Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમિત શાહ

અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ જાહેર જીવનમાં 40 વર્ષથી સક્રીય છે. અમિત શાહે પોલીંગ બુથ એજન્ટથી લઈ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની જવાબદારી નિભાવી છે.
જુલાઈ 2014 માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની જવાબદારી અમિત શાહને સોંપાઈ હતી. 2020 સુધી તેઓએ રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા. 1982માં એબીવીપી ગુજરાતના સહમંત્રી બન્યા હતા. 1984માં અમદાવાદના નારાણપુરામાં પોલીંગ બુથની જવાબદારી નિભાવવાથી રાજકારણમાં આગળ વધવાની શરુઆત કરી હતી.
1980માં તેઓ આરએસએસમાં જોડાયા હતા. વર્ષ 1997માં સરખેજ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડીને સાંસદ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2002 થી 2010 સુધી ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન રહ્યા હતા. ગુજરાત ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ પદે પણ અમિત શાહ રહી ચુક્યા છે.

Read More
Follow On:

પાકિસ્તાનમાં ઘૂસીને બદલો લઈને, ભારતને ઈઝરાયેલ-અમેરિકાની યાદીમાં જોડી દીધુઃ અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતાં દેશની સુરક્ષા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે જમ્મુ અને કાશ્મીર સમસ્યા, ડાબેરી ઉગ્રવાદ અને ઉત્તર-પૂર્વમાં વિદ્રોહનો ઉલ્લેખ કર્યો. તેમણે એમ પણ કહ્યું કે, આખી દુનિયામાં માત્ર બે જ દેશ ઈઝરાયેલ અને અમેરિકા એવા છે જે દરેક સ્તરે પોતાની સરહદો અને સેના માટે તૈયાર છે. આપણે પાકિસ્તાનમાં ઘૂસીને બદલો લેતાની સાથે જ ભારતનુ નામ પણ ઈઝરાયેલ અને અમેરિકાની સાથેની યાદીમાં આવી ગયું છે.

મિઝોરમની આ 7 વર્ષની બાળકીએ ગૃહમંત્રી અમિત શાહને કર્યા મંત્રમુગ્ધ- જુઓ- Video

મિઝોરમની એક 7 વર્ષની નાનકડી દીકરી એસ્તર લાલદુહાવમી હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. દેશભક્તિથી ઓતપ્રોત તેના અવાજે માત્ર સામાન્ય લોકોને જ નહીં પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ગુજરાતના એડવોકેટ જનરલે કેન્દ્રીય ગૃહ મંત્રીને “યુગ પુરુષ” કેમ ગણાવ્યા…જુઓ Video

ગુજરાત બાર કાઉન્સિલના વિક્રમી શપથવિધિ સમારોહમાં, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને "યુગ પુરુષ" ગણાવ્યા. અડાલજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 17,000થી વધુ વકીલો હાજર હતા.

Vadodara : જર્મનીથી ઓપરેટ થતી જીવન ફૌજી ગેંગનો સાગરિત ઝડપાયો, જુઓ Video

વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં જર્મનીથી ઓપરેટ થતો ‘જીવન ફૌજી’ ગેંગનો સભ્ય સાગરિત ઝડપી પઢાયો છે. સાગરિત એ વ્યક્તિ છે જેમણે પંજાબના વેપારી પર ફાયરીંગ કર્યા બાદ વડોદરામાં પ્રવેશ કર્યો હતો. આ ગેંગસટરની ધરપકડ સાથે સંલગ્ન એજન્સીની મહિલા અધિકારી અને અન્ય એક વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે.

CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં, ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીમાં ત્રણ નવા ફોજદારી કાયદાના અમલની સમિક્ષા બેઠક યોજી, ગુજરાતના કર્યા વખાણ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે નવી દિલ્હીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં, ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાતમાં પોલીસ, જેલ, અદાલત, ફરિયાદ અને ફોરેન્સિક સંબંધિત વિવિધ નવી જોગવાઈઓના અમલીકરણ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. ગુજરાત દ્વારા ફોરેન્સિક ક્રાઈમ મેનેજર પહેલને અન્ય રાજ્યોએ પણ અપનાવવા અનુરોધ કર્યો હતો.

દિલ્હીમાં જૂઠાણા અને કપટની સરકાર, ‘આપત્તિ’થી મુક્ત થવા 5 ફેબ્રુઆરીએ તક : અમિત શાહ

દિલ્હીના કાલકાજીમાં એક જાહેર સભાને સંબોધતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આમ આદમી પાર્ટી અને ભૂતપૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પર વાકપ્રહારો કર્યા અને કહ્યું કે દિલ્હીમાં જૂઠાણા, કપટ, વચન ભંગ અને ભ્રષ્ટાચારની સરકાર છે. અણ્ણા આંદોલન દરમિયાન કેજરીવાલે કહ્યું હતું કે, તેઓ રાજકીય પક્ષ નહીં બનાવે પણ તેમણે બનાવ્યો. એક કાર અને બંગલો પણ ખરીદ્યો. 51 કરોડ રૂપિયાનો શીશ મહેલ પણ બનાવ્યો.

Mahakumbh 2025 : અમિત શાહે સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી ! CM યોગી પણ રહ્યા હાજર, જુઓ-Photo

ગૃહમંત્રી અમિત શાહ અને જય શાહ સંગમ પાસે આરતી કરી હતી આખો પરિવાર પણ ત્યાં હાજર રહ્યો હતો. અમિત શાહે ભગવા વસ્ત્રો પહેર્યા હતા અને સંગમના કિનારે પ્રાર્થના કરી હતી. આ સીએમ યોગી આદિત્યનાથ અને યુપી સરકારના ઘણા મંત્રીઓ ત્યાં હાજર રહ્યા હતા

અમિત શાહે જાહેર કર્યો ભાજપનો મેનિફેસ્ટો, કહ્યું- અમે જે પણ વચન આપીએ છીએ તે પૂરા કરીએ છીએ

સંકલ્પ પત્ર બહાર પાડતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ ફક્ત વચનો નથી. અમે ચૂંટણીઓને ગંભીરતાથી લઈએ છીએ. આ દરમિયાન શાહે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે 5 વર્ષમાં અમે દિલ્હીની બધી સમસ્યાઓનો અંત લાવીશું.

Ahmedabad : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસે, 651 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ, જુઓ Video

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી એક વાર ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. 651 કરોડથી વધુના વિકાસકાર્યોની આજે ભેટ આપશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવશે ગુજરાત, સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ, જુઓ Video

અમિત શાહ રેલવેનાકરોડોના કાર્યોનું લોકાર્પણ પણ કરવાના છે. તો બીજી તરફ એએમસીના રાણીપ વોર્ડના પ્રભુ દ્રાવડ બ્રિજથી કાળી ગટરનાળા સુધીનું જે બોક્ષ ડ્રેઇન કરવાના કાર્યનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત સાંજે 4:30 કલાકે રાણીપ ખાતે જાહેર કાર્યક્રમમાં પણ તેઓ ભાગ લેશે, ત્યાં આગળ હાજર લોકોને તેમના દ્વારા સંબોધન કરવામાં આવશે.

કેન્દ્રીય પ્રધાન અમિત શાહે આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું કર્યું લોકાર્પણ, વડનગરના 2500 વર્ષના ઈતિહાસને પ્રત્યક્ષ અનુભવવાનો મળશે અવસર

વડનગરના ભવ્ય વારસાને સાચવીને બેઠેલી ઐતિહાસિક નગરી વડનગરમાં હવે લોકોને ભવ્ય ભૂતકાળને જોઈ શકશે. વડનગરના 2500 વર્ષના ઈતિહાસને પ્રત્યક્ષ અનુભવવાનો અવસર મળશે. ભારતનું પહેલું આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું લોકાર્પણ કેન્દ્રીય પ્રધાન અમિત શાહે કર્યું છે.

વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવતીકાલ 16 જાન્યુઆરીને ગુરુવારના રોજ, મહેસાણાના વડનગરમાં નવનિર્મિત ભારતના પહેલા 'આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ'નું ઉદ્ઘાટન કરશે. આ મ્યુઝિયમ 2500 વર્ષની ઐતિહાસિક યાત્રાનો અનુભવ કરાવશે.

સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે તેમના માદરેવતન માણસામાં, રૂપિયા 241 કરોડના વિવિધ કલ્યાણકારી કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું. આ પ્રસંગે તેમણે તેમના જૂના સંસ્મરણો તાજા કર્યા હતા. માણસાથી ભાડાની સાઈકલ લઈને અંબોડ આવવાની ઘટના, કે દાદાની સાથે કાળીમાતાના મંદિરે દર્શન કરવાના પ્રસંગને યાદ કર્યા હતા.

ગૃહ મંત્રી અમિત શાહની પતંગબાજી…મેમનગરમાં લોકો સાથે કરી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહે મેમનગરમાં શાંતિનિકેતન સોસાયટીના પ્રજાજનો સાથે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉતરાયણની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન તેમણે ધાબા પરથી પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો અને સૌને મકરસંક્રાંતિ પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

Ahmedabad : અમિત શાહે મેમનગરના શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં પતંગોત્સવની કરી ઉજવણી, જુઓ Video

ગુજરાતભરમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન અમિત શાહ અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યાં છે. અમિત શાહે મેમનગર ખાતે આવેલા શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં પતંગોત્સવની ઉજવણી કરી છે.

g clip-path="url(#clip0_868_265)">