AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નેપાળ

નેપાળ

નેપાળ દક્ષિણ એશિયામાં સ્થિત દેશ છે. તે મુખ્યત્વે હિમાલયની તળેટીમાં આવેલું છે. નેપાળમાં ભારત-ગંગાના મેદાનોનો પણ સમાવેશ થાય છે. તે દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં ભારત અને ઉત્તરમાં તિબેટની સરહદ ધરાવે છે.

નેપાળ ભૌગોલિક રીતે વૈવિધ્યસભર દેશ છે. તેમાં જંગલ ધરાવતી ટેકરીઓ અને ફળદ્રુપ મેદાનો છે. વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળાઓમાંની એક માઉન્ટ એવરેસ્ટ, નેપાળ સ્થિત છે.

નેપાળ એક બહુભાષી, બહુ-સાંસ્કૃતિક, બહુ-ધાર્મિક અને બહુ-વંશીય દેશ છે. નેપાળી અહીંની સત્તાવાર ભાષા છે અને કાઠમંડુ નેપાળની રાજધાની તેમજ તેનું સૌથી મોટું શહેર છે.

ભારતીય ઉપખંડના વૈદિક ગ્રંથોમાં નેપાળનો ઉલ્લેખ છે. પ્રાચીન નેપાળમાં અહીં હિન્દુ ધર્મની સ્થાપના થઈ હતી. બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધનો જન્મ દક્ષિણ નેપાળના લુમ્બિનીમાં થયો હતો અને અહીંથી બૌદ્ધ ધર્મ વિશ્વના ઘણા દેશોમાં ફેલાયો હતો.

ઉત્તર નેપાળના કેટલાક ભાગો તિબેટની સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે. ગોરખા સામ્રાજ્ય દરમિયાન 18મી સદી સુધી નેપાળ એકીકૃત થયું હતું અને શાહ રાજવંશે નેપાળની રચના કરી હતી. અગ્રણી રાણા રાજવંશ બ્રિટિશ સામ્રાજ્ય સાથે જોડાયો હતો પરંતુ ક્યારેય વસાહત બન્યો નહીં.

1951થી નેપાળમાં સંસદીય લોકશાહી છે, પરંતુ 1960 અને 2005 માં નેપાળી રાજાઓ દ્વારા લોકશાહીને બે વાર સ્થગિત કરવામાં આવી હતી. 1990 અને 2000 ના દાયકાના નેપાળી ગૃહયુદ્ધ પછી, 2008 માં નેપાળમાં એક ધર્મનિરપેક્ષ પ્રજાસત્તાકની સ્થાપના કરવામાં આવી, જેનાથી છેલ્લી હિન્દુ રાજાશાહીનો અંત આવ્યો.

નેપાળ હવે એક ધર્મનિરપેક્ષ દેશ છે. 2011 ની વસ્તી ગણતરી મુજબ, નેપાળની કુલ વસ્તીના 81.3 ટકા હિન્દુ, 9 ટકા બૌદ્ધ, 4 ટકા ઇસ્લામ, 3.1 ટકા કિરંત અને 1.4 ટકા ખ્રિસ્તી છે. અહીં 44.6 ટકા નેપાળી, 11.7 ટકા મૈથિલી, 6.0 ટકા ભોજપુરી, 5.8 ટકા થારુ, 5.1 ટકા તમાંગ અને 3 ટકા બજ્જિકા ભાષા બોલે છે. નેપાળી ભાષાની લિપિ દેવનાગરી છે અને તે અહીંની સત્તાવાર ભાષા છે.

Read More

અંગ્રેજોની ‘ફુટ પાડો’ ની નીતિનું પરિણામ, છેલ્લા 210 વર્ષથી સળગી રહ્યો છે લિપુલેખ વિવાદ, ફરી શરૂ થયુ રાજકીય ઘમાસાણ

ભારત છોડતા પહેલા અંગ્રેજો એ પડોશી દેશો સાથેની સરહદોના નક્શા એવી રીતે તૈયાર કર્યા ભવિષ્યમાં પડોશી દેશો સાથે સરહદને લઈને વિવાદ હંમેશા સળગતો રહે. આજે ભારત-નેપાળ વચ્ચેનો લિપુલેખ વિવાદ પણ એ જ અંગ્રેજોની 'ફુટ પાડો' ની નીતિનું પરિણામ માનવામાં આવે છે. 1816ની સુગૌલી સંધિથી શરૂ થયેલો આ મુદ્દો હાલ ફરી ગરમાયો છે, કારણ કે નેપાળના પીએમ બાલેન શાહે બ્રિટનને આ વિવાદની મધ્યસ્થતામાં સામેલ કરવાની માંગ કરી છે. કૈલાસ માનસરોવર યાત્રાના મહત્વના માર્ગ સાથે જોડાયેલા આ વિવાદમાં ભારતે સ્પષ્ટ કહી દીધું છે કે કોઈ ત્રીજા પક્ષને સ્થાન નથી અને તમામ મુદ્દા દ્વિપક્ષીય વાતચીતથી જ ઉકેલાશે.

Bharat Gaurav Train Nepal : નેપાળમાં પશુપતિનાથના દર્શન કરવા ટ્રેનથી જઇ શકશો, IRCTCએ શરુ કરી ટ્રેન, જાણો રુટ, સુવિધાઓ અને પેકેજ!

IRCTC ઇન્ડિયાએ નેપાળ માટે સીધી ટૂરિસ્ટ ટ્રેન શરૂ કરી છે. આનાથી પ્રવાસીઓ નેપાળમાં પશુપતિનાથ મંદિર તેમજ અન્ય પર્યટન સ્થળોની મુલાકાત લઈ શકશે. આ ટ્રેનની સંપૂર્ણ વિગતો જાણો.

Nepal Public Holiday : નેપાળમાં શનિવારે કેમ બંધ રહે છે સ્કૂલ્સ અને ઓફિસો? શું તે ધાર્મિક માન્યતાઓના આધાર પર છે?

વિશ્વના ઘણા દેશોમાં કામકાજ માટે અંગ્રેજી કેલેન્ડરનો વપરાશ કરવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડરના મુજબ, રવિવારનો દિવસ આ સરકારી સાપ્તાહિક રજાનો હોય છે. પરંતુ નેપાળમાં રવિવારની જગ્યાએ શનિવારે સત્તાવાર રીતે રજા હોય છે.

Breaking News: ક્યાંક ખરીદીની મર્યાદા તો ક્યાંક 4 દિવસની ઓફિસ… યુદ્ધની અસર ઘટાડવા માટે અલગ-અલગ દેશોએ લગાવ્યા આ પ્રતિબંધો

ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે આજે આખું વિશ્વ એક ગંભીર ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. તેલ અને ગેસના પુરવઠામાં અવરોધ આવતા મોંઘવારી સતત વધી રહી છે. આ વૈશ્વિક કટોકટીની અસર ઘટાડવા માટે ભારત સહિત વિશ્વના અનેક દેશોએ ખૂબ જ કડક પ્રતિબંધો લગાવ્યા છે.

નેપાળમાં PM બનતા જ બાલેન શાહનો સાચો ચહેરો સામે આવ્યો, 45 દિવસમાં ભારત વિરુદ્ધ આ 4 નિર્ણયો લીધા

નેપાળના વડાપ્રધાન બાલેન શાહના માત્ર 45 દિવસના કાર્યકાળમાં લીધેલા 4 મોટા નિર્ણયો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યા છે. ખાસ કરીને ભારત સાથેના સંબંધોને લઈને લેવામાં આવેલી નીતિઓને કારણે રાજકીય તણાવની સ્થિતિ ઊભી થઈ છે.

  • Nishat
  • Updated on: May 11, 2026
  • 2:50 pm

શું છે ‘અધિકારી’ અટકનું અસલી રહસ્ય? જાણો કેવી રીતે સત્તા અને વહીવટ સાથે જોડાયેલું છે આ Surname…

ભારતના ઇતિહાસમાં ઘણી અટકો એવી છે જે વ્યક્તિના વ્યવસાય પરથી પડી છે, જેમાં 'અધિકારી' અટક મોખરે છે. સત્તા અને જવાબદારીના પ્રતીક સમાન આ અટકનો ઇતિહાસ રાજા-રજવાડાઓના સમયથી ચાલી આવે છે. પશ્ચિમ બંગાળથી લઈને નેપાળ સુધી ફેલાયેલી આ અટકના જાણીતા ચહેરાઓ આજે રાજકારણ અને અન્ય ક્ષેત્રોમાં મોટું નામ ધરાવે છે.

બાલેન સરકારે ભારત વિરોધી કરેલા નિર્ણય સામે નેપાળની જનતામાં રોષ

નેપાળની બાલેન સરકારે તાજેતરમાં લીધેલા ભારત વિરોધી નિર્ણયને પગલે, નેપાળની જનતામાં રોષ ફાટી નીકળ્યો છે. બાલેન સરકાર વિરુદ્ધ નેપાળમાં વિરોધ પ્રદશન યોજવામાં આવી રહ્યાં છે.

માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહકો સાથે ચાલી રહ્યો છે સ્લો પોઈઝનિંગ નો ખેલ? રેસ્ક્યુના નામે ચાલતા ₹200 કરોડના કૌભાંડનું શું છે કાળુ સત્ય- વાંચો

માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહકોને સ્લો પોઈઝન આપી બીમાર પાડવાનું મોટુ રેસક્યુ કૌભાંડ પકડાયુ છે. ખુદ શેરપાઓ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવી રહ્યુ હતુ. જેમા પર્વતારોહકને ભોજનમાં બેકિંગ સોડા ઉમેરી દેવામાં આવતા હતા. 5000 ફીટ કરતા વધુ ઉંચાઈએ રહેલી વ્યક્તિના શરીરમાં આ બેકિંગ સોડા ઝેરનુ કામ કરે છે. તુરંત તેને પેટમાં અપચો અને બ્લોટીંગની સમસ્યા થવા લાગે છે અને પહેલેથી જ ત્યા હવા પાતળી હોવાથી ઓક્સિજન ઓછો હોય છે ત્યારે પ્રવાસીને શ્વાસ લેવામાં પણ સમસ્યા થવા લાગે છે. આવા સમયે શેરપાઓ દ્વારા ઈમરજન્સી હેલિકોપ્ટર એમ્બ્યુલન્સ મગાવી તેમનું રેસ્ક્યુ કરવાનું નાટક કરી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હતા અને અહીં શરૂ થતો હતો વીમા કંપનીઓ પાસેથી કરોડો રૂપિયા ખંખેરવાનો ખેલ- વાંચો

Breaking News : નેપાળમાં પીએમ બનતા જ બાલેન શાહે પૂર્વ પીએમ, પૂર્વ ગૃહપ્રધાનની કરાવી ધરપકડ

નેપાળમાં વડાપ્રધાન પદ સંભાળતા જ બાલેન શાહ તરત જ "એક્શન મોડ"માં આવી ગયા છે. પીએમ બાલેન શાહના આદેશને પગલે, નેપાળ પોલીસે, ભૂતપૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી અને ભૂતપૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની ધરપકડ કરી છે. બન્નેની ધરપકડ બાબતે એવુ કહેવામાં આવી રહ્યું છે કે, આ બન્ને વ્યક્તિએ જેન ઝેડ વિરોધ પ્રદર્શન દરમિયાન બેદરકારી દાખવી હતી. નેપાળમાં ફાટી નીકળેલા જેન ઝેડ આંદોલન સમયે તેઓ ઉચ્ચ હોદ્દા પર હતા.

Breaking News: ચીની રાષ્ટ્રપતિનું અપમાન કે મોટી ભૂલ ? નેપાળમાં શી જિનપિંગના સેંકડો દસ્તાવેજો સળગાવાયા, ચીને વ્યક્ત કર્યો ભારે રોષ

નેપાળ અને ચીન વચ્ચેના વર્ષો જૂના મૈત્રીપૂર્ણ સંબંધોમાં હાલમાં એક નવી ઘટનાને કારણે તણાવ જોવા મળી રહ્યો છે. નેપાળની એક કોલેજમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના પુસ્તકો અને કેટલાક મહત્વના દસ્તાવેજો સળગાવવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ચીને આ બાબતે સખત નારાજગી વ્યક્ત કરી છે.

તમારી પહેલી ‘ઇન્ટરનેશનલ ટ્રિપ’ એ પણ ફક્ત ₹30,000 માં ! એકવાર આ 5 દેશમાં વિદેશ યાત્રા કરતાં આવો, પૈસા વસૂલ થઈ જશે

વિદેશ યાત્રા કરવી હોય તો એવા ઘણા દેશો છે કે, જ્યાં તમે ભારતથી આશરે 30 હજાર રૂપિયામાં તમારી મુસાફરી પૂરી કરી શકો છો. આ દેશો અત્યંત સુંદર છે અને અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ આવે છે.

બાંગ્લાદેશ બાદ હવે નેપાળમાં બનવા જઈ રહી છે ભારત વિરોધી-અમેરિકા સમર્થિત સરકાર…. શું ભારતનું વધશે ટેન્શન?

નેપાળમાં બાલેન્દ્ર શાહ ઉર્ફ બાલેન શાહની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીએે મોટી જીત મેળવી છે. એવામાં Gen-Zના હિરો બાલેન શાહના પ્રધાનમંત્રી બનવાનું નક્કી છે. જો કે તેની એન્ટી ઈન્ડિયા છબીને કારણે ભારતની ચિંતા પણ વધી છે. જેનુ કારણ એ છે કે તેઓ ભારત વિરોધી છે. તેના કેટલાક ભારત વિરોધી નિવેદનો પણ અનેકવાર વિવાદનું કેન્દ્ર રહ્યા છે. અગાઉની ઓલી સરકારને પણ  તેમણે ભારતની કઠપૂતળી સરકાર ગણાવી હતી.

Iran Israel War Breaking: ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ખતરામાં છે ICCની આ ટૂર્નામેન્ટ, પોસ્ટપોન કરાઈ મેચ

ICC Mens Cricket World Cup League 2 : મિડિલ ઈર્સ્ટમાં તણાવ અને સુરક્ષા ચિંતાઓના કારણે આઈસીસી પુરુષ ક્રિકેટ વર્લ્ડકપ લીગ 2ની કેટલીક મેચ પોસ્ટપોન કરવામાં આવી છે. આ મેચ નેપાળમાં 3 ટીમ વચ્ચે રમાવાની હતી.

Breaking News : ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું છે ચીન અને નફફટ પાકિસ્તાન,નેપાળમાં ગુપ્ત બેઠક મળી

કેન્દ્રિય ખુફિયા એજન્સીને સતત મળી રહેલા ઈનપુટના આધાર પર આ વાતના નક્કર પુરાવા મળી ચૂક્યા છે કે, ભારત વિરુદ્ધ કાવતરુ રચવા માટે ચીન અને પાકિસ્તાન નેપાળની જમીનનો ઉપયોગ કરી રહ્યું છે. સુત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ આ બેઠકમાં પાકિસ્તાન અને ચીનના 7 પ્રમુખ અધિકારીઓ સામેલ હતા.

T20 WC Breaking : નેપાળે 12 વર્ષ પછી પહેલી મેચ જીતી, સ્કોટલેન્ડને હરાવી T20 વર્લ્ડ કપનો યાદગાર અંત કર્યો

નેપાળ, જે તેની પહેલી મેચમાં ઇંગ્લેન્ડ સામે અપસેટ સર્જવામાં નિષ્ફળ ગયું હતું, તે ફાઇનલમાં પોતાનું ખાતું ખોલવામાં સફળ રહ્યું. નેપાળે 2014 માં પોતાનો પહેલો T20 વર્લ્ડ કપ રમ્યો હોત અને બે મેચ જીતી હતી. હવે, 12 વર્ષ પછી નેપાળે સફળતાનો સ્વાદ ચાખ્યો છે.

આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
g clip-path="url(#clip0_868_265)">