Gold Price Today: ભારત-પાકિસ્તાન યુદ્ધના તણાવ વચ્ચે આજે કેટલો છે સોનાનો ભાવ? જાણો અહીં
સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો થયો હતો. સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર કરી ગયો હતો અને પછી ઘટાડો પણ થયો હતો. આવી સ્થિતિમાં, આજે ફરીથી સોનાના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે.

આ દિવસોમાં ક્યારેક સોનાના ભાવમાં ભારે વધારો થયો છે, તો ક્યારેક સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ભારત-પાકિસ્તાન સાથે ચાલી રહેલા યુદ્ધના કારણે સોનાના ભાવ ક્યારેક વધી તો ક્યારેક ઘટી રહ્યા છે. જેના કારણે ગયા અઠવાડિયે દેશના વાયદા બજારમાં સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો થયો હતો. સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર કરી ગયો હતો અને પછી ઘટાડો પણ થયો હતો. આવી સ્થિતિમાં, આજે ફરીથી સોનાના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે.

ભારત પાકિસ્તાન યુદ્ધના તણાવ વચ્ચે સોનાના ભાવમાં આજે થોડો વધારો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,830 રુપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 90,450 રુપિયા પર છે.

આ સાથે મુંબઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનું 98,830 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચ્યું છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 90,450 પર છે.

ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે 10ગ્રામ સોનું 98,730 રુપિયા પર છે તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ 90,050 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.

ચાંદીની વાત કરીએ તો, આજે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. ગઈકાલે શનિવારે ચાંદીનો ભાવ 98,900ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો જે બાદ આજે ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે આજે રવિવારે ચાંદીનો ભાવ 99,000 પર ટ્રેડ કરી રહ્યો છે.

સોનાની શુદ્ધતા ઓળખવા માટે આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંગઠન દ્વારા હોલ માર્ક્સ આપવામાં આવે છે. 24 કેરેટના સોનાના દાગીના પર 999, 23 કેરેટમાં 958, 22 કેરેટમાં 916, 21 કેરેટમાં 875 અને 18 કેરેટમાં 750 લખેલું હોય છે. મોટાભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ ન હોઈ શકે અને કેરેટ જેટલું ઊંચું હશે, તેટલું શુદ્ધ સોનું હશે.

ભારત દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું ત્યારથી પાકિસ્તાન ગભરાટમાં છે. આ જ કારણ છે કે તે ભારત પર હુમલો કરવાના નિષ્ફળ પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાને શનિવારે સવારે સતત ચોથા દિવસે ડ્રોન અને મિસાઇલોથી ભારત પર હુમલો કર્યો છે. જમ્મુ-કાશ્મીરના પઠાણકોટ અને શ્રીનગર એરબેઝમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. ત્યારે તેની સીધી અસર માર્કેટ પર પણ પડી રહી છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો






































































