કૃષિ
ગુજરાત રાજ્યનાં વિકાસમાં ખેતીનો અગત્યનો ફાળો છે. ગુજરાતની બે તૃતીયાંસ વસ્તી કૃષિ વિષયક પ્રવૃત્તિઓમાં રોકાયેલી છે. તેઓની આજીવિકા પ્રત્યક્ષ રીતે કૃષિને લગતા વ્યવસાયમાંથી મેળવે છે. રાજ્યના ગામડાઓ કૃષિ આધારીત જીવન જીવે છે. કૃષિ એ તેમનો મુખ્ય રોજગારીનો સ્ત્રોત છે. ગામડાના વિકાસનુ ખેતીએ પાયાનું અંગ છે. ગુજરાતના ગામડાંઓના વિકાસ અર્થે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે રાજ્ય સરકારો હંમેશા તત્પર હોય છે.
કૃષિ વિકાસમાં અગત્યનો ફાળો આપનાર માધ્યમ હોય તો તે છે TV. દરરોજ કે સમયાંતરે આવતા વિવિધ કૃષિ લક્ષી કાર્યક્રમો તેમજ કૃષિ આધારીત બનાવેલ વિવિધ કૃષિ પોર્ટલ તેમજ કૃષિ લગતી એપ્લીકેશનો છે. આ કાર્યક્રમોથી ગામડાઓના ખેડૂતો વાકેફ છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વિવિધ કૃષિ પોર્ટલ અને મોબાઈલ એપ્લીકેશન પણ તૈયાર કરવામાં આવી છે.
Breaking News : કેસર કેરીની ધમાકેદાર આવક, બજારમાં ભાવ પડ્યા કે વધ્યા ? જાણો સચોટ હકીકત ! જુઓ Video
જૂનાગઢના બજારોમાં ગીર કેસર કેરીની આવક વધી છે, જેમાં 10 હજાર બોક્સ પહોંચ્યા છે. હરાજીમાં ભાવ 700-1000 રૂપિયા રહ્યા છે, પરંતુ ખેડૂતો સંતોષ અને ચિંતા અનુભવે છે. સારી ઉપજ છતાં, ગત વર્ષ કરતાં ઉત્પાદન ઓછું હોવાથી તેમને અપેક્ષિત ભાવ મળતા નથી. વેપારીઓ ગુણવત્તા પ્રમાણે ભાવ નક્કી કરે છે. આવકમાં વધારા સાથે ભવિષ્યમાં ભાવ પર અસર થવાની શક્યતા છે.
- Hasmukh Ramani
- Updated on: Apr 27, 2026
- 11:41 am
Gardening Tips: કેળાની છાલને કચરો સમજી ફેંકવાની ભૂલ ન કરતા, આ રીતે બનાવશો ‘જાદુઈ ખાતર’ તો ફૂલોથી ઉભરાઈ જશે તમારો બગીચો!
મોટાભાગના લોકો કેળા ખાધા પછી તેની છાલ ફેંકી દે છે, પરંતુ આ છાલ તમારા બગીચા માટે સોના જેવી સાબિત થઈ શકે છે. જાણો કેવી રીતે તેની મદદથી તમે તમારા છોડને લીલાછમ અને ફળ-ફૂલોથી ભરપૂર બનાવી શકો છો.
- Sachin Agrawal
- Updated on: Apr 26, 2026
- 2:22 pm
સવારે કે સાંજે… ઉનાળામાં છોડને ક્યારે પાણી આપવું જોઈએ? બહુ ઓછા લોકો જાણે છે સાચો જવાબ
છોડ ખૂબ જ નાજુક હોય છે. ખાસ કરીને ઉનાળામાં તેમની સંભાળ રાખવી વધુ મહત્વપૂર્ણ બની જાય છે. ઉનાળામાં છોડ ઝડપથી સુકાઈ જાય છે, તેથી લોકો તેમને વધુ પડતું પાણી આપવાનું ચાલુ રાખે છે. પરંતુ ફક્ત છોડને પાણી આપવું પૂરતું નથી. પાણી આપવાનો સમય પણ મહત્વપૂર્ણ છે.
- Meera Kansagara
- Updated on: Apr 25, 2026
- 12:14 pm
ખેતીની દુનિયામાં પહેલીવાર ! યુનિવિયા કંપનીએ રિટેલર્સને જ બનાવી દીધા ‘માલિક’, વિદેશ પ્રવાસ છોડો હવે સીધા મળશે કંપનીના શેર
એગ્રી ઇનપુટ ઇન્ડસ્ટ્રીમાં યુનિવિયા કંપનીએ ઈતિહાસ રચી દીધો છે. અત્યાર સુધી કંપનીઓ રિટેલર્સને માત્ર સ્કીમ કે વિદેશ પ્રવાસ આપતી હતી, પણ યુનિવિયાએ ગુજરાત અને રાજસ્થાનના રિટેલર્સને કંપનીના શેર આપીને 'ગ્રોથ પાર્ટનર' બનાવ્યા છે. અમેરિકાની પેટન્ટેડ ટેક્નોલોજી અને શ્રેષ્ઠ ગુણવત્તાના બિયારણો સાથે કંપની હવે IPO દ્વારા રિટેલર્સને મોટો આર્થિક ફાયદો કરાવવા જઈ રહી છે.
- Sachin Agrawal
- Updated on: Apr 23, 2026
- 6:08 pm
જો તમે તમારી KCC લોન નહીં ચૂકવો તો શું તમારી જમીનની હરાજી થશે? જાણો નિયમો અને તમારા અધિકારો
KCC લોન ડિફોલ્ટ થવાના કિસ્સામાં જમીનની તાત્કાલિક હરાજી કરવામાં આવતી નથી. બેંક પહેલા નોટિસ જાહેર કરે છે અને સમાધાનનો પ્રયાસ કરે છે, જ્યારે ખેડૂતો પાસે ઘણા કાનૂની અને રાહત વિકલ્પો પણ હોય છે.
- Meera Kansagara
- Updated on: Apr 22, 2026
- 11:09 am
Plant in pot: રસોડાનો ખર્ચ ઘટશે અને સ્વાસ્થ્ય વધશે! બજારમાં મોંઘા ભાવે મળતા લાલ શિમલા મરચાં હવે તમારા ઘરે જ ઉગશે
બજારમાં લીલા શિમલા મરચાં કરતા લાલ શિમલા મરચાં હંમેશા મોંઘા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે તેને ઘરે ઉગાડવા ખૂબ જ સરળ છે? યોગ્ય માટી, ચોક્કસ પ્રમાણમાં તડકો અને ઘરેલું ખાતરનો ઉપયોગ કરીને તમે ગાર્ડનિંગમાં એક્સપર્ટ બની શકો છો. બીજ વાવવાથી લઈને લણણી સુધીની સંપૂર્ણ પ્રોસેસ વાંચો...
- Sachin Agrawal
- Updated on: Apr 21, 2026
- 9:14 pm
પૈસા ખર્ચ્યા વગર ઘરે જ આ 5 DIY ખાતર બનાવો, તમારા બગીચો હંમેશા લીલોછમ અને હરિયાળો રહેશે
ઘરેલું વસ્તુઓથી ઓર્ગેનિક ખાતર બનાવવું હવે ખૂબ સરળ છે. આ સરળ રીતોથી તમે તમારા છોડને નેચરલ પોષણ આપી શકો છો.
- Nishat
- Updated on: Apr 21, 2026
- 9:29 am
શું તમને આ ખબર છે? ખેડૂતો ટ્રેક્ટરના ટાયરમાં પાણી કેમ ભરે છે, આજે જાણો તેના ફાયદા શું છે, ખેડૂતો માટે આ છે સ્માર્ટ ટ્રિક
Why Tractor Tyre Are Filled With Water: ટ્રેક્ટર ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી મશીન છે. તેમની મદદથી ખેડૂતો તેમના ખેતીના કાર્યો ખૂબ ઓછા સમયમાં પૂર્ણ કરી શકે છે.
- Meera Kansagara
- Updated on: Apr 18, 2026
- 1:37 pm
Vastu Tips: ફાયદો જ નહીં નુકસાન પણ પહોંચાડી શકે છે મની પ્લાન્ટ, ક્યાંક તમે તો આ ભૂલો નથી કરી રહ્યા ને!
Vastu Tips: મની પ્લાન્ટ ઘરમાં સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ લાવે છે, પરંતુ પાંચ સામાન્ય ભૂલો કરવાથી વાસ્તુ દોષ અને નુકસાન થઈ શકે છે. મની પ્લાન્ટ રાખવા માટેના યોગ્ય વાસ્તુ નિયમો અને આ ભૂલોથી કેવી રીતે બચવું તે જાણો.
- Meera Kansagara
- Updated on: Apr 17, 2026
- 1:03 pm
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખેડૂત કોની ‘ખેતી’ બગાડશે? ધોરાજીના ખેડૂતોએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર
ગુજરાતમાં ચૂંટણીનો ગરમાવો વધી રહ્યો છે ત્યારે ધોરાજીના ખેડૂતોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. બિયારણ-ખાતરના વધતા ભાવ અને વીજળીની અછત વચ્ચે પિસાતો ખેડૂત આ વખતે મતદાન દ્વારા પોતાનો મિજાજ બતાવવાના મૂડમાં છે. જાણો શું છે ગ્રામીણ જનતાની વ્યથા.
- TV9 Gujarati
- Updated on: Apr 14, 2026
- 9:08 pm
ભર ઉનાળે વીજળીના કડાકા અને મીની વાવાઝોડું ! ખેડા જિલ્લામાં કુદરતની બેવડી માર, નડિયાદ-માતરમાં કમોસમી વરસાદથી ફફડાટ
ખેડા જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાયું અને નડિયાદ સહિતના વિસ્તારોમાં મીની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો. હાઈવે પર વિઝીબિલિટી ઘટતા વાહનચાલકો અટવાયા.
- TV9 Gujarati
- Updated on: Apr 7, 2026
- 4:27 pm
PM Kisan: આ રાજ્યોમાં Farmer ID ફરજિયાત છે, નહીં તો આગામી હપ્તો આપવામાં નહીં આવે
PM Kisan: સરકારે PM કિસાન યોજનાના 23મા હપ્તા પહેલા ખેડૂત ઓળખપત્ર ફરજિયાત બનાવ્યું છે. જે ખેડૂતોએ નોંધણી કરાવી નથી તેઓ તેમના ₹2,000 ગુમાવી શકે છે. હપ્તો જૂન-જુલાઈ 2026 માં આવવાની ધારણા છે, તેથી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવી પડશે.
- Meera Kansagara
- Updated on: Apr 6, 2026
- 4:24 pm
Breaking News: ગુજરાતમાં ફરી આવશે કમોસમી વરસાદ, 7 એપ્રિલે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં ખેડૂતો માટે ‘રેડ એલર્ટ’!
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની 'અનસીઝનલ' એન્ટ્રી થવાની છે. હવામાન વિભાગે આગામી 7 એપ્રિલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં માવઠાની આગાહી કરી છે. પવનની ગતિ વધવાને કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
- TV9 Gujarati
- Updated on: Apr 14, 2026
- 2:32 pm
અમરેલીમાં ભરઉનાળે નદીઓ થઈ જીવંત, વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ખેડૂતોમાં ખુશીની લહેર!
અમરેલીના વડિયામાં આવેલો સુરવો ડેમ મેઈન્ટેનન્સના કારણોસર ખોલવામાં આવ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ડેમમાંથી પાણી છોડાતા નદીઓ વહેતી થઈ છે, જેનાથી સ્થાનિક ખેડૂતોને સિંચાઈમાં મોટી રાહત મળશે.
- TV9 Gujarati
- Updated on: Apr 5, 2026
- 5:07 pm
PM કિસાન યોજનામાં સરકારે કર્યો મોટો ફેરફાર; હવે આ ‘સ્પેશિયલ કાર્ડ’ વગર 2000નો હપ્તો નહીં આવે !
શું તમારા ખાતામાં પીએમ કિસાનનો ૨૩મો હપ્તો આવશે? સરકારે રાતોરાત લીધેલા એક નિર્ણયે લાખો ખેડૂતોની ઊંઘ ઉડાવી દીધી છે! એક નાનકડી ભૂલ અને તમારા ૨૦૦૦ રૂપિયા કાયમ માટે અટકી શકે છે. શું છે એ નવો ફેરફાર જે ગુજરાત સહિત 14 રાજ્યોમાં લાગુ થયો છે?
- Dhruv Barot
- Updated on: Apr 5, 2026
- 9:03 am