નરેન્દ્ર મોદી
નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: 17 સપ્ટેમ્બર 1950) ભારતના 14મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા તે પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.
નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગ કુટુંબમાં અમદાવાદથી 112 કી મી અને મહેસાણાથી 34 કીમી દૂર વડનગર ખાતે થયો હતો. દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્નિ હીરાબેન મોદીના છ સંતાન પૈકી, નરેન્દ્ર મોદી ત્રીજુ સંતાન છે. તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તેઓ નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ 17 વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તેઓ હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ વેશપલટો કરીને ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યા સુધીની રામરથયાત્રા અને ડો. મૂરલી મનોહર જોષીની કાશ્મીર સુધીની એકતા યાત્રાના મુખ્ય સંયોજક હતા. બન્ને યાત્રાને સફળતાપૂર્વક સંપન્ન કરાવવામાં મોદીની કૂનેહ સામે આવી હતી. 1998માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. જેમાં તેઓને સફળતા મળી હતી. ઇ.સ. 2001ના વર્ષમાં ગુજરાતના મુખ્યમંત્રીપદેથી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ 7 ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 2012ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યમાં સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યપ્રધાન છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવવામાં નરેન્દ્ર મોદીનો સિંહફાળો રહ્યો હતો. નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ 2019 ની લોકસભાની ભાજપને ભારે બહુમતી અપાવી હતી. તેઓ 2014થી ભારતના વડાપ્રધાન છે.
Read Moreવિદેશથી વૈજ્ઞાનિકો પરત ફરી રહ્યા છે, PM મોદીએ ભારતના સ્પેસ ક્ષેત્રની પ્રગતિ માટે કરી મોટી વાત
વડાપ્રધાન મોદીએ ભારતને અવકાશ ક્ષેત્રે વૈશ્વિક પ્રતિભાનું પસંદગીનું સ્થળ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તેમણે સ્ટાર્ટઅપ્સ સાથે બેઠક કરી ભારતીય અવકાશ ઉદ્યોગના ભવિષ્ય, ખર્ચ-કાર્યક્ષમતા અને નીતિગત સ્થિરતા પર ભાર મૂક્યો.
- Sagar Solanki
- Updated on: Aug 23, 2026
- 6:14 pm
CM પદ છોડવાની અટકળો વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દિલ્હી પહોંચ્યા, PM મોદી સાથે કરી મુલાકાત
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસે દિલ્હી જઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જેને લઈને તેમના CM પદ છોડવાની અને કેન્દ્રમાં મંત્રી બનવાના કયાસ રાજકીય વર્તુળોમાં લગાવાઈ રહ્યા છે. જો કે આ તમામ ચર્ચાઓને નકારતા તેમણે કહ્યુ કે મહારાષ્ટ્રની જનતાએ તેમને ચૂંટ્યા છે અને તેમની પ્રાથમિક્તા રાજ્યની જવાબદારી નિભાવવાની છે.
- Mina Pandya
- Updated on: Aug 17, 2026
- 7:21 pm
Breaking News : અમદાવાદના કોમનવેલ્થથી લઈ દેશમાં ઓલિમ્પિક સુધી, લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી વાત કરી
Happy Independence Day 2026 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિકમાં એ રમતને પડકાર ફેક્યો છે. જેમાં ભારત ક્વોલિફાય કરી શક્યું નથી. તેમણે દેશભરમાં ટેલેન્ટ હંટની જાહેરાત કરી છે.
- Nirupa Duva
- Updated on: Aug 15, 2026
- 2:55 pm
Breaking News : લાલ કિલ્લા પરથી યુવાનો માટે પીએમ મોદીની મોટી જાહેરાત, જાણો શું શું કહ્યું
દેશના યુવાઓને વિકસિત ભારતની સૌથી મોટી તાકત બતાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના માટે એઆઈ ટ્રેનિંગથી લઈ સ્ટાર્ટઅપ અને રમત સુધી અનેક મોટી જાહેરાત કરી છે. તો ચાલો જાણીએ શું કહ્યું.
- Nirupa Duva
- Updated on: Aug 15, 2026
- 10:00 am
Breaking News : પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને એવી વાત કરી કે, પાકિસ્તાનના હાજા ગગડી ગયા
Independence Day 2026 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 80માં સ્વતંત્રતા દિવસ પર દેશને સંબોધિત કરતી વખતે પાકિસ્તાનને એક ટેન્શન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના 2047ના લક્ષ્ય વિશે જણાવ્યું છે. પીએમ મોદીએ કહ્યું ભારતે 5 નવા ન્યુક્લિયર રિએક્ટર શરુ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
- Nirupa Duva
- Updated on: Aug 15, 2026
- 9:29 am
Independence Day 2026: “હવે નાના સપના નહીં ચાલે…” લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ દેશને આપ્યા 2047ના મોટા સંકલ્પો !
સ્વતંત્રતા દિવસ પર દેશ આજે પોતાનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના લાલ કિલ્લા પરથી આ રાષ્ટ્રીય સમારોહની આગેવાની કરી રહ્યા છે. આ વર્ષની ઉજવણી એટલા માટે પણ ખાસ છે કારણ કે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી પણ આ અવસરે કરવામાં આવી રહી છે.
- Dhruval Shah
- Updated on: Aug 15, 2026
- 9:20 am
શું છે સપ્તધારા ? જેનું PM મોદીએ લાલ કિલ્લા પરથી કર્યું આહ્વાન, કહ્યું કોસ્ટ, ક્વોલિટી પર ધ્યાન આપવું પડશે
PM મોદીએ ભાર મૂક્યો કે ભારતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવા માટે કોસ્ટ, ક્વોલિટી અને સ્કેલ પર ખાસ ધ્યાન આપવું પડશે. ઉત્પાદન માત્ર ભારતમાં થાય એટલું જ નહીં, પરંતુ તેની ગુણવત્તા વૈશ્વિક સ્તરની હોય અને મોટા પાયે ઉત્પાદન કરવાની ક્ષમતા પણ વિકસાવવી પડશે.
- Devankashi rana
- Updated on: Aug 15, 2026
- 9:15 am
2014થી લઈને 2026 સુધી સ્વતંત્રતા દિવસ પર PM મોદીની પાઘડીની દરેક વખતે ચર્ચા થઈ ,જુઓ ફોટો
15 August 2026 : દરેક વખતે સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાઘડી ખૂબ જ ખાસ હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની પાઘડીમાં એક વસ્તુ સામાન્ય રહી છે, જે લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. ચાલો તમને જણાવીએ કે વડાપ્રધાન મોદીની પાઘડીમાં શું છે ખાસ?
- Nirupa Duva
- Updated on: Aug 15, 2026
- 7:55 am
Independence Day Celebration 2026 Live : નારીશક્તિ વંદના બીલ રાજનીતિના અખાડાનો શિકાર બન્યુંઃ PM મોદી
Independence Day 2026 Live Updates in Gujarati : આજે દેશ 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. દેશની રાજધાની દિલ્લીના લાલ કિલ્લા પરથી વડાપ્રધાન રાષ્ટ્ર ધ્વજ ફરકાવશે. જ્યારે વિવિધ રાજ્યોમાં મુખ્ય પ્રધાન પણ રાજ્ય સ્તરીય કાર્યક્રમ દરમિયાન ત્રિરંગાને સલામી આપશે.
- Bipin Prajapati
- Updated on: Aug 15, 2026
- 10:51 am
Independence Day 2026 : 80માં સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર રચાશે ઇતિહાસ ! પહેલીવાર ગૂંજશે ‘વંદે માતરમ’, 21 તોપોની સલામી સાથે થશે ધ્વજવંદન
80માં સ્વતંત્રતા દિવસની ઉજવણી દિલ્હીના લાલ કિલ્લા પરથી યોજાશે. પીએમ મોદી ધ્વજવંદન કરશે. આ ભવ્ય કાર્યક્રમ વંદે માતરમના 150 વર્ષ જૂના વારસાને યાદ કરવામાં આવશે.
- Dhruval Shah
- Updated on: Aug 14, 2026
- 11:41 am
“તમારુ નામ નરેન્દ્ર છે… મને ‘નરેન્દ્ર’ નામથી નફરત થઈ ગઈ છે” ભારતીય બૉક્સરે વડાપ્રધાન મોદીને આવુ કેમ કહ્યુ? વાંચો
ભારતીય બોક્સર નરેન્દ્ર બેરવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બોક્સર બેરવાલે કોમનવેલ્થ ગેમ્સ 2026માં સિલ્વર મેડલ જીત્યો છે. ગ્લાસ્ગોથી પરત ફર્યા બાદ તમામ ખેલાડીઓ એ PM મોદી સાથે મુલાકાત કરી હતી. જેમા નરેન્દ્ર બેરવાલે પીએમ મોદીને આ નફરત વાળી વાત કરી હતી જે સાંભળીને પીએમ મોદી પણ હસવા લાગ્યા હતા.
- Mina Pandya
- Updated on: Aug 13, 2026
- 9:03 pm
શું દેશની બહેનોને 15 ઓગસ્ટે મળશે 1 વર્ષનું ‘Free Recharge’? PM મોદીના વાયરલ વીડિયો પાછળનું સાચું સત્ય શું છે?
સોશિયલ મીડિયા પર અવારનવાર નવી નવી યોજનાઓ અને ફ્રી ઓફર્સના નામે અનેક મેસેજ વાયરલ થતા હોય છે. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે 15 ઓગસ્ટે ફ્રી મોબાઈલ રિચાર્જ આપવાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એવામાં સવાલ એ છે કે, શું આ ફ્રી મોબાઈલ રિચાર્જ આપવાની વાત ખરેખર સાચી છે?
- Ravi Prajapati
- Updated on: Aug 11, 2026
- 3:27 pm
Trending Video : જેણે સતત મોદી સરકાર પર કર્યા પ્રહાર, સુપ્રિયા સુલેએ તેને જ પકડીને PM ની સામે કર્યો ઉભો !
સુપ્રિયા સુલેની પુત્રી રેવતી સુલે અને અરુણ લખાણીના પુત્ર સારંગ લખાણીનો રિસેપ્શન સમારોહ નવી દિલ્હીમાં યોજાયો હતો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રોહિત પવાર જ્યારે એકબીજાને મળ્યા ત્યારે ખરેખર શું થયું? તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
- Dhruval Shah
- Updated on: Aug 11, 2026
- 1:26 pm
લવલીનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંભળાવ્યો ગ્લાસગોમાં થયેલા નકશાનો વિવાદ, PMએ કર્યા વખાણ
2026 કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ગ્લાસગોની એક રેસ્ટોરન્ટમાં ભારતનો ખોટો નકશો દેખાડવા પર બોક્સર લવલીના બોરગોહેને આપત્તિ વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લવલીનાના આ પગલાના વખાણ પણ કર્યા હતા.
- Nirupa Duva
- Updated on: Aug 10, 2026
- 2:23 pm
08 ઓગસ્ટના મહત્વના સમાચાર : મોંઘવારીના માર વચ્ચે સામાન્ય જનતાને વધુ એક ડામ, રાજ્યભરમાં રિક્ષા ભાડામાં ઝિંકાયો રૂ. 5 નો વધારો, તો તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં કરાયો રૂ. 50 નો વધારો
Gujarat Live Updates આજ 08 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
- Mina Pandya
- Updated on: Aug 8, 2026
- 10:41 pm