AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કૃષિ

કૃષિ

ગુજરાત રાજ્યનાં વિકાસમાં ખેતીનો અગત્યનો ફાળો છે. ગુજરાતની બે તૃતીયાંસ વસ્તી કૃષિ વિષયક પ્રવૃત્તિઓમાં રોકાયેલી છે. તેઓની આજીવિકા પ્રત્યક્ષ રીતે કૃષિને  લગતા વ્યવસાયમાંથી મેળવે છે. રાજ્યના ગામડાઓ કૃષિ આધારીત જીવન જીવે છે. કૃષિ એ તેમનો મુખ્ય રોજગારીનો સ્ત્રોત છે. ગામડાના વિકાસનુ ખેતીએ પાયાનું અંગ છે. ગુજરાતના ગામડાંઓના વિકાસ અર્થે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે રાજ્ય સરકારો હંમેશા તત્પર હોય છે.

કૃષિ વિકાસમાં અગત્યનો ફાળો આપનાર માધ્યમ હોય તો તે છે TV. દરરોજ કે સમયાંતરે આવતા વિવિધ કૃષિ લક્ષી કાર્યક્રમો તેમજ કૃષિ આધારીત બનાવેલ વિવિધ કૃષિ પોર્ટલ તેમજ કૃષિ લગતી એપ્લીકેશનો છે. આ કાર્યક્રમોથી ગામડાઓના ખેડૂતો વાકેફ છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વિવિધ કૃષિ પોર્ટલ અને મોબાઈલ એપ્લીકેશન પણ તૈયાર કરવામાં આવી છે.

Read More

Money Plant Growth Tips : મની પ્લાન્ટનો ગ્રોથ વધારવો છે ? ઘરે જ તૈયાર કરો ઓર્ગનીક લિક્વિડ ખાતર, જાણો ઉપયોગ કરવાની સાચી રીત

મની પ્લાન્ટને લીલોછમ અને સ્વસ્થ રાખવા માટે મોંઘા ફર્ટિલાઇઝરની જરૂર નથી. ચાની પત્તીથી બનતું ઘરેલું લિક્વિડ ખાતર, યોગ્ય માટી અને થોડી કાળજી છોડની વૃદ્ધિમાં મદદરૂપ બની શકે છે. જાણો સંપૂર્ણ માહિતી.

  • Nishat
  • Updated on: Aug 6, 2026
  • 8:45 am

ફરી સહાયની પ્રતીક્ષામાં ખેડૂત! દક્ષિણ ગુજરાતમાં પૂરના કહેરમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન, જુઓ Video

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ અને વારંવાર આવતા પૂરે ખેડૂતોને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે. નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં માત્ર એક સપ્તાહમાં બે વાર પૂર આવ્યું.

છોડમાંથી સફેદ જીવાતને દૂર કરવાનો સસ્તો ઉપાય, છાલમાંથી બનાવો પ્રવાહી અને ઉમેરો આ એક સફેદ પાવડર, માળીએ બતાવી રીત

જાસૂદ અને ઘરના અન્ય છોડમાં જો એકવાર સફેદ રંગની મિલીબગ (સફેદ જીવાત) લાગી જાય, તો તે ધીમે ધીમે આખા છોડનો રસ ચૂસીને તેને બરબાદ કરી દે છે. તેની પાછળ પાછળ કીડીઓ પણ આવી જાય છે જે છોડને વધુ નુકસાન પહોંચાડે છે. જો તમારા છોડ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તો બજારના મોંઘા અને કેમિકલ વાળા કીટનાશકના બદલે ઘરે જ મફતના ભાવે એક કુદરતી લિક્વિડ સ્પ્રે તૈયાર કરી શકો છો.

Breaking News: ભારે વરસાદથી ખેતી-બાગાયત પાક ક્ષેત્રે થયેલા નુકસાન અંગે તાકીદે સરવે હાથ ધરાશેઃ જીતુ વાઘાણી

પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રીના નિર્દેશ મુજબ ખેતીવાડી અને બાગાયત પાકોને થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્રને ઝડપથી સર્વે પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં 59.26 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર પૂર્ણ, કપાસ અને મગફળી ખેડૂતોની પ્રથમ પસંદ

કઠોળ પાકોના વાવેતરમાં પણ આ વર્ષે સુધારો નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ કઠોળનું વાવેતર 2.52 લાખ હેક્ટરથી વધીને 2.85 લાખ હેક્ટર થયું છે. જેમાં તુવેરનું 1.94 લાખ હેક્ટર (76%) અને અડદનું 70,772 હેક્ટર (86%) વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. જ્યારે મગનું વાવેતર હાલમાં 11,900 હેક્ટર (21%) સુધી પહોંચ્યું છે.

કચ્છના પશુપાલકોને મોટી રાહત: સરકારે ₹2ના ભાવે ઘાસચારો આપવાની કરી જાહેરાત, જાણો કોને મળશે લાભ

કચ્છમાં ઓછા વરસાદને કારણે ઘાસચારાની સર્જાયેલી અછત વચ્ચે રાજ્ય સરકારે માલધારીઓ માટે મોટી રાહત જાહેર કરી છે. પશુપાલકોને હવે પ્રતિ કિલો માત્ર 2 રૂપિયાના ભાવે સૂકો ઘાસચારો પૂરો પાડવામાં આવશે.

ગરુડ વૃક્ષ ભગાડશે સાપ અને આ અનોખું પાન છોડાવશે દારૂની લત: જાણો પ્રકૃતિના આ જાદુઈ ખજાના વિશે-જુઓ Video

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં આવેલી રાજેન્દ્ર અટલજીની પ્રકૃતિ વાટિકામાં એવા જાદુઈ છોડ છે જે આસપાસ સાપ કે ઉંદરને ફરકવા પણ નથી દેતા. અહીં એક એવું અનોખું પાન પણ છે જે દારૂડિયાની વર્ષો જૂની દારૂની લત છોડાવી શકે છે અને કેન્સર જેવા અસાધ્ય રોગ સામે પણ લડી શકે છે.

ગુજરાતના આ પડોશી રાજ્યમાં ખેડૂતોના રૂપિયા 48000 કરોડના વીજ દેવા માફ કરાયા

Big News for Farmers : ગુજરાત રાજ્યને અડીને આવેલા પ્રદેશમાં, ભાજપ સરકારે ખેડૂતોના રૂપિયા 48 હજાર કરોડના વીજ દેવા માફ કરી દીધા છે. આ વર્ષે ચોમાસામાં અનિયમિત વરસાદની સ્થિતિમાં ખેડૂતોના વીજદેવા માફ કરાતા ખેડૂતોને મોટી રાહત મળી છે.

ઉંઝાના જીરું-વરિયાળીને મળ્યો GI ટેગ, ગુજરાતના મસાલાને મળી વૈશ્વિક ઓળખ!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'વોકલ ફોર લોકલ' અને 'લોકલ ટુ ગ્લોબલ' ના વિઝનને આગળ વધાવતા, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ પરંપરાગત કૃષિ ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી રહી છે.

Animal Care : પશુને વારંવાર ખંજવાળ આવે છે? ખરજવાના લક્ષણો ઓળખો, જાણો ઘરેલુ ઉપાય અને બચાવની રીત!

ખરજવું પશુઓમાં જોવા મળતો સામાન્ય ચામડીનો રોગ હોય છે. તેમાં પશુને સતત ખંજવાળ આવે છે. શરીર પર વાળ ખરવા લાગે છે. ચામડી લાલ થઈ જાય છે. ક્યારેક ઘા પણ પડી જાય છે. સમયસર સારવાર ન મળે તો સમસ્યા ગંભીર પણ બની શકે છે.

Breaking News : સુરત જિલ્લાના પાંચ તાલુકાની 15થી વધુ ખાડી પર દબાણથી હજારો એકર ખેતરો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો

ખેડૂત આગેવાનોએ રાજ્ય સરકાર સમક્ષ ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માટે વિશેષ પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. તેમના જણાવ્યા મુજબ, ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતાં ડાંગરનું ધરુ કોહવાઈ ગયું છે, શાકભાજીના પાક બરબાદ થયા છે અને અનેક વિસ્તારોમાં વાવણીનું કામ પણ સંપૂર્ણપણે અટકી ગયું છે. જો વહેલી તકે પાણીનો નિકાલ નહીં થાય તો ખેડૂતોને ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડશે.

Farming Tips : ઘઉંના વાવેતરમાં ઉંદર-ઉધઈનો ત્રાસ છે? ફુદીનાનું તેલ અને ડુંગળીનો આ પરંપરાગત તોડ અપનાવો, પાક રહેશે રોગ મુક્ત!

ઘઉંના પાકમાં ઉંદર અને ઉધઈથી થતું નુકસાન ઘટાડવા માટે ખેડૂતો પરંપરાગત અને કુદરતી ઉપાયો અપનાવી શકે છે. નાગફણી, તમાકુ અને અરંડી જેવા સરળ ઉપાયો પાકનું રક્ષણ કરવામાં મદદરૂપ બની શકે છે. સાથે જ બીજની યોગ્ય તૈયારી કરવાથી અંકુરણ સુધરે છે. સારા ઉત્પાદનની શક્યતા વધે છે.

ગુજરાતમાં 21.74 ટકા વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર પૂર્ણ, સૌથી વધુ કપાસ-મગફળીની વાવણી

કઠોળ પાકોમાં કુલ 15,498 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે, જે સામાન્ય વિસ્તારના 3.72 ટકા જેટલું છે. તેમાં તુવેરનું 14,097 હેક્ટર, મગનું 540 હેક્ટર, અડદનું 820 હેક્ટર અને મઠનું 20 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે.

Farming Tips : ખેતરોમાં પાણી ભરાવા પાછળ માત્ર વરસાદ નહીં, વર્ષોની રાસાયણિક ખેતી પણ છે જવાબદાર ?

ચોમાસું આવતા જ ખેડૂતોના મનમાં ખુશી સાથે એક ચિંતા પણ ઉભી થાય છે. ભારે વરસાદથી ખેતરમાં પાણી ભરાઈ જાય છે. તેથી પાક સડી જવાની શક્યતા રહે છે. પાક સડવા પાછળ માત્ર વરસાદ જ નહીં પરંતુ જમીનની બદલાયેલી સ્થિતિ પણ હોય છે.

Farming Tips : કોબીજના પાકને બરબાદ કરતી લીલી ઈયળનો સફાયો! મોંઘી દવાઓ છોડો અને અપનાવો આ 5 દેશી ઘરગથ્થુ ઉપાય

કોબીજના પાકમાં ઈયળનો ઉપદ્રવ મોટી સમસ્યા છે. ઈયળ પાન ખાઈને છોડને નુકસાન પહોંચાડે છે. તેનાથી ઉત્પાદન પર અસર થાય છે. કેમિકલ દવાઓના વધુ ઉપયોગને ટાળવા માટે કેટલાક સરળ અને ઘરેલું ઉપાય દ્વારા પણ ઈયળનું નિયંત્રણ કરી શકાય છે.

g clip-path="url(#clip0_868_265)">