નરેન્દ્ર મોદી
નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: 17 સપ્ટેમ્બર 1950) ભારતના 14મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા તે પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.
નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગ કુટુંબમાં અમદાવાદથી 112 કી મી અને મહેસાણાથી 34 કીમી દૂર વડનગર ખાતે થયો હતો. દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્નિ હીરાબેન મોદીના છ સંતાન પૈકી, નરેન્દ્ર મોદી ત્રીજુ સંતાન છે. તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તેઓ નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ 17 વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તેઓ હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ વેશપલટો કરીને ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યા સુધીની રામરથયાત્રા અને ડો. મૂરલી મનોહર જોષીની કાશ્મીર સુધીની એકતા યાત્રાના મુખ્ય સંયોજક હતા. બન્ને યાત્રાને સફળતાપૂર્વક સંપન્ન કરાવવામાં મોદીની કૂનેહ સામે આવી હતી. 1998માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. જેમાં તેઓને સફળતા મળી હતી. ઇ.સ. 2001ના વર્ષમાં ગુજરાતના મુખ્યમંત્રીપદેથી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ 7 ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 2012ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યમાં સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યપ્રધાન છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવવામાં નરેન્દ્ર મોદીનો સિંહફાળો રહ્યો હતો. નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ 2019 ની લોકસભાની ભાજપને ભારે બહુમતી અપાવી હતી. તેઓ 2014થી ભારતના વડાપ્રધાન છે.
Read MoreBreaking News: ‘PM મોદી’ વિરુદ્ધ ફેક કન્ટેન્ટ વાયરલ કરનારાઓ સામે સકંજો કસાયો, મેટા ઈન્ડિયાના Head અને અનેક યુઝર્સ સામે ‘FIR’
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપત્તિજનક અને ડિજિટલ રીતે છેડછાડ કરાયેલા વીડિયો વાયરલ થવાના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર ક્રાઈમ પોલીસે મેટા ઈન્ડિયાના હેડ અને ફેસબુક-ઈન્સ્ટાગ્રામના ઘણા એકાઉન્ટ્સ સામે FIR નોંધી છે.
- Ravi Prajapati
- Updated on: Jul 31, 2026
- 1:27 pm
પેપર લીક ગેંગને છોડવામાં નહીં આવે, સંસદમાં બિલ પસાર થયા બાદ PM મોદીનો કડક સંદેશ, ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
જાહેર પરીક્ષાઓમાં થતા પેપર લીકને રોકવા માટે સંસદમાં ‘જાહેર પરીક્ષાઓ (અયોગ્ય માધ્યમોનું નિવારણ) સુધારા બિલ, 2026’ પસાર થયું છે. PM મોદીએ તેને પારદર્શક અને વિશ્વસનીય પરીક્ષા પ્રણાલી માટે મહત્વનું પગલું ગણાવ્યું છે.
- Sagar Solanki
- Updated on: Jul 31, 2026
- 12:01 am
ભારત અમેરિકા પાસેથી 25% એલપીજી આયાત કરશે, સરકારી કંપનીઓ આગામી બે મહિનામાં ટેન્ડર બહાર પાડી શકે છે
પશ્ચિમ એશિયાઈ દેશો પર નિર્ભરતા ઘટાડવા માટે ભારત 2027 સુધીમાં પોતાની જરૂરિયાતનો એક-ચોથાઈ એલપીજી અમેરિકા પાસેથી ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. સરકારી તેલ કંપનીઓ ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડશે.
- Sachin Agrawal
- Updated on: Jul 29, 2026
- 8:44 pm
‘PM મોદીને લોકો ભગવાન માને છે, સન્માન કરવું જ પડશે’, ‘જનરેશન ગટર’ ટિપ્પણી પર ઘેરાયેલ કંગના રનૌતે આપી ‘સફાઈ’
પોતાના બોલકા અંદાજ માટે જાણીતા ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પોતાની ટિપ્પણીઓ સામે થઈ રહેલા વિરોધ પર તેમણે એક વીડિયો શેર કરીને પોતાની વાત સ્પષ્ટ કરી છે.
- Ravi Prajapati
- Updated on: Jul 29, 2026
- 5:54 pm
Maharashtra Breaking News : રાજકારણમાં મોટા ભૂકંપના એંધાણ! અમિત શાહ બાદ PM મોદીને મળ્યા મહારાષ્ટ્રના આ મોટા નેતા, શું NCPના બંને જૂથો એક થશે?
NCPના સંભવિત વિલીનીકરણની અટકળો વચ્ચે સુનીલ તટકરેએ અમિત શાહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ બેઠક બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
- Dhruval Shah
- Updated on: Jul 29, 2026
- 9:33 am
Breaking News: PM મોદીની પોસ્ટ હટાવવા પર IT મીનિસ્ટ્રીએ Metaને પાઠવ્યું સમન્સ, જાણો શું છે મામલો?
નરેન્દ્ર મોદીની ફેસબુક પોસ્ટને કામચલાઉ રીતે દૂર કરવા અંગે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. આ ઘટના બાદ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયએ મેટા ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓને સમન્સ પાઠવ્યા હતા અને સ્પષ્ટતા માંગી હતી.
- Devankashi rana
- Updated on: Jul 28, 2026
- 4:01 pm
Trending Video : પૌત્રએ દાદીને કહ્યું મોદીજીનો ફોન આવ્યો, દાદીએ કહ્યું-અમદાવાદથી બોલું છું અમારે બહુ વરસાદ આવે છે
જો તમને કોઈ એમ કહે કે, મોદીજીનો ફોન આવ્યો તો તમે શું કરો. વિનમ્રતાથી વાત કરશો. પરંતુ એક યુવકે તેની દાદી સાથે પ્રેન્ક કર્યો હતો. દાદીને કહ્યું મોદીજીનો ફોન આવ્યો છે. અને પછી જે થયું તેને સાદગી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
- Nirupa Duva
- Updated on: Jul 28, 2026
- 1:44 pm
Breaking News : ફેસબુક પરથી PM Modiની પોસ્ટ હટાવવા બદલ Metaએ માફી માંગી, કહ્યું કે તે ભૂલ હતી
ફેસબુક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોસ્ટ દુર કરવાને લઈ Metaએ માફી માંગી છે. મેટાએ કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો ટેકનિકલ ભૂલના કારણે દુર થયો હતો. ત્યારબાદ તેમણે ભુલ સુધારી હતી.
- Nirupa Duva
- Updated on: Jul 28, 2026
- 11:37 am
Breaking News: પેપર લીક બાબતે PM મોદીની ‘મોટી જાહેરાત’, નંદન નિલેકણીના નેતૃત્વમાં બનશે ‘સ્પેશિયલ ટાસ્ક ફોર્સ’
દેશમાં ચાલતા પેપર લીક વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો વિડીયો મેસેજ જાહેર કર્યો છે. પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા અને ભવિષ્યમાં આવા કૌભાંડ રોકવા માટે સરકાર કડક પગલાં ભરી રહી છે.
- Ravi Prajapati
- Updated on: Jul 26, 2026
- 9:10 pm
PM મોદીએ ધર્મેન્દ્ર પ્રધાનની જગ્યાએ પ્રહ્લાદ જોશીને જ કેમ પસંદ કર્યા? જાણો શું છે કારણ
ધર્મેન્દ્ર પ્રધાને તેમના પદ પરથી રાજીનામું આપ્યું. તેમના રાજીનામા પછી, વરિષ્ઠ કેબિનેટ પ્રધાન પ્રહલાદ જોશીને શિક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. પ્રહલાદ જોશી પીએમ મોદીના વિશ્વસનીય "સંકટ મોચક" પૈકીના એક છે.
- Devankashi rana
- Updated on: Jul 26, 2026
- 8:41 am
Breaking News : ઇન્સ્ટાગ્રામ પર PM નરેન્દ્ર મોદીના વીડિયોએ બનાવ્યો નવો રેકોર્ડ, 24 કલાકમાં 300 કરોડની પાર વ્યૂઝ
ઇન્સ્ટાગ્રામ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેલ્ફી વીડિયોએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. માત્ર 24 કલાકમાં આ વીડિયોને રેકોર્ડબ્રેક 3.03 બિલિયન વ્યૂઝ મળ્યા. તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ વધ્યા છે.
- Nirupa Duva
- Updated on: Jul 25, 2026
- 11:52 am
રાજ્યમાં અતિ ભારે વરસાદની સ્થિતિને લઈને રાજ્ય સરકાર એલર્ટ, PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
ગુજરાતમાં હાલ ભારે વરસાદની સ્થિતિ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટીંગ કરી રહ્યા છે. નવસારી, વલસાડની સ્થિતિ વધુ વિકટ બની છે. આ સ્થિતિમાં વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિની જાણકારી મેળવી હતી.
- TV9 Gujarati
- Updated on: Jul 23, 2026
- 7:58 pm
પેપર લીક કેસમાં વડાપ્રધાન મોદીનો મોટો નિર્ણય, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે સુનાવણી, દોષિતો સામે કડક કાર્યવાહીના આદેશ
દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીક મામલે મોટો નિર્ણય લીધો છે. કેસના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવશે અને દોષિતો સામે કડક પગલાં લેવાશે.
- Sachin Agrawal
- Updated on: Jul 23, 2026
- 12:29 pm
Breaking News : પેપર લીકના દોષિતોને કડક સજા મળશે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થવા દઈશું નહીં : PM Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ એનડીએ સંસદીય દળની બેઠકમાં નીટ પેપર લીકને લઈ મોટી વાત કરી હતી. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ થવા દેશું નહી. પેપર લીકના દોષિતોને કડક સજા મળશે.
- Nirupa Duva
- Updated on: Jul 21, 2026
- 11:27 am
પીએમ મોદીએ દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનને આપી લીલી ઝંડી, જાણો પાણીની વરાળથી કેવી રીતે દોડે છે આ ટ્રેન?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શુક્રવાર 17 જુલાઈના રોજ દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી. આ ટ્રેન હરિયાણાના જીંદ રેલવે સ્ટેશનથી સોનીપત વચ્ચે દોડશે. તેનું નામ નમો ગ્રીન રેલ રાખવામાં આવ્યું છે.
- Dhruval Shah
- Updated on: Jul 17, 2026
- 12:29 pm