AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samudrik Shastra: ગોળ, ચોરસ કે પહોળો ચહેરો ? ચહેરાનો આકાર ખોલશે તમારા સ્વભાવ અને ભાગ્યના રહસ્યો!

સામુદ્રિક શાસ્ત્રમાં ચહેરાના આકારને વ્યક્તિના સ્વભાવ, વ્યક્તિત્વ અને જીવનના વિવિધ પાસાઓ સાથે જોડીને જોવામાં આવે છે. માન્યતા મુજબ, ચહેરાની રચનાને સમજવાથી વ્યક્તિની કેટલીક ખાસિયતો અને કારકિર્દી અંગેના સંકેતો જાણી શકાય છે.

| Updated on: Aug 13, 2026 | 3:37 PM
Share
માનવીના ચહેરાનો આકાર દરેક વ્યક્તિમાં અલગ હોય છે. કોઈનો ચહેરો ગોળ હોય છે, તો કોઈનો ચોરસ કે અંડાકાર. સામુદ્રિક શાસ્ત્રની માન્યતા મુજબ, ચહેરાનો આકાર વ્યક્તિના સ્વભાવ, વ્યક્તિત્વ અને જીવન સાથે જોડાયેલા કેટલાક સંકેતો આપી શકે છે. ચાલો જાણીએ કે અલગ-અલગ ચહેરાના આકાર વિશે સામુદ્રિક શાસ્ત્ર શું કહે છે.

માનવીના ચહેરાનો આકાર દરેક વ્યક્તિમાં અલગ હોય છે. કોઈનો ચહેરો ગોળ હોય છે, તો કોઈનો ચોરસ કે અંડાકાર. સામુદ્રિક શાસ્ત્રની માન્યતા મુજબ, ચહેરાનો આકાર વ્યક્તિના સ્વભાવ, વ્યક્તિત્વ અને જીવન સાથે જોડાયેલા કેટલાક સંકેતો આપી શકે છે. ચાલો જાણીએ કે અલગ-અલગ ચહેરાના આકાર વિશે સામુદ્રિક શાસ્ત્ર શું કહે છે.

1 / 6
સામુદ્રિક શાસ્ત્રની માન્યતા મુજબ, ગોળ ચહેરો અને ભરાવદાર ગાલ ધરાવતા લોકોનું વ્યક્તિત્વ આકર્ષક અને સ્નેહાળ હોય છે. આવા લોકો લાગણીશીલ, દયાળુ અને મળતાવડા સ્વભાવના હોય છે અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનું પસંદ કરે છે. તેમના સ્વભાવમાં સરળતા અને સકારાત્મકતા જોવા મળે છે. કારકિર્દીની વાત કરીએ તો કલા, શિક્ષણ, મીડિયા, આતિથ્ય અને જનસંપર્ક જેવા ક્ષેત્રોમાં તેઓ સારી પ્રગતિ કરી શકે છે. આ માન્યતા મુજબ, ગોળ ચહેરાવાળા લોકો માટે આર્થિક બાબતોમાં પણ સારા અવસર મળવાની શક્યતા રહે છે.

સામુદ્રિક શાસ્ત્રની માન્યતા મુજબ, ગોળ ચહેરો અને ભરાવદાર ગાલ ધરાવતા લોકોનું વ્યક્તિત્વ આકર્ષક અને સ્નેહાળ હોય છે. આવા લોકો લાગણીશીલ, દયાળુ અને મળતાવડા સ્વભાવના હોય છે અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનું પસંદ કરે છે. તેમના સ્વભાવમાં સરળતા અને સકારાત્મકતા જોવા મળે છે. કારકિર્દીની વાત કરીએ તો કલા, શિક્ષણ, મીડિયા, આતિથ્ય અને જનસંપર્ક જેવા ક્ષેત્રોમાં તેઓ સારી પ્રગતિ કરી શકે છે. આ માન્યતા મુજબ, ગોળ ચહેરાવાળા લોકો માટે આર્થિક બાબતોમાં પણ સારા અવસર મળવાની શક્યતા રહે છે.

2 / 6
સામુદ્રિક શાસ્ત્રની માન્યતા મુજબ, કપાળ, ગાલના હાડકાં અને જડબાની પહોળાઈ લગભગ સમાન હોય તો તેને ચોરસ ચહેરો માનવામાં આવે છે. આવા લોકો સામાન્ય રીતે આત્મવિશ્વાસુ, વ્યવહારુ, શિસ્તપ્રિય અને પોતાના નિર્ણય પર અડગ રહેતા હોય છે. તેઓ લાગણીઓ કરતાં તર્ક અને સમજદારીને વધુ મહત્વ આપે છે. આ કારણે તેમનામાં નેતૃત્વ કરવાની સારી ક્ષમતા જોવા મળે છે. માન્યતા મુજબ, લશ્કર, રાજકારણ, વહીવટ, વ્યવસાય, એન્જિનિયરિંગ અને આયાત-નિકાસ જેવા ક્ષેત્રોમાં તેઓ સારી સફળતા મેળવી શકે છે. તેઓ મહેનત, ધીરજ અને સતત પ્રયત્નોથી જીવનમાં પોતાની ઓળખ બનાવે છે.

સામુદ્રિક શાસ્ત્રની માન્યતા મુજબ, કપાળ, ગાલના હાડકાં અને જડબાની પહોળાઈ લગભગ સમાન હોય તો તેને ચોરસ ચહેરો માનવામાં આવે છે. આવા લોકો સામાન્ય રીતે આત્મવિશ્વાસુ, વ્યવહારુ, શિસ્તપ્રિય અને પોતાના નિર્ણય પર અડગ રહેતા હોય છે. તેઓ લાગણીઓ કરતાં તર્ક અને સમજદારીને વધુ મહત્વ આપે છે. આ કારણે તેમનામાં નેતૃત્વ કરવાની સારી ક્ષમતા જોવા મળે છે. માન્યતા મુજબ, લશ્કર, રાજકારણ, વહીવટ, વ્યવસાય, એન્જિનિયરિંગ અને આયાત-નિકાસ જેવા ક્ષેત્રોમાં તેઓ સારી સફળતા મેળવી શકે છે. તેઓ મહેનત, ધીરજ અને સતત પ્રયત્નોથી જીવનમાં પોતાની ઓળખ બનાવે છે.

3 / 6
સામુદ્રિક શાસ્ત્રની માન્યતા મુજબ, અંડાકાર ચહેરો ધરાવતા લોકો સમજદાર, સર્જનાત્મક અને સંતુલિત સ્વભાવના હોય છે. તેઓ બદલાતી પરિસ્થિતિ પ્રમાણે સરળતાથી પોતાને ઢાળી શકે છે. તેમની રચનાત્મકતા અને સમજશક્તિના કારણે ડિઝાઇન, ફેશન, અભિનય, લેખન, સંશોધન અને મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં આગળ વધવાની સારી તક રહે છે. કહેવાય છે કે આવા લોકો જો પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને સતત મહેનત કરે, તો જીવનમાં નામ અને સફળતા મેળવી શકે છે.

સામુદ્રિક શાસ્ત્રની માન્યતા મુજબ, અંડાકાર ચહેરો ધરાવતા લોકો સમજદાર, સર્જનાત્મક અને સંતુલિત સ્વભાવના હોય છે. તેઓ બદલાતી પરિસ્થિતિ પ્રમાણે સરળતાથી પોતાને ઢાળી શકે છે. તેમની રચનાત્મકતા અને સમજશક્તિના કારણે ડિઝાઇન, ફેશન, અભિનય, લેખન, સંશોધન અને મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં આગળ વધવાની સારી તક રહે છે. કહેવાય છે કે આવા લોકો જો પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને સતત મહેનત કરે, તો જીવનમાં નામ અને સફળતા મેળવી શકે છે.

4 / 6
સામુદ્રિક શાસ્ત્રની માન્યતા મુજબ, થોડો મોટો અને પહોળો ચહેરો ધરાવતા લોકો સરળ અને નિખાલસ સ્વભાવના હોય છે. તેઓ સામાન્ય રીતે લાલચથી દૂર રહે છે અને બીજાઓ સાથે છેતરપિંડી કરવાનું પસંદ કરતા નથી. આવા લોકો ખુશમિજાજ અને પ્રેમાળ સ્વભાવ ધરાવે છે. તેમની સમજાવવાની અને માર્ગદર્શન આપવાની ક્ષમતાને કારણે તેઓ શિક્ષક, માર્ગદર્શક અથવા લેખન જેવા ક્ષેત્રોમાં સારી સફળતા મેળવી શકે છે.

સામુદ્રિક શાસ્ત્રની માન્યતા મુજબ, થોડો મોટો અને પહોળો ચહેરો ધરાવતા લોકો સરળ અને નિખાલસ સ્વભાવના હોય છે. તેઓ સામાન્ય રીતે લાલચથી દૂર રહે છે અને બીજાઓ સાથે છેતરપિંડી કરવાનું પસંદ કરતા નથી. આવા લોકો ખુશમિજાજ અને પ્રેમાળ સ્વભાવ ધરાવે છે. તેમની સમજાવવાની અને માર્ગદર્શન આપવાની ક્ષમતાને કારણે તેઓ શિક્ષક, માર્ગદર્શક અથવા લેખન જેવા ક્ષેત્રોમાં સારી સફળતા મેળવી શકે છે.

5 / 6
સામુદ્રિક શાસ્ત્રની માન્યતા મુજબ, હૃદય જેવા આકારનો ચહેરો ધરાવતા લોકો આકર્ષક વ્યક્તિત્વ સાથે લાગણીશીલ અને સમજદાર હોય છે. તેઓ સર્જનાત્મક વિચારસરણી ધરાવે છે અને સંબંધોમાં વિશ્વાસ તથા ઈમાનદારીને મહત્વ આપે છે. કલા, સંગીત અને અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિઓ પ્રત્યે તેમનો ખાસ રસ જોવા મળે છે. આવા લોકો ઘણીવાર પોતાના નિર્ણયો અને લાગણીઓમાં હૃદયની વાતને મહત્વ આપે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )

સામુદ્રિક શાસ્ત્રની માન્યતા મુજબ, હૃદય જેવા આકારનો ચહેરો ધરાવતા લોકો આકર્ષક વ્યક્તિત્વ સાથે લાગણીશીલ અને સમજદાર હોય છે. તેઓ સર્જનાત્મક વિચારસરણી ધરાવે છે અને સંબંધોમાં વિશ્વાસ તથા ઈમાનદારીને મહત્વ આપે છે. કલા, સંગીત અને અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિઓ પ્રત્યે તેમનો ખાસ રસ જોવા મળે છે. આવા લોકો ઘણીવાર પોતાના નિર્ણયો અને લાગણીઓમાં હૃદયની વાતને મહત્વ આપે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )

6 / 6

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
વ્યાપાર, ધનલાભ અને પ્રેમ સંબંધોમાં પ્રગતિના યોગ, જુઓ
વ્યાપાર, ધનલાભ અને પ્રેમ સંબંધોમાં પ્રગતિના યોગ, જુઓ
આણંદના તત્કાલીન અધિક કલેકટર કેતકી વ્યાસની ધરપકડ
આણંદના તત્કાલીન અધિક કલેકટર કેતકી વ્યાસની ધરપકડ
કપડવંજ APMCના ચેરમેન નિલેશ પટેલનું અચાનક રાજીનામું
કપડવંજ APMCના ચેરમેન નિલેશ પટેલનું અચાનક રાજીનામું
અમદાવાદના ગીતામંદિર બસ ટર્મિનલનું 16 વર્ષ બાદ લોકાર્પણ
અમદાવાદના ગીતામંદિર બસ ટર્મિનલનું 16 વર્ષ બાદ લોકાર્પણ
આગામી ત્રણ કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
149મી રથયાત્રામાં તંત્રની મોટી બેદરકારી: 2 અંધ હાથીઓને કરાયા સામેલ
149મી રથયાત્રામાં તંત્રની મોટી બેદરકારી: 2 અંધ હાથીઓને કરાયા સામેલ
g clip-path="url(#clip0_868_265)">