AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં જાહેર મંચ પરથી નાના પાટેકર મહારાષ્ટ્ર માટે શું બોલી ગયા, આપેલા નિવેદનથી ભારે ચર્ચા

નાગપુરમાં યોજાયેલી જલક્રાંતિ પરિષદના મંચ પરથી જાણીતા અભિનેતા અને સામાજિક કાર્યકર્તા નાના પાટેકરે એક એવું નિવેદન આપ્યું જેનાથી શ્રોતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે, આ નિવેદન પાછળ કોઈ રાજકીય વિવાદ નહીં પણ દેશના અંતરિયાળ વિસ્તારો માટે કંઈક કરવાની તેમની તીવ્ર ઈચ્છા છુપાયેલી છે.

| Updated on: May 18, 2026 | 4:38 PM
Share
પોતાના અભિનય અને સામાજિક કાર્યો માટે જાણીતા પીઢ અભિનેતા નાના પાટેકરે તાજેતરમાં નાગપુરમાં આયોજિત જલક્રાંતિ પરિષદમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને અભિનેતા મકરંદ અનાસપુરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

પોતાના અભિનય અને સામાજિક કાર્યો માટે જાણીતા પીઢ અભિનેતા નાના પાટેકરે તાજેતરમાં નાગપુરમાં આયોજિત જલક્રાંતિ પરિષદમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને અભિનેતા મકરંદ અનાસપુરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

1 / 9
મંચ પરથી બોલતી વખતે નાના પાટેકરે અચાનક કહ્યું કે, "હું હવે મહારાષ્ટ્ર છોડવાનું વિચારી રહ્યો હતો." આ સાંભળીને એક ક્ષણ માટે ત્યાં હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે, તેમણે આગળ સ્પષ્ટતા કરી કે તેઓ પહાડી અને અંતરિયાળ ગામડાંઓમાં જઈને ત્યાંના વંચિત લોકો માટે જમીની સ્તરે કંઈક મોટું કામ કરવા માંગે છે.

મંચ પરથી બોલતી વખતે નાના પાટેકરે અચાનક કહ્યું કે, "હું હવે મહારાષ્ટ્ર છોડવાનું વિચારી રહ્યો હતો." આ સાંભળીને એક ક્ષણ માટે ત્યાં હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે, તેમણે આગળ સ્પષ્ટતા કરી કે તેઓ પહાડી અને અંતરિયાળ ગામડાંઓમાં જઈને ત્યાંના વંચિત લોકો માટે જમીની સ્તરે કંઈક મોટું કામ કરવા માંગે છે.

2 / 9
નામ ફાઉન્ડેશનની સફળતા અને જનતાનો વિશ્વાસ: નાના પાટેકરે વિદર્ભ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ચાલી રહેલા સામાજિક કાર્યોમાં સામૂહિક પ્રયાસો પર ભાર મૂક્યો હતો. પોતાના શરૂઆતના દિવસોને યાદ કરતાં તેમણે જણાવ્યું કે, “મેં શરૂઆતમાં એક ઇન્સાન તરીકે પોતાની ફરજ સમજીને 1.5 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા અને આત્મહત્યા કરનારા ખેડૂતોના પરિવારોને 15-15 હજાર રૂપિયા આપી મદદ કરી હતી.

નામ ફાઉન્ડેશનની સફળતા અને જનતાનો વિશ્વાસ: નાના પાટેકરે વિદર્ભ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ચાલી રહેલા સામાજિક કાર્યોમાં સામૂહિક પ્રયાસો પર ભાર મૂક્યો હતો. પોતાના શરૂઆતના દિવસોને યાદ કરતાં તેમણે જણાવ્યું કે, “મેં શરૂઆતમાં એક ઇન્સાન તરીકે પોતાની ફરજ સમજીને 1.5 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા અને આત્મહત્યા કરનારા ખેડૂતોના પરિવારોને 15-15 હજાર રૂપિયા આપી મદદ કરી હતી.

3 / 9
પરંતુ જ્યારે અમે સત્તાવાર રીતે ‘નામ ફાઉન્ડેશન’ ની સ્થાપના કરી, ત્યારે માત્ર 3 મહિનામાં જ જનતાએ 60 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. આ બાબત લોકોના અતૂટ વિશ્વાસને દર્શાવે છે.”

પરંતુ જ્યારે અમે સત્તાવાર રીતે ‘નામ ફાઉન્ડેશન’ ની સ્થાપના કરી, ત્યારે માત્ર 3 મહિનામાં જ જનતાએ 60 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. આ બાબત લોકોના અતૂટ વિશ્વાસને દર્શાવે છે.”

4 / 9
શહેરની દીવાલો કબર જેવી લાગે છે: ખેતી અને કુદરત પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરતા નાના પાટેકર ભાવુક થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે, “હું શહેરોમાં વધારે સમય રહી શકતો નથી. ત્યાંની સિમેન્ટની દીવાલો મને કબર જેવી લાગે છે.

શહેરની દીવાલો કબર જેવી લાગે છે: ખેતી અને કુદરત પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરતા નાના પાટેકર ભાવુક થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે, “હું શહેરોમાં વધારે સમય રહી શકતો નથી. ત્યાંની સિમેન્ટની દીવાલો મને કબર જેવી લાગે છે.

5 / 9
મારું દિલ ગાયો, શ્વાન અને ખેતરો વચ્ચે વધુ ખુશ રહે છે. આપણે વિચારવું જોઈએ કે આજે સૂકા ખેતરોમાં કામ કરતા ખેડૂતો કેટલી તકલીફો ભોગવી રહ્યા છે. કુદરતે આપણને શ્વાસ લેવા માટે ક્યારેય એક રૂપિયો પણ નથી માંગ્યો, તેથી હવે મેં મારો બાકીનો સમય ગામડાંઓમાં વિતાવવાનું નક્કી કર્યું છે.”

મારું દિલ ગાયો, શ્વાન અને ખેતરો વચ્ચે વધુ ખુશ રહે છે. આપણે વિચારવું જોઈએ કે આજે સૂકા ખેતરોમાં કામ કરતા ખેડૂતો કેટલી તકલીફો ભોગવી રહ્યા છે. કુદરતે આપણને શ્વાસ લેવા માટે ક્યારેય એક રૂપિયો પણ નથી માંગ્યો, તેથી હવે મેં મારો બાકીનો સમય ગામડાંઓમાં વિતાવવાનું નક્કી કર્યું છે.”

6 / 9
રાજનીતિ અને સામાજિક કાર્યો વચ્ચેનો ભેદ: તેમણે મંચ પરથી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “અમે કોઈ રાજકીય પક્ષ નથી. સરકાર જે યોગ્ય લાગશે તે નક્કી કરશે.” તેમણે એમ પણ ઉમેર્યું કે સ્વામીનાથન આયોગની ભલામણોનો અમલ હજુ પણ આંશિક રીતે જ થયો છે. ભાજપ હોય કે કોંગ્રેસ, બંને પક્ષોની વિચારધારાઓ ભલે અલગ હોઈ શકે, પરંતુ સામાજિક મુદ્દાઓ પર દેશના તમામ નાગરિકો એકમત છે. કોઈ પણ સામાજિક આંદોલન માત્ર ભાષણો સુધી સીમિત ન રહેતા વાસ્તવિક હકીકતમાં બદલાવું જોઈએ.

રાજનીતિ અને સામાજિક કાર્યો વચ્ચેનો ભેદ: તેમણે મંચ પરથી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “અમે કોઈ રાજકીય પક્ષ નથી. સરકાર જે યોગ્ય લાગશે તે નક્કી કરશે.” તેમણે એમ પણ ઉમેર્યું કે સ્વામીનાથન આયોગની ભલામણોનો અમલ હજુ પણ આંશિક રીતે જ થયો છે. ભાજપ હોય કે કોંગ્રેસ, બંને પક્ષોની વિચારધારાઓ ભલે અલગ હોઈ શકે, પરંતુ સામાજિક મુદ્દાઓ પર દેશના તમામ નાગરિકો એકમત છે. કોઈ પણ સામાજિક આંદોલન માત્ર ભાષણો સુધી સીમિત ન રહેતા વાસ્તવિક હકીકતમાં બદલાવું જોઈએ.

7 / 9
એકતા અને સામૂહિક કામગીરીની અપીલ: નાના પાટેકરે તમામ સામાજિક સંગઠનોને વિનંતી કરી કે તેઓ અંદરોઅંદરની ઈર્ષ્યા ભૂલીને એક સાથે આવે. નાના ગામડાંઓમાં રહેતા બાળકો આજે મોટા શહેરોનું મેનેજમેન્ટ સંભાળી રહ્યા છે, છતાં ગ્રામીણ વિસ્તારોનો વાસ્તવિક વિકાસ હજુ બાકી છે. જો આપણે બધા ભેગા મળીને કામ કરીશું તો ખૂબ જ મોટો બદલાવ લાવી શકાશે.

એકતા અને સામૂહિક કામગીરીની અપીલ: નાના પાટેકરે તમામ સામાજિક સંગઠનોને વિનંતી કરી કે તેઓ અંદરોઅંદરની ઈર્ષ્યા ભૂલીને એક સાથે આવે. નાના ગામડાંઓમાં રહેતા બાળકો આજે મોટા શહેરોનું મેનેજમેન્ટ સંભાળી રહ્યા છે, છતાં ગ્રામીણ વિસ્તારોનો વાસ્તવિક વિકાસ હજુ બાકી છે. જો આપણે બધા ભેગા મળીને કામ કરીશું તો ખૂબ જ મોટો બદલાવ લાવી શકાશે.

8 / 9
નાના પાટેકરનું આ નિવેદન શહેરી ગ્લેમર છોડીને ગ્રામીણ વાસ્તવિકતા તરફ પાછા ફરવાની એક ગંભીર સંવેદનશીલતા દર્શાવે છે. હવે જોવાનું એ રહેશે કે તેમના આ આહવાન પછી મહારાષ્ટ્રના અન્ય સંગઠનો જળ સંરક્ષણ અને ગ્રામીણ ઉત્થાન માટે કેટલા સક્રિય બને છે.

નાના પાટેકરનું આ નિવેદન શહેરી ગ્લેમર છોડીને ગ્રામીણ વાસ્તવિકતા તરફ પાછા ફરવાની એક ગંભીર સંવેદનશીલતા દર્શાવે છે. હવે જોવાનું એ રહેશે કે તેમના આ આહવાન પછી મહારાષ્ટ્રના અન્ય સંગઠનો જળ સંરક્ષણ અને ગ્રામીણ ઉત્થાન માટે કેટલા સક્રિય બને છે.

9 / 9

ઘર બંધ હશે કે એસી-પંખા બંધ રાખશો તો પણ આવશે મોટું બિલ! સરકારી કંપનીઓ વધારી રહી છે આ ચાર્જીસ

Follow Us
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પંટ્રોલ પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા, જુઓ વીડિયો
પંટ્રોલ પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા, જુઓ વીડિયો
ગાંધીનગરના જાણીતા પિત્ઝા રેસ્ટોરેન્ટમાં પિત્ઝામાંથી નીકળી જીવાત
ગાંધીનગરના જાણીતા પિત્ઝા રેસ્ટોરેન્ટમાં પિત્ઝામાંથી નીકળી જીવાત
વડોદરામાં ફ્લાઈટમાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા, જુઓ Video
વડોદરામાં ફ્લાઈટમાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા, જુઓ Video
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">