AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: 17 સપ્ટેમ્બર 1950) ભારતના 14મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા તે પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.

નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગ કુટુંબમાં અમદાવાદથી 112 કી મી અને મહેસાણાથી 34 કીમી દૂર વડનગર ખાતે થયો હતો. દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્નિ હીરાબેન મોદીના છ સંતાન પૈકી, નરેન્દ્ર મોદી ત્રીજુ સંતાન છે. તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તેઓ નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ 17 વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તેઓ હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ વેશપલટો કરીને ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યા સુધીની રામરથયાત્રા અને ડો. મૂરલી મનોહર જોષીની કાશ્મીર સુધીની એકતા યાત્રાના મુખ્ય સંયોજક હતા. બન્ને યાત્રાને સફળતાપૂર્વક સંપન્ન કરાવવામાં મોદીની કૂનેહ સામે આવી હતી. 1998માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. જેમાં તેઓને સફળતા મળી હતી. ઇ.સ. 2001ના વર્ષમાં ગુજરાતના મુખ્યમંત્રીપદેથી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ 7 ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 2012ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યમાં સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યપ્રધાન છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવવામાં નરેન્દ્ર મોદીનો સિંહફાળો રહ્યો હતો. નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ 2019 ની લોકસભાની ભાજપને ભારે બહુમતી અપાવી હતી. તેઓ 2014થી ભારતના વડાપ્રધાન છે.

Read More
Follow On:

“ગાય બીમાર છે કે નહીં તે હવે મોબાઈલ કહેશે”, PM મોદી અને નંદન નીલેકણીના આ ‘ગુપ્ત’ પ્લાનથી દુનિયા ચોંકી ઉઠી

નંદન નીલેકણીએ ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટમાં PM મોદીના વિઝનને બિરદાવ્યું. જાણો કેવી રીતે AI હવે ખેડૂતોના પશુઓની બીમારી ઓળખવામાં મદદ કરી રહ્યું છે

Breaking News: AI Impact Summit 2026માં PM મોદીએ પહેર્યા આ ખાસ ચશ્મા, ભારતનું ‘Sarvam Kaze’ AI કેવી રીતે બદલશે તમારી દુનિયા?

AI Impact Expo 2026માં PM મોદીએ નવીનતમ Made-in-India Sarvam Kaze AI ચશ્મા પહેર્યા, જેમાં એઆઇ ટેકનોલોજીથી પ્રેરિત અનેક અનોખા ફીચર્સ છે. જાણો કેવી રીતે આ ચશ્મા બનાવવા છે ટેકનોલોજી અને સ્ટાઇલનો પર્ફેક્ટ મિલન.

  • Nishat
  • Updated on: Feb 19, 2026
  • 8:50 am

Breaking News : ભારત-ફ્રાંસ વચ્ચે ઐતિહાસિક ડીલ ! રાફેલનો હુંકાર, પાકિસ્તાનમાં હાહાકાર !

ભારત સંરક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત બની રહ્યું છે, ખાસ કરીને પાકિસ્તાન અને ચીનના પડકારો સામે. ફ્રાન્સ સાથે 114 રાફેલ જેટની સંભવિત મેગા ડીલ "મેક ઇન ઇન્ડિયા" હેઠળ દેશમાં જ નિર્માણ થશે. આ કરાર ભારતીય વાયુસેનાની તાકાતને બમણી કરશે અને દુશ્મનો પર ભારતનો દબદબો સ્થાપિત કરશે. આધુનિક રાફેલ મિસાઈલો અને ટેકનોલોજીથી સજ્જ થઈને ભારતની સુરક્ષા સુનિશ્ચિત કરશે.

Breaking News : ભારતમાં ચીન માટે રોકાણના નિયમોમાં મોટા ફેરફારની તૈયારી! જાણો શું છે આખી કહાની

ભારત રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વિકાસ વચ્ચે જટિલ સંતુલન સાધી રહ્યું છે. ગલવાન બાદ ચીની રોકાણો પર પ્રેસ નોટ ૩ દ્વારા નિયંત્રણો મુકાયા હતા. હવે 'મેક ઇન ઇન્ડિયા' માટે ચીની ટેકનોલોજી અને રોકાણની જરૂરિયાત સમજાતા, સરકાર સંપૂર્ણ પ્રતિબંધથી હટી સંતુલિત અભિગમ અપનાવી રહી છે.

Breaking News AI Impact Expo 2026: દિલ્હીમાં આયોજિત AI સમિટનો શું છે એજન્ડા? જાણો મહેમાનોથી લઇને વ્યવસ્થા સુધીની સંપૂર્ણ માહિતી

AI Impact Summit 2026માં 16 થી 20 ફેબ્રુઆરી સુધી વિશ્વના પ્રમુખ નેતાઓ, ટેક લીડર્સ અને નિષ્ણાતો ભાગ લેશે. PM મોદીની ઉપસ્થિતિમાં 19 ફેબ્રુઆરીએ મુખ્ય બેઠક યોજાશે, જેમાં સુંદર પિચાઈ, સેમ ઓલ્ટમેન અને બિલ ગેટ્સ પણ જોડાશે.

  • Nishat
  • Updated on: Feb 16, 2026
  • 10:08 am

PM Rahat Scheme: મોદી સરકારની મોટી ભેટ, માર્ગ અકસ્માતમાં હવે મળશે મફત સારવાર, જાણો

મોદી સરકારે PM રાહત યોજના હેઠળ માર્ગ અકસ્માત પીડિતોને ₹15 લાખ સુધીની કેશલેસ સારવારની જાહેરાત કરી છે. નોંધણી વિના તાત્કાલિક સારવાર મળશે.

Breaking News : 140 કરોડ ભારતીયોને PM મોદીની મોટી ભેટ, ‘સેવા તીર્થ સંકુલ’ ના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાને શું કહ્યું વાંચો

વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં સેવા તીર્થ અને કર્તવ્ય ભવન 1 અને 2નું ઉદ્ઘાટન કર્યું, જેને "નવા ભારત"ની યાત્રાની શરૂઆત ગણાવી. આધુનિક સુવિધાઓથી સજ્જ આ ઇમારતો ગુલામીના પ્રતીકો છોડીને નવી દિશા દર્શાવે છે.

PM મોદીનું નવુ સરનામું, સેવા તીર્થથી કરશે કામકાજ, જાણો મોદી સરકારે દિલ્હીમાં કેટલા બદલ્યા નામ-ઠામ

PM Narendra Modi New Office : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) સંકુલનું અનાવરણ કર્યું, જેનું નામ "સેવા તીર્થ" છે. સેવા તીર્થ હવે વડાપ્રધાનનું સત્તાવાર કાર્યાલય કહેવાશે. પીએમનું કાર્યાલય સેવા તીર્થ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો જ એક ભાગ છે, જે વિવિધ મંત્રાલયોને એક છત નીચે લાવવા માટે બનાવાયું છે.

Breaking News : પરણવા જઈ રહ્યો છે.. સારાનો ભાઈ અર્જુન તેંડુલકર, સચિને PM મોદીને રૂબરૂ મળી આપ્યું આમંત્રણ, જુઓ Photos

મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે તેમના પુત્ર અર્જુન તેંડુલકરના લગ્ન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું. અર્જુન 5 માર્ચ, 2026ના રોજ સાનિયા ચાંડોક સાથે લગ્ન કરશે.

વિદ્યાર્થીઓ સાથે પીએમ મોદીની સંવાદાત્મક ચર્ચા, ‘પરીક્ષા પે ચર્ચા’ દરમિયાન PM મોદીએ જણાવ્યુ સ્ટાર્ટઅપ કેવી રીતે શરૂ કરવું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ફેબ્રુઆરી, 2026ના રોજ ‘પરીક્ષા પે ચર્ચા’ના બીજા સત્ર દરમિયાન દેશભરના વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરી. આ સત્રમાં તેમણે પરીક્ષાના દબાણ, જીવનના પડકારો, સ્ટાર્ટઅપ શરૂ કરવાની વિચારધારા અને શિસ્તના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો. વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળી પીએમ મોદીએ સરળ અને વ્યવહારુ ઉકેલો પણ સૂચવ્યા.

Breaking News : PoK પર પાકિસ્તાનનું જુઠ્ઠાણું હવે દુનિયા સામે ઉઘાડુ પડ્યું : ભારતના દાવાને અમેરિકાની મહોર, જુઓ Video

અમેરિકાએ ભારત સાથેના ટ્રેડ ડીલ દરમિયાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ને ભારતના હિસ્સા તરીકે દર્શાવતી તસવીર જારી કરીને પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. આ પગલાને ભારતના હિતમાં ખૂબ મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું છે અને તે ભારત-અમેરિકા સંબંધોની મજબૂતી દર્શાવે છે.

Breaking News : USAમાં ભારતની કઈ ચીજવસ્તુ પર કેટલા ટકા લદાશે ટેરિફ ? ટ્રેડ ડિલ બાદ ભારત-અમેરિકાએ જાહેર કર્યુ સંયુક્ત નિવેદન

અમેરિકા ભારતમાં ઉત્પાદિત માલ પર 18 ટકા ટેરિફ લાદશે. આ માલમાં કાપડ અને વસ્ત્રો, ચામડું અને ફૂટવેર, પ્લાસ્ટિક અને રબર, ઓર્ગેનિક રસાયણો, ગૃહ ફર્નિચર, હસ્તકલા ઉત્પાદનો અને કેટલીક મશીનરીનો સમાવેશ થાય છે. જ્યારે ફાર્માસ્યુટિકલ્સ, રત્નો અને હીરા, વિમાનના ભાગો સહિત વિવિધ માલ પર ડ્યુટી (અથવા આયાત ડ્યુટી) ઘટાડીને શૂન્ય કરવામાં આવશે.

નરેન્દ્ર મોદી જે શબ્દનો વારંવાર પ્રયોગ કરે છે તે ‘ગ્લોબલ સાઉથ’ શું છે ? શું ભારત હાલ તેનુ લીડર બનીને ઉભરી રહ્યુ છે?

ગ્લોબલ સાઉથનો અર્થ વિશ્વના તે દેશો થાય છે, જે મુખ્યત્વે એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા અને મધ્ય પૂર્વમાં સ્થિત છે અને જેઓ ઐતિહાસિક રીતે યુરોપિયન કોલોનિયલ શાસન, આર્થિક શોષણ અને રાજકીય હાસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા. 'ગ્લોબલ સાઉથ' શબ્દ કોઈ ભૌગોલિક દિશાને દર્શાવતો નથી, પરંતુ વૈશ્વિક અસમાનતા અને વિકાસની ખાઈને પ્રગટ કરે છે. તેની સામે અમેરિકા, યુરોપ, જાપાન અને અન્ય વિકસિત દેશોને ગ્લોબલ નોર્થ તરીકે ઓળખવામાં આવે છે.

Pariksha Pe Charcha 2026 : પરીક્ષા પે ચર્ચામાં પીએમ મોદીનો ગુરુ મંત્ર, પહેલા મનને જીતો

પીએમ મોદીએ કહ્યું જ્યારે પરીક્ષા પે ચર્ચા શરુ કર્યું તો એક પેટર્ન હતી. હવે ધીમે ધીમે હું તેને બદલી રહ્યો છું, આ વખતે મેં તે અલગ અલગ રાજ્યોમાં પણ કર્યું. મેં મારી પેટર્ન પણ બદલી, પરંતુ મૂળ પેટર્ન છોડી નહીં.

Breaking News : કોંગ્રેસ મોદીની કબર કેમ ખોદવા માંગે છે? ખુદ PM મોદીએ જણાવ્યા કારણો, સાંભળો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં કોંગ્રેસ પર વંશવાદી રાજનીતિ, લોકતંત્ર માટે ખતરનાક ગણાવી. તેમણે "મોદીની કબર ખોદવાની" ભાષા, રાષ્ટ્રીય સુરક્ષાના પગલાં અને સામાન્ય પરિવારના PM બનવા પર કોંગ્રેસના વિરોધની ટીકા કરી.

g clip-path="url(#clip0_868_265)">