36 વર્ષના આ ક્રિકેટરના નિધનથી વિરાટ, યુવરાજ સહિત શોકમાં ડૂબી ટીમ ઈન્ડિયા, પાઠવ્યો શોક સંદેશ
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ અંડર-19 અને પંજાબના ફાસ્ટ બોલર અમનપ્રીત સિંહ ગિલનું 36 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ વિરાટ કોહલીના ભૂતપૂર્વ અંડર-19 સાથી હતા અને 2008ની IPL સીઝન દરમિયાન કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ વતી રમ્યા હતા. તેમના નિધનથી ક્રિકેટ જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. વિરાટ કોહલી અને યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર તેમનો શોક સંદેશ પાઠવ્યો છે.

ભારતીય ક્રિકેટ જગતમાંથી અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અંડર-19 સ્તરે ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરનારા ક્રિકેટર અમનપ્રીત સિંહ ગિલનું 36 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે 6 મે, બુધવારના રોજ ચંદીગઢમાં અંતિમ શ્વાસ લીધા. તેમના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
અમનપ્રીત ગિલ પંજાબ ક્રિકેટમાં ઘણુ જાણીતું નામ હતું. તેઓ ભારતની અંડર-19ટીમમાં વિરાટ કોહલી સાથે રમ્યા હતા. જમણા હાથના ફાસ્ટ બોલર અમનપ્રીત સિંહે પંજાબ માટે ઘરેલુ ક્રિકેટ રમી હતી અને છ ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 11 વિકેટો લીધી હતી.
2008 માં IPL ની શરૂઆતની સીઝન દરમિયાન તે કિંગ્સ XI પંજાબ ટીમનો પણ ભાગ હતો. પાછળથી તેની કારકિર્દીમાં, તેણે પંજાબ ક્રિકેટમાં સિલેક્ટર તરીકે સેવા આપી અને સિનિયર સિલેક્શન કમિટીના સભ્ય હતા.
પંજાબ ક્રિકેટ એસોસિએશન (Punjab Cricket Association) એ સોશિયલ મીડિયા પર એક શોક સંદેશ જારી કર્યો, જેમાં કહેવામાં આવ્યું કે અમનપ્રીત ગિલે અતૂટ સમર્પણ અને જુસ્સાથી પંજાબ ક્રિકેટની સેવા કરી છે. બોર્ડે તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરી.
Punjab Cricket Association deeply mourns the sad demise of Amanpreet Singh Gill, former Punjab cricketer and Member, Senior Selection Committee Punjab.
He served Punjab cricket with dedication and passion, representing teams including India Under-19s, Kings XI Punjab and Punjab.… pic.twitter.com/tpr0EwEprk
— Punjab Cricket Association (@pcacricket) May 6, 2026
અમનપ્રીત ગિલના નિધનના સમાચાર સાંભળીને વિરાટ કોહલી પણ ઘણા ભાવુક થયા છે. કોહલીએ સોશિયલ મીડિયા પર લખ્યું: “અમનપ્રીત સિંહ ગિલના નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તેમના સ્નેહીઓ અને પરિજનો પ્રત્યે મારી પ્રાર્થના ઓમ શાંતિ.”
Shocked and saddened to hear about Amanpreet Gill’s passing. Sending prayers and strength to his family and loved ones. Rest in peace. Om Shanti
— Virat Kohli (@imVkohli) May 7, 2026
યુવરાજ સિંહે ગિલની યાદમાં એક ભાવનાત્મક સંદેશ પણ શેર કર્યો. યુવરાજે અમનપ્રીતને એક મહેનતુ ક્રિકેટર ગણાવ્યા અને જણાવ્યુ કે રમત પ્રત્યેનો તેમનો જુસ્સો ખરેખર નોંધપાત્ર હતો. તેણે ઉમેર્યું કે ડ્રેસિંગ રૂમમાં સાથે વિતાવેલી ક્ષણો હંમેશા યાદ રહેશે.
Deeply saddened to hear about Amanpreet Singh Gill’s passing. Shared the dressing room in our early days, he was a quiet, hardworking cricketer who loved the game. My heartfelt condolences to his family and loved ones. Rest in peace Om Shanti#AmanpreetSinghGill@pcacricket
— Yuvraj Singh (@YUVSTRONG12) May 6, 2026
2007 માં, અમનપ્રીત ગિલે ભારતની અંડર-19 ટીમના સભ્ય તરીકે ઇંગ્લેન્ડ, મલેશિયા અને શ્રીલંકાના પ્રવાસે ગયા હતા. તેમણે ઘણી યુવા વનડે અને ત્રણ દિવસીય યુવા ટેસ્ટ મેચ પણ રમી હતી. જોકે, 2008 માં મલેશિયામાં અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમમાં તે સ્થાન મેળવી શક્યો ન હતો. એ ટીમનું નેતૃત્વ વિરાટ કોહલીએ કર્યું હતું.
તે શરૂઆતની IPL સીઝન દરમિયાન પંજાબ કિંગ્સ (તે સમયે કિંગ્સ XI પંજાબ) ટીમનો પણ ભાગ હતા. બુધવારે રાત્રે, હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચ દરમિયાન, PBKS ખેલાડીઓએ અમનપ્રીતના સન્માનમાં કાળી પટ્ટી બાંધી હતી.
અમનપ્રીત ગિલના અંતિમ સંસ્કાર બુધવારે સાંજે 4:00 વાગ્યે ચંદીગઢના મણિમજરા સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી પંજાબ અને ભારતીય ક્રિકેટ જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.
