AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીરસોમનાથ કાર્તિકી પૂર્ણિમાએ રચાયો અદ્દભૂત અમૃત વર્ષા યોગ- જુઓ તસ્વીરો

ગીરસોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાએ મધ રાત્રિએ અદ્દભૂત અમૃત વર્ષા યોગ રચાયો હતો. જેમા સોમનાથ જ્યોતિર્લિંગ, ધ્વજદંડ અને ચંદ્ર એક હરોળમાં આવ્યા હતા. સમગ્ર વર્ષ દરમિયાન માત્ર કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ થોડી મિનિટો માટે સોમનાથ અમૃત વર્ષા સંયોગ સર્જાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2023 | 9:56 PM
Share
કરોડો હિંદુઓ અને શિવભક્તોની આસ્થાના કેન્દ્ર એવા સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાએ મધ્યરાત્રિના 12 કલાકે અદ્દભૂત ખગોળિય સંયોગ રચાય છે.

કરોડો હિંદુઓ અને શિવભક્તોની આસ્થાના કેન્દ્ર એવા સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાએ મધ્યરાત્રિના 12 કલાકે અદ્દભૂત ખગોળિય સંયોગ રચાય છે.

1 / 6
વર્ષમાં માત્ર 1 જ વખત ખાસ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રદેવ સોમનાથ મંદિરના શિખર પરનું ત્રિશુલ ધ્વજદંડ અને સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવે છે.

વર્ષમાં માત્ર 1 જ વખત ખાસ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રદેવ સોમનાથ મંદિરના શિખર પરનું ત્રિશુલ ધ્વજદંડ અને સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવે છે.

2 / 6
એવી માન્યતા છે કે જે સ્થાન પર ચંદ્રદેવને ક્ષય રોગમાંથી શિવજીએ મુક્તિ આપી હતી તે જ સ્થાન પર સોમનાથ મહાદેવનો અભિષેક કરવા માટે દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાએ ચંદ્ર પોતે આવે છે અને પોતાની શીતળ ચાંદનીથી સોમનાથ મંદિરનો અભિષેક કરે છે. આ સંયોગ અમૃત વર્ષા યોગ તરીકે ઓળખાય છે.

એવી માન્યતા છે કે જે સ્થાન પર ચંદ્રદેવને ક્ષય રોગમાંથી શિવજીએ મુક્તિ આપી હતી તે જ સ્થાન પર સોમનાથ મહાદેવનો અભિષેક કરવા માટે દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાએ ચંદ્ર પોતે આવે છે અને પોતાની શીતળ ચાંદનીથી સોમનાથ મંદિરનો અભિષેક કરે છે. આ સંયોગ અમૃત વર્ષા યોગ તરીકે ઓળખાય છે.

3 / 6
એવુ પણ કહેવાય છે કે જ્યારે ચંદ્રદેવ સોમનાથ મહાદેવને પોતાની ચાંદનીથી અભિષેક કરવા માટે આવે છે ત્યારે આ અમૃતવર્ષાના દર્શન કરનાર દરેક ભક્તની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને ચંદ્રની જેમ ભક્તોની પણ તમામ સમસ્યાઓ સોમનાથ મહાદેવ દૂર કરે છે.

એવુ પણ કહેવાય છે કે જ્યારે ચંદ્રદેવ સોમનાથ મહાદેવને પોતાની ચાંદનીથી અભિષેક કરવા માટે આવે છે ત્યારે આ અમૃતવર્ષાના દર્શન કરનાર દરેક ભક્તની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને ચંદ્રની જેમ ભક્તોની પણ તમામ સમસ્યાઓ સોમનાથ મહાદેવ દૂર કરે છે.

4 / 6
અમૃત વર્ષા યોગના દર્શન કરવા દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુઓ સોમનાથ આવી પહોંચ્યા હતા. ભક્તોએ પોતાના અને પરિવારના કલ્યાણની સાથે વિશ્વના કલ્યાણની સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી.

અમૃત વર્ષા યોગના દર્શન કરવા દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુઓ સોમનાથ આવી પહોંચ્યા હતા. ભક્તોએ પોતાના અને પરિવારના કલ્યાણની સાથે વિશ્વના કલ્યાણની સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી.

5 / 6
કાર્તિકી પૂર્ણિમાના આ અદ્દભૂત સંયોગને અનુલક્ષીને સોમનાથ મંદિરમાં રાત્રિના 11 વાગ્યે મહાપૂજા કરવામાં આવી. પરંપરા અનુસાર મધ્યરાત્રિએ 12 કલાકે સોમનાથ મહાદેવની મહા આરતી કરવામાં આવી હતી. હર-હર મહાદેવના નાદથી સોમનાથ મંદિર પરિસર ગૂંજી ઉઠ્યુ હતુ.

કાર્તિકી પૂર્ણિમાના આ અદ્દભૂત સંયોગને અનુલક્ષીને સોમનાથ મંદિરમાં રાત્રિના 11 વાગ્યે મહાપૂજા કરવામાં આવી. પરંપરા અનુસાર મધ્યરાત્રિએ 12 કલાકે સોમનાથ મહાદેવની મહા આરતી કરવામાં આવી હતી. હર-હર મહાદેવના નાદથી સોમનાથ મંદિર પરિસર ગૂંજી ઉઠ્યુ હતુ.

6 / 6

 

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">