AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમિત શાહ

અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ જાહેર જીવનમાં 40 વર્ષથી સક્રીય છે. અમિત શાહે પોલીંગ બુથ એજન્ટથી લઈ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની જવાબદારી નિભાવી છે.
જુલાઈ 2014 માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની જવાબદારી અમિત શાહને સોંપાઈ હતી. 2020 સુધી તેઓએ રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા. 1982માં એબીવીપી ગુજરાતના સહમંત્રી બન્યા હતા. 1984માં અમદાવાદના નારાણપુરામાં પોલીંગ બુથની જવાબદારી નિભાવવાથી રાજકારણમાં આગળ વધવાની શરુઆત કરી હતી.
1980માં તેઓ આરએસએસમાં જોડાયા હતા. વર્ષ 1997માં સરખેજ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડીને સાંસદ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2002 થી 2010 સુધી ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન રહ્યા હતા. ગુજરાત ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ પદે પણ અમિત શાહ રહી ચુક્યા છે.

Read More
Follow On:

WB Election Breaking News : મમતા બેનર્જીના ગઢમાં અમિત શાહ, કહ્યું- આ વખતે દીદીની વિદાય નક્કી, હું બોરિયા બિસ્તરા સાથે 15 દિવસ અહીં જ છું

West Bengal Assembly Elections : વિધાનસભા ચૂંટણી 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, આજે કોલકાતાના ભવાનીપુર મતવિસ્તારમાં એક રોડ શો દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીને નિશાને લીધા હતા. ભાજપના ઉમેદવાર સુવેન્દ્ર અધિકારીના ઉમેદવારીપત્ર ભરતા પહેલા જાહેરસભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે, આખેઆખુ બંગાળ મમતા દીદીની વિદાય માટે તૈયાર છે. ભાજપ આગામી 5 મેના રોજ સરકાર બનાવશે.

નક્સલી હથિયાર ફેંકી દો, ગોળીનો જવાબ ગોળીથી મળશે.. અમિત શાહે લોકસભામાં આપી 5 મોટી ચેતવણી, જુઓ Video

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું કે ભારત 2026 સુધીમાં નક્સલવાદ મુક્ત બનશે. તેમણે કોંગ્રેસ પર નક્સલવાદને પ્રોત્સાહન આપવા અને આદિવાસીઓના વિકાસની અવગણના કરવાનો આરોપ મૂક્યો.

WITT Summit 2026: 23 માર્ચે WITT, 24 તારીખે સત્તા સંમેલન..ભવ્ય સમારોહમાં પીએમ મોદી અને અન્ય અગ્રણી હસ્તીઓ આપશે હાજરી

TV9 નેટવર્ક તેના વાર્ષિક કાર્યક્રમ, "વોટ ઇન્ડિયા થિંક્સ ટુડે" (What India Thinks Today Global Summit 2026) ની ચોથી આવૃત્તિ સાથે પાછું આવ્યું છે. આ ખાસ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. બીજા દિવસે, 24 માર્ચે, સટ્ટા સંમેલનનું આયોજન કરવામાં આવશે

CMની ખુરશી માટે સમ્રાટ ચૌધરી એકલા નથી દાવેદાર, આ 4 નામ પણ છે રેસમાં… જાણો નીતિશ બાદ કોણ બનશે બિહારના CM?

બિહારમાં સત્તા પરિવર્તનનો આધ્યાય લખાઈ ચુક્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે હવે રાજ્યસભા જવા માટે તૈયાર છે. આ અંગે ખુદ નીતિશ કુમારે જાહેરાત કરી છે. જે બાદ બિહારમાં પહેલીવાર ભાજપના મુખ્યમંત્રી બનશે. પરંતુ સવાલ એ છે કે ભાજપના ક્યા નેતાના શિરે મુખ્યમંત્રીનો તાજ સજશે?

Bharat taxi – ટેક્સી ડ્રાઇવરોને નફાની વહેંચણીનું ગણિત સમજાવી અમિત શાહે પુછ્યું- મારી વાત ગળે ઉતરી કે નહીં

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે, આજે ભારત ટેક્સીના ડ્રાઇવરો સાથે મુલાકાત કરી હતી. ભારત ટેક્સીનું મોડેલ ડ્રાઇવરોને માત્ર રૂપિયા 500ના રોકાણ પર સીધો નફો અને શૂન્ય કમિશન પ્રદાન કરે છે. શાહે જણાવ્યું હતું કે દિલ્હી-એનસીઆર અને ગુજરાતથી શરૂ થયેલ ભારત ટેક્સી, સેવા બે વર્ષમાં દેશભરમાં વિસ્તરાશે.

રાશનની દુકાનોમાં ચાલતી ગેરરીતિઓ અટકાવવા ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video

ગુજરાતમાં હવે ATM માંથી માત્ર પૈસા જ નહીં પરંતુ અનાજ પણ મળશે. દેશના ગૃહમંત્રી અમિત શાહે આજે અનાજ ATM માટેની ડિજિટલ કાર્ડ સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો. જેનાથી રાશન કાર્ડની દુકાનો પર ચાલતી ગેરરીતિઓ અટકશે.

“તાકાત હોય તો મંચ નક્કી કરો!” ખેડૂતોના મુદ્દે રાહુલ ગાંધીને અમિત શાહનો ખુલ્લો પડકાર, આંકડા સાથે વિપક્ષની બોલતી બંધ કરી – જુઓ Video

ટ્રેડ ડીલ (FTA) મામલે રાજનીતિ ગરમાઈ છે. ખેડૂતોના હિતના નામે રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપો પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પલટવાર કરતા સીધો પડકાર ફેંક્યો છે.

વડોદરામાં મહાશિવરાત્રીનો ભવ્ય ઉત્સવ: ‘શિવજી કી સવારી’માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આપશે હાજરી

વડોદરાના આંગણે શિવરાત્રીના પાવન પર્વે નીકળનારી ઐતિહાસિક શિવયાત્રામાં આ વર્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે. તેઓ સર્વેશ્વર મહાદેવ ખાતે મહાઆરતીમાં ભાગ લેશે, જેને પગલે શહેર પોલીસ દ્વારા 3500થી વધુ જવાનો સાથે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

તમારો ફોન અને બેંક એકાઉન્ટ હવે ફૂલપ્રૂફ : સરકારની ‘S4C’ સિસ્ટમ આ રીતે કરશે સાયબર સુરક્ષા ?

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ નવી દિલ્હીમાં એક રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પરિષદ દરમિયાન, તેઓ ઈ-સાયબર ક્રાઈમ શાખાનું ઉદ્ઘાટન કરશે અને I4C ના S4C ડેશબોર્ડનું લોન્ચિંગ કરશે. ચાલો S4C ડેશબોર્ડ અને મ્યુલ એકાઉન્ટ્સ વિશે જાણીએ.

Bharat Taxi vs Ola vs Uber : ટેક્સી ભાડામાં મોટો તફાવત : કઈ કંપની વસૂલે છે સૌથી ઓછું ભાડું ? Ola vs Uber vs Bharat taxi

આજકાલ ઘણા લોકો એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ઓલા, ઉબેર, રેપિડો કે ભારતએપમાં ઉપલબ્ધ વાહનોનો ઉપયોગ કરે છે. જો કે, મોટાભાગે એક જ સમયે આ બધાનો વાહન દિઠ દર અલગ અલગ જોવા મળે છે. અમે આ બાબતે ખાસ ચકાસણી કરી તો ઘણોબઘો તફાવત સામે આવ્યો. જાણો કયા પ્લેટફોર્મ પર કેટલો છે ભાવ ફેર

સનાતન ધર્મના અનુયાયીઓ નિરાશ થાય તેવુ શાસન હવે આ દેશમાં ક્યારેય નહીં આવેઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, છેલ્લા 11 વર્ષથી દેશમાં ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્ર મોદીની સરકાર છે. આઝાદી બાદ સનાતન ધર્મના અનેક સંપ્રદાયના સૌ અનુયાયીઓ રાહ જોતા હતા કે એક એવી સરકાર આવે કે જે આપણા સનાતન ધર્મને મહત્વ આપી તેના આધાર પર દેશ ચલાવે. 550 વર્ષ પહેલા બાબરે તોડેલ મંદિર ફરી બને અને જોત જોતામાં મંદીર બન્યું એટલુ જ નહીં તેના પર ભગવી ધજા પણ લહેરાય છે.

ગુજરાતની ધરતી પરથી ભારતની સ્વાસ્થ્ય સુરક્ષા અને બાયો સેફ્ટી ક્ષેત્રના વિકાસના નવા યુગની શરૂઆત: અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, આજે ગાંધીનગર ખાતે, રૂપિયા 362 કરોડના ખર્ચે બનનાર અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ ફેસિલિટી “બાયો સેફ્ટી લેવલ-4” લેબનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે, આ લેબ જીવલેણ વાયરસ સામે લડવા માટે ભારતનું અભેદ સુરક્ષા કવચ અને જૈવ સુવિધાનો મજબૂત કિલ્લો પૂરવાર થશે.

સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ, ભારતના લોકોની આસ્થા મિટાવી સહેલી નથી, સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છેઃ અમિત શાહ

અમિત શાહે કહ્યું કે, અલ્લાઉદીન ખીલજી, અહેમદ શાહ, મદમંદ બેગડો, ઔરગંઝેબ વગેરેએ સતત હુમલાઓ કરીને સોમનાથ મંદિર તોડતા ગયા, આપણે નવું મંદિર બનાવતા ગયા. તોડવા વાળાને તોડવામાં વિશ્વાસ હતો. બનાવવા વાળાને નવું મદિર બનાવવામાં વિશ્વાસ હતો. તોડનારા ખોવાઈ ગયા, મંદિર આજે પણ ત્યા ઊભુ છે.

ભાજપના ચાણક્ય અમિત શાહનો કોલકત્તામાં હુંકાર, કહ્યું- 2026માં ભાજપ ઈન – મમતા આઉટ, જાણો કયાં કયાં મુદા ચૂંટણીમાં રહેશે હાવી

ગૃહમંત્રી અમિત શાહે, આજે મંગળવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે 2014થી 2025 સુધીમાં યોજાયેલ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં, ભાજપને પશ્ચિમ બંગાળમાં મળેલા મત અને બેઠકોના આંકડા ટાંકિને કહ્યું કે, એપ્રિલ 2026માં ભાજપની સરકાર પશ્ચિમ બંગાળમાં હશે. અમિત શાહે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કયાં કયાં મુદ્દાઓ હાવી રહેશે તેનો પણ આછેરો ઉલ્લેખ કર્યો હતો.

ગુજરાતની ધરતી પરથી અમિત શાહે રાહુલ ગાંધી પર સાધ્યુ નિશાન, કહ્યુ 2029માં પણ મોદી જ વડાપ્રધાન, તો IMA ના કાર્યક્રમમાં શાહે ડૉક્ટરોને કરી આ ખાસ ટકોર

અમદાવાદમાં IMAના રાષ્ટ્રીય અધિવેશન અને વિકાસ કાર્યોના લોકાર્પણ દરમિયાન ગૃહપ્રધાન અમિત શાહે આરોગ્ય ક્ષેત્ર, જનરિક દવા, આયુષ્યમાન ભારત યોજના અને વિપક્ષ પર કડક નિવેદનો આપ્યા.

કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
Breaking News : પ્રોપેન ગેસ ન હોવાના કારણે મોરબીની અનેક ફેક્ટરીની બંધ
Breaking News : પ્રોપેન ગેસ ન હોવાના કારણે મોરબીની અનેક ફેક્ટરીની બંધ
g clip-path="url(#clip0_868_265)">