AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરત સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો, હર્ષ પંડ્યા સહિત 7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ

એન્ટી રેગિંગ કમિટીએ તૈયાર કરેલો રિપોર્ટ નર્મદ યુનિવર્સિટીને સોંપવામાં આવ્યો છે. રિપોર્ટમાં હર્ષ પંડ્યા સાથે પણ રેગિંગ થયું હોવાનો ઉલ્લેખ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ખટોદરા પોલીસે પણ જવાબદારોને હાજર રહેવા નોટિસ પાઠવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2026 | 2:37 PM
Share

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર ડૉ. હર્ષ પંડ્યાના આપઘાતના કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. સમગ્ર મામલે એન્ટી રેગિંગ કમિટીએ નર્મદ યુનિવર્સિટીને સોંપેલા રિપોર્ટમાં હર્ષ પંડ્યા સહિત 7થી 9 રેસિડેન્ટ ડૉક્ટરો સાથે રેગિંગ થયું હોવાનો ઘટસ્ફોટ કર્યો હોવાની માહિતી સામે આવી છે. જોકે, ડૉ. હર્ષ પંડ્યાના આપઘાતના કારણ અંગે રિપોર્ટમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

હર્ષ પંડ્યા સહિત 7થી 9 રેસિડેન્ટ ડૉક્ટરો સાથે રેગિંગનો ખુલાસો

એન્ટી રેગિંગ કમિટીએ તૈયાર કરેલો રિપોર્ટ નર્મદ યુનિવર્સિટીને સોંપવામાં આવ્યો છે. રિપોર્ટમાં હર્ષ પંડ્યા સાથે પણ રેગિંગ થયું હોવાનો ઉલ્લેખ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ખટોદરા પોલીસે પણ જવાબદારોને હાજર રહેવા નોટિસ પાઠવી છે.

ઘટના બાદ કોલેજના ડીન અચાનક રજા પર ઉતર્યા

બીજી તરફ, રિપોર્ટ યુનિવર્સિટીને સોંપાયા બાદ સુરત સિવિલ મેડિકલ કોલેજના ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટ અચાનક રજા પર ઉતરી ગયા હતા. મીડિયા અહેવાલો પ્રસારિત થયા બાદ હવે ડીનને ઈમરજન્સીમાં પરત બોલાવવામાં આવ્યા છે. યુનિવર્સિટીને રિપોર્ટ સોંપ્યા બાદ ડીન રજા પર ઉતર્યા હોવાને કારણે સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.

સમગ્ર મામલે નર્મદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને રિપોર્ટ અંગે પૂછવામાં આવતા તેમણે રિપોર્ટને ખૂબ જ કોન્ફિડન્શિયલ ગણાવ્યો હતો અને તેના વિશે કંઈ કહી શકે તેમ ન હોવાનું જણાવ્યું હતું.

સુરત સિવિલ તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ

હવે એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટથી સુરત સિવિલ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. રિપોર્ટમાં રેગિંગના ખુલાસા બાદ જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે અને સમગ્ર કેસમાં ડીન સહિતના અધિકારીઓની ભૂમિકા અંગે તપાસ કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર છે.

Gandhinagar Breaking : કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
વ્યાપાર, ધનલાભ અને પ્રેમ સંબંધોમાં પ્રગતિના યોગ, જુઓ
વ્યાપાર, ધનલાભ અને પ્રેમ સંબંધોમાં પ્રગતિના યોગ, જુઓ
આણંદના તત્કાલીન અધિક કલેકટર કેતકી વ્યાસની ધરપકડ
આણંદના તત્કાલીન અધિક કલેકટર કેતકી વ્યાસની ધરપકડ
કપડવંજ APMCના ચેરમેન નિલેશ પટેલનું અચાનક રાજીનામું
કપડવંજ APMCના ચેરમેન નિલેશ પટેલનું અચાનક રાજીનામું
અમદાવાદના ગીતામંદિર બસ ટર્મિનલનું 16 વર્ષ બાદ લોકાર્પણ
અમદાવાદના ગીતામંદિર બસ ટર્મિનલનું 16 વર્ષ બાદ લોકાર્પણ
આગામી ત્રણ કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
149મી રથયાત્રામાં તંત્રની મોટી બેદરકારી: 2 અંધ હાથીઓને કરાયા સામેલ
149મી રથયાત્રામાં તંત્રની મોટી બેદરકારી: 2 અંધ હાથીઓને કરાયા સામેલ
g clip-path="url(#clip0_868_265)">