નરેન્દ્ર મોદી
નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: 17 સપ્ટેમ્બર 1950) ભારતના 14મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા તે પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.
નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગ કુટુંબમાં અમદાવાદથી 112 કી મી અને મહેસાણાથી 34 કીમી દૂર વડનગર ખાતે થયો હતો. દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્નિ હીરાબેન મોદીના છ સંતાન પૈકી, નરેન્દ્ર મોદી ત્રીજુ સંતાન છે. તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તેઓ નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ 17 વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તેઓ હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ વેશપલટો કરીને ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યા સુધીની રામરથયાત્રા અને ડો. મૂરલી મનોહર જોષીની કાશ્મીર સુધીની એકતા યાત્રાના મુખ્ય સંયોજક હતા. બન્ને યાત્રાને સફળતાપૂર્વક સંપન્ન કરાવવામાં મોદીની કૂનેહ સામે આવી હતી. 1998માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. જેમાં તેઓને સફળતા મળી હતી. ઇ.સ. 2001ના વર્ષમાં ગુજરાતના મુખ્યમંત્રીપદેથી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ 7 ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 2012ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યમાં સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યપ્રધાન છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવવામાં નરેન્દ્ર મોદીનો સિંહફાળો રહ્યો હતો. નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ 2019 ની લોકસભાની ભાજપને ભારે બહુમતી અપાવી હતી. તેઓ 2014થી ભારતના વડાપ્રધાન છે.
8th Pay Commission : સરકારી કર્મચારીઓનો પગાર રૂ. 72,000 સુધી પહોંચશે ? આ રહ્યો જવાબ
BPMS એ માંગ કરી છે કે, 8મા પગાર પંચે લઘુત્તમ પગાર રૂપિયા 72,000, મહત્તમ રૂપિયા 10 લાખ અને ફિટમેન્ટ ફેક્ટર 4.0 નક્કી કર્યો છે. વધુમાં, તેમણે 6% વાર્ષિક વધારો અને 'પરિવાર એકમ' ના કદમાં 3 થી 5 સભ્યોનો વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
- TV9 Gujarati
- Updated on: Apr 24, 2026
- 2:48 pm
Breaking News : રૂપિયા 10,000 થઈ શકે છે પેન્શન, સરકાર કરી રહી છે વિચાર, આ લોકોને થશે મોટો ફાયદો
અટલ પેન્શન યોજના: શેરી વિક્રેતાઓ, ઘરકામ કરનારાઓ, મજૂરો અને સ્વરોજગાર વ્યક્તિઓ માટે માસિક પેન્શન સંભવિત રીતે વધીને ₹10,000 થઈ શકે છે. સરકાર હાલમાં અટલ પેન્શન યોજના હેઠળ આ દરખાસ્ત પર વિચાર કરી રહી છે.
- TV9 Gujarati
- Updated on: Apr 23, 2026
- 8:19 pm
PMIS: PM ઇન્ટર્નશિપ યોજના હેઠળ યુવાનો માટે મોટા સમાચાર, હવે દર મહિને મળશે 9 હજાર રૂપિયા
PM ઇન્ટર્નશિપ યોજનામાં મોટો ફેરફાર થયો છે, હવે તે ₹9,000 નું માસિક સ્ટાઇપેન્ડ ઓફર કરે છે. સરકારે વય મર્યાદા પણ વધારી છે. સરકારનું ધ્યાન રોજગાર અને કૌશલ્ય વિકાસ પર છે.
- Meera Kansagara
- Updated on: Apr 23, 2026
- 9:38 am
Pahalgam Attack : પહેલગામ હુમલાની પહેલી વરસી, સમગ્ર કાશ્મીરમાં હાઈ અલર્ટ જાહેર, PMએ કહ્યુ- આતંકવાદ સામે નહીં ઝુકીએ
પહેલગામ આતંકી હુમલાની પ્રથમ વરસી પર કાશ્મીરમાં સુરક્ષા વધારવામાં આવી છે. આતંકી ખતરા વચ્ચે સર્ચ ઓપરેશન અને ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.
- Nishat
- Updated on: Apr 22, 2026
- 9:15 am
PM મોદીનો ઝાલમુરી પ્રેમ ચર્ચામાં, ભેળપૂરીથી ઝાલમુરી સુધી, જાણો ભારતમાં કયા ઝાલમુરીનો વર્ઝન છે પ્રખ્યાત
ભારતમાં ભેળપૂરીના વિવિધ સ્વાદો વચ્ચે બંગાળની ઝાલમુરી ખાસ ઓળખ ધરાવે છે. ચૂંટણી દરમિયાન PM Modi એ તેનો સ્વાદ માણતા આ સ્ટ્રીટ ફૂડ ચર્ચામાં આવ્યું.
- Nishat
- Updated on: Apr 22, 2026
- 8:19 am
Breaking News : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ, PM મોદીને આતંકવાદી કહ્યાં, ભાજપે કહ્યું- માફી માગે, આ જીભ નથી લપસી, જુઓ વીડિયો
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીએમ મોદી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને "આતંકવાદી" કહ્યા. જોકે, તેમણે પછીથી સ્પષ્ટતા કરતા કહ્યું કે આ તેમનો હેતુ એવો નહોતો. તેમનો હેતુ એ કહેવાનો હતો કે પીએમ લોકોને "આતંકવાદી" બનાવે છે.
- TV9 Gujarati
- Updated on: Apr 21, 2026
- 5:16 pm
Breaking News: રાજસ્થાનની રિફાઈનરીમાં ‘અગ્નિ તાંડવ’: CDU યુનિટમાં વિકરાળ આગ લાગતા અફરાતફરી, PM મોદી કરવાના હતા લોકાર્પણ
રાજસ્થાનના બાલોતરામાં આવેલી રિફાઈનરીના ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટ (CDU) માં ભીષણ આગ ફાટી નીકળી છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના હતા, તે પહેલાં જ સર્જાયેલી આ દુર્ઘટનાએ તંત્રને દોડતું કરી દીધું છે. ધુમાડાના ગોટેગોટા અને જ્વાળાઓ વચ્ચે કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
- Sachin Agrawal
- Updated on: Apr 20, 2026
- 7:38 pm
Breaking News : PM મોદીનું રાષ્ટ્રને સંબોધન, કહ્યું.. મહિલા આરક્ષણનો વિરોધ કરી જે પાપ વિપક્ષે કર્યું છે તેની સજા તેમને મળશે
મહિલા શક્તિને આગળ વધતી અટકાવી દેવામાં આવી છે. મહિલા અનામત પર પ્રધાનમંત્રી મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન
- Sagar Solanki
- Updated on: Apr 18, 2026
- 8:54 pm
Breaking News: આજે રાત્રે 8.30 વાગ્યે PM મોદી રાષ્ટ્રજોગ કરશે સંબોધન
ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશજોગ સંબોધન કરવાના છે. આ પહેલા મોદીએ 8 નવેમ્બર 2016માં નોટબંધી સમયે પણ રાત્રે જ દેશને સંબોધિત કર્યો હતો. જો કે હાલ મનાઈ રહ્યુ છે કે વડાપ્રધાનનું આ સંબોધન નારી શક્તિ વંદન અધિનિયમ ને સંબંધિત હોઈ શકે છે.
- Mina Pandya
- Updated on: Apr 18, 2026
- 3:48 pm
Breaking News: ચાલો ઇતિહાસ રચીએ… વોટિંગ પહેલાં PMની પોસ્ટ, વિપક્ષી પક્ષોને અપીલ
મહિલા અનામત બિલ અને સીમાંકન પર સંસદમાં ગુરુવારથી ચર્ચા ચાલી રહી છે. ગઈકાલે આ ચર્ચા સવારે 1 વાગ્યા સુધી ચાલી હતી અને આજે શુક્રવારે પણ ચાલુ રહેશે. બિલ પર મતદાન સાંજે 4 વાગ્યે થવાનું છે. આ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દરેકને તેમના નિર્ણય પર કાળજીપૂર્વક વિચાર કરવા અને મહિલા અનામતની તરફેણમાં મતદાન કરવા વિનંતી કરી હતી.
- Meera Kansagara
- Updated on: Apr 17, 2026
- 2:53 pm
Breaking News: સંસદમાં ભારે હોબાળા વચ્ચે અડધી રાતે મહિલા અનામત કાયદો 2023 લાગુ, સરકારે જાહેરનામું બહાર પાડ્યું
16 એપ્રિલથી શરૂ થતા કાયદાને લાગુ કરવાની સૂચના શા માટે ચોક્કસ રીતે જાહેર કરવામાં આવી હતી જ્યારે સંસદમાં આ કાયદામાં સુધારા અંગે ચર્ચા ચાલી રહી હતી. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, એક અધિકારીએ આ પગલાને "ટેકનિકલ કારણોસર" ગણાવ્યું અને વધુ વિગતવાર માહિતી આપી નહીં.
- Devankashi rana
- Updated on: Apr 17, 2026
- 8:23 am
Breaking News : વિપક્ષને પીએમ મોદીની ઓફર, લોકસભામાં 33 ટકા મહિલા અનામત બિલને પસાર કરીને ક્રેડિટ મેળવો, સરકારી ખર્ચે છાપામાં ફોટા છપાવો
લોકસભાના આજથી શરુ થયેલા ત્રિદિવસીય વિશેષ સત્રમાં પહેલા દિવસે, મોદી સરકાર દ્વારા મહિલાઓને 33 ટકા અનામત આપતું બિલ લોકસભામા રજૂ કરવામાં આવ્યુમં હતું. આ બિલ પરની ચર્ચામાં ભાગ લેતા વડાપ્રધાન મોદીએ, વિપક્ષને અપીલ કરી હતી કે, મહિલાઓને 33 ટકા અનામત આપતા બિલને પસાર કરવામાં મદદ કરે.
- TV9 Gujarati
- Updated on: Apr 16, 2026
- 5:11 pm
Breaking News: ઈરાન-અમેરિકા શાંતિ વાર્તા ફેલ થયા બાદ ટ્રમ્પનો PM મોદીને ફોન; 40 મિનિટ સુધી ચાલી ગુપ્ત ચર્ચા
ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની મંત્રણા નિષ્ફળ જતાં જ ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે વાતચીત કરી છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે આ 40 મિનિટની વાતચીતે વિશ્વભરમાં ચર્ચા જગાવી છે. જાણો, બંને નેતાઓ વચ્ચે કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા.
- Sachin Agrawal
- Updated on: Apr 14, 2026
- 8:08 pm
Breaking News : નારી શક્તિ વંદન બિલ 21મી સદીનો ઐતિહાસિક નિર્ણય, પીએમ મોદીએ કરી મોટી જાહેરાત
પ્રધાનમંત્રી મોદીએ નારી શક્તિ વંદન પરિષદમાં મહિલા અનામત બિલને ઐતિહાસિક ગણાવ્યું. તેમણે કહ્યું કે આ ૨૧મી સદીનો સૌથી મોટો નિર્ણય છે, જે નવા સંસદ ભવનથી મહિલા સશક્તિકરણ અને લોકશાહી શક્તિને સુનિશ્ચિત કરશે.
- TV9 Gujarati
- Updated on: Apr 13, 2026
- 1:28 pm
સંસદ બાહર જ્યારે સામ-સામે આવ્યા PM મોદી અને રાહુલ ગાંધી, કરી લાંબી વાતચીત, જુઓ-Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે ટૂંકી વાતચીત કરવા માટે થોડી ક્ષણો રોકાયા. રાહુલ અને પીએમ મોદી વચ્ચેની આ વાતચીતના ફોટોગ્રાફ્સ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે
- Devankashi rana
- Updated on: Apr 11, 2026
- 3:05 pm