AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

36 વર્ષના આ ક્રિકેટરના નિધનથી વિરાટ, યુવરાજ સહિત શોકમાં ડૂબી ટીમ ઈન્ડિયા, પાઠવ્યો શોક સંદેશ

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ અંડર-19 અને પંજાબના ફાસ્ટ બોલર અમનપ્રીત સિંહ ગિલનું 36 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ વિરાટ કોહલીના ભૂતપૂર્વ અંડર-19 સાથી હતા અને 2008ની IPL સીઝન દરમિયાન કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ વતી રમ્યા હતા. તેમના નિધનથી ક્રિકેટ જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. વિરાટ કોહલી અને યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર તેમનો શોક સંદેશ પાઠવ્યો છે.

36 વર્ષના આ ક્રિકેટરના નિધનથી વિરાટ, યુવરાજ સહિત શોકમાં ડૂબી ટીમ ઈન્ડિયા, પાઠવ્યો શોક સંદેશ
| Updated on: May 07, 2026 | 4:41 PM
Share

ભારતીય ક્રિકેટ જગતમાંથી અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અંડર-19 સ્તરે ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરનારા ક્રિકેટર અમનપ્રીત સિંહ ગિલનું 36 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે 6 મે, બુધવારના રોજ ચંદીગઢમાં અંતિમ શ્વાસ લીધા. તેમના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.

અમનપ્રીત ગિલ પંજાબ ક્રિકેટમાં ઘણુ જાણીતું નામ હતું. તેઓ ભારતની અંડર-19ટીમમાં વિરાટ કોહલી સાથે રમ્યા હતા. જમણા હાથના ફાસ્ટ બોલર અમનપ્રીત સિંહે પંજાબ માટે ઘરેલુ ક્રિકેટ રમી હતી અને છ ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 11 વિકેટો લીધી હતી.

2008 માં IPL ની શરૂઆતની સીઝન દરમિયાન તે કિંગ્સ XI પંજાબ ટીમનો પણ ભાગ હતો. પાછળથી તેની કારકિર્દીમાં, તેણે પંજાબ ક્રિકેટમાં સિલેક્ટર તરીકે સેવા આપી અને સિનિયર સિલેક્શન કમિટીના સભ્ય હતા.

પંજાબ ક્રિકેટ એસોસિએશન (Punjab Cricket Association) એ સોશિયલ મીડિયા પર એક શોક સંદેશ જારી કર્યો, જેમાં કહેવામાં આવ્યું કે અમનપ્રીત ગિલે અતૂટ સમર્પણ અને જુસ્સાથી પંજાબ ક્રિકેટની સેવા કરી છે. બોર્ડે તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરી.

અમનપ્રીત ગિલના નિધનના સમાચાર સાંભળીને વિરાટ કોહલી પણ ઘણા ભાવુક થયા છે. કોહલીએ સોશિયલ મીડિયા પર લખ્યું: “અમનપ્રીત સિંહ ગિલના નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તેમના સ્નેહીઓ અને પરિજનો પ્રત્યે મારી પ્રાર્થના ઓમ શાંતિ.”

યુવરાજ સિંહે ગિલની યાદમાં એક ભાવનાત્મક સંદેશ પણ શેર કર્યો. યુવરાજે અમનપ્રીતને એક મહેનતુ ક્રિકેટર ગણાવ્યા અને જણાવ્યુ કે રમત પ્રત્યેનો તેમનો જુસ્સો ખરેખર નોંધપાત્ર હતો. તેણે ઉમેર્યું કે ડ્રેસિંગ રૂમમાં સાથે વિતાવેલી ક્ષણો હંમેશા યાદ રહેશે.

2007 માં, અમનપ્રીત ગિલે ભારતની અંડર-19 ટીમના સભ્ય તરીકે ઇંગ્લેન્ડ, મલેશિયા અને શ્રીલંકાના પ્રવાસે ગયા હતા. તેમણે ઘણી યુવા વનડે અને ત્રણ દિવસીય યુવા ટેસ્ટ મેચ પણ રમી હતી. જોકે, 2008 માં મલેશિયામાં અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમમાં તે સ્થાન મેળવી શક્યો ન હતો. એ ટીમનું નેતૃત્વ વિરાટ કોહલીએ કર્યું હતું.

તે શરૂઆતની IPL સીઝન દરમિયાન પંજાબ કિંગ્સ (તે સમયે કિંગ્સ XI પંજાબ) ટીમનો પણ ભાગ હતા. બુધવારે રાત્રે, હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચ દરમિયાન, PBKS ખેલાડીઓએ અમનપ્રીતના સન્માનમાં કાળી પટ્ટી બાંધી હતી.

અમનપ્રીત ગિલના અંતિમ સંસ્કાર બુધવારે સાંજે 4:00 વાગ્યે ચંદીગઢના મણિમજરા સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી પંજાબ અને ભારતીય ક્રિકેટ જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

ગુજરાતના ‘રોડ ટુ હેવન’ ના આનંદ મહિન્દ્રા પણ થયા મુરીદ, દિલ ખોલીને કરી પ્રશંસા, જાણો ક્યાં આવ્યો છે આ માર્ગ?

Follow Us
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
g clip-path="url(#clip0_868_265)">