નરેન્દ્ર મોદી
નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: 17 સપ્ટેમ્બર 1950) ભારતના 14મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા તે પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.
નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગ કુટુંબમાં અમદાવાદથી 112 કી મી અને મહેસાણાથી 34 કીમી દૂર વડનગર ખાતે થયો હતો. દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્નિ હીરાબેન મોદીના છ સંતાન પૈકી, નરેન્દ્ર મોદી ત્રીજુ સંતાન છે. તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તેઓ નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ 17 વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તેઓ હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ વેશપલટો કરીને ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યા સુધીની રામરથયાત્રા અને ડો. મૂરલી મનોહર જોષીની કાશ્મીર સુધીની એકતા યાત્રાના મુખ્ય સંયોજક હતા. બન્ને યાત્રાને સફળતાપૂર્વક સંપન્ન કરાવવામાં મોદીની કૂનેહ સામે આવી હતી. 1998માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. જેમાં તેઓને સફળતા મળી હતી. ઇ.સ. 2001ના વર્ષમાં ગુજરાતના મુખ્યમંત્રીપદેથી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ 7 ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 2012ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યમાં સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યપ્રધાન છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવવામાં નરેન્દ્ર મોદીનો સિંહફાળો રહ્યો હતો. નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ 2019 ની લોકસભાની ભાજપને ભારે બહુમતી અપાવી હતી. તેઓ 2014થી ભારતના વડાપ્રધાન છે.
ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ: PM મોદી સાથે CM ભૂપેન્દ્ર પટેલની 3 કલાકની રાજકીય બેઠક
સંગઠનનું નવું માળખું, મંત્રીમંડળમાં ફેરફાર અને સામાજિક સમીક્ષા મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી અને ઉપ-મુખ્યમંત્રી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં બેઠકમાં સામેલ થયા હતા.
- TV9 Gujarati
- Updated on: Dec 14, 2025
- 10:53 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા પાછળ પ્રતિ કલાક કેટલો ખર્ચ થાય છે? રોજનો ખર્ચ પણ ઘણો મોટો
નરેન્દ્ર મોદીને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. તેમની સુરક્ષા માટે 24 SPG કમાન્ડો હંમેશા તેમની સાથે રહે છે.
- Devankashi rana
- Updated on: Dec 13, 2025
- 8:08 am
Breaking News : મોદી સરકારે મનરેગાનું નામ બદલ્યું, કામના દિવસોમાં પણ વધારો થયો, કેબિનેટને મંજૂરી મળી
કેન્દ્રની મોદી સરકાર મનરેગા યોજનાનું નામ બદલીને મંજૂરી આપશે. શુક્રવારે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. જાણો વિગતે.
- Manish Gangani
- Updated on: Dec 12, 2025
- 3:56 pm
પુતિનની મુલાકાતના 6 દિવસ બાદ PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત, કયા મુખ્ય મુદ્દાઓ પર થઈ ચર્ચા? જાણો
ભારત-અમેરિકા સંબંધોમાં નવી ચહલપહલ જોવા મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વ્યૂહાત્મક અને વેપાર સંબંધિત મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા કરી. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાતના થોડા જ દિવસોમાં થયેલી આ વાતચીત આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિમાં નવી ચર્ચાનો વિષય બની છે.
- Manish Gangani
- Updated on: Dec 11, 2025
- 9:06 pm
PM મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને એકસાથે કેમ મળ્યાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, જાણો કારણ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે સંસદભવનમાં પીએમ મોદી અને અમિત શાહ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠક સંસદભવન સ્થિત વડાપ્રધાનના કાર્યાલયમાં યોજાઈ હતી. પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી વચ્ચેની બેઠકના અહેવાલથી રાજકીય ગરમાવો વધી ગયો હતો.
- TV9 Gujarati
- Updated on: Dec 10, 2025
- 3:56 pm
સંસદમાં વંદે માતરમ પર બોલ્યા પીએમ મોદી : નહેરૂએ લખી હતી મુસ્લિમાનોના ભડકવાની વાત
વંદે માતરમની રચનાની 150મી વર્ષગાંઠ પર લોકસભામાં ખાસ ચર્ચા શરૂ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વંદે માતરમ સ્વતંત્રતા ચળવળનો અવાજ અને દરેક ભારતીયના સંકલ્પ બન્યો હતો. અંગ્રેજોએ 1905માં બંગાળનું વિભાજન કર્યું, પરંતુ વંદે માતરમે એકતાની પ્રેરણા આપી.
- TV9 Gujarati
- Updated on: Dec 8, 2025
- 2:56 pm
“પુતિનની મુલાકાતે સાબિત કર્યુ કે ભારત અમેરિકા સામે ઝુકશે નહી” – અમેરિકી એક્સપર્ટે આપ્યુ નિવેદન
Putin India Visit: અમેરિકાના ભારેખમ ટેરિફ છતા પણ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવ્યા. પુતિને ભારત સાથે અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા. અમેરિકન વિશ્લેષક માઈકલ કુગેલમેન માને છે કે આ દ્વારા પુતિન અને મોદીએ અમેરિકાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
- Mina Pandya
- Updated on: Dec 6, 2025
- 8:57 pm
Breaking News : રશિયાની ભારતને સૌથી મોટી ભેટ, પુતિની જાહેરાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો
રશિયન રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત દરમિયાન PM મોદી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. પુતિને સ્પષ્ટ કર્યું કે, અમેરિકાના દબાણ છતાં રશિયા ભારતને ક્રૂડ ઓઇલનો પુરવઠો સતત જાળવી રાખશે.
- Sagar Solanki
- Updated on: Dec 5, 2025
- 5:31 pm
Breaking News : ભારત–રશિયા વચ્ચે મોટી ડીલ, જાણો શું છે પોર્ટેબલ ન્યુક્લિયર પાવર ? રશિયાએ ભારતને કરી ઓફર
તાજેતરની ભારત-રશિયા સમિટમાં રશિયાએ ભારતને SMRs (નાના મોડ્યુલર ન્યુક્લિયર રિએક્ટરો) સપ્લાય કરવાની ઓફર કરી છે. આ ટેક્નોલોજી સ્વચ્છ, પોર્ટેબલ અને સુરક્ષિત ઊર્જા પૂરી પાડીને ભારતની વધતી વીજળીની માંગને પહોંચી વળશે, ખાસ કરીને દુર્ગમ વિસ્તારોમાં.
- Sagar Solanki
- Updated on: Dec 5, 2025
- 4:53 pm
હવે રશિયન લોકો ભારત ફરવા આવશે, E-Visa અને Group Tourist Visa ની થશે શરૂઆત!
પીએમ મોદીએ 23મા ભારત-રશિયા દ્વિપક્ષીય શિખર સંમેલનમાં રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે ભારત-રશિયાની મિત્રતા દરેક પડકારમાં મજબૂત રહી છે. બંને દેશો યુરેશિયન આર્થિક સંઘ સાથે FTA માટે પ્રયાસશીલ છે અને રશિયન નાગરિકો માટે મફત E-ટૂરિસ્ટ વિઝા શરૂ કરાશે, જે સંબંધોને વધુ મજબૂત બનાવશે.
- Sagar Solanki
- Updated on: Dec 5, 2025
- 3:49 pm
રશિયા-યુક્રેન યુદ્ધને લઇને PM મોદીએ ‘અમે ન્યુટ્રલ નથી, અમારો એક જ પક્ષ છે….’ જાણો પુતિન સાથે શું વાતચીત થઇ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસે છે, આજે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઇ. દ્વિપક્ષીય વાટાઘાટો પહેલા, બંને નેતાઓએ યુક્રેન યુદ્ધ, ભારત-રશિયા સંબંધો સહિત વિવિધ મુદ્દે વિગતવાર ચર્ચા કરી. આ દરમિયાને તેમણે યુક્રેન યુદ્ધ લઇને નિવેદન આપ્યુ કે અમે ન્યુટ્રલ નથી, અમારો એક જ પક્ષ છે.
- Tanvi Soni
- Updated on: Dec 5, 2025
- 1:56 pm
દિલ્હી ઍરપોર્ટથી 50 લાખની જાપાની કારમાં સવાર થઈને નીકળ્યા મોદી-પુતિન? MH નંબર વાળી ગાડી બની ગઈ રહસ્ય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એકસાથે ટોયોટા ફોર્ચ્યુનર કારમાં સવાર થઈને દિલ્હી ઍરપોર્ટથી નીકળ્યા. આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. જાણો તેની પાછળનો સંદેશ શું છે.
- Mina Pandya
- Updated on: Dec 4, 2025
- 9:42 pm
Breaking News : રાષ્ટ્રપતિ પુતિનનું ભારતમાં સ્વાગત, એરપોર્ટ પર PM મોદી ખુદ લેવા પહોંચ્યા, જુઓ Video
રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની ભારત મુલાકાતને વિશેષ બનાવતા પીએમ નરેન્દ્ર મોદી ખુદ તેમને લેવા માટે દિલ્હીના પાલમ એરપોર્ટ પર પહોંચ્યા. સામાન્ય રીતે રાષ્ટ્રીય મહેમાનોનું સ્વાગત પ્રોટોકોલ અનુસાર અધિકારીઓ અથવા મંત્રીઓ કરે છે, પરંતુ આ વખત પીએમ મોદીએ સ્વયં પહોંચીને ભારત-રશિયા મિત્રતાનું અનોખું પ્રતિક રજૂ કર્યું.
- Sagar Solanki
- Updated on: Dec 4, 2025
- 7:34 pm
India’s Diplomatic Venue : એવુ તો શું છે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં કે, PM મોદી વિદેશી મહેમાનોને ત્યાં જ મળે છે.. !
નવી દિલ્હીમાં આવેલું હૈદરાબાદ હાઉસ ભારતના રાજદ્વારી સંબંધોનું હૃદય છે. વડા પ્રધાનની વિદેશી મહાનુભાવો સાથેની ઉચ્ચસ્તરીય બેઠકોનું આ સૌથી પસંદગીનું સ્થળ છે.
- Sagar Solanki
- Updated on: Dec 4, 2025
- 7:03 pm
પુતિન ભારત આવે એ પહેલા નરેન્દ્ર મોદીની 25 વર્ષ જુની આ તસવીર બની ચર્ચાનું કેન્દ્ર…. જાણો શું છે કારણ?
પુતિનની ભારત યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા તરફથી ભારતીય વસ્તુઓ પર 50 ટકા ભારે ટેરિફ લગાવવામાં આવ્યો છે અને ભારત અમેરિકાના સંબંધો છેલ્લા 30 વર્ષના તેના સૌથી ખરાબ તૂક્કામાં છે. આ મીટીંગમાં અમેરિકી પ્રતિબંધોની ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવાના કારણે આવનારી અસરોને લઈને પણ ચર્ચા થવાની શક્યતા છે.
- Mina Pandya
- Updated on: Dec 4, 2025
- 6:06 pm