AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામ મંદિરના દરવાજા આ લાકડામાંથી બનેલા છે, જાણો તેની વિશેષતા અને કોતરણી વિશે

રામ મંદિર ભવ્યતા અને કલાત્મકતાથી બનાવવામાં આવ્યું છે. મંદિરની દિવાલો પર દેવી-દેવતાઓની આકૃતિઓ કોતરેલી છે. રામ મંદિરમાં કુલ 46 દરવાજા છે, જેમાંથી ઘણા સોનાની પરતથી મઢેલા છે.

રામ મંદિરના દરવાજા આ લાકડામાંથી બનેલા છે, જાણો તેની વિશેષતા અને કોતરણી વિશે
Ayodhya Ram Mandir Doors
| Updated on: Nov 25, 2025 | 2:51 PM
Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અયોધ્યામાં રામ મંદિર પર ભગવો ધ્વજ લહેરાવ્યો છે. આ ધ્વજવંદન ભગવાન રામ અને માતા સીતાના વિવાહ પંચમી (રામ મંદિરના લગ્ન)ના અભિજીત મુહૂર્ત દરમિયાન થયું છે. રામ મંદિર માટે તૈયાર કરાયેલ આ ધ્વજ 22 ફૂટ લાંબો અને 11 ફૂટ પહોળો છે. તે મંદિરના નિર્માણ પૂર્ણ થવાનો મેસેજ આપશે. ધ્વજવંદન સમારોહમાં RSS વડા મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત હજારો લોકો હાજર રહ્યા હતા.

અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી, 2024 ના રોજ એક ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન થયું હતું. આ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેના ઉદ્ઘાટન પછીથી રામ મંદિર બનાવવા માટે વપરાતી સામગ્રીની વારંવાર ચર્ચા થઈ રહી છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે રામ મંદિરના દરવાજા કયા લાકડાના બનેલા છે અને આ લાકડાની વર્તમાન કિંમત શું છે.

રામ મંદિર કયા લાકડાનું બનેલું છે?

રામ મંદિર ભવ્યતા અને કલાત્મકતાથી બનાવવામાં આવ્યું છે. મંદિરની દિવાલો પર દેવી-દેવતાઓની છબીઓ કોતરેલી છે. રામ મંદિર બનાવવા માટે મકરાણા માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રામ મંદિરમાં કુલ 46 દરવાજા છે, જેમાંથી ઘણા સોનાની પરતથી મઢેલા છે. આ દરવાજાઓમાં સુંદર સોનાની કલાકૃતિ પણ છે. બધા દરવાજા મહારાષ્ટ્રથી આવેલા સાગના લાકડામાંથી બનાવવામાં આવ્યા છે.

સાગનું લાકડું તેની મજબૂતાઈ અને ટકાઉપણું માટે જાણીતું છે અને તેની કિંમત પ્રતિ ઘનમીટર ₹50,000 થી ₹1 લાખ સુધીની છે. દેહરાદૂન સ્થિત વન સંશોધન સંસ્થાએ આ લાકડાનો ઉપયોગ કરવાની ભલામણ કરી હતી. ત્યારબાદ મંદિરના દરવાજા માટે મહારાષ્ટ્રના સાગના લાકડાને સૌથી મજબૂત લાકડું માનીને પસંદ કરવામાં આવ્યું હતું.

સાગના દરવાજા 1,000 વર્ષ સુધી ટકી શકે છે

રામ મંદિરમાં કુલ 46 દરવાજા છે. આમાંથી ઘણા દરવાજા સોનાથી મઢેલા છે. રામ મંદિરના દરવાજા 12 ફૂટ ઊંચા અને 8 ફૂટ પહોળા છે. મહારાષ્ટ્ર, હૈદરાબાદ અને કન્યાકુમારીના કારીગરોએ રામ મંદિરના દરવાજા અને દિવાલો પર ઉત્કૃષ્ટ કોતરણી કરી છે. એવું કહેવાય છે કે સાગના લાકડામાંથી બનેલા રામ મંદિરના દરવાજા લગભગ 1,000 વર્ષ સુધી ટકી શકે છે.

લાકડાની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે મંદિરના નિર્માણમાં પસંદ કરેલા લાકડામાંથી માત્ર 20 ટકાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ લાકડું હવામાન અને ઉધઈ સામે પ્રતિરોધક છે અને લાંબા સમય સુધી તેની મજબૂતાઈ જાળવી રાખે છે.

અયોધ્યા એ ભારતનાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં, અયોધ્યા જિલ્લામાં આવેલું પ્રાચિન નગર છે. જે “અવધ”ની જુની રાજધાની પણ હતું. અયોધ્યા હિંદુઓ માટે ભગવાન રામની જન્મભૂમિ હોવાને કારણે પવિત્ર યાત્રાધામ ગણાય છે. દિલ્હીથી ૫૫૫ કિ.મી. દુર આ શહેર સરયુ નદીના જમણાં કાંઠે વસેલું છે. રામ મંદિર વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">