T20 World Cup 2026: શુભમન ગિલને ટીમ ઈન્ડિયામાંથી કેમ બહાર કરવામાં આવ્યો? અજિત અગરકરે કર્યો ખુલાસો
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ અને વિકેટકીપર-બેટ્સમેન જીતેશ શર્મા T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગયા. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ સમજાવ્યું.

ICC T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની ટીમ જાહેર કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયા સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટાઈટલ ડીફેન્સ કરશે. ટીમ ઈન્ડિયાની જાહેરાત એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવી હતી જેમાં કેપ્ટન સૂર્યા ઉપરાંત, મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને BCCI સચિવ દેવજીત સૈકિયા હાજર હતા. પ્રેસ કોન્ફરન્સમાં ચર્ચાનો સૌથી મોટો વિષય સ્ટાર બેટ્સમેન શુભમન ગિલને ટીમમાંથી ડ્રોપ કરવાનો હતો, જે તાજેતરમાં સુધી T20 ટીમના વાઈસ કેપ્ટન હતો. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે શુભમન ગિલને ટીમમાંથી ડ્રોપ કરવાનું મુખ્ય કારણ જણાવ્યું.
ગિલને કેમ ડ્રોપ કરવામાં આવ્યો?
મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે શુભમન ગિલને ડ્રોપ કરવાનું કારણ જાહેર કરતાં કહ્યું કે ગિલનું તાજેતરનું ફોર્મ અને ટીમ કોમ્બિનેશનની મર્યાદાઓ આ નિર્ણય પાછળના કારણો હતા. અજિત અગરકરે કહ્યું, “અમે જાણીએ છીએ કે તે કેટલો ક્લાસ ખેલાડી છે, પરંતુ કદાચ હાલમાં તેણે થોડો ઓછા રન બનાવ્યા છે. છેલ્લા વર્લ્ડ કપમાં ડ્રોપ થવું દુર્ભાગ્યપૂર્ણ હતું, કારણ કે અમે અલગ-અલગ કોમ્બિનેશન સાથે ગયા હતા. પરંતુ આ નિર્ણય અન્ય કંઈપણ કરતા કોમ્બિનેશનને કારણે લેવામાં આવ્યો હતો. જ્યારે તમે 15 ખેલાડીઓની ટીમ પસંદ કરો છો, ત્યારે કોઈને તો ડ્રોપ કરવું જ પડે છે, અને કમનસીબે, આ વખતે તે ગિલ છે.”
UC: ️ “Combinations more than anything else”
Why is #ShubmanGill not part of #TeamIndia’s squad for the ICC Men’s T20 World Cup 2026? #AjitAgarkar explains
Watch Follow The Blues LIVE https://t.co/HCxHPl6kFs pic.twitter.com/mL5iQXQqzj
— Star Sports (@StarSportsIndia) December 20, 2025
ગિલનું T20માં ખરાબ પ્રદર્શન
શુભમન ગિલનું તાજેતરનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. તે દક્ષિણ આફ્રિકા સામેની T20I શ્રેણીમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો, તેણે ફક્ત 4, 4, 0 અને 28 રન બનાવ્યા. વધુમાં, તેણે 2025 માં T20 ફોર્મેટમાં એક પણ મોટી ઇનિંગ રમી નથી, એક પણ અડધી સદી ફટકારી શક્યો નહીં. આના કારણે પસંદગીકારોને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાની ફરજ પડી. ત્યારબાદ તે ઈજાને કારણે અંતિમ મેચ રમી શક્યો નહીં.
જીતેશ શર્મા પણ ટીમમાંથી બહાર
બીજી તરફ, વિકેટકીપર-બેટ્સમેન જીતેશ શર્મા પણ ટીમમાં સ્થાન મેળવવાથી ચૂકી ગયો. અગરકરે ભારપૂર્વક જણાવ્યું કે તે ટોચના ક્રમમાં વધુ વિકેટકીપર રાખવા માંગે છે, અને આમ કરવા માટે, તેણે મુખ્ય બેટ્સમેનનું બલિદાન આપવું પડ્યું. અગરકરે કહ્યું, “અમે કોમ્બીનેશન જોઈ રહ્યા છીએ . જીતેશે કંઈ ખોટું કર્યું નથી. જોકે, તે નીચલા ક્રમમાં બેટિંગ કરે છે , અને ટોચના ક્રમમાં વિકેટકીપર-બેટ્સમેનની જરૂરિયાતને કારણે ઈશાન કિશનને તેની જગ્યાએ તક આપવામાં આવી છે.”
આ પણ વાંચો: બે વર્ષથી ભારત માટે એક પણ મેચ ન રમનાર ખેલાડીની T20 વર્લ્ડ કપમાં એન્ટ્રી, BCCI નો મોટો નિર્ણય
