AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Trading Window : અર્જુન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સમાંથી બહાર, IPL 2026માં આ ટીમમાંથી રમશે!

IPL 2026 પહેલા બધાની નજર ટ્રેડ વિન્ડો પર છે, જ્યાં મોટા ખેલાડીઓની આપ-લે થવાની અપેક્ષા છે. સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર હવે આ રેસમાં સામલે થયો છે. મુંબઈ ઈન્ડિયન્સ એક ફ્રેન્ચાઈઝી સાથે કેશ ડીલની તૈયારી કરી રહી છે.

IPL Trading Window : અર્જુન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સમાંથી બહાર, IPL 2026માં આ ટીમમાંથી રમશે!
Sachin & Arjun TendulkarImage Credit source: PTI
| Updated on: Nov 12, 2025 | 8:27 PM
Share

IPL 2026 મીની ઓક્શન પહેલા ટ્રેડ વિન્ડો હેડલાઈન્સમાં છે. આ નિયમ હેઠળ ટીમો ખેલાડીઓની આપ-લે કરે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રવિન્દ્ર જાડેજા-સેમ કરન અને સંજુ સેમસનની ટ્રેડ ડીલ લગભગ નક્કી થઈ ગઈ છે. આ દરમિયાન, સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર સહિત બે અન્ય ટીમો વચ્ચે ટ્રેડ ડીલ અંગે ચર્ચાઓ તીવ્ર બની છે. જો કે, આ ડીલમાં ખેલાડીઓની આપ-લે કેશ ડીલથી થશે.

અર્જુન તેંડુલકરને નવી ટીમ મળશે?

એક અહેવાલ મુજબ, લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટ્રેડ વિન્ડો દરમિયાન એક રસપ્રદ ડીલ થઈ રહ્યો હોય તેવું લાગે છે. અનુભવી ભારતીય ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને LSGમાંથી મુક્ત કરીને મુંબઈ ઈન્ડિયન્સમાં ટ્રાન્સફર કરવાની યોજના છે. દરમિયાન, મુંબઈના યુવા ઓલરાઉન્ડર અર્જુન તેંડુલકરને લખનૌ મોકલી શકાય છે. જોકે, આ સીધો ટ્રેડ નહીં, પરંતુ બંને ફ્રેન્ચાઈઝી વચ્ચે એક અલગ કેશ ડીલ હશે.

બંને ટીમો વચ્ચે કેશ ડીલ કેવી રીતે થશે?

IPL ટ્રેડ વિન્ડોમાં કેશ ડીલ માટે ચોક્કસ નિયમો છે. જો કોઈ ટીમ કોઈ ખેલાડીને તેની મૂળ ખરીદી કિંમત જેટલી ફી આપીને ખરીદવા માંગતી હોય, તો આવું થઈ શકે છે. ઉદાહરણ તરીકે, મુંબઈ ઈન્ડિયન્સે અર્જુનને ₹20 લાખમાં ખરીદ્યો હતો. આ સિવાય, લખનૌ સુપર જાયન્ટ્સે શાર્દુલ ઠાકુરને ₹2 કરોડમાં રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે પસંદ કર્યો. તેથી, બંને ટીમો આ પગાર પર ખેલાડીઓ ખરીદી શકે છે.

સિક્રેટ ટ્રેડ થઈ શકે

બીજી બાજુ, બે ફ્રેન્ચાઈઝી એકબીજા વચ્ચે એક નિશ્ચિત રકમ પર સંમત થઈ શકે છે અને તે રકમના આધારે ટ્રેડ પૂર્ણ થશે. આ રકમ જાહેર કરવામાં આવતી નથી, જેના કારણે ટ્રેડ ગુપ્ત (સિક્રેટ) રહે છે. આ કિસ્સામાં ટીમો આ ખેલાડીઓને તેમની ટીમમાં ઉમેરવા માટે તેમને અગાઉના પગાર કરતા વધુ રૂપિયા પણ આપી શકે છે.

અર્જુન તેંડુલકર માટે મોટી તક

અર્જુન તેંડુલકર છેલ્લા કેટલાક સિઝનથી મુંબઈ ટીમનો ભાગ છે. જોકે તેને ગયા સિઝનમાં એક પણ મેચ રમવાની તક મળી ન હતી. તે પહેલા તેણે 2023 માં ડેબ્યૂ કર્યું હતું અને ચાર મેચ રમી હતી. 2024 માં તેને ફક્ત એક જ મેચ રમવાની તક મળી હતી. આનો અર્થ એ થયો કે તેણે IPL માં પાંચ મેચ રમી છે, જેમાં તેણે ત્રણ વિકેટ લીધી છે. બેટ્સમેન તરીકે તેણે ફક્ત 13 રન બનાવ્યા છે. તેથી, ટીમ બદલવી એ અર્જુન તેંડુલકર માટે એક મહત્વપૂર્ણ તક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: IND vs SA : કોલકાતા ટેસ્ટ પહેલા ઈડન ગાર્ડન્સની પિચ વિશે સૌરવ ગાંગુલીએ કર્યો મોટો ખુલાસો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">