AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નીતિન ગડકરી

નીતિન ગડકરી

નીતિન ગડકરી ભારત સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા છે. ગડકરી 2010-2013 વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. નીતિન ગડકરી ભાજપના સૌથી યુવા અધ્યક્ષ હતા. તેમનો જન્મ મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ગડકરી કોમર્સમાં અનુસ્નાતક છે. આ સિવાય તેણે કાયદા અને બિઝનેસ મેનેજમેન્ટનો પણ અભ્યાસ કર્યો છે. નીતિન ગડકરી ઉદ્યોગપતિ પણ છે.

ગડકરીએ તેમની રાજકીય કારકિર્દી 1976માં નાગપુર યુનિવર્સિટીમાં ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી શરૂ કરી હતી. 1995માં, તેમણે મહારાષ્ટ્રમાં શિવસેના-ભારતીય જનતા પાર્ટીની ગઠબંધન સરકારમાં જાહેર બાંધકામ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને ચાર વર્ષ સુધી મંત્રી પદ સંભાળ્યું. 1989માં ગડકરી પ્રથમ વખત વિધાન પરિષદમાં ચૂંટાયા હતા. તેઓ 20 વર્ષથી વિધાન પરિષદના સભ્ય હતા અને છેલ્લે 2008માં વિધાન પરિષદમાં ચૂંટાયા હતા. ગડકરીની માતાનો તેમના પર ઘણો પ્રભાવ હતો અને તેમને સામાજિક કાર્યની ભાવનાથી પ્રેરિત કર્યા હતા.

તેઓ 1995 થી 1999 વચ્ચે મહારાષ્ટ્રમાં PWD મંત્રી હતા. જ્યારે તેઓ જિલ્લાના પાલક મંત્રી બન્યા ત્યારે તેમણે નાગપુરને નવો વિકાસ આપ્યો હતો. જાહેર બાંધકામ મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન મુંબઈમાં ફ્લાયઓવર બાંધનારાઓએ તેમને ‘ફ્લાયઓવર-મેન’ નામ આપ્યું હતું.

 

Read More

‘મર્સિડીઝની માઈલેજ 17 થી ઘટીને 5 પર આવી ગઈ’, યુટ્યુબર સૌરવ જોશીએ ઇથેનોલ પેટ્રોલ પર ઉઠાવ્યા ગંભીર સવાલો

ભારતના ટોપ યુટ્યુબર સૌરવ જોશીએ પોતાની કરોડોની મર્સિડીઝ કારની માઇલેજમાં અચાનક આવેલા મોટા ઘટાડા માટે દેશમાં મળતા ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલને જવાબદાર ઠેરવ્યું છે. માત્ર 48 કલાકમાં જ ગાડીની હાલત બગડતા સોશિયલ મીડિયા પર મોટી ચર્ચા જાગી છે. આ વિવાદ પર મર્સિડીઝના સીઈઓ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શું ખુલાસો કર્યો છે? જાણો...

E20 પેટ્રોલ મુદ્દે સરકાર એટલી જ સાચી હોય તો RTI માં માગેલી માહિતી આપવાનો ઈનકાર કેમ? એવો તો ક્યો ગોપનિય ડેટા જાહેર નથી કરાઈ રહ્યો?

છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી કે E-20 ને લાગુ કરી દેવાયુ છે, જેનાથી લોકોને ફાયદો થશે. જો કે લોકો સતત સરકારને સવાલ કરતા જોવા મળ્યા કે E-20 ઈથેનોલ મિશ્રીત પેટ્રોલને કઈ કંપનીની ગાડીઓ પર ટેસ્ટ કરવામાં આવ્યુ. કઈ કંપનીની ટુવ્હીલર બાઈક પર તેનો ટેસ્ટ કર્યો તેનો રેકોર્ડ, ડેટા તો સરકાર પાસે હશેને. સરકાર જણાવે છે કે હા તેમણે સંશોધનો કર્યા છે, પરંતુ જ્યારે સરકાર પાસે આ અંગે RTI માં સંશોધનનો ડેટા માગવામાં આવ્યો તો તેને ગોપનિય ગણાવીને સરકારે આપવાનો ઈનકાર કરી દીધો. તો સવાલ એ છે કે જે જનતાની લાખો રૂપિયાની ગાડીઓ પર સરકાર પ્રયોગ કરવા જઈ રહી છે તેનો એવો તો કેવો ગોપનિય ડેટા છે કે સરકાર જનતાને આપી નથી રહી? E-20 પેટ્રોલની અન્ય ડાર્ક સાઈડ શું છે તેના વિશે જાણીએ વિગતવાર..

પેટ્રોલમાં ઇથેનોલ બાદ હવે ડીઝલનો વારો: ટૂંક સમયમાં શરૂ થશે 15 ટકા આઇસોબ્યુટેનોલનું બ્લેન્ડિંગ, નીતિન ગડકરીએ આપી મોટી વિગત

ભારતમાં પેટ્રોલ બાદ હવે ડીઝલ ગાડીઓ માટે નવો બાયોફ્યુઅલ પ્લાન તૈયાર થઈ ગયો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ડીઝલમાં 15 ટકા સુધી આઇસોબ્યુટેનોલ મિક્સ કરવાના પ્રોજેક્ટ અને તેનાથી ગાડીના એન્જિનને થતા ફાયદાની વિગતો આપી છે.

Modi Cabinet Reshuffle 2026 : મોદી મંત્રીમંડળમાં થશે ધરખમ ફેરફાર, રાજનાથ સિંહ – નીતિન ગડકરી થશે આઉટ, સ્મૃતિ ઈરાની-અનુરાગ ઠાકુર થશે ઈન ?

Modi Cabinet Reshuffle : છેલ્લા કેટલાક દિવસથી નરેન્દ્ર મોદીની આગેવાનીની એનડીએ સરકારના મંત્રીમંડળમાં ધરખમ ફેરફાર થવાની ધારણાઓ ધારવામાં આવી રહી છે. આ ધારણાઓ સાચી હોવાના કેટલાક રાજકીય સંકેતો પણ મળી રહ્યાં છે. જો કે, કેન્દ્રીય કેબિનેટમાંથી વયોવૃદ્ધ એવા રાજનાથસિંહ અને નીતિન ગડકરીને માનભેર વિદાય અપાય તેવો તખ્તો ઘડાઈ રહ્યો છે. જ્યારે તેમના સ્થાને ભાજપના જાણીતા ચહેરા સ્મૃતિ ઈરાની અને અનુરાગ ઠાકુરનો સમાવેશ કરવામાં આવે તેવા અહેવાલ વહેતા થયા છે.

જો તમારી પાસે 2023 પહેલાના વાહનો છે તો E20 ફ્યુલના કારણે ઇન્સ્યોરન્સ મળશે કે નહિ, જાણો ઇન્સ્યોરન્સ કંપનીએ શું કહ્યું

જો તમારી પાસે એપ્રિલ 2023 પહેલાની કાર કે બાઇક છે, તો E20 પેટ્રોલના કારણે એન્જિનમાં થતા નુકસાન પર વીમા કંપની ક્લેમ આપવાનો ઇનકાર કરી શકે છે કે નહિ જાણો ઇન્સ્યોરન્સ કંપનીએ શું કહ્યું.

Breaking News: સરકારનો ‘મોટો પ્લાન’… હવે શેરડી, મકાઈ, ચોખા અને ખેતીના કચરામાંથી બનેલા ઇંધણથી દોડશે ગાડીઓ

પેટ્રોલ-ડીઝલના કાયમી નિકાલ માટે દેશમાં એક નવી ટેકનોલોજી આવી ગઈ છે. હવે આપણી ગાડીઓ કોઈ મોંઘા પેટ્રોલથી નહીં પણ શેરડી, મકાઈ, ચોખા, ઘઉં, શક્કરિયા અને ખેતીના કચરામાંથી બનેલા એક ખાસ ઇંધણથી દોડશે.

Breaking News: લોકો ખડખડાટ હસતા રહ્યા અને નીતિન ગડકરીએ કરી બતાવ્યું, આખરે 100% ઇથેનોલ પ્લાનને મળી ગઈ ‘મંજૂરી’

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા દેશમાં 100% ઇથેનોલ ઇંધણને કાનૂની મંજૂરી આપી દીધી છે. રસપ્રદ વાત એ છે કે, શરૂઆતમાં ગડકરીના આ જ આઇડિયા પર લોકો હસતા હતા અને તેની ટીકા કરતા હતા.

LPGના સસ્તા વિકલ્પ સામે એથેનોલ સ્ટવ ! સોશિયલ મિડીયામાં કર્યો પ્રધાનપુત્રને ફાયદો કરવાનો આક્ષેપ

શું મોંઘા LPG સિલિન્ડરના સસ્તા વિકલ્પ તરીકે આવી રહેલો એથેનોલ ચૂલો મહિલાઓ માટે નવી આફત બનશે? જાણો આ હાઇ-ટેક ટેકનોલોજીના ગંભીર ગેરફાયદા અને તેની પાછળ છુપાયેલું મંત્રી નીતિન ગડકરીના પુત્રની કંપનીનું કરોડોનું કનેક્શન!

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં જાહેર મંચ પરથી નાના પાટેકર મહારાષ્ટ્ર માટે શું બોલી ગયા, આપેલા નિવેદનથી ભારે ચર્ચા

નાગપુરમાં યોજાયેલી જલક્રાંતિ પરિષદના મંચ પરથી જાણીતા અભિનેતા અને સામાજિક કાર્યકર્તા નાના પાટેકરે એક એવું નિવેદન આપ્યું જેનાથી શ્રોતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે, આ નિવેદન પાછળ કોઈ રાજકીય વિવાદ નહીં પણ દેશના અંતરિયાળ વિસ્તારો માટે કંઈક કરવાની તેમની તીવ્ર ઈચ્છા છુપાયેલી છે.

Breaking News : PM મોદીની અપીલ બાદ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી ખુદ બસમાં મુસાફરી કરશે

વડાપ્રધાન મોદીના આહ્વાનને પગલે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બસ દ્વારા મુસાફરી કરવાનો નિર્ણય લીધો છે. તેઓ તેમનો મહારાષ્ટ્ર પ્રવાસ બસ દ્વારા પૂર્ણ કરશે. માર્ગ પરિવહન મંત્રાલયે આ માહિતી આપતી એક નોટિસ જાહેર કરી છે.

મહારાષ્ટ્રમાં હાઈવેનું નવું નેટવર્ક: નીતિન ગડકરીએ 527 કિમીના પ્રોજેક્ટ્સની કરી સમીક્ષા, જાણો ક્યાં શહેરને હાઈ-સ્પીડ કોરિડોરનો લાભ મળશે!

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રમાં કનેક્ટિવિટી વધારવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજી છે. આ બેઠકમાં 527 કિલોમીટર લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને અનેક નવા હાઈ-સ્પીડ કોરિડોર પર મહોર મારવામાં આવી છે.

Breaking News : ઈંધણ કટોકટી વચ્ચે ગડકરીએ રજૂ કર્યુ આત્મનિર્ભર ભારત માટે ગ્રીન વિઝન, જુઓ Video

નિતિન ગડકરીએ ઇંધણ કટોકટી વચ્ચે પુનઃપ્રાપ્ય ઊર્જા અને જૈવઇંધણ પર ભાર મૂક્યો છે. તેમનો લક્ષ્ય 22 લાખ કરોડ રૂપિયાની અશ્મિભૂત ઇંધણની આયાતને સમાપ્ત કરી આત્મનિર્ભર ભારત બનાવવાનો છે. વાંસમાંથી ઇથેનોલ ઉત્પાદન, ઇલેક્ટ્રિક વાહનોનો પ્રસાર અને ખેડૂતોને આર્થિક લાભ પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

કેન્દ્રના માર્ગ અને પરિવહન વિભાગે, ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર છેલ્લા પાંચ વર્ષમાં 20,383 કરોડનો ટોલ ટેક્સ વસૂલ્યો

કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ વસૂલ્યો છે. કેન્દ્ર સરકારે આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના નેશનલ હાઇવેના વિકાસ અને જાળવણી માટે રૂ. 47,236 કરોડની ફાળવણી પણ કરી છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રી નીતિન ગડકરીએ,રાજ્યસભામાં આ માહિતી આપી હતી.

Breaking News : ગુજરાતમાં આવેલો દેશનો પ્રથમ અમદાવાદ-વડોદરા ફોર લેન એક્સપ્રેસ વે કરાશે પહોળો, NHAIનો મોટો નિર્ણય

Ahmedabad Vadodara Expressway : મદાવાદ-વડોદરા એક્સપ્રેસવે (NE-1) ને હવે 4 થી 6 લેન સુધી પહોળો કરવામાં આવશે. છેલ્લા 21 વર્ષમાં વધતા ટ્રાફિક દબાણને કારણે NHAI દ્વારા આ નિર્ણય લેવાયો છે.

સાવધાન! ચપ્પલ પહેરીને ગાડી ચલાવતા પહેલા ટ્રાફિકના આ નિયમો ખાસ જાણી લો, નહીં તો કપાઈ શકે છે મેમો

તમે પણ કેટલી વાર ગાડી ચલાવતી વખતે ચપ્પલ પહરીને નિકળ્યા હશો અને પોલીસ પકડી દંડ ફટકાર્યો હશે. એ વાત સાચી છે કે ચપ્પલ પહેરીને કાર ચલાવવી થોડી જોખમી માનવામાં આવે છે. આનાથી પ્રશ્ન ઉભો થાય છે: શું ચપ્પલ પહેરીને વાહન ચલાવવું પણ શક્ય છે? જો પકડાઈ જાઓ તો શું તમને દંડ થશે? ચાલો જાણીએ

ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
g clip-path="url(#clip0_868_265)">