AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: 17 સપ્ટેમ્બર 1950) ભારતના 14મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા તે પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.

નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગ કુટુંબમાં અમદાવાદથી 112 કી મી અને મહેસાણાથી 34 કીમી દૂર વડનગર ખાતે થયો હતો. દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્નિ હીરાબેન મોદીના છ સંતાન પૈકી, નરેન્દ્ર મોદી ત્રીજુ સંતાન છે. તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તેઓ નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ 17 વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તેઓ હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ વેશપલટો કરીને ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યા સુધીની રામરથયાત્રા અને ડો. મૂરલી મનોહર જોષીની કાશ્મીર સુધીની એકતા યાત્રાના મુખ્ય સંયોજક હતા. બન્ને યાત્રાને સફળતાપૂર્વક સંપન્ન કરાવવામાં મોદીની કૂનેહ સામે આવી હતી. 1998માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. જેમાં તેઓને સફળતા મળી હતી. ઇ.સ. 2001ના વર્ષમાં ગુજરાતના મુખ્યમંત્રીપદેથી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ 7 ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 2012ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યમાં સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યપ્રધાન છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવવામાં નરેન્દ્ર મોદીનો સિંહફાળો રહ્યો હતો. નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ 2019 ની લોકસભાની ભાજપને ભારે બહુમતી અપાવી હતી. તેઓ 2014થી ભારતના વડાપ્રધાન છે.

Read More
Follow On:

Breaking News : PM મોદીની રેલી પૂર્વે કોલકાતામાં હિંસક અથડામણ, TMC અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારો

કોલકાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી પહેલા TMC અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ગિરીશ પાર્ક નજીક થયેલા પથ્થરમારામાં એક પોલીસકર્મી અને એક ભાજપના નેતા સહિત બે લોકો ઘાયલ થયા હતા.

Breaking News : Iran Israel Us War વચ્ચે PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિને ફોન કરીને કહ્યું કે, વાતચીત અને ડિપ્લોમસીથી સમાધાન

પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારતીય નાગરિકોની સલામતી અને અવિરત ઉર્જા પરિવહનની જરૂરિયાત ભારતની ટોચની પ્રાથમિકતાઓ છે. તેમણે શાંતિ અને સ્થિરતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને વાતચીત અને ડિપ્લોમસી દ્વારા ઉકેલ લાવવાની અપીલ કરી.

Breaking News: અફવા ફેલાવનારાઓ પર રાખો કડક નજર, PM મોદીએ મંત્રીઓને આપી ચેતવણી

LPG સિલિન્ડર મેળવવા માટે લાંબી લાઈનો લાગી રહી છે. આ સ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ પોતાના મંત્રીઓને સૂચના આપી છે કે લોકોમાં ભય અને ગેરસમજ ફેલાવનાર તત્વો પર નજર રાખવી જરૂરી છે. તેમણે જણાવ્યું કે સંભવિત સંકટ સામે ભારતની તૈયારીઓ મજબૂત છે.

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ, PM મોદીએ તમામ મંત્રાલયોને આપ્યા ખાસ નિર્દેશ

પશ્ચિમ એશિયામાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી અને દેશના તેલ તથા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસના પુરવઠાની સમીક્ષા કરી. સરકારે ઘરેલુ ગ્રાહકોને ગેસ સપ્લાયમાં કોઈ અડચણ ન આવે તે માટે તમામ મંત્રાલયોને તૈયાર રહેવા સૂચના આપી છે.

T20 WC Breaking : ભારત બન્યું વર્લ્ડ ચેમ્પિયન, PM મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, પીએમ મોદીએ લખ્યું, "ચેમ્પિયન્સ! ICC મેન્સ T20 વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય ટીમને અભિનંદન. આ નોંધપાત્ર જીત જબરદસ્ત કૌશલ્ય, દૃઢ નિશ્ચય અને ટીમવર્ક દર્શાવે છે."

T20 WC Breaking : ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની ‘સિક્સ મશીન’ બની, ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ બનાવ્યો

ન્યૂઝીલેન્ડ સામેની ફાઇનલમાં, ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરી, અને આ વખતે, તેમની ઓપનિંગ જોડીએ સારું પ્રદર્શન કર્યું, માત્ર ચાર ઓવરમાં 50 રન ઉમેર્યા. અભિષેક શર્મા અને સંજુ સેમસનએ પણ છગ્ગા ફટકાર્યા અને ટીમ ઇન્ડિયાને રેકોર્ડબ્રેક સ્કોર સુધી પહોંચાડી.

Breaking News : 48 કલાકમાં PM મોદીએ 8 દેશમાં કરી વાતચીત, મિડલ ઈસ્ટમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા મોદી સરકાર એકશનમાં

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવા કેન્દ્ર સરકારે યુદ્ધસ્તરે પ્રયાસો શરૂ કર્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 48 કલાકમાં આઠ ગલ્ફ અને પશ્ચિમ એશિયાઈ દેશોના નેતાઓ સાથે વાતચીત કરી તાજેતરની હિંસાની નિંદા કરી અને પ્રદેશમાં શાંતિ-સ્થિરતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

Iran and US-Israel War : ભારતની એન્ટ્રી ! 48 કલાકમાં PM મોદીએ આ 8 દેશો સાથે કરી વાતચીત, જાણો યુદ્ધ પર શું બોલ્યું ભારત

ભારત ઇરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના વધતા સંઘર્ષને લઈને ઊંડી ચિંતા વ્યક્ત કરે છે. વડાપ્રધાન મોદીએ ગલ્ફ દેશોના નેતાઓ સાથે વાતચીત કરી ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી.

Breaking News: ભારત-કેનેડા ‘પાવર’ ડીલ! 2.6 બિલિયન ડોલરનો યુરેનિયમ સોદો, સંબંધોમાં પડેલી તિરાડ ભરાઈ

ભારત સરકાર અને કેનેડા સ્થિત મુખ્ય કંપની સાસ્કાટૂન વચ્ચે $2.6 બિલિયનનો મોટો કરાર થયો હતો. આ કરારની શરતો હેઠળ, કેમકો 2027 અને 2035 વચ્ચે ભારતને આશરે 22 મિલિયન પાઉન્ડ યુરેનિયમ સપ્લાય કરશે. જે ભારતના પરમાણુ પાવર પ્લાન્ટ માટે બળતણની સાતત્ય સુનિશ્ચિત કરશે.

Iran-Israel war : પીએમ મોદીએ સાઉદીના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત, ભારતીયો અંગે વ્યક્ત કરી ચિંતા

વાતચીત દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને દેશો ઉપર ઈરાને કરેલા હુમલાઓની નિંદા કરી અને બંને દેશોમાં રહેતા ભારતીય સમુદાયની સુખાકારી અંગે ચિંતા વ્યક્ત કરી. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર થયેલા હુમલાઓ અને ઈરાનની બદલો લેવાની કાર્યવાહીએ વ્યાપક પશ્ચિમ એશિયાઈ ક્ષેત્રને અસર કરી છે.

Iran Israel War: મિડલ-ઈસ્ટમાં મહાયુદ્ધની સ્થિતિ વચ્ચે ભારત સતર્ક, PM મોદીએ નેતન્યાહૂ સાથે કરી વાત, CCS બેઠકમાં ભારતીયોની સુરક્ષા મુદ્દે ચર્ચા

મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધસંકટ વચ્ચે PM મોદીએ ઇઝરાઇલના PM સાથે ચર્ચા કરી અને તાત્કાલિક યુદ્ધવિરામ પર ભાર મૂક્યો. ખામેનેઈના મૃત્યુ બાદ પરિસ્થિતિ ગંભીર બની છે. CCS બેઠકમાં ભારતીયોની સુરક્ષા મુદ્દે ચર્ચા થઈ.

  • Nishat
  • Updated on: Mar 2, 2026
  • 9:15 am

ઓપરેશન થિયેટર કરતા પણ વધુ ચોખ્ખો છે સાણંદનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ, ધૂળનું એક રજકણ પણ પ્રવેશી નથી શક્તુ

સાણંદના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્દઘાટન કર્યુ આ સાથે દેશની સૌપ્રથમ સેમિકન્ટક્ટર ચીપને લોંચ કરવામાં આવી. આ પ્લાન્ટ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલા સાણંદમાં સ્થિત છે. પ્લાન્ટમાં ચિપનું ઉત્પાદન અત્યંત ચોખ્ખાઈ અને નિયંત્રિત તાપમાન સાથે કરવામાં આવે છે. માઈક્રોનના આ પ્લાન્ટનો પ્રથમ તબક્કો હાલ પૂર્ણ થયો છે.

Breaking News: ચીન-અમેરિકાને ટક્કર આપશે હવે આપણું ‘સાણંદ’, PM મોદીએ દેશની પ્રથમ સેમિકન્ડક્ટર ચિપનું કર્યું ‘ઉદ્ઘાટન’ – જુઓ Video

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે માઈક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઈન્ડિયાના અત્યાધુનિક એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ (ATMP) પ્લાન્ટનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે.

ઈઝરાયેલી સંસદમાં PM મોદી ના ભાષણ થી કેમ ચીડાયુ મુસ્લિમ દેશોનું મીડિયા?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈઝરાયેલ પ્રવાસ અને ઈઝરાયેલી સંસદ નેસેટને આપેલા ઐતિહાસિક સંબોધન વૈશ્વિક રાજનીતિમાં ચર્ચાો વિષય બન્યુ છે. જ્યાં એકતરફ ઈઝરાયેલ મીડિયાએ તેને મજબુત રણનીતિક ભાગીદારીનો સંકેત બતાવ્યુ તો મુસ્લિમ દેશોનું મીડિયા તેને પેલેસ્ટાઈનના મુદ્દે જાણીજોઈને રખાયેલા અંતર તરીકે જોઈ રહ્યા છે. પીએમ મોદીના પ્રવાસ પર મિશ્ર આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાઓ આવવાનું શરૂ થઈ ગયુ છે.

આગામી 28મી ફેબ્રુઆરીએ સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના ATMP પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે PM મોદી

સાણંદમાં માઇક્રોનનો પ્લાન્ટ તેના નિર્ધારિત સમયસીમામાં કાર્યરત થવા જઇ રહ્યો છે. આ પ્લાન્ટ એક ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) સુવિધા છે જેમાં SSD (સોલિડ સ્ટેટ ડ્રાઇવ-હાર્ડ ડિસ્ક ડ્રાઇવ પ્રકારનું સ્ટોરેજ માટેનું આધુનિક ઉપકરણ) અને રેમ પ્રકારના DRAM અને NAND ઉત્પાદનો તૈયાર કરવામાં આવશે.

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
g clip-path="url(#clip0_868_265)">