કૃષિ
ગુજરાત રાજ્યનાં વિકાસમાં ખેતીનો અગત્યનો ફાળો છે. ગુજરાતની બે તૃતીયાંસ વસ્તી કૃષિ વિષયક પ્રવૃત્તિઓમાં રોકાયેલી છે. તેઓની આજીવિકા પ્રત્યક્ષ રીતે કૃષિને લગતા વ્યવસાયમાંથી મેળવે છે. રાજ્યના ગામડાઓ કૃષિ આધારીત જીવન જીવે છે. કૃષિ એ તેમનો મુખ્ય રોજગારીનો સ્ત્રોત છે. ગામડાના વિકાસનુ ખેતીએ પાયાનું અંગ છે. ગુજરાતના ગામડાંઓના વિકાસ અર્થે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે રાજ્ય સરકારો હંમેશા તત્પર હોય છે.
કૃષિ વિકાસમાં અગત્યનો ફાળો આપનાર માધ્યમ હોય તો તે છે TV. દરરોજ કે સમયાંતરે આવતા વિવિધ કૃષિ લક્ષી કાર્યક્રમો તેમજ કૃષિ આધારીત બનાવેલ વિવિધ કૃષિ પોર્ટલ તેમજ કૃષિ લગતી એપ્લીકેશનો છે. આ કાર્યક્રમોથી ગામડાઓના ખેડૂતો વાકેફ છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વિવિધ કૃષિ પોર્ટલ અને મોબાઈલ એપ્લીકેશન પણ તૈયાર કરવામાં આવી છે.
ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના દાવા વચ્ચે ખાતરના ભાવમાં ભડકો, ખેડૂતોના હાલ બેહાલ
એકતરફ સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરવામાં આવે છે, બીજી તરફ ખાતરના ભાવમાં ભડકો થતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે. એક તરફ ખેડૂતોને તેમના પાકના પૂરતા ભાવ મળતા નથી બીજી તરફ ખાતરના ભાવ વધતા ખેડૂતોને એક સાંધે ત્યા તેર તૂટે જેવી સ્થિતિ છે.
- TV9 Gujarati
- Updated on: May 17, 2026
- 2:14 pm
તમિલનાડુ CMની કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ, PMને લખ્યો પત્ર
જયેશ પટેલે પોતાના પત્રમાં જણાવ્યું હતું કે હાલમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવોને કારણે સિન્થેટિક ફાયબરના ભાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે ગારમેન્ટ અને ટેક્સટાઇલ ઉદ્યોગ દ્વારા વિદેશી કપાસ સસ્તા દરે આયાત કરવાની માંગ વધી રહી છે. તેમણે ચેતવણી આપી કે જો કપાસની આયાત વેરામુક્ત કરવામાં આવશે તો વિદેશી કપાસ સસ્તા ભાવે દેશમાં આવશે, જેના સીધા પ્રભાવથી દેશના કપાસ પકવતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડશે.
- TV9 Gujarati
- Updated on: May 17, 2026
- 1:51 pm
Grafting Technique: એક જ આંબાના ઝાડ પર દશેરી, લંગડા અને આલ્ફાન્સો ઉગાડવાની રીત
આજકાલ લોકો બાગકામમાં વધુને વધુ રસ ધરાવે છે, જે પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે. જોકે તેમના ઘરોમાં મર્યાદિત જગ્યાને કારણે લોકો એકસાથે ઘણા ફળો અને શાકભાજી ઉગાડી શકતા નથી. આવી સ્થિતિમાં એક તકનીક વાયરલ થઈ રહી છે જે તમને એક જ ઝાડ પર અનેક પ્રકારના ફળો ઉગાડવાની જાણકારી આપે છે.
- Meera Kansagara
- Updated on: May 16, 2026
- 2:23 pm
Breaking News: ડુંગળીના ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય, હવે ₹12.35 પ્રતિ કિલોના દરે ડુંગળીની ખરીદી શરૂ કરશે NAFED
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ડુંગળી વેચનારા ખેડૂતોને મોટુ નુકસાન સહન કરવુ પડી રહ્યુ છે. એવામાં કેન્દ્ર સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહે ઘોષણા કરી છે કે નાફેડ (NAFED) દ્વારા ₹12.35 રૂપિયે પ્રતિ કિલોના દરે ડુંગળીની ખરીદી શરૂ કરવામાં આવશે.
- Mina Pandya
- Updated on: May 15, 2026
- 7:21 pm
દક્ષિણ ગુજરાતમાં ડીઝલની અછતથી ખેડૂતો બેહાલ: ડાંગરની કાપણી અને ખેતીકામ પર સંકટ, સરકારના નિયમોથી મુશ્કેલી વધી
નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ડીઝલના અપૂરતા જથ્થાને કારણે ખેતીકામ અટવાયું છે. હાર્વેસ્ટર માટે જરૂરી 150 લિટર સામે સરકાર માત્ર 45 લિટર જ આપતી હોવાથી ડાંગર કાપણીમાં અવરોધ ઊભો થયો છે.
- TV9 Gujarati
- Updated on: May 14, 2026
- 9:03 pm
તુલસીના છોડમાં ફટકડીનું પાણી નાખવાથી શું થાય છે ? જાણો ચોંકાવનારા ફાયદા
ઘરના આંગણામાં જોવા મળતો તુલસીનો છોડ ઉનાળામાં ઘણીવાર સુકાઈ જતો હોય છે. તેને તાજો અને લીલો રાખવા લોકો અનેક ઘરગથ્થુ ઉપાયો અજમાવે છે. એમાં ફટકડીનું પાણી પણ એક ઉપાય માનવામાં આવે છે. હવે જાણીએ કે તુલસીમાં ફટકડીનું પાણી નાખવાથી શું અસર થાય છે.
- Ashvin Patel
- Updated on: May 13, 2026
- 4:51 pm
Plant Care Tips: દરરોજ પાણી આપ્યા છતાં સુકાઈ જાય છે તુલસી? જાણો સાચી કાળજીની રીત
Tulsi Plant Care: જો તમારા તુલસીના છોડને દરરોજ પાણી આપવા છતાં તે સુકાઈ જાય છે, તો તેનું કારણ અયોગ્ય સૂર્યપ્રકાશ, વધુ પડતું પાણી અથવા માટી હોઈ શકે છે. જોકે યોગ્ય કાળજી છોડને લીલો રાખશે.
- Meera Kansagara
- Updated on: May 12, 2026
- 2:11 pm
ધોરાજીમાં જાહેરાતના એક મહિના બાદ પણ ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ ન થઈ, ખુલ્લા બજારમાં ખેડૂતોને વેઠવું પડી રહ્યું છે મોટું આર્થિક નુકસાન!
રાજ્ય સરકારે 4 એપ્રિલથી ઘઉંની ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ ધોરાજીમાં તંત્રની નિષ્ક્રિયતાને કારણે હજુ સુધી પ્રક્રિયા શરૂ થઈ નથી. પરિણામે ખેડૂતો મણ દીઠ માત્ર 400 થી 425 રૂપિયાના નીચા ભાવે ઘઉં વેચવા મજબૂર બન્યા છે.
- TV9 Gujarati
- Updated on: May 10, 2026
- 8:13 pm
Breaking News : ધોરાજી બન્યું ‘મિની આબુ’, ગાઢ ધુમ્મસની સફેદ ચાદર વચ્ચે હિલ સ્ટેશન જેવો નજારો! જુઓ Video
ધોરાજી પંથકમાં ગાઢ ધુમ્મસ છવાતા વાહનચાલકોને મુશ્કેલી પડી, પણ સ્થાનિકોએ હિલ સ્ટેશન જેવો નજારો માણ્યો. લોકોએ આહલાદક વાતાવરણનો આનંદ માણ્યો, પરંતુ કમોસમી વરસાદ બાદ આ ધુમ્મસ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. રવિ પાકોમાં જીવાત અને રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે, જે ઉત્પાદન પર નકારાત્મક અસર કરી શકે છે.
- Hasmukh Ramani
- Updated on: May 9, 2026
- 9:28 am
મહુવામાં ડુંગળીના ભાવ ₹3 થી ₹5 કિલોએ પહોંચ્યા, ચાર મહિનાની મહેનત બાદ પણ પાયમાલ થવાની સ્થિતિ
ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક વચ્ચે ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. લાલ ડુંગળીના ભાવ પ્રતિ મણ માત્ર ₹60 સુધી પહોંચતા ખેડૂતોને ઉત્પાદન ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે. 50 ટકા નુકસાન વેઠીને ખેડૂતો પાક વેચવા મજબૂર બન્યા છે.
- TV9 Gujarati
- Updated on: May 6, 2026
- 6:41 pm
Breaking News : ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ ક્યારે આવશે વરસાદ ? અંબાલાલ પટેલની આગાહી, જુઓ Video
અંબાલાલ પટેલના મતે 8 મે પછી ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે, જેમાં મધ્ય ગુજરાતમાં 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. 15 મે બાદ વાતાવરણમાં પલટો આવશે અને પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેમાં આંધી-વંટોળ સાથે વરસાદની સંભાવના છે.
- Hasmukh Ramani
- Updated on: May 6, 2026
- 3:44 pm
Health Tips : આ 5 છોડ ઘરમાં લગાવવાથી મળશે અસ્થમામાં રાહત, જાણો શું કે છે નિષ્ણાતો!
અમુક છોડ અસ્થમાના દર્દીઓને રાહત આપી શકે છે. સ્પાઈડર પ્લાન્ટ, એરેકા પામ અને પીસ લિલી હવાને શુદ્ધ કરે છે. આ છોડ અસ્થમાના લક્ષણો ઘટાડવામાં મદદ કરી શકે છે.
- Dhruval Shah
- Updated on: May 6, 2026
- 2:24 pm
Breaking News : ગુજરાતમાં કુદરતનો અણધાર્યો ‘ખેલ’, માવઠાથી ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી! જુઓ Video
ગુજરાતના 15 તાલુકાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. દાહોદના ફતેપુરામાં એક ઇંચ, જ્યારે ઝાલોદ અને સુખસરમાં અડધા ઇંચ વરસાદ નોંધાયો. મહીસાગર અને કચ્છના વિસ્તારો પણ પ્રભાવિત થયા છે. આ વરસાદથી પાકને ભારે નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં છે, અને કેટલાક સ્થળોએ કરા પણ પડ્યા છે.
- Hasmukh Ramani
- Updated on: May 6, 2026
- 10:07 am
તંત્રનો અજીબોગરીબ જવાબ : ‘300 મીટર કેનાલ બનાવવાનું તો અમે ભૂલી ગયા’! 15 વર્ષથી પાણીની રાહ જોતા ખેડૂતો હવે આરપારના જંગના મૂડમાં!
નર્મદા કેનાલના નિર્માણના વર્ષો બાદ પણ સુરેન્દ્રનગરના વઢવાણ સહિતના અનેક ગામોના ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખાં મારી રહ્યા છે. 15 વર્ષ પહેલાં બનેલી કેનાલ આજે ઝાડી-ઝાંખરાથી ભરાઈ ગઈ છે અને જર્જરિત હાલતમાં છે. નવાઈની વાત એ છે કે તંત્ર સ્વીકારી રહ્યું છે કે તેઓ કેનાલનો એક ટુકડો બનાવવાનું જ ભૂલી ગયા છે, જેના કારણે 500 એકર જમીન બિન-ઉપજાઉ બની રહી છે.
- TV9 Gujarati
- Updated on: May 5, 2026
- 3:38 pm
મોંઘવારીનો ડબલ ડોઝ: ધોરાજીમાં લીંબુના ભાવે ફટકારી ‘સદી’, 100 થી સીધા 300 રૂપિયા પર પહોંચ્યા!
એક તરફ અંગ દઝાડતી ગરમી અને બીજી તરફ રસોડાનું બજેટ ખોરવતા શાકભાજીના ભાવ. ધોરાજી રિટેલ માર્કેટમાં લીંબુની કિંમત ગત મહિના કરતા ત્રણ ગણી વધી ગઈ છે. ગરમીના કારણે પાક બળી જતા આવક ઘટી છે, જેની સીધી અસર ગૃહિણીઓના ખિસ્સા પર પડી રહી છે.
- TV9 Gujarati
- Updated on: May 3, 2026
- 7:08 pm