
નરેન્દ્ર મોદી
નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: 17 સપ્ટેમ્બર 1950) ભારતના 14મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા તે પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.
નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગ કુટુંબમાં અમદાવાદથી 112 કી મી અને મહેસાણાથી 34 કીમી દૂર વડનગર ખાતે થયો હતો. દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્નિ હીરાબેન મોદીના છ સંતાન પૈકી, નરેન્દ્ર મોદી ત્રીજુ સંતાન છે. તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તેઓ નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ 17 વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તેઓ હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ વેશપલટો કરીને ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યા સુધીની રામરથયાત્રા અને ડો. મૂરલી મનોહર જોષીની કાશ્મીર સુધીની એકતા યાત્રાના મુખ્ય સંયોજક હતા. બન્ને યાત્રાને સફળતાપૂર્વક સંપન્ન કરાવવામાં મોદીની કૂનેહ સામે આવી હતી. 1998માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. જેમાં તેઓને સફળતા મળી હતી. ઇ.સ. 2001ના વર્ષમાં ગુજરાતના મુખ્યમંત્રીપદેથી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ 7 ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 2012ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યમાં સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યપ્રધાન છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવવામાં નરેન્દ્ર મોદીનો સિંહફાળો રહ્યો હતો. નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ 2019 ની લોકસભાની ભાજપને ભારે બહુમતી અપાવી હતી. તેઓ 2014થી ભારતના વડાપ્રધાન છે.
PM Mudra Yojana: મહિલાઓના ઉદ્યોગ સાહસિક સપનાને આકાર આપી રહી છે PM મુદ્રા યોજના, જાણો તેના વિશે
પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) ભારતીય મહિલાઓને નાણાકીય સ્વતંત્રતા પ્રદાન કરી રહી છે. કોલેટરલ-મુક્ત લોન યોજના દ્વારા, મહિલાઓ નાના વ્યવસાયો શરૂ કરી રહી છે અને આર્થિક રીતે સશક્ત બની રહી છે.
- Sagar Solanki
- Updated on: Apr 14, 2025
- 3:18 pm
સહાનુભૂતિ હોય તો કોંગ્રેસ કોઈ મુસ્લિમને અધ્યક્ષ બનાવે, 50 % ટિકિટ ફાળવેઃ PM મોદી
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે વકફના નામે લાખો હેક્ટર જમીન છે. જો વકફ મિલકતોનો લાભ જરૂરિયાતમંદોને આપવામાં આવ્યો હોત તો તેમને ફાયદો થયો હોત, પરંતુ આ મિલકતોનો ફાયદો જમીન માફિયાઓને થયો. આ સુધારેલા વકફ કાયદાથી મુસ્લિમ ગરીબોનું શોષણ બંધ થશે.
- TV9 Gujarati
- Updated on: Apr 14, 2025
- 2:13 pm
12 એપ્રિલના મહત્વના સમાચાર: કેરીના રસિયાઓ થઈ જજો સાવધાન, અમદાવાદના બોપલમાં ગ્રાહકને થયો માઠો અનુભવ, ગ્વાલિયા સ્વીટ્સમાંથી ખરીદેલો રસ વાસી, અખાદ્ય નીકળ્યો
આજે 12 એપ્રિલને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Apr 12, 2025
- 6:03 pm
મોટી રાહત.. હવે ભારત પર નહીં લાગે ટ્રમ્પ ટેરિફ ! શું છે સરકારનો એક્શન પ્લાન, જાણો
ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં રોકાયેલા છે. બંને પક્ષોએ આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં કરારનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. બંને દેશોનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને વર્તમાન $191 બિલિયનથી વધારીને $500 બિલિયન કરવાનો છે.
- Sagar Solanki
- Updated on: Apr 11, 2025
- 8:55 pm
બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓ મુદ્દે PM મોદીએ મોહમ્મદ યુનુસને શું કહ્યુ? શું હવે આ અત્યાચારો અટકશે?
બિમ્સટેક શિખર સંમેલન દરમિયાન PM મોદીએ બાંગ્લાદેશના વડા મોહમ્મદ યુનુસ સાથે અલગથી મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે શું ચર્ચા થઈ. શું બાંગ્લાદેશના હિંદુઓ વિશે કોઈ વાતચીત થઈ હતી કે કેમ? શું બાંગ્લાદેશ હવે ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું બંધ કરશે કે કેમ? શું ભારત શેખ હસીનાને બાંગ્લાદેશને સોંપી દેશે?
- Mina Pandya
- Updated on: Apr 7, 2025
- 7:33 pm
ઇટલીમાં આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ગુજરાતની બે મનોદિવ્યાંગ ખેલાડીઓ બની વિજેતા
8થી 15 માર્ચ 2025 દરમિયાન તુરીન, ઇટલી ખાતે સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી ભારતના 30 એથ્લિટ્સે જુદી-જુદી રમતમાં ભાગ લીધો હતો, જે પૈકી આશાબેન ઠાકોર અને પિન્કલબેન ચૌહાણે ફ્લોરબૉલ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
- Nirupa Duva
- Updated on: Apr 2, 2025
- 10:11 am
TV9ની WITT સમિટમાં PM મોદીનું સંબોધન, લુલુ ગ્રુપના માલિકોએ અબુધાબીમાં બેસીને સાંભળ્યું, જુઓ ફોટો
TV9 નેટવર્કની 'વોટ ઈન્ડિયા થિંકસ ટુડે'ની ત્રીજી આવૃત્તિ, ગત 28 માર્ચે, દિલ્હીના ભારત મંડપમ ખાતે પીએમ મોદીના સંબોધન સાથે શરૂ થઈ હતી. પીએમ મોદીએ કહ્યું કે, તમારા ટીવી9 નેટવર્કના વૈશ્વિક દર્શકો પણ તૈયાર થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આ સમિટને જોવા માટે ઘણા દેશોમાંથી ભારતના લોકો આવ્યા છે. પીએમ મોદીએ, હોટલની અંદર યોજાતા ટીવી કાર્યક્રમોની પરંપરા તોડવા બદલ TV9ને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ સમિટનું આયોજન દિલ્હીના ભારત મંડપમ ખાતે કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, ટૂંક સમયમાં અન્ય મીડિયા કંપનીઓ પણ તેને અનુસરતી જોવા મળશે.
- TV9 Gujarati
- Updated on: Mar 31, 2025
- 2:43 pm
Mann Ki Baat : પીએમ મોદીએ ચૈત્ર નવરાત્રી, ઈદની પાઠવી શુભકામનાઓ, ઉનાળુ વેકેશનનુ કેલેન્ડર જાહેર કર્યું
આજે રવિવાર 30 માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના, મન કી બાત કાર્યક્રમનો 120મો એપિસોડ રજૂ કરાયો હતો. આ પ્રસંગે, PMએ દેશમાં ઉજવવામાં આવતા તહેવારો અને આગામી દિવસોમાં ઉજવવામાં આવનારા તહેવારોની શુભેચ્છા પાઠવી હતી. ઉનાળો નજીક આવી રહ્યો છે, તેથી પીએમએ જળ સંરક્ષણની પણ વાત કરી હતી.
- TV9 Gujarati
- Updated on: Mar 31, 2025
- 9:33 pm
સંઘના 2 મજબૂત સ્તંભ…, પીએમ મોદીએ RSS મુખ્યાલયમાં હેડગેવાર-ગોલવલકરને આ રીતે યાદ કર્યા
સ્મારક પર શ્રદ્ધાંજલિ આપ્યા પછી, પીએમ મોદી, રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના જૂના કાર્યકરોને મળ્યા અને તેમના જૂના દિવસોને યાદ કર્યા અને કહ્યું કે આજનો દિવસ મારા માટે ખૂબ જ ખાસ છે. આજે નવા વર્ષ પર અહીં આવવું એ એક લહાવો છે. આ સાથે તેમણે એક સંદેશ પણ લખ્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Mar 30, 2025
- 12:19 pm
Nagpur: પીએમ મોદી નાગપુરમાં RSS હેડ ક્વાટર્સ પહોચ્યા, મોહન ભાગવતને મળ્યાં, હેડગેવાર-ગોલવલકરને અર્પી શ્રદ્ધાંજલિ
પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી, પહેલી વાર નાગપુર સ્થિત RSS મુખ્યાલયની મુલાકાત લીધી. અટલ બિહારી વાજપેયી જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે સંઘના મુખ્યાલયની મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે RSS શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ સમય દરમિયાન, વડા પ્રધાન મોદીની ડૉક્ટર હેડગેવાર સ્મૃતિ મંદિરની મુલાકાત સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની શકે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 30, 2025
- 9:27 am
શું છે એ કોરિડોર જે ભારત સાથે કેટલા દેશોને કરશે માલામાલ? WITT માં PM મોદીએ કર્યો ઉલ્લેખ
દેશના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક TV9 ના What India Thinks Today (WITT) ના ત્રીજા સંસ્કરણમાં, પીએમ મોદીએ જણાવ્યું કે ભારત પડકારોનો સામનો કરતી વખતે કેવી રીતે ઉકેલો શોધી રહ્યું છે. ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર એ એક એવો પ્રોજેક્ટ છે જે એશિયા, યુરોપ અને મધ્ય પૂર્વને જોડશે. આ પ્રોજેક્ટ ભારત દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.
- Sagar Solanki
- Updated on: Mar 28, 2025
- 11:46 pm
WITT 2025: યામી ગૌતમે PM મોદીના વખાણ કર્યા, ભારત સરકારના કયા અભિયાનથી તેઓ પ્રભાવિત થયા, જાણો
અભિનેત્રી યામી ગૌતમે TV9 ભારતવર્ષના ખાસ કાર્યક્રમ "વોટ ઇન્ડિયા ઇઝ ટોકિંગ અબાઉટ ટુડે" માં ભાગ લીધો હતો. આ દરમિયાન અભિનેત્રીએ બોલિવૂડમાં પોતાના કરિયર વિશે વાત કરી. તે જ સમયે, અભિનેત્રીએ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાત કરી અને જણાવ્યું કે મોદી સરકારની કઈ યોજના તેમને સૌથી ખાસ લાગે છે.
- Sagar Solanki
- Updated on: Mar 28, 2025
- 9:35 pm
WITT 2025: ટેલેન્ટ હન્ટ દ્વારા શોધાયેલ ‘ટાઈગર એન્ડ ટાઈગ્રેસ’ ખેલાડીઓ PM મોદીને મળ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે ભારતના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક TV9 ના "વોટ ઇન્ડિયા થિંક્સ ટુડે" સમિટ (WITT 2025) નો પ્રારંભ કરાવ્યો હતો. અહીં તેમનું સ્વાગત એવા ખાસ પ્રતિભાશાળી બાળકો દ્વારા પણ કરવામાં આવ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Mar 28, 2025
- 9:25 pm
GST અને કર પ્રણાલીએ દેશનું ભાગ્ય આ રીતે બદલી નાખ્યું, PM મોદીએ WITT માં જણાવ્યું
TV9 નેટવર્કના મેગા પ્લેટફોર્મ "વોટ ઇન્ડિયા થિંક્સ ટુડે" ની ત્રીજી આવૃત્તિ દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થઈ ગઈ છે. આ ભવ્ય પ્લેટફોર્મનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં GST અને કર વ્યવસ્થા વિશે વાત કરી હતી.
- Sagar Solanki
- Updated on: Mar 28, 2025
- 9:22 pm
TV9 એ સમિટની પરંપરા તોડી, બધા મીડિયા હાઉસ આ રસ્તો અપનાવશે: PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આયોજિત TV9ના What India Thinks Today (WITT) ગ્લોબલ સમિટની પ્રશંસા કરી. તેમણે આ મોટા પાયે યોજાનારી સમિટને ભારતની વૈશ્વિક ઓળખને મજબૂત બનાવતી ગણાવી અને TV9 દ્વારા લેવામાં આવેલા આ સાહસિક પગલાની પ્રશંસા કરી.
- Sagar Solanki
- Updated on: Mar 28, 2025
- 6:58 pm