વિરાટ કોહલી, અદાણી, અંબાણી અને કંગના સહિત 7000 લોકો, રામ લલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠામાં આવશે આ VVIP, જુઓ લિસ્ટ
અયોધ્યામાં બની રહેલા શ્રી રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ માટે 7000 લોકોને આમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે. શ્રી રામ મંદિરમાં આવનારા તમામ VVIPની સુરક્ષા માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે. દરેકની એન્ટ્રી બારકોડ પાસ દ્વારા થશે.

આ લિસ્ટમાં પીએમ નરેન્દ્ર મોદી, સીએમ યોગી આદિત્યનાથ, આરએસએસ ચીફ મોહન ભાગવત સહિત 3 હજાર વીવીઆઈપીના નામ છે.

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ છે. આ કાર્યક્રમમાં દેશની અનેક મોટી હસ્તીઓ ભાગ લેશે. ક્રિકેટ જગતના ઘણા મોટા સિતારાઓને પણ પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે સિનેમા જગતમાંથી કંગના રનૌત, એક્ટર અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને સિંગર આશા ભોંસલેને આમંત્રણ આપ્યું છે.

આ સાથે દેશના પ્રમુખ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને રતન ટાટાને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ સિવાય મીડિયાના લોકોને પણ બોલાવવામાં આવ્યા છે.

શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે પ્રાણ-પ્રતિષ્ઠા માટે 50 દેશોમાંથી એક-એક પ્રતિનિધિને બોલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ચંપત રાયે કહ્યું કે 50 કારસેવક પરિવારના સભ્યોને પણ બોલાવવામાં આવ્યા છે. જેમને આંદોલન દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો.