નરેન્દ્ર મોદી
નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: 17 સપ્ટેમ્બર 1950) ભારતના 14મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા તે પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.
નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગ કુટુંબમાં અમદાવાદથી 112 કી મી અને મહેસાણાથી 34 કીમી દૂર વડનગર ખાતે થયો હતો. દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્નિ હીરાબેન મોદીના છ સંતાન પૈકી, નરેન્દ્ર મોદી ત્રીજુ સંતાન છે. તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તેઓ નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ 17 વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તેઓ હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ વેશપલટો કરીને ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યા સુધીની રામરથયાત્રા અને ડો. મૂરલી મનોહર જોષીની કાશ્મીર સુધીની એકતા યાત્રાના મુખ્ય સંયોજક હતા. બન્ને યાત્રાને સફળતાપૂર્વક સંપન્ન કરાવવામાં મોદીની કૂનેહ સામે આવી હતી. 1998માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. જેમાં તેઓને સફળતા મળી હતી. ઇ.સ. 2001ના વર્ષમાં ગુજરાતના મુખ્યમંત્રીપદેથી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ 7 ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 2012ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યમાં સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યપ્રધાન છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવવામાં નરેન્દ્ર મોદીનો સિંહફાળો રહ્યો હતો. નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ 2019 ની લોકસભાની ભાજપને ભારે બહુમતી અપાવી હતી. તેઓ 2014થી ભારતના વડાપ્રધાન છે.
“જે પુત્રના લગ્નના સપના જોયા તેના જ અંતિમ સંસ્કાર કરવા પડ્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં ન્યાય માટે માતાએ સીધો વડાપ્રધાનનો દરવાજો ખટખટાવ્યો!
પુણેના યુવાન ઉદ્યોગપતિ કેતન અગ્રવાલની હત્યા બાદ, તેની માતાએ ન્યાય માટે સીધા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સંપર્ક કર્યો છે. કેતનની માતા રાખી અગ્રવાલે વડા પ્રધાનને ખૂબ જ ભાવનાત્મક ઇમેઇલ મોકલીને તેમના પુત્રની હત્યામાં તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ કરી છે.
- Dhruval Shah
- Updated on: Jul 14, 2026
- 3:06 pm
Breaking News : ભારતમાં રમાશે ઓસ્ટ્રેલિયાની ‘બિગ બેશ લીગ’, મેલબોર્ન ગ્રાઉન્ડ પહોંચતા જ PM મોદીની મોટી જાહેરાત
નોંધનીય છે કે, આ પહેલી વાર છે જ્યારે બિગ બેશ લીગ (BBL) બીજા કોઈ દેશની ધરતી પર યોજાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારતમાં BBLને લોકપ્રિય બનાવવા માટે આ પગલું ભર્યું છે. ક્રિકેટ મહાસત્તા તરીકે ભારતની વર્તમાન સ્થિતિને જોતાં, ભારતીય ધરતી પર BBLનું આયોજન નિઃશંકપણે ટુર્નામેન્ટને ફાયદો કરાવશે.
- Devankashi rana
- Updated on: Jul 10, 2026
- 10:04 am
PM મોદીએ ઓસ્ટ્રેલિયામાં જ્યાં આપ્યું ભાષણ, તે માર્વેલ સ્ટેડિયમમાં કઈ રમત રમાય છે? જાણો તેની ખાસિયતો
ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સ્થિત માર્વેલ સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને સંબોધિત કર્યું હતું. લગભગ 30 હજાર લોકોની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમ બાદ સ્ટેડિયમ ફરી ચર્ચામાં આવ્યું છે. પરંતુ શું તમને ખબર છે કે આ મેદાન કઈ રમત માટે પ્રખ્યાત છે અને તેની ખાસિયતો શું છે?
- Smit Chauhan
- Updated on: Jul 9, 2026
- 8:55 pm
Breaking News : ‘ભારત ગ્રો મોર એચિવ મોરમાં માને છે, ઝડપથી વિકસતુ અર્થતંત્ર બન્યું છે’… ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં PM મોદીનું સંબોધન
વડાપ્રધાન મોદીનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોને નવી ઊંચાઈએ લઈ ગયો. PM અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય બેઠકમાં સંરક્ષણ, વેપાર અને ઊર્જા સહયોગ મજબૂત કરવા પર ભાર મુકાયો. "મેલબોર્ન મીટ્સ મોદી" કાર્યક્રમમાં ભારતીય સમુદાયનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું.
- Sagar Solanki
- Updated on: Jul 9, 2026
- 3:57 pm
Breaking News : ગુજરાત પ્રધાનમંડળ સાથે PM નરેન્દ્ર મોદીની બે કલાકની બેઠક, જાણો કેવા મુદ્દાઓ પર આપ્યા સૂચન, જુઓ Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના પ્રધાનમંડળ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બે કલાકની બેઠકમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ, પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી હાજર રહ્યા હતા.
- Kinjal Mishra
- Updated on: Jul 5, 2026
- 10:28 am
Breaking News: પીએમ નરેન્દ્ર મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાત પહેલાં જાનથી મારી નાખવાની ધમકી
પ્રધાનમંત્રી મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં સોશિયલ મીડિયા પર મેલબર્નના કાર્યક્રમમાં હુમલો કરવાની ધમકી મળતા સનસનાટી મચી ગઈ છે. ઓસ્ટ્રેલિયન સુરક્ષા એજન્સીઓએ શંકાસ્પદ આઈપી એડ્રેસ ટ્રેસ કરીને તપાસ તેજ કરી દીધી છે.
- Sachin Agrawal
- Updated on: Jul 4, 2026
- 8:40 pm
Breaking News : ગુજરાત બન્યું સેમિકન્ડક્ટરનું કેન્દ્ર, સાણંદમાં પ્રથમ સેમિકન્ડક્ટર ફેસિલિટીનો PM મોદીએ કરાવ્યો પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદમાં CG સેમિકન્ડક્ટરના ₹7,500 કરોડના OSAT પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. ભારતની પ્રથમ એન્ડ-ટુ-એન્ડ OSAT સુવિધા ધરાવતો આ પ્લાન્ટ વાર્ષિક 5 અબજ ચિપ્સનું ઉત્પાદન કરશે.
- Sagar Solanki
- Updated on: Jul 4, 2026
- 6:04 pm
PM મોદી પણ કરે છે આ સરકારી યોજનામાં રોકાણ, 5 વર્ષમાં મળી શકે છે લાખો રૂપિયાનું વળતર
પોસ્ટ ઓફિસ NSC યોજના સુરક્ષિત રોકાણ, 7.7% આકર્ષક વ્યાજ અને કર લાભ આપે છે. સરકારની ગેરંટી સાથે જોખમમુક્ત આ યોજનામાં PM મોદીએ પણ રોકાણ કર્યું છે.
- Sagar Solanki
- Updated on: Jul 3, 2026
- 7:22 pm
Modi Cabinet Reshuffle 2026 : મોદી મંત્રીમંડળમાં થશે ધરખમ ફેરફાર, રાજનાથ સિંહ – નીતિન ગડકરી થશે આઉટ, સ્મૃતિ ઈરાની-અનુરાગ ઠાકુર થશે ઈન ?
Modi Cabinet Reshuffle : છેલ્લા કેટલાક દિવસથી નરેન્દ્ર મોદીની આગેવાનીની એનડીએ સરકારના મંત્રીમંડળમાં ધરખમ ફેરફાર થવાની ધારણાઓ ધારવામાં આવી રહી છે. આ ધારણાઓ સાચી હોવાના કેટલાક રાજકીય સંકેતો પણ મળી રહ્યાં છે. જો કે, કેન્દ્રીય કેબિનેટમાંથી વયોવૃદ્ધ એવા રાજનાથસિંહ અને નીતિન ગડકરીને માનભેર વિદાય અપાય તેવો તખ્તો ઘડાઈ રહ્યો છે. જ્યારે તેમના સ્થાને ભાજપના જાણીતા ચહેરા સ્મૃતિ ઈરાની અને અનુરાગ ઠાકુરનો સમાવેશ કરવામાં આવે તેવા અહેવાલ વહેતા થયા છે.
- Bipin Prajapati
- Updated on: Jul 3, 2026
- 6:59 pm
સેશેલ્સ સાથે વિશ્વાસનો અતૂટ સંબંધ, નેશનલ એસેમ્બલીમાં PM મોદીએ ગણાવ્યો દાયકાઓ જૂનો નાતો
પ્રધાનમંત્રી મોદીએ સેશેલ્સની રાષ્ટ્રીય સભાને સંબોધી ભારત-સેશેલ્સના દાયકાઓ જૂના સંબંધો પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે આ સંબંધો માત્ર રાજદ્વારી નથી, પરંતુ લોકોના વિશ્વાસ અને ઐતિહાસિક જોડાણથી મજબૂત બન્યા છે.
- Sagar Solanki
- Updated on: Jun 28, 2026
- 5:09 pm
PM મોદી સેશેલ્સની મુલાકાતે, વિશ્વના સૌથી વૃદ્ધ જીવંત પ્રાણી ‘જોનાથન’ સાથે કરી મુલાકાત, જુઓ Photos
પ્રધાનમંત્રી મોદી સેશેલ્સની મહત્વપૂર્ણ મુલાકાતે છે. આ પ્રવાસમાં તેઓ વિશ્વના સૌથી વૃદ્ધ જીવંત પ્રાણી, 194 વર્ષીય જોનાથન કાચબા સાથે મુલાકાત કરી.
- Sagar Solanki
- Updated on: Jun 27, 2026
- 6:08 pm
Breaking News: ભારત આવશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ભારત-અમેરિકા વેપાર કરારને મળશે આખરી ઓપ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ કરી છે. રૂબિયોએ જણાવ્યું કે તેઓ પોતે ટ્રમ્પની ભારત મુલાકાતને અંતિમ સ્વરૂપ આપવા માટે ભારતની મુલાકાતે આવવાના છે.
- Tanvi Soni
- Updated on: Jun 27, 2026
- 12:52 pm
Breaking News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1975ની કટોકટીના લોકશાહી રક્ષકોને શ્રદ્ધાંજલિ અર્પી, બંધારણ પર સીધો હુમલો ગણાવ્યો, જુઓ Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1975ની ઈમરજન્સીને બંધારણ પર સીધો હુમલો ગણાવી છે. તેમણે તે સમયગાળા દરમિયાન લોકશાહી મૂલ્યો અને નાગરિક સ્વતંત્રતાઓનું રક્ષણ કરનારાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
- Sagar Solanki
- Updated on: Jun 25, 2026
- 6:42 pm
Breaking News : “બિનોદ સાંભળે છે ને?” પીએમ મોદી પણ “પંચાયત” ના ચાહક! જુઓ Video
પીએમ નરેન્દ્ર મોદીએ પંચાયતના વિનોદ-ભૂષણ સાથેની મુલાકાતનો વીડિયો શેર કર્યો, લોકોએ કહ્યું હવે પંચાયતનો વિકાસ થશેએકે લખ્યું દેખ રહે હો વિનોદ વડાપ્રધાન અમને કેવી રીતે મળી રહ્યા છે.
- Nirupa Duva
- Updated on: Jun 24, 2026
- 10:06 am
યોગ એ માત્ર આસન નથી, પરંતુ માનવ એકતાનો આધાર છે : PM મોદી
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતાના રેડ રોડ પર યોગાસન કર્યા હતા. તેમણે કહ્યું કે યોગ ફક્ત શારીરિક મુદ્રાઓ, આસન નથી પરંતુ માનવ એકતાના પાયા તરીકે કામ કરે છે.
- Bipin Prajapati
- Updated on: Jun 21, 2026
- 8:37 am