AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: 17 સપ્ટેમ્બર 1950) ભારતના 14મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા તે પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.

નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગ કુટુંબમાં અમદાવાદથી 112 કી મી અને મહેસાણાથી 34 કીમી દૂર વડનગર ખાતે થયો હતો. દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્નિ હીરાબેન મોદીના છ સંતાન પૈકી, નરેન્દ્ર મોદી ત્રીજુ સંતાન છે. તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તેઓ નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ 17 વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તેઓ હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ વેશપલટો કરીને ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યા સુધીની રામરથયાત્રા અને ડો. મૂરલી મનોહર જોષીની કાશ્મીર સુધીની એકતા યાત્રાના મુખ્ય સંયોજક હતા. બન્ને યાત્રાને સફળતાપૂર્વક સંપન્ન કરાવવામાં મોદીની કૂનેહ સામે આવી હતી. 1998માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. જેમાં તેઓને સફળતા મળી હતી. ઇ.સ. 2001ના વર્ષમાં ગુજરાતના મુખ્યમંત્રીપદેથી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ 7 ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 2012ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યમાં સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યપ્રધાન છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવવામાં નરેન્દ્ર મોદીનો સિંહફાળો રહ્યો હતો. નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ 2019 ની લોકસભાની ભાજપને ભારે બહુમતી અપાવી હતી. તેઓ 2014થી ભારતના વડાપ્રધાન છે.

Read More
Follow On:

PM Modi : LPG અને તેલને લઈને ટૂંક સમયમાં આવી શકે છે ગુડ ન્યૂઝ, ભારત-UAE વચ્ચે થવાની છે મોટી ડીલ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર 15મી મેથી 5 દેશોના 6 દિવસીય મહત્ત્વપૂર્ણ પ્રવાસ પર છે. તેમના આ પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવા માટે વ્યૂહાત્મક ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે કે 15મી મેનું પ્રવાસનું પ્રથમ સ્થાન સંયુક્ત આરબ અમીરાત (UAE) હશે.

Breaking News : મોદી સરકારે કપાસ, તુવેર, મગ, બાજરી સહીત ખરીફ પાકના ટેકાના ભાવ વધાર્યા, સરખેજથી ધોલેરા સેમી-હાઈ સ્પીડ ડબલ લાઇન રેલવે ટ્રેકને આપી મંજૂરી

કેન્દ્રીય કેબિનેટે, ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કર્યો છે. આ હેતુ માટે રૂપિયા 260,000 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. આજે 13મી મે બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત માટે સરખેજથી ધોલેરા સુધી સેમી-હાઈ સ્પીડ ડબલ લાઇન રેલવે ટ્રેકને મંજૂરી આપવામાં આવી છે.

હવે શાળાના વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણશે ! PM મોદીના નિર્દેશ બાદ ઓનલાઈન શિક્ષણ માટે આ શાળાએ બતાવી તૈયારી, જુઓ Video

વડાપ્રધાન મોદીના ઓનલાઈન શિક્ષણ માટે તૈયાર રહેવાના નિર્દેશથી દેશમાં ચર્ચા શરૂ થઈ છે. રાજકોટના શાળા સંચાલકો ટેકનોલોજી અને AIની મદદથી ઓનલાઈન શિક્ષણ આપવા સજ્જ છે.

Breaking News: ક્યાંક ખરીદીની મર્યાદા તો ક્યાંક 4 દિવસની ઓફિસ… યુદ્ધની અસર ઘટાડવા માટે અલગ-અલગ દેશોએ લગાવ્યા આ પ્રતિબંધો

ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે આજે આખું વિશ્વ એક ગંભીર ઊર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. તેલ અને ગેસના પુરવઠામાં અવરોધ આવતા મોંઘવારી સતત વધી રહી છે. આ વૈશ્વિક કટોકટીની અસર ઘટાડવા માટે ભારત સહિત વિશ્વના અનેક દેશોએ ખૂબ જ કડક પ્રતિબંધો લગાવ્યા છે.

Breaking News: PM Modi ની અપીલનો અસરકારક પ્રભાવ, અમદાવાદની IT કંપનીઓનો 50%થી વધુ સ્ટાફ હવે Work From Home

અમદાવાદની અનેક IT કંપનીઓએ ફરી Work From Home મોડલ અપનાવવાનું શરૂ કર્યું છે. વડાપ્રધાન મોદીની અપીલ અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કર્મચારીઓની સુરક્ષા સાથે ખર્ચ બચતને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

Breaking News : પીએમ મોદીની અપીલની અસર જોવા મળી, સાઈકલ ચલાવી જજ હાઈકોર્ટ પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇંધણ બચતની અપીલ બાદ, મધ્યપ્રદેશ હાઇકોર્ટના ન્યાયાધીશ ડી.ડી. બંસલે કોર્ટ સાયકલ ચલાવી પહોંચ્યા હતા. તેઓ તેમના નિવાસસ્થાનથી લગભગ 3 કિલોમીટર દૂર સાયકલ ચલાવીને ગયા હતા.

Breaking News : PM મોદીની અપીલ બાદ, રાજ્યમાં સોનાની ખરીદીમાં ઘટાડો થયો,નાયબ મુખ્યમંત્રીએ આપી માહિતી, જુઓ વીડિયો

PM મોદીની અપીલ બાદ રાજ્યમાં સોનાની ખરીદીમાં ઘટાડો થયો છે. DYCM હર્ષ સંઘવીએ મોટો દાવો કર્યો છે અને કહ્યું બે દિવસમાં રાજ્યમાં સોનાની ખરીદી ઘટી છે.

Breaking News : PM મોદીની અપીલ બાદ, CM ભૂપેન્દ્ર પટેલે કાફલા વગર પ્રવાસ કર્યો, તો DYCM સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા ગુજરાત અને આસામ પ્રવાસ દરમિયાન ઓછી ગાડી સાથએ પ્રવાસ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે રાજ્ય સરકારે પણ અપીલ પર કામ કરવાનું શરુ કરી દીધું છે.

Breaking news: પશ્ચિમ એશિયા સંકટ, PM મોદીએ પોતાની અપીલ પર કામ કર્યું, કાફલાના વાહનોમાં ભારે ઘટાડો કર્યો

પશ્ચિમ એશિયાના સંકટને ધ્યાનમાં રાખીને, PM મોદીએ ઇંધણ બચાવવાની અપીલ કરી અને વ્યક્તિગત રીતે આ પહેલનો અમલ કર્યો. તેમણે તેમના સત્તાવાર કાફલામાં નોંધપાત્ર ઘટાડો કર્યો. તેમના નેતૃત્વને અનુસરીને ઘણા મુખ્યમંત્રીઓએ પણ તેમના કાફલામાં ઘટાડો કર્યો છે. પ્રધાનમંત્રીએ દેશવાસીઓને ઘરેથી કામ કરવા, ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરી.

PM મોદીએ કહ્યું ‘સોનું ન ખરીદો’, નેહરુ સરકારે કહ્યું હતું ‘સોનું દાનમાં આપો’, લોકોએ મંગળસૂત્ર સુદ્ધાના કર્યા હતા દાન- વાંચો સંકટકાળમાં Goldની ભૂમિકા

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક વર્ષ સુધી સોનુ ન ખરીદવાની અપીલની ચારેતરફ ચર્ચા થઈ રહી છે. રાજકીય વર્તુળોમાં પણ તેનુ જુદુ અર્થઘટન કરવામાં આવી રહ્યુ છે. PM મોદીની આ અપીલ પર રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યુ અને કહ્યુ કે દરેક વખતે તેઓ જનતા પર જવાબદારી ઢોળીને બચી જાય છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ નેતાએ લોકોને સોનુ ન ખરીદવાની અપીલ કરી હોય. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુથી લઈને પી ચિદમ્બરમ સહિતના આવી અપીલ કરી ચુક્યા છે. હાલ તો મોદીએ ફક્ત સોનું ન ખરીદવાની અપીલ કરી છે. અગાઉની કોંગ્રેસની સરકારોએ તો દેશ માટે સોનુ દાન કરવાની દેશવાસીઓને અપીલ કરી હતી અને લોકોએ ખોબલે ખોબલે દેશ માટે સોનાનું દાન પણ આપ્યુ હતુ. વાંચો

Gold Import India: જો ભારત 1 વર્ષ સોનું નહીં ખરીદે તો તૂટી જશે વૈશ્વિક બજાર? આ દેશોને લાગશે મોટો ફટકો!

ભારતીયો માટે સોનું એ જીવ છે, પણ શું તમે જાણો છો કે તમારી એક વર્ષની ખરીદી આખી દુનિયાની અર્થવ્યવસ્થા બદલી શકે છે? પીએમ મોદીએ સોનું ન ખરીદવાની અપીલ કેમ કરી? કયા દેશોને થશે અબજોનું નુકસાન અને શું હવે સોનું રાખવા પર ટેક્સ લાગશે?

Gold Buying Rules : PM Modi અપીલ બાદ શું સોનું ખરીદવું ગુનો છે? જાણી લો ભારતના કડક કાયદા !

પીએમ મોદીએ સોનું ન ખરીદવાની અપીલ કરી છે, જેના કારણે સોનાના શોખીનોમાં ફફડાટ ફેલાયો છે! શું ખરેખર સોનું ખરીદવું હવે ગુનો બની જશે? તમારી પાસે રહેલા દાગીના કાયદેસર છે કે ગેરકાયદે? જાણો ઇનકમ ટેક્સ અને ભારતીય કાયદાના એવા નિયમો જે તમારા હોશ ઉડાવી દેશે!

Crude Oil and Natural Gas : વૈશ્વિક તણાવ વચ્ચે સરકારે ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ માટે લીધો મોટો નિર્ણય!

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ માટે રોયલ્ટી સિસ્ટમમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારનો દાવો છે કે નવી નીતિ રોકાણને વેગ આપશે, સ્થાનિક ઉત્પાદનને મજબૂત બનાવશે અને ભારતની ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવશે.

Breaking News : “વિદેશમાં નહીં, દેશમાં લગ્ન કરો,” પીએમ મોદીએ ડેસ્ટિનેશન વેડિંગ્સ અંગે ખાસ અપીલ કરી, જાણો શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેસ્ટિનેશન વેડિંગને લઈ દેશવાસીઓને અપીલ કરી છે કે, દેશમાં લગ્ન કરો. તેમણે કહ્યું કે, વિદેશમાં લગ્ન કરવાના ચલણથી દેશનો મોટાભાગના પૈસા બહાર જઈ રહ્યો છે.

Breaking News: PM મોદીની ફરી એકવાર અપીલ : વિદેશી મુદ્રા બચાવવા માટે સોનું, ઈંધણ અને વિદેશી પ્રવાસનો વપરાશ ઘટાડવા જનતાને આહવાન

વૈશ્વિક સંકટ અને ખોરવાયેલી સપ્લાય ચેઈન વચ્ચે વડાપ્રધાને દેશવાસીઓને રાષ્ટ્રહિતમાં સહભાગી થવા આહવાન કર્યું છે. પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવાથી લઈ એક વર્ષ માટે સોનું ન ખરીદવા સુધીની અપીલને વિવિધ એસોસિએશનોએ આવકારી છે. આ પહેલથી દેશના અબજો રૂપિયા વિદેશ જતા અટકશે.

દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
g clip-path="url(#clip0_868_265)">