ગુજરાત ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ પદે પણ અમિત શાહ રહી ચુક્યા છે.

Read More
Follow On:

અમિત શાહના ગુજરાત પ્રવાસના બીજા દિવસના કાર્યક્રમ દરમિયાન ત્રિરંગા યાત્રાથી વિકાસ યાત્રા સુધીનો જાણો આજનો સમગ્ર કાર્યક્રમ- Video

ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા અમિત શાહ તિરંગા યાત્રામાં જોડાયા હતા. બપોરે 3:30 કલાકે નળ સરોવર સાણંદ ખાતેથી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.

આગામી સમયમાં 2 લાખ સહકારી સંસ્થાનું રજિસ્ટ્રેશન કરાશેઃ અમિત શાહ

સહકારીતા પ્રધાન અમિત શાહે કહ્યું કે, વર્ષોથી ત્રિસ્તરીય સહકારી માળખાની આશા હતી, પરંતુ આપણે ચતુસ્તરીય સહકારી નીતિ અપનાવી છે. દરેક સ્તર પર સહકારી સંસ્થાને મદદ કરવાનો પ્રયાસ કરવા તેમણે સૌને અપિલ કરી હતી.

Operation Sindoor: આતંકના હેડક્વાર્ટર ઉડાવ્યા, પાકિસ્તાન ઘૂંટણિયે પડ્યું: અમિત શાહ

'ઓપરેશન સિંદૂર' દ્વારા પાકિસ્તાન અને તેના દ્વારા આશ્રય પામેલા આતંકવાદીઓને પાઠ ભણાવ્યા બાદ, ગૃહમંત્રી અમિત શાહે દેશની સુરક્ષાને લઈને મહત્ત્વના નિવેદનો આપ્યા છે.

અમિત શાહનો ગુજરાત પ્રવાસ : જાણો કયા કયા કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે, જેમાં તેઓ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને અનેક યોજનાઓનું લોકાર્પણ કરશે.

ઓપરેશન સિંદૂર બાદ આવતીકાલ 16 મેથી ત્રણ દિવસ ગુજરાત આવતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

પાકિસ્તાનને અને પાકિસ્તાનમાં ઉછરી રહેલા આતંકવાદીઓને ઠેકાણે પાડવા હાથ ધરાયેલ ઓપરેશન સિંદૂરમાં મહત્વની જવાબદારી બજાવ્યા બાદ, કેન્દ્રીય ગૃહપ્રધાન આવતીકાલ 16મી મેથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ તેમના મતવિસ્તાર ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં અનેક વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂર્હત કરશે.

Breaking News : યુદ્ધના ભણકારા – યુદ્ધની સ્થિતિમાં શું કરવું ? નાગરિક સુરક્ષાને લઈને 7 મેના રોજ મોકડ્રિલ યોજવા ગૃહ મંત્રાલયનો આદેશ

મોકડ્રિલમાં કુલ પાંચ પ્રકારની કામગીરીને આવરી લેવાની સ્પષ્ટ સુચના આપવામાં આવી છે. આ એક એવા પ્રકારની કામગીરી છે કે, જો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળે અને હવાઈ હુમલા સહિત દુશ્મન દેશ દ્વારા કરાતા વારને કેવી રીતે ખાળવા તેની પણ તાલિમ આપવામાં આવશે. ટૂંકમાં યુદ્ધની સ્થિતિમા્ નાગરિક સલામતીને લઈને મોકડ્રિલ યોજવામાં આવશે.

Shah surname history : હિન્દુ – મુસલમાન બંન્ને ધર્મમાં ઉપયોગમાં લેવાતી અટક શાહનો અર્થ અને ઈતિહાસ જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે.કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે શાહ અટકનો અર્થ શું થાય છે તેમજ તેના પાછળનો ઈતિહાસ શું છે તે જાણીશું.

હોટલોની રેકી, 3થી વધુ આતંકવાદી અને લશ્કર-એ-તૈયબાનું કાવતરું, 30ના મોતની આશંકા, પહેલગામ આતંકવાદી હુમલામાં સૌથી મોટો ખુલાસો

પહેલગામના બાઈસરન ખાતે થયેલા આતંકવાદી હુમલામાં 30 લોકોના મોતની આશંકા છે. તેમાંથી બે વિદેશી નાગરિક પણ હોવાની વાત છે, જે પૈકી એક ઈઝરાયેલનો નાગરિક છે અને બીજો ઈટાલીનો નાગરિક હોવાનું કહેવાઈ રહ્યું છે. દરમિયાન હુમલાને લઈને મહત્વની માહિતી સામે આવી છે. પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ એપ્રિલના પહેલા અઠવાડિયામાં કાશ્મીરના ઘણા પ્રવાસન સ્થળોની રેકી કરી હતી. આમાં પહેલગામની હોટલોનો પણ સમાવેશ થાય છે. એવું પણ સામે આવ્યું છે કે પહેલગામ આતંકી હુમલો ત્રણથી વધુ આતંકવાદીએ કર્યો હતો.

વિદેશથી મોદી અને દિલ્હીથી શાહ એક્શનમાં આવતા જ પાકિસ્તાન ગભરાયું, પહેલગામ હુમલા મુદ્દે ભારત આપશે જડબાતોડ જવાબ !

સાઉદી અરેબિયાથી પીએમ મોદીએ, ગૃહપ્રધાન અમિત શાહ સાથે વાત કરીને જરૂરી સુચનાઓ આપી છે, તેને લઈને ફરી કંઇક મોટું થવાનો ભય સેવાઈ રહ્યો છે. જે પ્રકારે વિદેશથી પીએમ અને દિલ્હીથી શાહે આ આતંકી ઘટનાને ગંભીરતાથી લઈને સુરક્ષા એજન્સીઓને દિશા નિર્દેશ અને જરૂરી આદેશ આપ્યા છે તેને લઈને પાકિસ્તાન પણ ગભરાઈ ઉઠ્યું છે.

એક એ મમતા હતી જે સંસદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરી મુદ્દે હંગામો કરી દેતી અને આજે એજ બાંગ્લાદેશીઓને હાથો બનાવી 2026ની પીચ મજબૂત કરી રહી છે- વાંચો

બંગાળમાં વક્ફ એક્ટ બાદ મૂર્શિદાબાદમાં ભડકેલી હિંસામાં ત્રણ હિંદુઓની હત્યા કરી દેવામાં આવી અને બે પિતાપુત્રને ઘરમાંથી બહાર ખેંચીને ટોળાએ ઢોર માર માર્યો. જેમા હરગોવન દાસ અને તેના પુત્ર ચંદનદાસનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યુ. આ હિંસા મુદ્દે મમતા બેનર્જી એવો બચાવ કરી રહી છે કે મીડિયા ખોટા નેરેટિવ ચલાવી રહયુ છે. મૂર્શિદાબાદમાં માત્ર એક વિવાદ થયો છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે પીએમ નિવાસસ્થાને યોજાઈ બેઠક, ગુજરાત સહીતના રાજ્યોના પ્રદેશ પ્રમુખો કરાશે જાહેર

ભાજપ સંગઠન ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે બુધવારે પ્રધાનમંત્રી નિવાસસ્થાને એક મોટી બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી આગામી 20 એપ્રિલ પછી ગમે ત્યારે જાહેર કરવામાં આવશે. બેઠકમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોના બાકી રહેલા ભાજપના પ્રદેશ પ્રમુખોના નામો પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

શું છે વક્ફ? ભારતમાં તેની શરૂઆત ક્યારે થઈ? અકબર, મોહમ્મદ ઘોરી અને કુતુબદ્દીન ઐબક સાથે જોડાયેલો છે ઈતિહાસ- વાંચો

વકફ ભારતમાં ઇસ્લામના આગમન સાથે ભારતમાં આવ્યો હોવાનું માની શકાય છે, જો કે તેની શરૂઆત કયા સમયગાળામાં થઈ તે વિશે ઇતિહાસ બહુ સ્પષ્ટ નથી. આવી સ્થિતિમાં, વકફને ઔપચારિક રીતે અમલમાં મૂકનાર 'પ્રથમ શાસક' કોણ હશે તે નક્કી કરવું ઇતિહાસ માટે મુશ્કેલ છે. આ પ્રશ્ન 'દાનની પરંપરા કેવી રીતે શરૂ થઈ' તે જાણવાનો પ્રયાસ કરવા જેવો છે.

Waqf Amendment Bill : CAAના કાયદાથી એક પણ મુસ્લિમની નાગરિકતા સમાપ્ત નથી થઈ, કોંગ્રેસ મુસ્લિમોને ડરાવીને વોટબેંકની રાજનીતિ કરે છેઃ અમિત શાહ

Waqf Amendment Bill : અમિત શાહે લોકસભામાં કહ્યું કે, દેશમાં રહેતા કોઈ પણ ધર્મના લોકોને સહેજ પણ આંચ નહીં આવે, આ નરેન્દ્ર મોદીની સરકાર છે. નરેન્દ્ર મોદીની સરકાર ત્રણ ટર્મથી ચૂંટાઈ આવી છે અને હજુ બીજી ત્રણ ટર્મ મોદી સરકાર સત્તા પર રહેશે એ નોંધી લેજો.

પાકિસ્તાનમાં ઘૂસીને બદલો લઈને, ભારતને ઈઝરાયેલ-અમેરિકાની યાદીમાં જોડી દીધુઃ અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતાં દેશની સુરક્ષા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે જમ્મુ અને કાશ્મીર સમસ્યા, ડાબેરી ઉગ્રવાદ અને ઉત્તર-પૂર્વમાં વિદ્રોહનો ઉલ્લેખ કર્યો. તેમણે એમ પણ કહ્યું કે, આખી દુનિયામાં માત્ર બે જ દેશ ઈઝરાયેલ અને અમેરિકા એવા છે જે દરેક સ્તરે પોતાની સરહદો અને સેના માટે તૈયાર છે. આપણે પાકિસ્તાનમાં ઘૂસીને બદલો લેતાની સાથે જ ભારતનુ નામ પણ ઈઝરાયેલ અને અમેરિકાની સાથેની યાદીમાં આવી ગયું છે.

મિઝોરમની આ 7 વર્ષની બાળકીએ ગૃહમંત્રી અમિત શાહને કર્યા મંત્રમુગ્ધ- જુઓ- Video

મિઝોરમની એક 7 વર્ષની નાનકડી દીકરી એસ્તર લાલદુહાવમી હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. દેશભક્તિથી ઓતપ્રોત તેના અવાજે માત્ર સામાન્ય લોકોને જ નહીં પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ મંત્રમુગ્ધ કરી દીધા હતા.

મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા
હાઈવે પર જોખમી સ્ટંટ પડયા ભારી ! બાઈક ટ્રક સાથે અથડાતા યુવક ગંભીર રીતે
હાઈવે પર જોખમી સ્ટંટ પડયા ભારી ! બાઈક ટ્રક સાથે અથડાતા યુવક ગંભીર રીતે
g clip-path="url(#clip0_868_265)">