નરેન્દ્ર મોદી
નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: 17 સપ્ટેમ્બર 1950) ભારતના 14મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા તે પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.
નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગ કુટુંબમાં અમદાવાદથી 112 કી મી અને મહેસાણાથી 34 કીમી દૂર વડનગર ખાતે થયો હતો. દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્નિ હીરાબેન મોદીના છ સંતાન પૈકી, નરેન્દ્ર મોદી ત્રીજુ સંતાન છે. તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તેઓ નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ 17 વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તેઓ હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ વેશપલટો કરીને ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યા સુધીની રામરથયાત્રા અને ડો. મૂરલી મનોહર જોષીની કાશ્મીર સુધીની એકતા યાત્રાના મુખ્ય સંયોજક હતા. બન્ને યાત્રાને સફળતાપૂર્વક સંપન્ન કરાવવામાં મોદીની કૂનેહ સામે આવી હતી. 1998માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. જેમાં તેઓને સફળતા મળી હતી. ઇ.સ. 2001ના વર્ષમાં ગુજરાતના મુખ્યમંત્રીપદેથી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ 7 ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 2012ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યમાં સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યપ્રધાન છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવવામાં નરેન્દ્ર મોદીનો સિંહફાળો રહ્યો હતો. નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ 2019 ની લોકસભાની ભાજપને ભારે બહુમતી અપાવી હતી. તેઓ 2014થી ભારતના વડાપ્રધાન છે.
Breaking News: PM મોદીએ સંજુ સેમસનની કરી પ્રશંસા, દબાણવાળી મેચોમાં મેચવિનિંગ પ્રદર્શનના કર્યા વખાણ
T20 વર્લ્ડ કપ 2026 માં ભારતની જીતનો સૌથી મોટો હીરો સંજુ સેમસન હતો. તેણે મોટી મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું. તાજેતરમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેની ખૂબ પ્રશંસા કરી હતી.
- Smit Chauhan
- Updated on: Apr 3, 2026
- 5:28 pm
Breaking News : LPG-PNG અને ફર્ટિલાઇઝર, Middle East tention વચ્ચે અઢી કલાક ચાલી CCSની મહત્વપૂર્ણ બેઠક, જાણો શું થઈ ચર્ચા
પશ્ચિમ એશિયા કટોકટીના પગલે PM મોદીની અધ્યક્ષતામાં CCS બેઠક યોજાઈ. આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવવા, ભાવ નિયંત્રણ અને કાળાબજાર રોકવા પર ભાર મુકાયો.
- Sagar Solanki
- Updated on: Apr 1, 2026
- 11:35 pm
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને પગલે પશ્ચિમ એશિયામાં સર્જાયેલ સ્થિતિની સમીક્ષા માટે PM આવાસે યોજાઈ CCS બેઠક
ઈરાન-ઈઝરાયેલ અને અમેરિકાના યુદ્ધને પગલે, પશ્ચિમ એશિયામાં સર્જાયેલ ગંભીર કટોકટીની સ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, CCS બેઠક યોજી હતી. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ગૃહ પ્રધાન અમિત શાહ સહિત અનેક વરિષ્ઠ મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
- TV9 Gujarati
- Updated on: Apr 1, 2026
- 8:00 pm
Breaking News: વાવ-થરાદમાં પીએમનો હુંકાર… ગુજરાત વિરોધી માનસિકતાને કારણે ડીસા એરબેઝમાં થયો વિલંબ, મોદીએ વિપક્ષને બરાબરના ઝાટક્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર ગુજરાતના વાવ-થરાદની મુલાકાત લઈને રાજ્યને ₹19,000 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી છે. આ પ્રવાસ દરમિયાન તેમણે ખાસ કરીને ડીસા એરબેઝના મહત્વ પર ભાર મૂક્યો હતો.
- Ravi Prajapati
- Updated on: Mar 31, 2026
- 6:27 pm
Breaking News : PM નરેન્દ્ર મોદીએ કોબામાં સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું લોકાર્પણ કર્યું, કહ્યુ- ભારતની વિવધતામાં એકતાએ સૌથી મોટી એકતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. રાજ્યને કરોડોના વિકાસ કાર્યની ભેટ આપી છે. કોબા ખાતે સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે.મ્યુઝિયમને 7 અલગ-અલગ વિભાગમાં વહેંચીને 7 ગેલેરી તૈયાર કરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Mar 31, 2026
- 1:46 pm
ગુજરાત માટે ખુશખબર, મળવા જઈ રહી છે કરોડોની ભેટ, PM મોદી મંગળવારે આવી રહ્યા છે ગુજરાત પ્રવાસે, જુઓ Video
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 માર્ચે ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેઓ રાજ્યને અનેક ભેટો આપશે. ગાંધીનગરમાં 'સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય'નું ઉદ્ઘાટન કરશે, સાણંદ ખાતે કેયન્સ સેમિકોન પ્લાન્ટનું લોકાર્પણ કરશે
- Kinjal Mishra
- Updated on: Mar 30, 2026
- 6:42 pm
Breaking News : યુદ્ધના કારણે દુનિયા ભરમાં પેટ્રોલ અને ડીઝલનું સંકટ સર્જાયું, ભારત તેનો હિંમતપૂર્વક સામનો કરી શક્યું, PM મોદીએ મન કી બાતમાં કહ્યું: “અફવાઓથી દૂર રહો.”
પીએમ મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સીધું સંબોધન કર્યું. તેમણે કહ્યું કે વિશ્વનો જે પ્રદેશ હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે તે આપણી ઉર્જા જરૂરિયાતોનું મુખ્ય કેન્દ્ર છે. આના કારણે પેટ્રોલ અને ડીઝલ અંગે વૈશ્વિક કટોકટી સર્જાઈ રહી છે.
- Hasmukh Ramani
- Updated on: Mar 29, 2026
- 1:07 pm
Breaking News: રશિયાનો ખતરનાક નિર્ણય 1 એપ્રિલથી પેટ્રોલના નિકાસ પર લગાવી રોક, શું ભારતમાં ઈંધણનું સંકટ સર્જાશે?
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે રશિયાએ આગામી 1 એપ્રિલ 2026થી પેટ્રોલના નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી વૈશ્વિક તેલ બજારમાં હલચલ મચી ગઈ છે. જાણો શું આ નિર્ણયથી તમારા ખિસ્સા પર ભાર વધશે?
- Sachin Agrawal
- Updated on: Mar 31, 2026
- 2:19 pm
Noida International Airport : કેમ છે ચર્ચામાં જેવર એરપોર્ટ, એવું તો શું છે ખાસ ? જાણો એશિયાના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિશે
ભારતના એવિએશન સેક્ટરમાં આજે એક નવો ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં નિર્મિત 'નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ'નું આજે 28 માર્ચ, 2026 ના રોજ પીએમ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે.
- Sachin Agrawal
- Updated on: Mar 28, 2026
- 3:29 pm
Jewar Airport : જેવર નામ કેવી રીતે પડ્યું ? રામ, રાવણ અને મહાભારત સાથે જોડાયેલી રસપ્રદ કહાની
Noida International Airport: પીએમ મોદી આજે નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. આ એરપોર્ટ ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના જેવર તાલુકામાં આવેલું છે. આ કારણે તેને જેવર એરપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે પ્રશ્ન એ છે કે જેવર નામ ક્યાંથી આવ્યું? તેની સાચી સ્ટોરી શું છે? શું તેનો રામાયણ કે મહાભારત કાળ સાથે કોઈ સંબંધ છે?
- Meera Kansagara
- Updated on: Mar 28, 2026
- 10:17 am
28 માર્ચના મહત્વના સમાચાર : આવનારા સમયમાં 100 નવા એરપોર્ટ બનશે-PM મોદી
આજે 28 માર્ચને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Mar 28, 2026
- 8:42 pm
Breaking News : વરસાદનું એલર્ટ પણ તૈયારી પાકી ! 12 લાખ સ્ક્વેર ફીટમાં વોટરપ્રૂફ ટેન્ટ, બે લાખ લોકોની વ્યવસ્થા… જેવર એરપોર્ટ ઉદ્ઘાટન માટે તૈયાર
જેવર એરપોર્ટના ઉદ્ઘાટન પહેલા IMDએ વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે, પરંતુ પ્રશાસને 12 લાખ સ્ક્વેર ફીટ વોટરપ્રૂફ ટેન્ટ અને સુરક્ષા વ્યવસ્થાઓ સાથે પૂરેપૂરી તૈયારી કરી લીધી છે.
- Dhruv Barot
- Updated on: Mar 27, 2026
- 4:37 pm
પીએમ મોદી એક દિવસ માટે, 31મી માર્ચે આવશે ગુજરાત, કોબા, સાણંદ, ડીસામાં સંબોધશે જાહેરસભા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31મી માર્ચના રોજ, ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યાં છે. પીએમ મોદી, તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન ગાંધીનગરના કોબા, અમદાવાદના સાણંદ અને બનાસરકાંઠાના ડીસા ખાતે વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.
- Kinjal Mishra
- Updated on: Mar 28, 2026
- 10:38 am
27 માર્ચના મહત્વના સમાચાર : ‘ભાજપ નેતા’ના ભાઈની ગુંડાગીરી! રિવોલ્વર અને ધારિયા સાથે સિક્યુરિટી જવાન પર હુમલો કર્યો, પોલીસ જોતી રહી તમાશો
આજે 27 માર્ચને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Mar 27, 2026
- 8:53 pm
Breaking News: યુદ્ધના સંકટ વચ્ચે રાજ્યોની તૈયારીઓની સમીક્ષા કરવા PM મોદીએ બોલાવી મુખ્યમંત્રીઓની બેઠક
પશ્ચિમ એશિયામાં સર્જાયેલા ગંભીર સંઘર્ષ અને ઈંધણ પુરવઠા પરના તોળાતા જોખમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે 6:30 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે.
- TV9 Gujarati
- Updated on: Mar 26, 2026
- 7:59 pm