AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 2011નો વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના 15 ખેલાડીઓ 15 વર્ષ બાદ આજે ક્યાં છે?

15 વર્ષ પહેલા આજના જ દિવસે ભારતે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. 2011નો વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના તે 15 ખેલાડીઓ બાદમાં દેશ માટે રમ્યા અને નિવૃત્તિ બાદ ત્રણ ખેલાડીઓ સાંસદ બન્યા, કેટલાક ક્રિકેટ કોચિંગમાં ગયા, જ્યારે કેટલાક કોમેન્ટ્રી દ્વારા ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા. સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર જેવા દિગ્ગજો સહિત તે ટીમના તમામ સભ્યો આજે ક્યાં છે અને તેઓ શું કરી રહ્યા છે? ચાલો જાણીએ.

| Updated on: Apr 02, 2026 | 8:43 PM
Share
2 એપ્રિલ, 2011 ના રોજ મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ ખાતે એમએસ ધોનીની આગેવાની હેઠળની ભારતીય ટીમે ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતે 28 વર્ષના દુષ્કાળનો અંત લાવ્યો હતો.

2 એપ્રિલ, 2011 ના રોજ મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ ખાતે એમએસ ધોનીની આગેવાની હેઠળની ભારતીય ટીમે ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતે 28 વર્ષના દુષ્કાળનો અંત લાવ્યો હતો.

1 / 10
ફાઈનલમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં વીરેન્દ્ર સેહવાગ, સચિન તેંડુલકર, ગૌતમ ગંભીર, વિરાટ કોહલી, એમએસ ધોની, યુવરાજ સિંહ, સુરેશ રૈના, હરભજન સિંહ, ઝહીર ખાન, મુનાફ પટેલ અને એસ શ્રીસંત સામેલ હતા. યુસુફ પઠાણ, આશિષ નેહરા, પીયૂષ ચાવલા અને રવિચંદ્રન અશ્વિન 15 સભ્યોની કુલ ટીમનો ભાગ હતા.

ફાઈનલમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં વીરેન્દ્ર સેહવાગ, સચિન તેંડુલકર, ગૌતમ ગંભીર, વિરાટ કોહલી, એમએસ ધોની, યુવરાજ સિંહ, સુરેશ રૈના, હરભજન સિંહ, ઝહીર ખાન, મુનાફ પટેલ અને એસ શ્રીસંત સામેલ હતા. યુસુફ પઠાણ, આશિષ નેહરા, પીયૂષ ચાવલા અને રવિચંદ્રન અશ્વિન 15 સભ્યોની કુલ ટીમનો ભાગ હતા.

2 / 10
વિરાટ કોહલી સિવાય બધા ખેલાડીઓ હવે નિવૃત્તિ લઈ ચૂક્યા છે. વિરાટ તે સમયે યુવાન હતો. બાદમાં તેણે ત્રણેય ફોર્મેટમાં ટીમનું નેતૃત્વ કર્યું અને સફળતાની નવી ઊંચાઈઓ હાંસલ કરી.

વિરાટ કોહલી સિવાય બધા ખેલાડીઓ હવે નિવૃત્તિ લઈ ચૂક્યા છે. વિરાટ તે સમયે યુવાન હતો. બાદમાં તેણે ત્રણેય ફોર્મેટમાં ટીમનું નેતૃત્વ કર્યું અને સફળતાની નવી ઊંચાઈઓ હાંસલ કરી.

3 / 10
સચિન તેંડુલકર અને યુવરાજ સિંહ પોતાના NGO સાથે સંકળાયેલા છે, જેના દ્વારા તેઓ સામાજિક સેવા અને અન્ય જાહેર પ્રવૃત્તિઓ કરે છે. બંને દિગ્ગજો નિવૃત્ત ખેલાડીઓ માટેની ટુર્નામેન્ટમાં ભાગ લઈને પોતાને ક્રિકેટ સાથે જોડાયેલા રાખે છે.

સચિન તેંડુલકર અને યુવરાજ સિંહ પોતાના NGO સાથે સંકળાયેલા છે, જેના દ્વારા તેઓ સામાજિક સેવા અને અન્ય જાહેર પ્રવૃત્તિઓ કરે છે. બંને દિગ્ગજો નિવૃત્ત ખેલાડીઓ માટેની ટુર્નામેન્ટમાં ભાગ લઈને પોતાને ક્રિકેટ સાથે જોડાયેલા રાખે છે.

4 / 10
નિવૃત્તિ પછી વીરેન્દ્ર સેહવાગે IPLમાં પંજાબ કિંગ્સને કોચિંગ આપ્યું હતું. હાલમાં સેહવાગ હાલમાં IPL પર કોમેન્ટ્રી કરે છે.

નિવૃત્તિ પછી વીરેન્દ્ર સેહવાગે IPLમાં પંજાબ કિંગ્સને કોચિંગ આપ્યું હતું. હાલમાં સેહવાગ હાલમાં IPL પર કોમેન્ટ્રી કરે છે.

5 / 10
ગૌતમ ગંભીર, હરભજન સિંહ અને યુસુફ પઠાણ નિવૃત્તિ લીધા પછી સાંસદ બન્યા. ગંભીરે 2019ની લોકસભા ચૂંટણી દિલ્હીથી ભાજપની ટિકિટ પર લડી હતી અને સંસદમાં પહોંચ્યો. જોકે, રાજકારણમાંથી નિવૃત્તિ લીધા પછી, તે હવે ભારતીય ટીમના હેડ કોચ તરીકે સેવા આપી રહ્યો છે.

ગૌતમ ગંભીર, હરભજન સિંહ અને યુસુફ પઠાણ નિવૃત્તિ લીધા પછી સાંસદ બન્યા. ગંભીરે 2019ની લોકસભા ચૂંટણી દિલ્હીથી ભાજપની ટિકિટ પર લડી હતી અને સંસદમાં પહોંચ્યો. જોકે, રાજકારણમાંથી નિવૃત્તિ લીધા પછી, તે હવે ભારતીય ટીમના હેડ કોચ તરીકે સેવા આપી રહ્યો છે.

6 / 10
હરભજન સિંહ આમ આદમી પાર્ટીની ટિકિટ પર રાજ્યસભાના સાંસદ છે અને ક્રિકેટ કોમેન્ટ્રી પણ કરે છે. યુસુફ પઠાણ TMCની ટિકિટ પર પશ્ચિમ બંગાળથી લોકસભા ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચ્યા છે.

હરભજન સિંહ આમ આદમી પાર્ટીની ટિકિટ પર રાજ્યસભાના સાંસદ છે અને ક્રિકેટ કોમેન્ટ્રી પણ કરે છે. યુસુફ પઠાણ TMCની ટિકિટ પર પશ્ચિમ બંગાળથી લોકસભા ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચ્યા છે.

7 / 10
ઝહીર ખાન IPL 2025 માં લખનૌ સુપરજાયન્ટ્સનો મેન્ટર હતો, હાલ તે ક્રિકેટ એક્સપર્ટ તરીકે સક્રિય છે. આશિષ નેહરા ગુજરાત ટાઈટન્સનો હેડ કોચ છે, જ્યારે મુનાફ પટેલ દિલ્હી કેપિટલ્સ કોચિંગ ટીમનો ભાગ છે.

ઝહીર ખાન IPL 2025 માં લખનૌ સુપરજાયન્ટ્સનો મેન્ટર હતો, હાલ તે ક્રિકેટ એક્સપર્ટ તરીકે સક્રિય છે. આશિષ નેહરા ગુજરાત ટાઈટન્સનો હેડ કોચ છે, જ્યારે મુનાફ પટેલ દિલ્હી કેપિટલ્સ કોચિંગ ટીમનો ભાગ છે.

8 / 10
રવિચંદ્રન અશ્વિન, સુરેશ રૈના, એસ શ્રીસંત અને પીયૂષ ચાવલા TV પર કોમેન્ટેટર અને એક્સપર્ટ તરીકે સક્રિય છે.

રવિચંદ્રન અશ્વિન, સુરેશ રૈના, એસ શ્રીસંત અને પીયૂષ ચાવલા TV પર કોમેન્ટેટર અને એક્સપર્ટ તરીકે સક્રિય છે.

9 / 10
એમએસ ધોની 44 વર્ષની ઉંમરે IPL માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે અને ટુર્નામેન્ટનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. આ તેની છેલ્લી  IPL સિઝન હોઈ શકે છે. (PC: PTI/X)

એમએસ ધોની 44 વર્ષની ઉંમરે IPL માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે અને ટુર્નામેન્ટનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. આ તેની છેલ્લી IPL સિઝન હોઈ શકે છે. (PC: PTI/X)

10 / 10

Breaking News: કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

Follow Us
અરવિંદ કેજરીવાલે CM ભૂૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
અરવિંદ કેજરીવાલે CM ભૂૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
RBIનો મોટો માસ્ટરસ્ટ્રોક, ડોલર સામે રૂપિયામાં 1.8 ટકાનો વધારો
RBIનો મોટો માસ્ટરસ્ટ્રોક, ડોલર સામે રૂપિયામાં 1.8 ટકાનો વધારો
8 કિલો સોનાના વાઘાથી કરાયો દિવ્ય શણગાર, દીપી ઉઠ્યા મારૂતિ નંદન
8 કિલો સોનાના વાઘાથી કરાયો દિવ્ય શણગાર, દીપી ઉઠ્યા મારૂતિ નંદન
અમરેલીમાં વૃદ્ધે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતા ઉમટ્યા લોકોના ટોળા
અમરેલીમાં વૃદ્ધે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરતા ઉમટ્યા લોકોના ટોળા
ભર ઉનાળે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ
ભર ઉનાળે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ
ઉમેદવારી નોંધાવવા ફોજદારી કેસ અને સોશિયલ મીડિયા અંગે આપવી પડશે માહિતી
ઉમેદવારી નોંધાવવા ફોજદારી કેસ અને સોશિયલ મીડિયા અંગે આપવી પડશે માહિતી
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત, 1002 કરોડની સબસિડી રિલીઝ
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત, 1002 કરોડની સબસિડી રિલીઝ
ઉત્તરાયણ પહેલા લીધેલા ઊંધિયાનો રિપોર્ટ હોળી પછી મળ્યો
ઉત્તરાયણ પહેલા લીધેલા ઊંધિયાનો રિપોર્ટ હોળી પછી મળ્યો
હાઇવોલ્ટેજ ડ્રામા બાદ અડધી રાતે AAP નેતાઓનો જામીન પર છુટકારો
હાઇવોલ્ટેજ ડ્રામા બાદ અડધી રાતે AAP નેતાઓનો જામીન પર છુટકારો
દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી! નવસારીના વાંસદા નજીક 3.4 તીવ્રતાનો ભૂકંપ
દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી! નવસારીના વાંસદા નજીક 3.4 તીવ્રતાનો ભૂકંપ
g clip-path="url(#clip0_868_265)">