નરેન્દ્ર મોદી
નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: 17 સપ્ટેમ્બર 1950) ભારતના 14મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા તે પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.
નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગ કુટુંબમાં અમદાવાદથી 112 કી મી અને મહેસાણાથી 34 કીમી દૂર વડનગર ખાતે થયો હતો. દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્નિ હીરાબેન મોદીના છ સંતાન પૈકી, નરેન્દ્ર મોદી ત્રીજુ સંતાન છે. તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તેઓ નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ 17 વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તેઓ હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ વેશપલટો કરીને ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યા સુધીની રામરથયાત્રા અને ડો. મૂરલી મનોહર જોષીની કાશ્મીર સુધીની એકતા યાત્રાના મુખ્ય સંયોજક હતા. બન્ને યાત્રાને સફળતાપૂર્વક સંપન્ન કરાવવામાં મોદીની કૂનેહ સામે આવી હતી. 1998માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. જેમાં તેઓને સફળતા મળી હતી. ઇ.સ. 2001ના વર્ષમાં ગુજરાતના મુખ્યમંત્રીપદેથી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ 7 ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 2012ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યમાં સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યપ્રધાન છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવવામાં નરેન્દ્ર મોદીનો સિંહફાળો રહ્યો હતો. નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ 2019 ની લોકસભાની ભાજપને ભારે બહુમતી અપાવી હતી. તેઓ 2014થી ભારતના વડાપ્રધાન છે.
Breaking News : “બિનોદ સાંભળે છે ને?” પીએમ મોદી પણ “પંચાયત” ના ચાહક! જુઓ Video
પીએમ નરેન્દ્ર મોદીએ પંચાયતના વિનોદ-ભૂષણ સાથેની મુલાકાતનો વીડિયો શેર કર્યો, લોકોએ કહ્યું હવે પંચાયતનો વિકાસ થશેએકે લખ્યું દેખ રહે હો વિનોદ વડાપ્રધાન અમને કેવી રીતે મળી રહ્યા છે.
- Nirupa Duva
- Updated on: Jun 24, 2026
- 10:06 am
યોગ એ માત્ર આસન નથી, પરંતુ માનવ એકતાનો આધાર છે : PM મોદી
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતાના રેડ રોડ પર યોગાસન કર્યા હતા. તેમણે કહ્યું કે યોગ ફક્ત શારીરિક મુદ્રાઓ, આસન નથી પરંતુ માનવ એકતાના પાયા તરીકે કામ કરે છે.
- Bipin Prajapati
- Updated on: Jun 21, 2026
- 8:37 am
International Yoga Day 2026 : કોલકાતામાં PM મોદીએ તો ગુજરાતમાં અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે કર્યા યોગ, જુઓ ફોટો
International Yoga Day 2026 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂનના રોજ કોલકાતાના રેડ રોડ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026નું નેતૃત્વ કર્યું હતુ. 21 જૂન 2015થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરુઆત થઈ હતી.કોલકાતામાં PM મોદીએ તો ગુજરાતમાં અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે યોગ કર્યા હતા.
- Nirupa Duva
- Updated on: Jun 21, 2026
- 8:31 am
બંગાળ બંધનોથી મુક્ત થઈ રહ્યું છે, તેનું ગૌરવ ફરી પાછું આવી રહ્યું છે: પશ્ચિમ બંગાળ દિવસ પર PM મોદી
પશ્ચિમ બંગાળ દિવસ નિમિત્તે પીએમ મોદીએ રાજ્યના વિકાસ અને નવી તાજગી અંગે સંબોધન કર્યું. તેમણે જણાવ્યું કે બંગાળ જૂના બંધનોમાંથી મુક્ત થઈ રહ્યું છે અને ગૌરવ પાછું આવી રહ્યું છે.
- Sagar Solanki
- Updated on: Jun 20, 2026
- 6:32 pm
Breaking News: ભારતીય નાવિકોના મોત મુદ્દે ટ્રમ્પને પૂછાયો સવાલ, અમેરિકી રાષ્ટ્રપતિએ શું આપ્યો જવાબ?
ઓમાન નજીક થયેલા હુમલામાં ત્રણ ભારતીય નાવિકોના મોત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો. જાણો ટ્રમ્પે આ ઘટના અંગે શું કહ્યું અને ભારતે કેમ વ્યક્ત કરી કડક નારાજગી.
- Nishat
- Updated on: Jun 18, 2026
- 8:11 am
PM મોદીની વિદેશ નીતિ સફળ રહી… બ્રિટન સાથે વેપાર કરાર 15 જુલાઈથી અમલમાં આવશે, યુરોપ-કેનેડા સાથે પણ થઈ વાતચીત
ફ્રાન્સમાં G7 સમિટમાં ભારતને નોંધપાત્ર આર્થિક સફળતા મળી છે. પીએમ મોદીની રાજદ્વારી કુશળતાને કારણે યુકે સાથે એક મોટો વેપાર કરાર 15 જુલાઈ, 2026 ના રોજ અમલમાં આવશે. વધુમાં યુરોપિયન યુનિયન અને કેનેડા સાથેના મહત્વપૂર્ણ વેપાર કરારોને ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ મોટા નિર્ણયો ભારતમાં વિદેશી રોકાણ, રોજગાર અને વ્યવસાય માટે નવા દરવાજા ખોલશે.
- Meera Kansagara
- Updated on: Jun 18, 2026
- 7:37 am
Breaking News: 16 મહિના પછી મુલાકાત… પીએમ મોદીએ ટ્રમ્પ સમક્ષ ઉઠાવ્યો ભારતીયોની સુરક્ષાનો મુદ્દો, જાણો બેઠકની મોટી વાતો
ફ્રાન્સના એવિયન શહેરમાં યોજાયેલી જી-7 સમિટ દરમિયાન 16 મહિના પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ખાસ મુલાકાત થઈ છે. આ દ્વિપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ વૈશ્વિક વ્યાપાર અને ભારતીય નાવિકોની સુરક્ષાનો મુદ્દો ખૂબ જ મજબૂતાઈથી ઉઠાવ્યો છે.
- Ravi Prajapati
- Updated on: Jun 17, 2026
- 8:02 pm
Breaking News: G7 સમિટમાં PM મોદીએ ઉઠાવ્યો ભારતીય ખલાસીઓના મૃત્યુનો મુદ્દો, ટ્રમ્પની હાજરીમાં વ્યક્ત કરી ચિંતા
પ્રધાનમંત્રી મોદીએ G7 સમિટમાં પશ્ચિમ એશિયાના તણાવ અને દરિયાઈ અસુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે અમેરિકન લશ્કરી હુમલામાં ભારતીય ખલાસીઓના દુઃખદ મૃત્યુ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. આ બેઠક દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમની બાજુમાં બેઠા હતા.
- Meera Kansagara
- Updated on: Jun 17, 2026
- 8:07 am
PM Modi : 13થી 18 જૂન સુધી ફ્રાન્સના પ્રવાસે પીએમ મોદી, G-7 સમિટમાં લેશે ભાગ ! ઇન્ડિયા ઇનોવેટ્સ ઇવેન્ટનું પણ કરશે ઉદ્ઘાટન
ભારત અને ફ્રાન્સના સંબંધો સતત ગાઢ બન્યા છે. પીએમ મોદીની આ ફ્રાન્સની સાતમી સત્તાવાર મુલાકાત છે. આ મુલાકાત દરમિયાન અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.
- Dhruval Shah
- Updated on: Jun 12, 2026
- 2:26 pm
મોદી સરકારનો મોટો એક્શન પ્લાન: અચાનક ક્રૂડ ઓઈલનો આટલો મોટો ભંડાર કેમ કરવામાં આવી રહ્યો છે ભેગો, જાણો શું છે માસ્ટરસ્ટ્રોક.
શું ભારત પર પેટ્રોલ-ડીઝલની અછતનું સંકટ તોળાઈ રહ્યું છે? રશિયા-યુક્રેન અને મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે મોદી સરકારે ભારતને મોંઘવારીથી બચાવવા એક મોટો માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે.
- Dhruv Barot
- Updated on: Jun 11, 2026
- 9:42 pm
Breaking News: 12 વર્ષમાં આતંકવાદ પર એરસ્ટ્રાઇક, આર્ટિકલ 370 નાબૂદી જેવા ઐતિહાસિક નિર્ણયોથી વિશ્વમાં ભારતની તાકાત વધી
એનડીએ (NDA) નેતાઓની મહત્વની બેઠકને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના છેલ્લા 12 વર્ષના કાર્યકાળનુ રિપોર્ટ કાર્ડ રજૂ કર્યુ છે. પીએમ મોદીએ જણાવ્યું કે વૈશ્વિક અસ્થિરતા, કોવિડ રોગચાળો અને આર્થિક મંદી જેવા મોટા સંકટો વચ્ચે પણ એક સ્થિર સરકાર હોવાના કારણે ભારતે 2025-26 ના વર્ષમાં 7.7% નો શાનદાર વિકાસ દર હાંસલ કર્યો છે.
- Sachin Agrawal
- Updated on: Jun 10, 2026
- 8:42 pm
Breaking News : મધ્યમ વર્ગને લઈ PM મોદીનું મોટું નિવેદન, NDA બેઠકમાં કોંગ્રેસ પર સાધ્યું નિશાન
વડાપ્રધાન મોદીએ NDA બેઠકમાં છેલ્લા 12 વર્ષના શાસનની સિદ્ધિઓ રજૂ કરી. તેમણે કોંગ્રેસની નીતિઓની આલોચના કરી અને ભારપૂર્વક જણાવ્યું કે દેશ કોંગ્રેસની માનસિકતામાંથી બહાર આવ્યો છે.
- Sagar Solanki
- Updated on: Jun 10, 2026
- 8:45 pm
મોદી હૈ તો મુમકીન હે : ડૉલર સામે રૂપિયો ગબડ્યો છતાં શેરબજારમાં તોફાની તેજી ! 12 વર્ષના આંકડા જોઈને દુનિયા સ્તબ્ધ
બજારની પાછળ રમાઈ ગઈ એવી રમત, જેની સામાન્ય રોકાણકારોને કાનોકાન ખબર ન પડી! પીએમ મોદીના 12 વર્ષના શાસનકાળની ઉજવણી વચ્ચે શેરબજારના આંકડાઓમાંથી એક એવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે જેણે મોટા-મોટા દિગ્ગજોના હોશ ઉડાવી દીધા છે. વિદેશીઓની ગુપ્ત ચાલ અને એક ખાસ ઇન્ડેક્સનો રહસ્યમય ઉછાળો.
- Dhruv Barot
- Updated on: Jun 10, 2026
- 5:23 pm
Nehru vs Modi : 1947થી લઈ 2026 સુધીનું ભારત, નેહરુની નીવથી મોદીના વિકાસ સુધી કેટલું બદલાયું?
નેહરુએ લોકશાહીને મજબૂત બનાવી. 1950માં સંવિધાન અમલમાં આવ્યું. 1951-52માં પહેલી સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. તે સમયે કરોડો લોકોએ મતદાન કર્યું હતું. આજના સમયે નેહરુની નીતિઓ પર પણ ટીકા કરવામાં આવે છે. પરંતુ 2014 પછી મોદી સરકારે મોટા પાયે યોજનાઓ શરૂ કરી. સૌથી મોટો બદલાવ ડિજિટલ અને સીધી લાભ વિતરણ પ્રણાલીમાં જોવા મળ્યો.
- Dhruval Shah
- Updated on: Jun 10, 2026
- 9:56 am
PM Modi : પીએમ નરેન્દ્ર મોદી શાસનના 12 વર્ષ થયા પૂર્ણ, જાણો 12 મોટી ઉપલબ્ધિઓ શું છે?
નરેન્દ્ર મોદીએ 26મે 2014ના દિવસે પ્રથમ વખત વડાપ્રધાન પદની શપથ લીધી હતી. તેમના વડાપ્રધાન બન્યાના થોડા મહિના પછી નરેન્દ્ર મોદીએ જન ધન યોજના શરૂ કરી હતી. જેમાં ઝીરો બેલેન્સથી બેંક ખાતું ખોલવામાં આવ્યું હતું. આ પછી પીએમ તરીકે મોદીએ મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને GST જેવા મહત્વપૂર્ણ સુધારાઓને લાગુ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
- Dhruval Shah
- Updated on: Jun 9, 2026
- 2:13 pm