નીતિન ગડકરી
નીતિન ગડકરી ભારત સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા છે. ગડકરી 2010-2013 વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. નીતિન ગડકરી ભાજપના સૌથી યુવા અધ્યક્ષ હતા. તેમનો જન્મ મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ગડકરી કોમર્સમાં અનુસ્નાતક છે. આ સિવાય તેણે કાયદા અને બિઝનેસ મેનેજમેન્ટનો પણ અભ્યાસ કર્યો છે. નીતિન ગડકરી ઉદ્યોગપતિ પણ છે.
ગડકરીએ તેમની રાજકીય કારકિર્દી 1976માં નાગપુર યુનિવર્સિટીમાં ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી શરૂ કરી હતી. 1995માં, તેમણે મહારાષ્ટ્રમાં શિવસેના-ભારતીય જનતા પાર્ટીની ગઠબંધન સરકારમાં જાહેર બાંધકામ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને ચાર વર્ષ સુધી મંત્રી પદ સંભાળ્યું. 1989માં ગડકરી પ્રથમ વખત વિધાન પરિષદમાં ચૂંટાયા હતા. તેઓ 20 વર્ષથી વિધાન પરિષદના સભ્ય હતા અને છેલ્લે 2008માં વિધાન પરિષદમાં ચૂંટાયા હતા. ગડકરીની માતાનો તેમના પર ઘણો પ્રભાવ હતો અને તેમને સામાજિક કાર્યની ભાવનાથી પ્રેરિત કર્યા હતા.
તેઓ 1995 થી 1999 વચ્ચે મહારાષ્ટ્રમાં PWD મંત્રી હતા. જ્યારે તેઓ જિલ્લાના પાલક મંત્રી બન્યા ત્યારે તેમણે નાગપુરને નવો વિકાસ આપ્યો હતો. જાહેર બાંધકામ મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન મુંબઈમાં ફ્લાયઓવર બાંધનારાઓએ તેમને ‘ફ્લાયઓવર-મેન’ નામ આપ્યું હતું.
Read More
Bharat NCAP 2.0 : કાર સેફ્ટીના નિયમોમાં મોટો ફેરફાર, ઓક્ટોબર 2027થી લાગુ થશે નવા કડક ક્રેશ ટેસ્ટ પ્રોટોકોલ
ભારત NCAP ની સફળતા બાદ કેન્દ્ર સરકાર 'Bharat NCAP 2.0' ની તૈયારી કરી રહી છે, જે ઓક્ટોબર 2027 થી લાગુ થશે. આ નવા પ્રોગ્રામમાં માત્ર કારનો ક્રેશ ટેસ્ટ જ નહીં પરંતુ અકસ્માત નિવારણ, રાહદારીઓની સલામતી અને અકસ્માત પછીના બચાવ કાર્યની સમગ્ર સેફ્ટી ચેઇન ચકાસવામાં આવશે.
- Sachin Agrawal
- Updated on: Sep 3, 2026
- 8:48 pm
દેશના બધા રાજ્યમાં દોડશે બાઈક ટેક્સી? ગડકરીનો નવો પ્લાન, 8 કરોડ લોકોને મળશે રોજગાર
ગડકરીએ નોંધ્યું હતું કે કેન્દ્ર સરકારે મુસાફરોના પરિવહન માટે ખાનગી ટુ-વ્હીલર (સ્કૂટર અને મોટરસાયકલ) ના ઉપયોગને મંજૂરી આપી છે
- Devankashi rana
- Updated on: Sep 3, 2026
- 10:00 am
Breaking News : નીતિન ગડકરીએ કર્યો સક્રિય રાજનીતિ છોડવાનો ઈશારો ? કહ્યું- હું હવે વધુ કામ નથી કરી શકતો, નવા લોકો આગળ આવે
નાગપુરમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા નીતિન ગડકરીએ, જાહેર જીવનમાં ઘણા વર્ષોની સેવા સાથે શારીરિક થાકને સ્વીકારતા, એવી ટિપ્પણી કરી હતી કે, "હું છેલ્લા 30 વર્ષથી જાહેર જીવનમાં સતત કામ કરી રહ્યો છું. હવે, નવી પેઢીએ આગળ આવવું જોઈએ."
- Bipin Prajapati
- Updated on: Aug 25, 2026
- 4:46 pm
‘મર્સિડીઝની માઈલેજ 17 થી ઘટીને 5 પર આવી ગઈ’, યુટ્યુબર સૌરવ જોશીએ ઇથેનોલ પેટ્રોલ પર ઉઠાવ્યા ગંભીર સવાલો
ભારતના ટોપ યુટ્યુબર સૌરવ જોશીએ પોતાની કરોડોની મર્સિડીઝ કારની માઇલેજમાં અચાનક આવેલા મોટા ઘટાડા માટે દેશમાં મળતા ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલને જવાબદાર ઠેરવ્યું છે. માત્ર 48 કલાકમાં જ ગાડીની હાલત બગડતા સોશિયલ મીડિયા પર મોટી ચર્ચા જાગી છે. આ વિવાદ પર મર્સિડીઝના સીઈઓ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શું ખુલાસો કર્યો છે? જાણો...
- Sachin Agrawal
- Updated on: Jul 13, 2026
- 5:29 pm
E20 પેટ્રોલ મુદ્દે સરકાર એટલી જ સાચી હોય તો RTI માં માગેલી માહિતી આપવાનો ઈનકાર કેમ? એવો તો ક્યો ગોપનિય ડેટા જાહેર નથી કરાઈ રહ્યો?
છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી કે E-20 ને લાગુ કરી દેવાયુ છે, જેનાથી લોકોને ફાયદો થશે. જો કે લોકો સતત સરકારને સવાલ કરતા જોવા મળ્યા કે E-20 ઈથેનોલ મિશ્રીત પેટ્રોલને કઈ કંપનીની ગાડીઓ પર ટેસ્ટ કરવામાં આવ્યુ. કઈ કંપનીની ટુવ્હીલર બાઈક પર તેનો ટેસ્ટ કર્યો તેનો રેકોર્ડ, ડેટા તો સરકાર પાસે હશેને. સરકાર જણાવે છે કે હા તેમણે સંશોધનો કર્યા છે, પરંતુ જ્યારે સરકાર પાસે આ અંગે RTI માં સંશોધનનો ડેટા માગવામાં આવ્યો તો તેને ગોપનિય ગણાવીને સરકારે આપવાનો ઈનકાર કરી દીધો. તો સવાલ એ છે કે જે જનતાની લાખો રૂપિયાની ગાડીઓ પર સરકાર પ્રયોગ કરવા જઈ રહી છે તેનો એવો તો કેવો ગોપનિય ડેટા છે કે સરકાર જનતાને આપી નથી રહી? E-20 પેટ્રોલની અન્ય ડાર્ક સાઈડ શું છે તેના વિશે જાણીએ વિગતવાર..
- Mina Pandya
- Updated on: Aug 6, 2026
- 3:56 pm
પેટ્રોલમાં ઇથેનોલ બાદ હવે ડીઝલનો વારો: ટૂંક સમયમાં શરૂ થશે 15 ટકા આઇસોબ્યુટેનોલનું બ્લેન્ડિંગ, નીતિન ગડકરીએ આપી મોટી વિગત
ભારતમાં પેટ્રોલ બાદ હવે ડીઝલ ગાડીઓ માટે નવો બાયોફ્યુઅલ પ્લાન તૈયાર થઈ ગયો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ડીઝલમાં 15 ટકા સુધી આઇસોબ્યુટેનોલ મિક્સ કરવાના પ્રોજેક્ટ અને તેનાથી ગાડીના એન્જિનને થતા ફાયદાની વિગતો આપી છે.
- Sachin Agrawal
- Updated on: Jul 4, 2026
- 10:07 pm
Modi Cabinet Reshuffle 2026 : મોદી મંત્રીમંડળમાં થશે ધરખમ ફેરફાર, રાજનાથ સિંહ – નીતિન ગડકરી થશે આઉટ, સ્મૃતિ ઈરાની-અનુરાગ ઠાકુર થશે ઈન ?
Modi Cabinet Reshuffle : છેલ્લા કેટલાક દિવસથી નરેન્દ્ર મોદીની આગેવાનીની એનડીએ સરકારના મંત્રીમંડળમાં ધરખમ ફેરફાર થવાની ધારણાઓ ધારવામાં આવી રહી છે. આ ધારણાઓ સાચી હોવાના કેટલાક રાજકીય સંકેતો પણ મળી રહ્યાં છે. જો કે, કેન્દ્રીય કેબિનેટમાંથી વયોવૃદ્ધ એવા રાજનાથસિંહ અને નીતિન ગડકરીને માનભેર વિદાય અપાય તેવો તખ્તો ઘડાઈ રહ્યો છે. જ્યારે તેમના સ્થાને ભાજપના જાણીતા ચહેરા સ્મૃતિ ઈરાની અને અનુરાગ ઠાકુરનો સમાવેશ કરવામાં આવે તેવા અહેવાલ વહેતા થયા છે.
- Bipin Prajapati
- Updated on: Jul 3, 2026
- 6:59 pm
જો તમારી પાસે 2023 પહેલાના વાહનો છે તો E20 ફ્યુલના કારણે ઇન્સ્યોરન્સ મળશે કે નહિ, જાણો ઇન્સ્યોરન્સ કંપનીએ શું કહ્યું
જો તમારી પાસે એપ્રિલ 2023 પહેલાની કાર કે બાઇક છે, તો E20 પેટ્રોલના કારણે એન્જિનમાં થતા નુકસાન પર વીમા કંપની ક્લેમ આપવાનો ઇનકાર કરી શકે છે કે નહિ જાણો ઇન્સ્યોરન્સ કંપનીએ શું કહ્યું.
- Sachin Agrawal
- Updated on: Jun 15, 2026
- 5:51 pm
Breaking News: સરકારનો ‘મોટો પ્લાન’… હવે શેરડી, મકાઈ, ચોખા અને ખેતીના કચરામાંથી બનેલા ઇંધણથી દોડશે ગાડીઓ
પેટ્રોલ-ડીઝલના કાયમી નિકાલ માટે દેશમાં એક નવી ટેકનોલોજી આવી ગઈ છે. હવે આપણી ગાડીઓ કોઈ મોંઘા પેટ્રોલથી નહીં પણ શેરડી, મકાઈ, ચોખા, ઘઉં, શક્કરિયા અને ખેતીના કચરામાંથી બનેલા એક ખાસ ઇંધણથી દોડશે.
- TV9 Gujarati
- Updated on: Jun 15, 2026
- 3:35 pm
Breaking News: લોકો ખડખડાટ હસતા રહ્યા અને નીતિન ગડકરીએ કરી બતાવ્યું, આખરે 100% ઇથેનોલ પ્લાનને મળી ગઈ ‘મંજૂરી’
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા દેશમાં 100% ઇથેનોલ ઇંધણને કાનૂની મંજૂરી આપી દીધી છે. રસપ્રદ વાત એ છે કે, શરૂઆતમાં ગડકરીના આ જ આઇડિયા પર લોકો હસતા હતા અને તેની ટીકા કરતા હતા.
- Ravi Prajapati
- Updated on: Jun 14, 2026
- 1:41 pm
LPGના સસ્તા વિકલ્પ સામે એથેનોલ સ્ટવ ! સોશિયલ મિડીયામાં કર્યો પ્રધાનપુત્રને ફાયદો કરવાનો આક્ષેપ
શું મોંઘા LPG સિલિન્ડરના સસ્તા વિકલ્પ તરીકે આવી રહેલો એથેનોલ ચૂલો મહિલાઓ માટે નવી આફત બનશે? જાણો આ હાઇ-ટેક ટેકનોલોજીના ગંભીર ગેરફાયદા અને તેની પાછળ છુપાયેલું મંત્રી નીતિન ગડકરીના પુત્રની કંપનીનું કરોડોનું કનેક્શન!
- Sachin Agrawal
- Updated on: May 27, 2026
- 7:51 pm
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં જાહેર મંચ પરથી નાના પાટેકર મહારાષ્ટ્ર માટે શું બોલી ગયા, આપેલા નિવેદનથી ભારે ચર્ચા
નાગપુરમાં યોજાયેલી જલક્રાંતિ પરિષદના મંચ પરથી જાણીતા અભિનેતા અને સામાજિક કાર્યકર્તા નાના પાટેકરે એક એવું નિવેદન આપ્યું જેનાથી શ્રોતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે, આ નિવેદન પાછળ કોઈ રાજકીય વિવાદ નહીં પણ દેશના અંતરિયાળ વિસ્તારો માટે કંઈક કરવાની તેમની તીવ્ર ઈચ્છા છુપાયેલી છે.
- Sachin Agrawal
- Updated on: May 18, 2026
- 4:38 pm
Breaking News : PM મોદીની અપીલ બાદ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી ખુદ બસમાં મુસાફરી કરશે
વડાપ્રધાન મોદીના આહ્વાનને પગલે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બસ દ્વારા મુસાફરી કરવાનો નિર્ણય લીધો છે. તેઓ તેમનો મહારાષ્ટ્ર પ્રવાસ બસ દ્વારા પૂર્ણ કરશે. માર્ગ પરિવહન મંત્રાલયે આ માહિતી આપતી એક નોટિસ જાહેર કરી છે.
- Nirupa Duva
- Updated on: May 14, 2026
- 9:12 am
મહારાષ્ટ્રમાં હાઈવેનું નવું નેટવર્ક: નીતિન ગડકરીએ 527 કિમીના પ્રોજેક્ટ્સની કરી સમીક્ષા, જાણો ક્યાં શહેરને હાઈ-સ્પીડ કોરિડોરનો લાભ મળશે!
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રમાં કનેક્ટિવિટી વધારવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજી છે. આ બેઠકમાં 527 કિલોમીટર લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને અનેક નવા હાઈ-સ્પીડ કોરિડોર પર મહોર મારવામાં આવી છે.
- Sachin Agrawal
- Updated on: May 4, 2026
- 9:25 pm
Breaking News : ઈંધણ કટોકટી વચ્ચે ગડકરીએ રજૂ કર્યુ આત્મનિર્ભર ભારત માટે ગ્રીન વિઝન, જુઓ Video
નિતિન ગડકરીએ ઇંધણ કટોકટી વચ્ચે પુનઃપ્રાપ્ય ઊર્જા અને જૈવઇંધણ પર ભાર મૂક્યો છે. તેમનો લક્ષ્ય 22 લાખ કરોડ રૂપિયાની અશ્મિભૂત ઇંધણની આયાતને સમાપ્ત કરી આત્મનિર્ભર ભારત બનાવવાનો છે. વાંસમાંથી ઇથેનોલ ઉત્પાદન, ઇલેક્ટ્રિક વાહનોનો પ્રસાર અને ખેડૂતોને આર્થિક લાભ પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
- Hasmukh Ramani
- Updated on: Apr 3, 2026
- 2:20 pm