AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: 17 સપ્ટેમ્બર 1950) ભારતના 14મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા તે પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.

નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગ કુટુંબમાં અમદાવાદથી 112 કી મી અને મહેસાણાથી 34 કીમી દૂર વડનગર ખાતે થયો હતો. દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્નિ હીરાબેન મોદીના છ સંતાન પૈકી, નરેન્દ્ર મોદી ત્રીજુ સંતાન છે. તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તેઓ નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ 17 વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તેઓ હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ વેશપલટો કરીને ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યા સુધીની રામરથયાત્રા અને ડો. મૂરલી મનોહર જોષીની કાશ્મીર સુધીની એકતા યાત્રાના મુખ્ય સંયોજક હતા. બન્ને યાત્રાને સફળતાપૂર્વક સંપન્ન કરાવવામાં મોદીની કૂનેહ સામે આવી હતી. 1998માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. જેમાં તેઓને સફળતા મળી હતી. ઇ.સ. 2001ના વર્ષમાં ગુજરાતના મુખ્યમંત્રીપદેથી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ 7 ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 2012ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યમાં સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યપ્રધાન છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવવામાં નરેન્દ્ર મોદીનો સિંહફાળો રહ્યો હતો. નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ 2019 ની લોકસભાની ભાજપને ભારે બહુમતી અપાવી હતી. તેઓ 2014થી ભારતના વડાપ્રધાન છે.

Read More
Follow On:

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સલરને આપી લાખોની ગિફ્ટ, જુઓ વીડિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્ઝ અમદાવાદના સાબરમતી રિવરફ્રંટમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં સામેલ થયા હતા.જર્મન ચાન્સલરને પીએમ મોદીએ પટોળું ગિફ્ટ કર્યું હતુ.

Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ, અમદાવાદના મહેમાન બનેલા જર્મન ચાન્સેલર સાથે ચગાવ્યો પતંગ- Video

આ વર્ષેનો ગુજરાતનો સૌથી મોટો કાઈટ ફેસ્ટીવલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો. આ વર્ષે અમદાવાદના આંતરરાષ્ટીય કાઈટ ફેસ્ટીવલનો વડાપ્રધાન મોદી અને અમદાવાદના મહેમાન બનેલા જર્મન ચાન્સેલર ફ્રેડરીક મેઝએ શુભારંભ કરાવ્યો છે.

Breaking News: હવે અમદાવાદથી સીધા જઇ શકાશે અક્ષરધામ અને મહાત્મા મંદિર, ગાંધીનગરમાં PM મોદીએ નવા મેટ્રો સ્ટેશનનું કર્યુ લોકાર્પણ – જુઓ Video

ગાંધીનગરમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું. મેટ્રો ફેઝ-2 અંતર્ગત મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન થયું છે.

Breaking News : 12 જાન્યુઆરીએ અમદાવાદનો આ રસ્તો બંધ રહેશે, ડ્રોન ઉડાવવા પર પણ પ્રતિબંધ જાણો કારણ

વાડજ મોડથી આંબેડકર બ્રિઝ સુધીનો રિવરફ્રન્ટ રોડ બંધ રહેશે. વાડજ સર્કલથી આશ્રમ રોડ તરફ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ કે, 12 જાન્યુઆરીના રોજ કેમ રિવરફ્રન્ટ વેસ્ટ રોડ બંધ રહેશે

Breaking News : PM મોદીએ સોમનાથ આક્રમણના શહીદોને કર્યા યાદ, કહ્યુ- સોમનાથ પરાક્રમ અને વીરતાનું સાક્ષી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે "સોમનાથ સ્વાભિમાન પર્વ" માં ભાગ લેવા માટે સોમનાથ પહોંચ્યા છે. સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરીને PM મોદીએ અહીં સભામાં સંબોધન કર્યુ. સાથે જ PM મોદીએ સોમનાથ આક્રમણના શહીદોને કર્યા યાદ, કહ્યુ- સોમનાથ પરાક્રમ અને વીરતાનું સાક્ષી રહ્યુ છે. 

શિવભક્તોની ભીડ, હાથમાં ડમરુ… શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી, જુઓ Video

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથમાં શૌર્ય યાત્રામાં ભાગ લીધો હતો, જે મંદિરની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપનારા બહાદુર યોદ્ધાઓને સમર્પિત છે. શૌર્ય યાત્રામાં 108 ઘોડાઓની પ્રતીકાત્મક શોભાયાત્રાનો સમાવેશ થતો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રીએ સોમનાથ મંદિરમાં પૂજા કરી છે.

Somnath Drone Show : સોમનાથ મંદિર, શિવલિંગ અને આકાશમાં બ્રહ્માંડની તસવીરો, ડ્રોન શો શું છે? કેવી રીતે બને છે આકાશમાં ઈમેજ

Somnath Temple : ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરમાં સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. 10 જાન્યુઆરીની સાંજે, મંદિર સંકુલમાં એક ડ્રોન શો યોજાયો હતો, જેમાં 3,000 ડ્રોનનો ઉપયોગ થયો હતો. (Photo: X/@narendramodi)

PM Modi Somnath Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું, 108 અશ્વસવાર સાથે શૌર્ય યાત્રા નીકળી, જુઓ વીડિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ગુજરાતના પ્રવાસ પર છે.PM મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું છે. આ દરમિયાન અનેક કલાકારોએ પરફોર્મન્સ કર્યું હતુ. પરંપરાગત સોનાના આભૂષણ પહેરીને આહિરજ્ઞાતિની મહિલાઓ ગીતો ગાય રાસડે રમી હતી.

11 જાન્યુઆરીના મહત્વના સમાચાર : સૌરાષ્ટ્ર-કચ્છને પીએમ મોદીની ભેટ, 13 નવી GIDCની જાહેરાત, રિલાયન્સ 5 વર્ષમાં કરશે 7 લાખ કરોડનું રોકાણ તો કચ્છમાં 1.5 લાખ કરોડનું રોકાણ કરશે અદાણી

આજે 11 જાન્યુઆરીને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

સોમનાથમાં PM મોદીનો ભવ્ય રોડ શો, 72 કલાકના અનુષ્ઠાન જાપમાં પણ જોડાયા, જુઓ Video

વડાપ્રધાન મોદી 10-12 જાન્યુઆરીએ ગુજરાતના 3-દિવસીય પ્રવાસે છે. તેમણે સોમનાથમાં ભવ્ય રોડ શો કર્યો, સ્વાભિમાન પર્વમાં ભાગ લીધો અને ડ્રોન શો નિહાળ્યો.

Breaking News : PM નરેન્દ્ર મોદીનો સોમનાથ પ્રવાસ.. વિશેષ પૂજા અને કાર્યક્રમો સાથે ઉજવાયો “સોમનાથ સ્વાભિમાન પર્વ”, જુઓ Video

વડાપ્રધાન મોદીએ સોમનાથમાં જ્યોતિર્લિંગના દર્શન અને પૂજા કરી ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો. તેમણે શૌર્ય યાત્રામાં ભાગ લીધો અને વિકાસ કાર્યોની સમીક્ષા કરી.

10 જાન્યુઆરીના મહત્વના સમાચાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથદાદાને ઝૂકાવ્યું શીશ, રોડ શોમાં ઉમટી જંગી જનમેદની, 3 હજાર ડ્રોન થકી રજૂ કરાઇ સોમનાથની અદભૂત મહાગાથા

આજે 10 જાન્યુઆરીને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

વિનાશ નહીં, પણ આત્મસન્માનની ગાથા, સોમનાથ પરના હુમલાના 1000 વર્ષ પૂરા થતા, PM મોદીએ બ્લોગમાં લખ્યો લેખ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર પર લખેલો એક લેખ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. પીએમ મોદીએ સોમનાથ મંદિર પરના પહેલા હુમલાની 1000 વર્ષ પૂરા થવા પર આ લેખ લખ્યો છે. લેખમાં પીએમ મોદીએ જણાવ્યું છે કે, વિદેશી આક્રમણકારોએ મંદિરનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સોમનાથ અડગ રહ્યુ. આ જ્યોતિર્લિંગ ભારતના આત્માનું પ્રતીક છે.

Breaking News : ટ્રમ્પની ભારતને ફરી ધમકી ! કહ્યું..રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ ના કર્યું તો ટેરિફ વધારીશું

ભારતની રશિયન તેલ આયાત અંગે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "તેઓ ખરેખર મને ખુશ કરવા માંગતા હતા. પીએમ મોદી ખૂબ જ સારા માણસ છે. તેઓ એક સારા વ્યક્તિ છે. તેઓ જાણતા હતા કે હું ખુશ નથી. મને ખુશ કરવું મહત્વપૂર્ણ હતું. અમે તેમના પર ટેરિફ ખૂબ જ ટૂંક સમયમાં વધારી શકીએ છીએ."

સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી દોડી ગયા, રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યુ !

ગુજરાતના મુખ્ય પ્રધાન અને ભાજપના અન્ય પદાધિકારીઓની વારંવારની દિલ્હી મુલાકાતને લઈને વિપક્ષે અનેકવાર, ભૂપેન્દ્ર પટેલ સરકાર પર શાબ્દિક હુમલા કર્યા છે કે, ગુજરાતની સરકાર ગાંઘીનગરથી નહીં પરંતુ દિલ્હી દરબાર ચલાવે છે. નાની નાની વાતોમાં પણ દિલ્હી દરબાર પાસે મંજૂરી લેવી પડે છે.

દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">