નેપાળ
નેપાળ દક્ષિણ એશિયામાં સ્થિત દેશ છે. તે મુખ્યત્વે હિમાલયની તળેટીમાં આવેલું છે. નેપાળમાં ભારત-ગંગાના મેદાનોનો પણ સમાવેશ થાય છે. તે દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં ભારત અને ઉત્તરમાં તિબેટની સરહદ ધરાવે છે.
નેપાળ ભૌગોલિક રીતે વૈવિધ્યસભર દેશ છે. તેમાં જંગલ ધરાવતી ટેકરીઓ અને ફળદ્રુપ મેદાનો છે. વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળાઓમાંની એક માઉન્ટ એવરેસ્ટ, નેપાળ સ્થિત છે.
નેપાળ એક બહુભાષી, બહુ-સાંસ્કૃતિક, બહુ-ધાર્મિક અને બહુ-વંશીય દેશ છે. નેપાળી અહીંની સત્તાવાર ભાષા છે અને કાઠમંડુ નેપાળની રાજધાની તેમજ તેનું સૌથી મોટું શહેર છે.
ભારતીય ઉપખંડના વૈદિક ગ્રંથોમાં નેપાળનો ઉલ્લેખ છે. પ્રાચીન નેપાળમાં અહીં હિન્દુ ધર્મની સ્થાપના થઈ હતી. બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધનો જન્મ દક્ષિણ નેપાળના લુમ્બિનીમાં થયો હતો અને અહીંથી બૌદ્ધ ધર્મ વિશ્વના ઘણા દેશોમાં ફેલાયો હતો.
ઉત્તર નેપાળના કેટલાક ભાગો તિબેટની સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે. ગોરખા સામ્રાજ્ય દરમિયાન 18મી સદી સુધી નેપાળ એકીકૃત થયું હતું અને શાહ રાજવંશે નેપાળની રચના કરી હતી. અગ્રણી રાણા રાજવંશ બ્રિટિશ સામ્રાજ્ય સાથે જોડાયો હતો પરંતુ ક્યારેય વસાહત બન્યો નહીં.
1951થી નેપાળમાં સંસદીય લોકશાહી છે, પરંતુ 1960 અને 2005 માં નેપાળી રાજાઓ દ્વારા લોકશાહીને બે વાર સ્થગિત કરવામાં આવી હતી. 1990 અને 2000 ના દાયકાના નેપાળી ગૃહયુદ્ધ પછી, 2008 માં નેપાળમાં એક ધર્મનિરપેક્ષ પ્રજાસત્તાકની સ્થાપના કરવામાં આવી, જેનાથી છેલ્લી હિન્દુ રાજાશાહીનો અંત આવ્યો.
નેપાળ હવે એક ધર્મનિરપેક્ષ દેશ છે. 2011 ની વસ્તી ગણતરી મુજબ, નેપાળની કુલ વસ્તીના 81.3 ટકા હિન્દુ, 9 ટકા બૌદ્ધ, 4 ટકા ઇસ્લામ, 3.1 ટકા કિરંત અને 1.4 ટકા ખ્રિસ્તી છે. અહીં 44.6 ટકા નેપાળી, 11.7 ટકા મૈથિલી, 6.0 ટકા ભોજપુરી, 5.8 ટકા થારુ, 5.1 ટકા તમાંગ અને 3 ટકા બજ્જિકા ભાષા બોલે છે. નેપાળી ભાષાની લિપિ દેવનાગરી છે અને તે અહીંની સત્તાવાર ભાષા છે.
આ ટીમે શરમજનક હારની હદ કરી પાર, 50 ઓવરની મેચ માત્ર 47 બોલમાં હારી ગઈ
ACC મેન્સ અંડર 19 પ્રીમિયર કપ 2025માં નેપાળે મલેશિયાને 9 વિકેટથી હરાવ્યું. મલેશિયાની ટીમ માત્ર 51 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. નેપાળે માત્ર 47 બોલમાં લક્ષ્ય હાંસલ કરી લીધું. નેપાળે મલેશિયાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો.
- Smit Chauhan
- Updated on: Nov 29, 2025
- 11:08 pm
નેપાળની નવી ₹100 ની નોટ પર ભારતનો વિસ્તાર દર્શાવતા વિવાદ વધ્યો, જાણો શું છે મુદ્દો
નેપાળ રાષ્ટ્ર બેંકે 100 રૂપિયાની નવી નોટ જારી કરી છે, જેમાં કાલાપાણી, લિપુલેખ અને લિમ્પિયાધુરાને નેપાળનો ભાગ દર્શાવવામાં આવ્યા છે. આ વિવાદ 1816 ની સુગૌલી સંધિથી ઉદ્ભવ્યો છે. ભારત લાંબા સમયથી આ વિસ્તારો પર નિયંત્રણ ધરાવે છે, જ્યારે નેપાળ કાલી નદીના સ્ત્રોતના આધારે તેમના પર દાવો કરે છે.જાણો વિગતે.
- Manish Gangani
- Updated on: Nov 28, 2025
- 4:48 pm
પોતાના હિતોને સાધવા માટે વિશ્વના દેશોના સિંહાસન ડોલાવી દેનાર અમેરિકાની ‘ડીપ સ્ટેટ’ થિયરી છે શુ? કોના ઈશારે અને કેવી રીતે કામ કરે છે ?-વાંચો
ભારતમાં કોઈ આંદોલનો થાય કે સરકાર સામે વિરોધનો વંટોળ ભડકી ઉઠે તો આપણે અનેકવાર સત્તાધિશોને એવુ કહેતા સાંભળ્યા છે કે આ વિરોધ વિદેશી તાકતો કરાવી રહી છે. તો એ વિદેશી તાકતો કઈ છે ? ભૂતકાળમાં આ વિદેશી તાકતોએ અનેક દેશોમાં તખ્તાપલટ કરાવી દીધા છે. દેશને અંધાધૂંધીમાં ધકેલી દીધો છે તો આખરે આ વિદેશ તાકતો કઈ છે અને આ તાકાત પાછળ કોનુ ભેજુ કામ કરી રહ્યુ હોય છે. વાંચો
- Mina Pandya
- Updated on: Nov 27, 2025
- 4:09 pm
Cow: ભારતનું નહીં પણ આ દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે ગાય, અહીં ગૌ હત્યા કરવું એ પાપ છે
National Animal Cow: ઘણા લોકો માને છે કે ગાય ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે, પરંતુ આ સાચું નથી. ભારતમાં વાઘને આ દરજ્જો મળે છે. ચાલો આ વિશેની બધી હકીકતો જાણીએ.
- Meera Kansagara
- Updated on: Nov 15, 2025
- 4:58 pm
નેપાળ, શ્રીલંકા અને કતાર સહિત આ 31 દેશ પાકિસ્તાનીઓને આપે છે મફત વિઝા, જાણો શું છે કારણ
હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 માં પાકિસ્તાનનો પાસપોર્ટ 103 મા ક્રમે છે, પરંતુ પાકિસ્તાની નાગરિકો હજુ પણ 31 દેશોમાં વિઝા-મુક્ત અથવા વિઝા-ઓન-અરાઇવલ ઍક્સેસ મેળવી શકે છે. એશિયા, આફ્રિકા અને કેરેબિયનના ઘણા દેશો પાકિસ્તાની પ્રવાસીઓ માટે ખુલ્લા છે.
- Tanvi Soni
- Updated on: Oct 17, 2025
- 1:40 pm
T20 World Cup 2026 : નેપાળ અને ઓમાને T20 વર્લ્ડ કપ માટે કર્યું ક્વોલિફાય, બીજી વાર ટુર્નામેન્ટમાં લેશે ભાગ
નેપાળ અને ઓમાન 2026ના T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગયા છે. આ ટુર્નામેન્ટ 6 ફેબ્રુઆરીથી 7 માર્ચ દરમિયાન ભારત અને શ્રીલંકામાં રમાશે. ઓમાન અને નેપાળ બંને બીજી વખત આ ટુર્નામેન્ટમાં રમશે.
- Smit Chauhan
- Updated on: Oct 15, 2025
- 9:49 pm
નેપાળ બાદ આ દેશમાં Gen-Z એ કર્યો તખ્તા પલટ, રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગ્યા
મેડાગાસ્કરમાં પાણીની તંગી અંગે વ્યાપક Gen-Z વિરોધ પ્રદર્શનો બાદ, રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોએલિના દેશ છોડીને ભાગી ગયા છે. વિપક્ષ, સૈન્ય અને વિદેશી રાજદ્વારીઓએ તેમના ભાગી જવાની પુષ્ટિ કરી છે. નેપાળ પછી, આ બીજી વખત છે જ્યારે Gen-Z જૂથોએ બળવાનો પ્રયાસ કર્યો છે.
- Sagar Solanki
- Updated on: Oct 14, 2025
- 10:07 pm
ભારતથી કયા-કયા દેશમાં ટ્રેન જાય છે, શું આ માટે વિઝા જરુરી છે?
ભારતીય રેલવે છેલ્લા કેટલાક સમયથી સતત તેના નેટવર્કનો વિસ્તાર કરી રહી છે. દરમિયાન, કેન્દ્ર સરકારે ભૂટાન સાથે ટ્રેન જોડાણ માટે બે મહત્વપૂર્ણ રેલ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. ત્યારે ચાલો જાણીએ ભારતમાંથી કયા અન્ય દેશોની ટ્રેનો દોડે છે અને આ માટે વિઝા જરૂરી છે કે નહીં.
- Devankashi rana
- Updated on: Oct 6, 2025
- 2:32 pm
Nepal Kumari Devi : નેપાળને મળી નવી કુમારી દેવી ! જાણો કેવી રીતે પસંદ કરવામાં આવી છે દેવી
ભારતના પડોશી દેશ નેપાળમાં મંગળવારે એક નવી કુમારી દેવી (જીવંત દેવી) ની પસંદગી કરવામાં આવી હતી. ફક્ત 2 વર્ષ અને 8 મહિનાની નવી કુમારી દેવી આર્યતારા શાક્ય છે અને મંગળવારે ઔપચારિક રીતે તેમનું રાજ્યાભિષેક કરવામાં આવ્યું હતું.
- Disha Thakar
- Updated on: Oct 2, 2025
- 2:23 pm
ભારતીય રૂપિયામાં ક્રોસ-બોર્ડર ટ્રેડના નિર્ણયથી ગુજરાતના વેપારીઓને થશે લાભ, જાણો નેપાળ, ભૂટાન અને શ્રીલંકામાં કઇ વસ્તુની થાય છે નિકાસ
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે કે હવે ભારતીય રૂપિયા (INR)ને ક્રોસ-બોર્ડર ટ્રેડ માટે વાપરી શકાય છે. શરૂઆતમાં આ વ્યવસ્થા ત્રણ દેશો — નેપાળ, ભૂટાન અને શ્રીલંકા સાથે અમલમાં લાવવામાં આવી છે. આ નિર્ણયથી ખાસ કરીને ગુજરાતના વેપાર ઉદ્યોગોને સીધો લાભ થશે, કારણ કે ગુજરાતથી આ દેશોમાં ઘણું નિકાસ થતું હોય છે.
- Tanvi Soni
- Updated on: Oct 1, 2025
- 1:10 pm
બિગ બોસની ઓફર ઠૂકરાવી, નરેન્દ્ર મોદીનો બોડીગાર્ડ રહી ચૂકેલા લકી બિષ્ટના પરિવાર વિશે જાણો
નેપાળમાં તખ્તાપલટની સ્થિતિ વચ્ચે ભૂતપૂર્વ ભારતીય RAW એજન્ટ લકી બિષ્ટનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે નેપાળ માટે આગાહીઓ કરતો જોવા મળે છે. તો આજે આપણે લકી બિષ્ટના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીશું.
- Nirupa Duva
- Updated on: Sep 16, 2025
- 7:18 am
પતિએ નેપાળનું પહેલું વિમાન હાઇજેક કર્યું હતુ, નેપાળની પહેલી મહિલા વડાપ્રધાનનો આવો છે પરિવાર
સુશીલા કાર્કીનો જન્મ નેપાળી ખેડૂત પરિવારમાં થયો હતો. તેમણે પોતાનું શિક્ષણ નેપાળમાં મેળવ્યું હતું. પરંતુ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ ભારત આવ્યા હતા.ચાલો જાણીએ સુશીલા કાર્કીના પરિવાર વિશે.
- Nirupa Duva
- Updated on: Sep 17, 2025
- 10:51 am
શ્રીલંકા, બાંગ્લાદેશ અને પછી નેપાળમાં અચાનક સત્તા પરિવર્તન, કોના હાથની કઠપૂતળી બની ગયા એશિયન દેશો?
શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાં સત્તા પરિવર્તનમાં ઘણી સમાનતાઓ જોવા મળી છે. શું યુવાનોના આ અચાનક આંદોલન અને સત્તા પરિવર્તન પાછળ કોઈ એવી શક્તિ છે, જેના ઈશારે આ બધું થઈ રહ્યું છે?
- Devankashi rana
- Updated on: Sep 14, 2025
- 3:38 pm
Breaking News : સુશીલા કાર્કી નેપાળના વચગાળાના વડા પ્રધાન બન્યા, રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ, ભારત સાથે ખાસ સંબંધ છે
નેપાળની વચગાળાની સરકારની કમાન સુશીલા કાર્કીને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુશીલા કાર્કી શુક્રવારે રાત્રે નેપાળના વચગાળાના વડા પ્રધાન તરીકે શપથ લીધા હોવાના અહેવાલ વિવિધ મીડિયામાં પ્રકાશિત થયા હતા.
- TV9 Gujarati
- Updated on: Sep 12, 2025
- 9:54 pm
Video : નેપાળના બળવાના આટલા દિવસ પહેલા જ ભારતના પૂર્વ જાસુસ લકી બિષ્ટે કરી હતી નેપાળના તખ્તપાલટની વાત
RAW એજન્ટ હોવાનો દાવો કરનાર લકી બિષ્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેણે આજે નેપાળમાં શું બન્યું તેના સંકેતો આપી દીધા હતા. ચાલો જાણીએ કે આ ભારતીય એજન્ટ કોણ છે અને તેણે શું આગાહી કરી હતી.
- Sagar Solanki
- Updated on: Sep 12, 2025
- 5:04 pm