Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નીતિન ગડકરી

નીતિન ગડકરી

નીતિન ગડકરી ભારત સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા છે. ગડકરી 2010-2013 વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. નીતિન ગડકરી ભાજપના સૌથી યુવા અધ્યક્ષ હતા. તેમનો જન્મ મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ગડકરી કોમર્સમાં અનુસ્નાતક છે. આ સિવાય તેણે કાયદા અને બિઝનેસ મેનેજમેન્ટનો પણ અભ્યાસ કર્યો છે. નીતિન ગડકરી ઉદ્યોગપતિ પણ છે.

ગડકરીએ તેમની રાજકીય કારકિર્દી 1976માં નાગપુર યુનિવર્સિટીમાં ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી શરૂ કરી હતી. 1995માં, તેમણે મહારાષ્ટ્રમાં શિવસેના-ભારતીય જનતા પાર્ટીની ગઠબંધન સરકારમાં જાહેર બાંધકામ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને ચાર વર્ષ સુધી મંત્રી પદ સંભાળ્યું. 1989માં ગડકરી પ્રથમ વખત વિધાન પરિષદમાં ચૂંટાયા હતા. તેઓ 20 વર્ષથી વિધાન પરિષદના સભ્ય હતા અને છેલ્લે 2008માં વિધાન પરિષદમાં ચૂંટાયા હતા. ગડકરીની માતાનો તેમના પર ઘણો પ્રભાવ હતો અને તેમને સામાજિક કાર્યની ભાવનાથી પ્રેરિત કર્યા હતા.

તેઓ 1995 થી 1999 વચ્ચે મહારાષ્ટ્રમાં PWD મંત્રી હતા. જ્યારે તેઓ જિલ્લાના પાલક મંત્રી બન્યા ત્યારે તેમણે નાગપુરને નવો વિકાસ આપ્યો હતો. જાહેર બાંધકામ મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન મુંબઈમાં ફ્લાયઓવર બાંધનારાઓએ તેમને ‘ફ્લાયઓવર-મેન’ નામ આપ્યું હતું.

 

Read More

ગડકરી રસ્તા માટે બજારમાંથી પૈસા કેવી રીતે ભેગા કરી રહ્યા છે? ગણિત શું છે.. જાણો

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં સંસદમાં જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં 25000 કિલોમીટરના બે-લેન અને ચાર-લેન હાઇવે બનાવશે અને આ હાઇવે સામાન્ય લોકોના પૈસાથી બનાવવામાં આવશે.

Breaking News: “હું એક અઠવાડિયામાં ટોલ પર મોટી જાહેરાત કરીશ”… TV9 પર નીતિન ગડકરીની મોટી જાહેરાત

TV9 નેટવર્કના WITT કોન્ફરન્સમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ વિશે મોટી વાત કહી. હું આગામી એક અઠવાડિયામાં ટોલ અંગે મોટી જાહેરાત કરીશ. આ અંગે લોકોને જે પણ નારાજગી છે તે દૂર થઈ જશે.

WITT 2025 : TV9 નેટવર્કનું મેગા પ્લેટફોર્મ ‘વોટ ઇન્ડિયા થિંક્સ ટુડે’ 28 માર્ચથી યોજાશે, પીએમ મોદી-ગડકરી સહિત આ મોટી હસ્તીઓ મહેમાન બનશે

TV9 નેટવર્કના મેગા પ્લેટફોર્મ What India Thinks Today ના ત્રીજા સંસ્કરણમાં, PM નરેન્દ્ર મોદી ઉપરાંત, 11 કેન્દ્રીય મંત્રીઓ અને 5 રાજ્યના મુખ્યમંત્રી, ધાર્મિક ગુરુ ધીરેન્દ્ર શાસ્ત્રી અને RSS પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકર પણ પોતાના વિચારો રજૂ કરશે. રમતગમત અને સિને જગતના ઘણા મોટા સ્ટાર્સ પણ આ મેગા પ્લેટફોર્મ ઉપર ઉપસ્થિત રહેશે.

Motor Vehicle Fines 2025: ટ્રાફિકના નિયમનો ભંગ કરવો હવે પડશે ખૂબ ભારે, સરકારે 10 ગણો વધાર્યો દંડ

સેન્ટ્રલ મોટર વાહન અધિનિયમ હેઠળ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું વાહનચાલકને હવે બહુ ભારે પડશે. 1 માર્ચ, 2025 થી સરકારે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટેના દંડની રકમમાં ખુબ મોટો વધારો કર્યો છે. આને કારણે, કેટલાક કિસ્સાઓમાં દંડની રકમ 10 ગણી વધી છે. જાણો હવે કયા પ્રકારના ટ્રાફિક નિયમના ભંગ બદલ કેટલી સજા અને દંડની કરાઈ છે જોગવાઈ?

નાગપુરમાં પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્કના ઉદ્દઘાટન પ્રસંગે બોલ્યા CM ફડણવીસ, સંતરા ઉત્પાદન માટે પેકેજિંગ- પ્રોસેસિંગની હશે સુવિધા

મહારાષ્ટ્રના નાગપુરમાં પતંજલિ ફૂડ અને હર્બલ પાર્કના ઉદ્દઘાટન દરમિયાન સીએમ ફડણવીસે કહ્યુ કે આ પાર્કને બનવામાં 9 વર્ષ થયા. બાબાા રામદેવએ તેમને મફતમાં મળતી જમીન પર ફુડ પાર્ક બનાવવાના બદલે નાગપુરને પસંદ કર્યુ અને તેને પુરુ કરીને બતાવ્યુ. તેમણે કહ્યુ અહીં સંતરાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવશે. તેના માટે નર્સરીથી લઈ પ્રોસેસિંગ અને પેકેજિંગની પણ સુવિધા આપવામાં આવશે.

નીતિન ગડકરીએ કેમ કહ્યું- ખરાબ રસ્તા બનાવનારાને જેલમાં પુરવા જોઈએ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતમાં ભારત સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છે. દેશમાં વર્ષ 2023માં પાંચ લાખ માર્ગ અકસ્માત થયા હતા. જેમાં 1,72,000 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગડકરીએ કહ્યું કે નબળા, ખરાબ રોડ બનાવવા એ બિનજામીનપાત્ર ગુનો બનાવવો જોઈએ.

અકસ્માત સમયે માનવતા દર્શાવનારને અપાતો પ્રોત્સાહન પુરસ્કાર પાંચ ગણો વધારાયો

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માર્ગ અકસ્માત દરમિયાન અસરગ્રસ્તોને મદદ કરવા માટે આપવામાં આવતી પ્રોત્સાહન પુરસ્કારની રકમ વધારવાની વાત કરી છે. રોડ સેફ્ટી કેમ્પેન 2025 ના એક ઇન્ટરવ્યુ દરમિયાન નીતિન ગડકરીએ કહ્યું કે, સરકાર હવે આ રકમ પાંચ ગણી વધારીને આપશે.

નીતિન ગડકરીનો મોટો દાવો, “વિપક્ષના એક મોટા નેતાએ કહ્યુ હતુ- તમે વડાપ્રધાન બનો તો અમે તમને સમર્થન આપીશુ”

નીતિન ગડકરીએ કહ્યું કે જે વિપક્ષી નેતાએ મને આ ઓફર કરી હતી તેમને મેં કહ્યું હતું કે, "તમે શા માટે મને વડાપ્રધાન પદ માટે સમર્થન કરવા માંગો છો. પીએમ બનવું એ મારા જીવનનું લક્ષ્ય નથી. હું મારી વિચારધારા અને સંગઠન પત્વેર અડગ છું. હું કોઈપણ પદ માટે સમાધાન નહીં કરું."

ફાયદાની વાત ! EV પર આ કેવી ભવિષ્યવાણી કરી ગયા નીતિન ગડકરી ? કયા બદલાવ તરફ કર્યો ઈશારો

વર્તમાન સમયમાં નીતિન ગડકરી ખૂબ જ ચર્ચામાં છે. હવે તેણે EV સેક્ટરને લઈને આવી ભવિષ્યવાણી કરી છે, જે બધાને આશ્ચર્યમાં મૂકી દે છે. તેમણે કહ્યું છે કે આગામી બે વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ અને ડીઝલ વાહનો જેટલી થઈ જશે. ચાલો તમને એ પણ જણાવીએ કે ઓટોમોટિવ કમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનની વાર્ષિક બેઠકમાં તેમણે શું કહ્યું?

અકસ્માતો અટકાવવા હાઈવે પર એવા ડિવાઈડર બનાવો…નીતિન ગડકરીએ એન્જિનિયરોને આપી સલાહ

નીતિન ગડકરીએ કહ્યું કે ભારતમાં દર વર્ષે પાંચ લાખ માર્ગ અકસ્માત થાય છે. તેમાં 1.5 લાખ લોકો મૃત્યુ પામે છે જ્યારે ત્રણ લાખ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મોટાભાગના અકસ્માતો રોડ એન્જિનિયરિંગમાં રહેલ ખામીને કારણે થાય છે.

Delhi-Mumbai Expressway : લ્યો આવી ગયા સફરને સરળ બનાવતા સમાચાર, આ દિવસે ખુલશે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના દ્વાર

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા દિલ્હી અને મુંબઈ વચ્ચે એક નવો એક્સપ્રેસ વે બનાવવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેને લઈને સંસદમાં માહિતી આપી છે. એક્સપ્રેસ વે પર કેટલું કામ પૂર્ણ થયું છે અને ક્યારે પૂર્ણ થશે? જે પછી બે મહાનગરો વચ્ચે મુસાફરી કરવામાં કેટલો સમય લાગશે?  

માત્ર એક ચિઠ્ઠીને કારણે જીવન વીમા અને મેડિક્લેમ પ્રીમિયમ થઇ શકે છે સસ્તા, જાણો કારણ

મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર 18 ટકા GST વ્યવસાયના આ ક્ષેત્રના વિકાસમાં અવરોધરૂપ સાબિત થઈ રહ્યો છે, જે સામાજિક રીતે જરૂરી છે.

7 ઘર, લાખોની કાર અને કરોડો રુપિયાની જમીન, પતિ કરતા પત્નીના નામે છે વધુ સંપત્તિ, આવો છે ગડકરીનો પરિવાર

ગડકરીનો જન્મ મરાઠી પરિવારમાં નાગપુરમાં જયરામ ગડકરી અને ભાનુતાઈ ગડકરીને 27 મે 1957ના રોજ થયો હતો. તેમણે ભારતીય જનતા યુવા મોરચા અને વિદ્યાર્થી સંઘ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માટે કામ કર્યું. તેણે એમ.કોમ. અને LL.B.નો અભ્યાસ નાગપુર યુનિવર્સિટીમાંથી કર્યું છે.

Fastag ને બાય-બાય કરવાની તૈયારી કરી રહી છે સરકાર, કરી રહ્યા છે શાનદાર ટેક્નોલોજી લાવવાનું પ્લાનિંગ

country removing FASTag : હાલમાં ભારતમાં ફાસ્ટેગ ઇકોસિસ્ટમ અસ્તિત્વમાં છે. જેમાં ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જે 2015માં ફાસ્ટેગના રૂપમાં રજૂ કરવામાં આવી હતી. હવે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ વૈશ્વિક કંપનીઓને ભારતમાં GNSS આધારિત ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરવા આમંત્રણ આપ્યું છે.

આજ રાતથી હાઈવે પર મુસાફરી કરવી પડશે મોંઘી, NHAIએ ટોલ ટેક્સમાં કર્યો વધારો

અમુલ દૂધના ભાવમાં વધારાની જાહેરાત બાદ હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. ચૂંટણીનું પરિણામ જાહેર થાય તે પહેલા જ એક બાદ એક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. NHAIએ સમગ્ર દેશમાં ટોલ ટેક્સમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

g clip-path="url(#clip0_868_265)">