નેપાળ
નેપાળ દક્ષિણ એશિયામાં સ્થિત દેશ છે. તે મુખ્યત્વે હિમાલયની તળેટીમાં આવેલું છે. નેપાળમાં ભારત-ગંગાના મેદાનોનો પણ સમાવેશ થાય છે. તે દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં ભારત અને ઉત્તરમાં તિબેટની સરહદ ધરાવે છે.
નેપાળ ભૌગોલિક રીતે વૈવિધ્યસભર દેશ છે. તેમાં જંગલ ધરાવતી ટેકરીઓ અને ફળદ્રુપ મેદાનો છે. વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળાઓમાંની એક માઉન્ટ એવરેસ્ટ, નેપાળ સ્થિત છે.
નેપાળ એક બહુભાષી, બહુ-સાંસ્કૃતિક, બહુ-ધાર્મિક અને બહુ-વંશીય દેશ છે. નેપાળી અહીંની સત્તાવાર ભાષા છે અને કાઠમંડુ નેપાળની રાજધાની તેમજ તેનું સૌથી મોટું શહેર છે.
ભારતીય ઉપખંડના વૈદિક ગ્રંથોમાં નેપાળનો ઉલ્લેખ છે. પ્રાચીન નેપાળમાં અહીં હિન્દુ ધર્મની સ્થાપના થઈ હતી. બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધનો જન્મ દક્ષિણ નેપાળના લુમ્બિનીમાં થયો હતો અને અહીંથી બૌદ્ધ ધર્મ વિશ્વના ઘણા દેશોમાં ફેલાયો હતો.
ઉત્તર નેપાળના કેટલાક ભાગો તિબેટની સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે. ગોરખા સામ્રાજ્ય દરમિયાન 18મી સદી સુધી નેપાળ એકીકૃત થયું હતું અને શાહ રાજવંશે નેપાળની રચના કરી હતી. અગ્રણી રાણા રાજવંશ બ્રિટિશ સામ્રાજ્ય સાથે જોડાયો હતો પરંતુ ક્યારેય વસાહત બન્યો નહીં.
1951થી નેપાળમાં સંસદીય લોકશાહી છે, પરંતુ 1960 અને 2005 માં નેપાળી રાજાઓ દ્વારા લોકશાહીને બે વાર સ્થગિત કરવામાં આવી હતી. 1990 અને 2000 ના દાયકાના નેપાળી ગૃહયુદ્ધ પછી, 2008 માં નેપાળમાં એક ધર્મનિરપેક્ષ પ્રજાસત્તાકની સ્થાપના કરવામાં આવી, જેનાથી છેલ્લી હિન્દુ રાજાશાહીનો અંત આવ્યો.
નેપાળ હવે એક ધર્મનિરપેક્ષ દેશ છે. 2011 ની વસ્તી ગણતરી મુજબ, નેપાળની કુલ વસ્તીના 81.3 ટકા હિન્દુ, 9 ટકા બૌદ્ધ, 4 ટકા ઇસ્લામ, 3.1 ટકા કિરંત અને 1.4 ટકા ખ્રિસ્તી છે. અહીં 44.6 ટકા નેપાળી, 11.7 ટકા મૈથિલી, 6.0 ટકા ભોજપુરી, 5.8 ટકા થારુ, 5.1 ટકા તમાંગ અને 3 ટકા બજ્જિકા ભાષા બોલે છે. નેપાળી ભાષાની લિપિ દેવનાગરી છે અને તે અહીંની સત્તાવાર ભાષા છે.
Read MoreBreaking News: એશિયા કપ 2027 માટે 6 ટીમો ફાઇનલ, નેપાળે પ્રીમિયર કપ જીતી બનાવી જગ્યા
એશિયા કપ 2027 માટે તમામ છ ટીમો નક્કી થઈ ગઈ છે. ACC મેન્સ પ્રીમિયર કપ 2026ની ફાઇનલમાં નેપાળે UAEને 44 રને હરાવી ખિતાબ જીત્યો અને એશિયા કપમાં સ્થાન મેળવ્યું. આગામી એશિયા કપ વન-ડે ફોર્મેટમાં રમાશે અને બાંગ્લાદેશ તેની યજમાની કરશે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને સીધો પ્રવેશ મળ્યો છે.
- Smit Chauhan
- Updated on: Sep 12, 2026
- 7:59 pm
Ganesh Chaturthi 2026 : ભારતમાં જ નહી પરંતુ આ દેશમાં પણ ગણેશ ચતુર્થીની થાય છે ઉજવણી, જુઓ ફોટો
Ganesh Chaturthi 2026 : ગણેશ ચતુર્થીના તકે લોકો ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરે છે અને વિધિ વિધાનથી પુજા-પાઠ કરે છે. પરંતુ આ પર્વ માત્ર ભારતમાં જ નહી પરંતુ દુનિયાના અનેક દેશોમાં ધામધુમથી ઉજવવામાં આવે છે.
- Nirupa Duva
- Updated on: Sep 11, 2026
- 11:29 am
નેપાળમાં પૂરનો કહેર! મૃત્યુઆંક 1,344 પર પહોંચ્યો, કાટમાળમાં હજુ પણ શોધખોળ ચાલુ
નેપાળમાં આવેલી પૂર આપત્તિમાં મૃત્યુઆંક 1,300 ને વટાવી ગયો છે. ભારતે રાહત સામગ્રી સાથે NDRF બચાવ ટીમો મોકલી છે. કાટમાળ અને કાદવમાં ફસાયેલા લોકોની શોધ હજુ પણ ચાલુ છે.
- Tanvi Soni
- Updated on: Sep 5, 2026
- 9:32 am
Nepal Breaking News : ન મૃતદેહ મળ્યા, ન જીવિત મળ્યા… નેપાળમાં ટનલ ખોદ્યા બાદ પણ 39 મજૂરોનો કોઈ પત્તો નહીં!
નેપાળમાં પૂર પહેલા, ત્રિશુલીમાં ટનલ નંબર 3-A માં 42 કામદારો કામ કરી રહ્યા હતા. બચાવ કામગીરીમાં બે જીવતા મળી આવ્યા અને એક મૃત. જ્યારે 39 કામદારો ગુમ થયાના અહેવાલ છે.
- Dhruval Shah
- Updated on: Sep 5, 2026
- 7:42 am
Trending Video : કુદરતે બધું છીનવી લીધું પણ ‘મા’ નો પ્રેમ જીતી ગયો, મોતના મુખમાંથી પાછા ફરીને મમ્મીને ભેટી પડ્યો ‘દીકરો’
પ્રકૃતિ જ્યારે પોતાનું વિકરાળ રૂપ બતાવે છે, ત્યારે ક્ષણભરમાં બધું જ તબાહ થઈ જાય છે. નેપાળમાં આવેલા ભયાનક પૂરે ચારેય તરફ વિનાશ વેર્યો છે. એવામાં આ તબાહી અને માતમની ચીસો વચ્ચેથી એક એવી ક્ષણ સામે આવી કે, જેણે આખી દુનિયાની આંખો ભીની કરી દીધી. દિવસોથી ગુમ થયેલો દીકરો જ્યારે અચાનક પોતાની મા ની સામે આવ્યો, ત્યારે જે નજારો જોવા મળ્યો તે જોઈને કઠણ હૃદયનો માણસ પણ રડી પડે.
- Ravi Prajapati
- Updated on: Sep 4, 2026
- 5:07 pm
નેપાળના પૂરમાં ગુમ થયેલા ભારતીયોના પરિવારજનોનુ DNA પ્રોફાઈલીગ ભારતમાં કરવા સરકારનો નિર્ણય
નેપાળના પૂરમાં ગૂમ થયેલા ભારતીયોના મૃતદેહની ઓળખ માટે કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર, નેપાળના પૂરમાં ગુમ થયેલા ભારતીયોના પરિવારજનોનુ DNA પ્રોફાઈલીગ ભારતમાં કરવામાં આવશે. આ માટે કેન્દ્રના ગૃહ મંત્રાલયે, ભારત સ્થિત ચાર લેબોરેટરીને ડીએનએ નમૂનાઓનું પરીક્ષણ કરવા માન્યતા આપી છે. આ લેબોરેટરીમાં સીએફએસએલ, એસએફએસએલ અને એનએફએસયુનો સમાવેશ થાય છે
- Bipin Prajapati
- Updated on: Sep 4, 2026
- 1:54 pm
Breaking News : નેપાળ પૂરના 9 દિવસ બાદ ચમત્કાર, ટનલમાંથી 2 શ્રમિકોને જીવતા બહાર કઢાયા!
નેપાળમાં આવેલા વિનાશક પૂર વચ્ચે, ત્રિશુલી-3A હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની ટનલમાંથી બે કામદારોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. ટનલની અંદરથી અવાજો સંભળાયા, જેનાથી કામગીરીને નવી આશા મળી.
- Dhruval Shah
- Updated on: Sep 4, 2026
- 1:37 pm
ચીનના કંટ્રોલવાળા તિબેટમાં વિનાશની અસલી હકીકત છુપાવીને ચીન દુનિયા સમક્ષ ક્યુ નેરેટિવ સેટ કરી રહ્યુ છે?- વાંચો
નેપાળ આપદાને લઈને અત્યાર સુધી એ રહસ્ય બનેલુ હતુ કે ત્યાં કેટલી તબાહી થઈ છે. આખરે ચીનની સાઈડ કેટલુ નુકસાન થયુ છે? પરંતુ ચીનથી જે વીડિયો આવ્યા છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. જેમા સૌથી પહેલો સવાલ એ છે કે ચીને શું બતાવ્યુ અને શું છુપાવ્યુ? નેપાળ આપદામાં રેસ્ક્યુ ઓપરેશનમાં સૌથી મોટો પડકાર સુરંગમાં ફસાયેલા લોકો છે. તેની કોઈ ગણતરી જ નથી કે અંધારી સુરંગોની અંદર કેટલી જિંદગી સામે ઝઝુમી રહ્યા છે. તેમને બચાવવાનું ઓપરેશન ક્યાં પડકારો વચ્ચે ચાલી રહ્યુ છે તેના વિશે પણ અહીં જણાવશુ. સાથોસાથ એ પણ જાણીશુ કે ચીન તેના નિયંત્રણવાળા તિબેટમાં વિનાશની તસવીરો છુપાવી રહ્યુ છે. ત્યાં કેમેરાને રોકવામાં કેમ આવી રહ્યા છે. જે ગ્લેશિયર તૂટવાનું એપી સેન્ટર જ ચીનના નિયંત્રણવાળો તિબેટનો હિસ્સો રહ્યો છે ત્યાં ગામોના ગામો તણાઈ ગયા છે. અનેક પૂલો,ઈમારતો, ધ્વસ્ત થઈ ગઈ છે અને ચીન માત્ર મશીનરી બતાવી રહ્યુ છે ત્યારે ચીન દુનિયાને માત્ર તેની તાકાત કેમ બતાવી રહ્યુ છે- વાંચો વિગતવાર...
- Mina Pandya
- Updated on: Sep 3, 2026
- 8:02 pm
Breaking News : નેપાળના વિનાશ વચ્ચે ફરી ધ્રુજ્યો હિમાલય, તિબ્બટમાં આવ્યો ભૂકંપ
નેપાળ-તિબેટ સરહદી ક્ષેત્રમાં ઓગસ્ટમાં આવેલા વિનાશક પૂરની દુર્ઘટના પછી, તિબેટમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઉપલબ્ધ અહેવાલો અનુસાર, તિબેટમાં 5.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આચંકાથી સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. આ પહેલા, ગત 26 ઓગસ્ટના રોજ, નેપાળ-ચીન સરહદી વિસ્તારમાં ભારે પૂર અને કાટમાળના પ્રવાહે તબાહી મચાવી હતી.
- Bipin Prajapati
- Updated on: Sep 3, 2026
- 2:54 pm
ભારત કયા દેશોને વેચે છે વીજળી અને કોની પાસેથી ખરીદે છે? જાણો વિદેશી ગ્રીડ સાથે જોડાયેલું મોટું નેટવર્ક
ભારત તેના પડોશી દેશો સાથે વીજળીનો વેપાર કરે છે અને જરૂરિયાત મુજબ વીજળીની આયાત અને નિકાસ કરે છે. પાડોશી દેશો સાથે વીજળીના વધતા વેપારથી ઊર્જાની જરૂરિયાતો પૂરી કરવામાં અને પાવર ગ્રીડની સ્થિરતા જાળવવામાં મદદ મળી રહી છે.
- Dhruval Shah
- Updated on: Sep 2, 2026
- 10:41 am
Breaking News: નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક 1093ને પાર, 4500 લોકો હજુ લાપતા
નેપાળના પીએમ બાલેન શાહે હોનારતને હિમાલયની સુનામી ગણાવી છે.. તેઓએ જણાવ્યું હતું કે, આપણે આબોહવા પરિવર્તનના પરિણામે જે આફતોનો સામનો કરી રહ્યા છીએ તે આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ મજબૂતીથી ઉઠાવવાનો સમય આવી ગયો છે.
- Tanvi Soni
- Updated on: Sep 2, 2026
- 9:24 am
શા માટે ધ્રૂજી રહ્યો છે હિમાલય? 1 મહિનામાં 130થી વધુ ભૂકંપના આંચકા !
ઓગસ્ટ મહિનામાં હિમાલય ક્ષેત્રમાં 130 થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ એક અહેવાલ બહાર પાડ્યો છે અને ભારત વિશે પણ ચોંકાવનારી માહિતી આપી છે.
- Dhruval Shah
- Updated on: Sep 2, 2026
- 8:07 am
Nepal Flood Tragedy: હિમાલયની ગોદમાં મોતનો સન્નાટો… જિંદગી શોધતી આંખો આજે પણ રેસ્ક્યુ સિસ્ટમને સવાલ કરે છે
હિમાલય છે તો માત્ર ચાર અક્ષરનું નામ પરંતુ તેની અંદર સમાયેલા છે અગણિત કિસ્સાઓ, ઘટનાઓ અને કહાનીઓ. કોઈના માટે આસ્થા, કોઈના માટે જીવન તો કોઈ માટે રહસ્યલોક અને કોઈના માટે કુદરતની એ તાકાત જેની સામે માણસ પામર છે, લાચાર છે, પાંગળો છે. આ મા્ત્ર પહાડ નહીં પરંતુ એક એવી દુનિયા છે જ્યાં જીવનનો કોલાહલ પણ છે અને મોતની શાંતિ પણ. નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી આવેલી પૂર હોનારતને કારણે આ જ મોતનો સન્નાટો હરકોઈને વ્યથિત કરી રહ્યો છે, ડરાવી રહ્યો છે. કોઈ નથી જાણતુ કે 26 ઓગસ્ટે આવેલી હોનારતમાં કેટલા લોકો તણાઈ ગયા. કેટલા લોકોના મૃત્યુ થયા, કેટલા લોકો હજુ પણ દટાયેલા છે, ફસાયેલા છે અને કેટલા લોકો તેનો જીવ બચાવી શક્યા છે.
- Mina Pandya
- Updated on: Sep 1, 2026
- 9:15 pm
ઇતિહાસના પાનાં પર મોતની તારીખ… જ્યારે-જ્યારે આવી તારીખ 26, દુનિયાએ સહન કરી મોટી તબાહી !
26 તારીખે દુનિયાના અનેક દેશોએ વિનાશક આપત્તિઓનો સામનો કર્યો છે. જેમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને લાખો લોકો પ્રભાવિત થયા છે. નેપાળની તાજેતરની દુર્ઘટનાએ ફરી 26 તારીખ સાથે જોડાયેલી આ કરુણ ઘટનાઓની યાદ તાજી કરી છે.
- Dhruval Shah
- Updated on: Sep 1, 2026
- 1:18 pm
Breaking News: નેપાળ-ચીન સરહદ પર ફસાયેલી ગુજરાતી અભિનેત્રી ભારત પરત ફરતા દીકરીને ગળે લગાવીને રડી પડી , જુઓ Video
માનસી પારેખ કૈલાશ માનસરોવર યાત્રા માટે નેપાળ ગઈ હતી. હાલમાં નેપાળમાં ગંભીર પરિસ્થિતિ છે. ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ ઘરે પરત ફરી ચૂકી છે. એરપોર્ટ પર પરિવાર સાથે ઈમોશનલ જોવા મળી હતી.
- Nirupa Duva
- Updated on: Sep 1, 2026
- 10:48 am