
નરેન્દ્ર મોદી
નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: 17 સપ્ટેમ્બર 1950) ભારતના 14મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા તે પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.
નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગ કુટુંબમાં અમદાવાદથી 112 કી મી અને મહેસાણાથી 34 કીમી દૂર વડનગર ખાતે થયો હતો. દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્નિ હીરાબેન મોદીના છ સંતાન પૈકી, નરેન્દ્ર મોદી ત્રીજુ સંતાન છે. તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તેઓ નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ 17 વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તેઓ હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ વેશપલટો કરીને ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યા સુધીની રામરથયાત્રા અને ડો. મૂરલી મનોહર જોષીની કાશ્મીર સુધીની એકતા યાત્રાના મુખ્ય સંયોજક હતા. બન્ને યાત્રાને સફળતાપૂર્વક સંપન્ન કરાવવામાં મોદીની કૂનેહ સામે આવી હતી. 1998માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. જેમાં તેઓને સફળતા મળી હતી. ઇ.સ. 2001ના વર્ષમાં ગુજરાતના મુખ્યમંત્રીપદેથી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ 7 ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 2012ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યમાં સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યપ્રધાન છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવવામાં નરેન્દ્ર મોદીનો સિંહફાળો રહ્યો હતો. નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ 2019 ની લોકસભાની ભાજપને ભારે બહુમતી અપાવી હતી. તેઓ 2014થી ભારતના વડાપ્રધાન છે.
પીએમ મોદીના 3 વર્ષમાં વિદેશ પ્રવાસ પાછળ કેટલો ખર્ચ થયો ? ખડગેના પ્રશ્ન પર સરકારે જણાવ્યાં આંકડા
વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 2022 થી 2024 દરમિયાન કુલ 38 દેશોની મુલાકાત લીધી હતી. 2022માં પીએમની નેપાળ મુલાકાત દરમિયાન સૌથી ઓછો 80 લાખ 1 હજાર 483 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો. 2023માં અમેરિકા મુલાકાત દરમિયાન સૌથી વધુ 22 કરોડ 89 લાખ 68 હજાર 509 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Mar 20, 2025
- 9:40 pm
સુનિતા વિલિયમ્સ માટે PM મોદીએ લખ્યો લાગણીસભર પત્ર, કહ્યુ 140 કરોડ ભારતીયોને તમારા પર ગર્વ- Video
ભારતીય મૂળની અમેરિકન અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 માર્ચ, 2025ના રોજ એક વિશેષ લાગણીસભર પત્ર લખ્યો હતો. PM મોદીએ પત્રમાં તેમની સિદ્ધિઓના વખાણ કરતા જણાવ્યું કે 140 કરોડ ભારતીયો તમારી મહેનત અને સફળતા પર ગર્વ અનુભવે છે.
- Mina Pandya
- Updated on: Mar 18, 2025
- 7:10 pm
8th Pay Commission: આઠમાં પગાર પંચ પર આખરે સરકારે કરી લીધો નિર્ણય, જાણો કેટલા સરકારી કર્મચારીઓને મળશે લાભ
8th Pay Commission Update: 8મા પગાર પંચમાં એક નવું અપડેટ આવ્યું છે. હવે સરકારે સંસદમાં પૂછાયેલા પ્રશ્નોના સત્તાવાર રીતે જવાબ આપ્યા છે જેમાં તેમણે 8મા પગાર પંચ વિશે માહિતી આપી છે. નાણા મંત્રાલયે લોકસભામાં પગાર પંચ, તેના લાભો, સરકાર પર નાણાકીય બોજ અને સંબંધિત મુદ્દાઓ પર પોતાનો જવાબ આપ્યો છે.
- Tanvi Soni
- Updated on: Mar 20, 2025
- 2:48 pm
“મે એમને શપથ સમારોહમાં બોલાવ્યા, શાંતિના પ્રયાસો માટે હું પોતે લાહોર ગયો, પરંતુ… ” – PM મોદી
પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્તમાં જણાવ્યુ કે દુનિયામાં ક્યાંય પણ આતંકવાદની ઘટના ઘટે છે તો ક્યાંકને ક્યાંક પાકિસ્તાનનું કનેક્શન સામે આવે જ છે. તેમણે કહ્યુ કે અમેરિકામાં 9/11નો મોટો હુમલો થયો. તેનો મુખ્ય સૂત્રધાર ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં આશ્રય લઈને બેઠો હતો. દુનિયા ઓળખી ગઈ છે કે પાકિસ્તાન પરેશાનીનું એપીસેન્ટર બની ચુક્યુ છે.
- Mina Pandya
- Updated on: Mar 16, 2025
- 8:59 pm
ગોધરાકાંડ અને રમખાણો વિશે મનઘડંત કહાનીઓ ફેલાવવામાં આવી- લેક્સ ફ્રિડમેનના સવાલ પર પીએમ મોદીએ કર્યા મોટા ખૂલાસા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં 2002ના ગુજરાત રમખાણો સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે તે સમયની અશાંત વૈશ્વિક પરિસ્થિતિ અને ગુજરાતમાં થયેલા રમખાણોનો ઉલ્લેખ કર્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોર્ટે તેમને નિર્દોષ ગણ્યા હતા અને એ પછી ગુજરાતમાં શાંતિ છે.
- Mina Pandya
- Updated on: Mar 16, 2025
- 8:19 pm
‘હું ભાગ્યશાળી હતો કે મને સંઘ જેવી પવિત્ર સંસ્થામાંથી જીવનના મૂલ્યો મળ્યા ‘ -પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેનની વચ્ચે થયેલી વિગતવાર વાતચીતનો પોડકાસ્ટ રિલીઝ થઈ ગયો છે. આ ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ અનેક મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી. ખાસ કરીને, તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના તેમના જીવન પર પડેલા પ્રભાવ, સમાજમાં તેના યોગદાન અને વ્યક્તિગત અનુભવો વિશે વિસ્તારથી વાત કરી.
- Mina Pandya
- Updated on: Mar 16, 2025
- 8:03 pm
ગુજરાતનું રસીકરણ ક્ષેત્રે વિક્રમી પ્રદર્શન, SDG-3 ઇન્ડેક્સમાં 95.95% કવરેજ કર્યુ
ગુજરાતે રાષ્ટ્રીય રસીકરણ દિવસ (16 માર્ચ) નિમિત્તે રસીકરણ ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. SDG-3 ઇન્ડેક્સ મુજબ, રાજ્યએ 95.95% રસીકરણ કવરેજ પ્રાપ્ત કર્યું છે, જે રાષ્ટ્રીય સરેરાશ 93.23% કરતાં વધુ છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ‘ધન્વંતરી રથ’, ‘ટીકા એક્સપ્રેસ’ અને ‘મોબાઈલ મમતા દિવસ’ જેવી પહેલ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં રસીકરણની સુવિધા પહોંચાડી. 2024માં 1 વર્ષની ઉંમરના બાળકોનું સંપૂર્ણ રસીકરણ કવરેજ 98% રહ્યું.
- TV9 Gujarati
- Updated on: Mar 15, 2025
- 1:41 pm
What Gujarat Thinks Today: વિકસીત ભારતનું સૌથી પહેલું વિકસીત રાજ્ય ગુજરાત હશે-CM ભૂપેન્દ્ર પટેલ
કાર્યક્રમમાં ગુજરાત CM એ જણાવ્યું તે ગુજરાતમાં ઘણો મોટો બદલાવ આવ્યો પહેલા પાણી, રોડ-રસ્તા કેવા હતા તે સૌ કોઈ જાણે છે પણ હવે ડેવલોપમેન્ટ થયું છે. સીએમએ જણાવ્યું કે આપડી પાસે એવું નેત્રુત્વ છે કે સતત દેશના વિકાસને લઈને કઈકને કઈક કરતા રહે છે.
- Devankashi rana
- Updated on: Mar 15, 2025
- 1:21 pm
14 માર્ચના મહત્વના સમાચાર : આ વર્ષે પણ 45 ડિગ્રીથી વધુ ગરમી માટે તૈયાર રહેવા હવામાનના જાણકારની ચેતવણી
આજે 14 માર્ચને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Mar 14, 2025
- 9:54 pm
13 માર્ચના મહત્વના સમાચાર : ગરમીમાં શેકાતા ગુજરાતીઓ માટે રાહતના સમાચાર, આજથી આગામી 5 દિવસ 2 થી 4 ડિગ્રી ઘટશે તાપમાન
આજે 13 માર્ચને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Mar 13, 2025
- 9:53 pm
વડા પ્રધાન મોદીની લોકપ્રિયતા અપાર ! PMને જોતા જ યુવક ચોધાર આંસુએ રડ્યો, જુઓ Video
વડાપ્રધાન મોદીના સુરતના રોડ શો દરમિયાન અનેક લોકો પીએમ મોદીની ઝલક જોવા ઉમટ્યા હતા. આ રોડ શો દરમિયાન એક યુવક આતુરતાથી વડાપ્રધાન મોદીની રાહ જોઈ રહ્યો હતો અને તેના હાથમાં વડાપ્રધાન મોદી અને તેમના માતા હીરાબાની તસવીર હતી.
- TV9 Gujarati
- Updated on: Mar 8, 2025
- 1:20 pm
IPS Officer : ગુજરાતના આ મહિલા IPSના શીરે PM મોદીની સિક્યુરિટીની જવાબદારી, જુઓ Photos
નવસારીમાં વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન ગુજરાતના ગૃહ વિભાગે એક નવતર પ્રયોગ કર્યો છે. પીએમની સુરક્ષાનો સંપૂર્ણ હવાલો 10 મહિલા IPS અધિકારીઓની ટીમને સોંપવામાં આવ્યો છે, જેનું નેતૃત્વ ગૃહ વિભાગના અગ્ર સચિવ કરવાના છે. જે IPS છે.
- Sagar Solanki
- Updated on: Mar 7, 2025
- 7:54 pm
દેશમાં વધુ 25000 જનઔષધિ કેન્દ્ર ખોલાશે, ગરીબ અને મધ્યમવર્ગને સસ્તી દવાથી 30,000 કરોડની બચત થઈઃ PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપુરનો દાખલો આપતા કહ્યું કે, એક સમયે સિંગાપુર માછીમારોનું ગામ હતું. પરંતુ ત્યાના લોકોના સંકલ્પને કારણે આજનું સિંગાપર આપણે સૌ જોઈએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને કહ્યું કે, તમે પણ સિલવાસાને સિગાપુર જેવુ બનાવવા માટે, સિગાપુરના લોકો જેવો સંકલ્પ કરો તો હુ તમારી સાથે ઊભો રહીશ,
- TV9 Gujarati
- Updated on: Mar 7, 2025
- 5:27 pm
ગુજરાતનો ઐતિહાસિક નિર્ણય, વિશ્વ મહિલા દિવસે નવસારીમાં PM મોદીના લખપતિ દીદી કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી મહિલા પોલીસ સંભાળશે
સમગ્ર કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્ચાર્જ અધિકારી તરીકે ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુર્ણા તોરવણે રહેશે. સમગ્ર બંદોબસ્ત વ્યવસ્થા 2145 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 187 મહિલા પી.એસ.આઇ., 61 મહિલા પી.આઇ., 19 મહિલા ડી.વાય.એસ.પી., 05 મહિલા એસ.પી., 01 મહિલા ડી.આઇ.જી. અને 01 મહિલા અધિક પોલીસ મહાનિદેશક દ્વારા કરવામાં આવશે અને સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સંભળાશે.
- TV9 Gujarati
- Updated on: Mar 6, 2025
- 7:18 pm
Wedding Video : કુમાર વિશ્વાસની દીકરી અગ્રતાના લગ્નમાં ધામધૂમ, PM મોદીએ પણ આપ્યા આશીર્વાદ
ડૉ. કુમાર વિશ્વાસના આકર્ષક કવિ વ્યક્તિત્વનો જ મહિમા છે કે તેમની દીકરી અને જમાઈને લગ્નના આશીર્વાદ આપવા માટે રાજકારણ, મીડિયા, ધર્મ અને ખેલજગતની ઘણી મહાન હસ્તીઓએ હાજરી આપી હતી. સાથે જ સપા અને કોંગ્રેસના ઘણા દિગ્ગજો પણ ઉપસ્થિત રહ્યા.
- Sagar Solanki
- Updated on: Mar 6, 2025
- 5:53 pm