AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં T20 વર્લ્ડ કપની ફાઈનલ નિહાળવા દ્વારકાથી હાથમાં ત્રિરંગો લઈને પધાર્યા બાલકૃષ્ણ- જુઓ Video

અમાદાવાદમાં T20 વર્લ્ડ કપની ફાઈનલ આજે રમાવા જઈ રહી છે. દેશના ખૂણેખૂણેથી ક્રિકેટના ચાહકો આ મહામુકાબલો જોવા માટે આવી રહ્યા છે. ત્યારે આ મેચમાં દ્વારકાથી હાથમાં ત્રિરંગો લઈને ભગવાન શ્રીકૃષ્ણ પણ મેચ નિહાળવા પહોંચ્યા છે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2026 | 3:31 PM
Share

આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મહામુકાબલો રમાવા જઈ રહ્યો છે. અમદાવાદમાં રમાવા જઈ રહેલી T20 વર્લ્ડ કપની ફાઈનલને લઈને ક્રિકેટ રસિયાઓનો જોશ એક્દમ હાઈ છે. દૂરદૂરથી આજની ફાઈનલને જોવા માટે લોકો સ્ટેડિયમ પહોંચી રહ્યા છે. ત્યારે દરેક દેશવાસીઓની એક જ પ્રાર્થના છે કે ભારત T20 વર્લ્ડ કપ ટ્રોફી ત્રીજીવાર પણ પોતાને નામ કરે. દરેક દેશવાસી ભારત જીતે તેની પ્રાર્થના કરી રહ્યો છે.

 કનૈયાને માથા પર બિરાજમાન કરી ફાઈનલ જોવા પહોંચ્યુ દ્વારકાનું ગૃપ

ટીમ ઈન્ડિયાને ચિઅર અપ કરવા માટે ધોમધખતા તાપની પણ પરવા કર્યા વિના સવારથી લોકો સ્ટેડિયમ બહાર ઉમટી રહ્યા છે. ત્યારે વર્લ્ડ કપની આ નિર્ણાયક મેચ જોવા માટે દ્વારકાથી બાલકૃષ્ણ પણ આવ્યા છે અને તેઓ સ્ટેડિયમમાં પણ જોવા મળશે. દ્વારકાથી આવેલા 7 યુવકોનું એક ગૃપ આજે બાલકૃષ્ણ કનૈયાની મૂર્તિ લઈને સ્ટેડિયમ પહોંચ્યુ છે. દ્વારકાના ગૃપ દ્વારા એવી માનતા રાખવામાં આવી હતી કે ભારત ફાઈનલમાં પહોંચશે, તો કનૈયાને લઈને ફાઈનલ જોવા માટે સ્ટેડિયમ પહોંચશે. તેમની આસ્થા રંગ લાવી છે અને આજે ભારત જ્યારે ફાઈનલમાં પહોંચ્યુ છે ત્યારે તેમને દૃઢ વિશ્વાસ છે કે કાન્હાના આશીર્વાદથી ભારત આ વર્લ્ડ કપ જીતીને જ રહેશે.

ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચે તેના માટે યુવકોએ રાખી માનતા

દ્વારકાથી આવેલા યુવકોનું કહેવુ છે કે કાનો ટીમ ઈન્ડિયાને મદદ કરશે અને ટીમ ઈન્ડિયા જીતવાની જ છે. ટીમ ઈન્ડિયાને જીતાડવા માટે જ ખાસ તેઓ દ્વારકાધીશને આજે સ્ટેડિયમ લઈને આવ્યા છે. યુગો પહેલા હસ્તિનાપુરના રણમાં કૃષ્ણએ અર્જુનના સારથી બનીને પાંડવોની મદદ કરી હતી તેમ આજે સ્ટેડિયમમાં રહીને કાનો ટીમ ઈન્ડિયાની મદદ કરશે.  આ જ આસ્થા સાથે યુવકો ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિને માથા પર બિરાજમાન કરીને સ્ટેડિયમ પહોંચ્યા છે અને તેમની મદદથી ટીમ ઈન્ડિયા જીતશે તેવો તેમને દૃઢ વિશ્વાસ છે.

Input Credit- Narendra Rathod- Ahmedabad

Follow Us
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">