AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Blast: મહિલા આતંકીના ભાઈના ઘરે ત્રાટકી ATS, તપાસમાં અનેક પુરાવાઓ મળ્યા

યુપી એટીએસ અને જમ્મુ અને કાશ્મીર પોલીસની એક ટીમ સવારે ડૉ. પરવેઝ અન્સારીના ઘરે પહોંચી હતી. સુરક્ષા ઘેરાબંધી કર્યા પછી, ટીમે ઘણા કલાકો સુધી ઘરની અંદર તપાસ કરી. સ્થાનિક પોલીસ પણ હાજર હતી. દરોડા દરમિયાન ડૉ. પરવેઝ ઘરે હાજર નહોતા.

Delhi Blast: મહિલા આતંકીના ભાઈના ઘરે ત્રાટકી ATS, તપાસમાં અનેક પુરાવાઓ મળ્યા
Image Credit source: Gemini
| Updated on: Nov 11, 2025 | 6:37 PM
Share

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ વિસ્ફોટથી શોકનું વાતાવરણ સર્જાયું છે. આ વિસ્ફોટમાં દસ લોકોના મોત થયા છે, જ્યારે 24 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોની સારવાર દિલ્હીની LNJP હોસ્પિટલમાં ચાલી રહી છે. વિસ્ફોટ પહેલા પોલીસે એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. આ આતંકવાદી મોડ્યુલનું પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદ અને અંસાર ગઝવત-ઉલ-હિંદ સાથે જોડાણ હોવાનું જાણવા મળ્યું હતું.

જમ્મુ અને કાશ્મીર પોલીસે હરિયાણાના ફરીદાબાદમાં એક મહિલા ડોક્ટર શાહીન શાહિદની ધરપકડ કરી હતી. શાહીન શાહિદ દિલ્હી વિસ્ફોટ સાથે જોડાયેલ છે, તે અંગે વઘું તપાસ કરવામાં આવી રહ્યી.

ડો. શાહીન શાહિદનો પરિવાર લખનૌના લાલબાગ સ્થિત ખંડેરી બજારના ઘર નંબર 121 માં રહે છે. તેના પિતાએ જણાવ્યું કે શાહીનને ત્રણ ભાઈ-બહેન છે. સૌથી મોટો દીકરો શોએબ તેમના પિતા સાથે રહે છે. શાહીન બીજો હતો અને ગઈકાલે તેની ધરપકડ કરવામાં આવી હતી. શાહીન પ્રયાગરાજમાં મેડિકલનો અભ્યાસ કરતી હતી .

ત્રીજો દીકરો પરવેઝ છે. ડૉ. પરવેઝના ઘરે મંગળવારે સવારે દરોડો પાડવામાં આવ્યો હતો. તેના પિતાએ જણાવ્યું કે શાહીન ઘણા સમય પહેલા ઘર છોડીને ફરીદાબાદમાં કામ કરતી હતી. તેના લગ્ન મહારાષ્ટ્રની એક વ્યક્તિ સાથે થયા હતા. પિતાએ કહ્યું કે તેમને વિશ્વાસ નથી આવતો કે તેમની દીકરી આવી પ્રવૃત્તિઓમાં સામેલ છે.

લખનૌમાં ATSના દરોડા

સૂત્રોના જણાવ્યા અનુસાર, યુપી એટીએસ અને જમ્મુ અને કાશ્મીર પોલીસની એક ટીમ સવારે 7 વાગ્યાની આસપાસ મડિયાવના મુત્તકીપુર વિસ્તારમાં ડૉ. પરવેઝ અંસારીના ઘરે પહોંચી હતી. સુરક્ષા ઘેરાબંધી કર્યા પછી, ટીમે ઘણા કલાકો સુધી ઘરની તપાસ કરી. સ્થાનિક પોલીસ પણ હાજર હતી. દરોડા સમયે ડૉ. પરવેઝ હાજર નહોતા.

ટીમે પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ કરી અને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કર્યા. યુપી એટીએસને ઘરની બહાર પાર્ક કરેલી સફેદ અલ્ટો કાર અને અંદર એક સ્પ્લેન્ડર બાઇક મળી આવી. ઇન્ટિગ્રલ યુનિવર્સિટી, ગુડામ્બા માટેનો ગેટ પાસ કારના વિન્ડશિલ્ડ સાથે ચોંટાડેલો મળી આવ્યો હતો. ઘરમાંથી કેટલાક કમ્પ્યુટર સાધનો, મોબાઇલ ફોન અને લેપટોપ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

આ આતંકવાદી મોડ્યુલની લિંક કેવી રીતે મળી?

આ સમગ્ર કેસ હરિયાણાના ફરીદાબાદમાં ખુલેલા આતંકવાદી મોડ્યુલ સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે. 30 ઓક્ટોબરના રોજ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં MBBS ના વિદ્યાર્થી ડૉ. મુઝમ્મિલ અહેમદની ધરપકડ કરી. તેના ભાડાના ઘરમાંથી મોટી માત્રામાં વિસ્ફોટકો, એક AK-47 રાઇફલ અને અનેક મેગેઝિન મળી આવ્યા હતા.

પૂછપરછ દરમિયાન, ડૉ. મુઝમ્મિલ શકીલે તેની ગર્લફ્રેન્ડ ડૉ. શાહીન શાહિદનું નામ જાહેર કર્યું, જેની પાછળથી ધરપકડ કરવામાં આવી હતી. શાહીનની ગાડીની ડેકીમાંથી પણ હથિયારો મળી આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે શાહીનના દાદા-દાદી લખનૌમા લાલબાગ વિસ્તારમાં રહેતા હતા. આ સંદર્ભમાં, એજન્સીઓએ ડૉ. પરવેઝનું નામ શોધી કાઢ્યું, જે કથિત રીતે આ નેટવર્ક સાથે સંપર્કમાં હતો.

ડૉ. શાહીન શાહિદનું નામ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલું

ડૉ. પરવેઝ ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલ સાથે જોડાયેલા ડૉ. શાહીન શાહિદ અને ડૉ. મુઝમ્મિલ શકીલ સાથે જોડાયેલા હોઈ શકે છે. ડૉ. શાહીન શાહિદ વિશે હાઈ-પ્રોફાઇલ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડૉ. શાહીન પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની મહિલા પાંખની વડા છે. જોકે, આ વાત તપાસ પછી જ જાણી શકાશે. ગુપ્તચર એજન્સીઓ હાલમાં તેની પૂછપરછ કરી રહી છે.

સહારનપુરમાં ધરપકડ કરાયેલા ડૉ. આદિલ, ફરીદાબાદમાં ધરપકડ કરાયેલા ડૉ. શાહીન શાહિદ અને ડૉ. મુઝમ્મિલ શકીલ પછી, આતંકવાદી મોડ્યુલના સંબંધો હવે ડૉ. પરવેઝ સાથે મળી આવ્યા છે. શું આ ચાર વ્યક્તિઓ દિલ્હી વિસ્ફોટ સાથે જોડાયેલા હતા? ગુપ્તચર એજન્સીઓ આ બાબતની તપાસ કરી રહી છે. ડૉ. પરવેઝની ભૂમિકા શું હતી એ તપાસ કરવામાં આવી રહી છે. તે હજુ ફરાર ઘોષિત કરાયો છે.

દિલ્હીમાં થયેલ કાર બ્લાસ્ટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">