AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: 17 સપ્ટેમ્બર 1950) ભારતના 14મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા તે પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.

નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગ કુટુંબમાં અમદાવાદથી 112 કી મી અને મહેસાણાથી 34 કીમી દૂર વડનગર ખાતે થયો હતો. દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્નિ હીરાબેન મોદીના છ સંતાન પૈકી, નરેન્દ્ર મોદી ત્રીજુ સંતાન છે. તેમનું હુલામણું નામ એન.ડી. હતું. તેઓ નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ 17 વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તેઓ હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ વેશપલટો કરીને ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યા સુધીની રામરથયાત્રા અને ડો. મૂરલી મનોહર જોષીની કાશ્મીર સુધીની એકતા યાત્રાના મુખ્ય સંયોજક હતા. બન્ને યાત્રાને સફળતાપૂર્વક સંપન્ન કરાવવામાં મોદીની કૂનેહ સામે આવી હતી. 1998માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. જેમાં તેઓને સફળતા મળી હતી. ઇ.સ. 2001ના વર્ષમાં ગુજરાતના મુખ્યમંત્રીપદેથી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ 7 ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 2012ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યમાં સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યપ્રધાન છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવવામાં નરેન્દ્ર મોદીનો સિંહફાળો રહ્યો હતો. નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ 2019 ની લોકસભાની ભાજપને ભારે બહુમતી અપાવી હતી. તેઓ 2014થી ભારતના વડાપ્રધાન છે.

Read More
Follow On:

દિલ્હી ઍરપોર્ટથી 50 લાખની જાપાની કારમાં સવાર થઈને નીકળ્યા મોદી-પુતિન? MH નંબર વાળી ગાડી બની ગઈ રહસ્ય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એકસાથે ટોયોટા ફોર્ચ્યુનર કારમાં સવાર થઈને દિલ્હી ઍરપોર્ટથી નીકળ્યા. આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. જાણો તેની પાછળનો સંદેશ શું છે.

Breaking News : રાષ્ટ્રપતિ પુતિનનું ભારતમાં સ્વાગત, એરપોર્ટ પર PM મોદી ખુદ લેવા પહોંચ્યા, જુઓ Video

રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની ભારત મુલાકાતને વિશેષ બનાવતા પીએમ નરેન્દ્ર મોદી ખુદ તેમને લેવા માટે દિલ્હીના પાલમ એરપોર્ટ પર પહોંચ્યા. સામાન્ય રીતે રાષ્ટ્રીય મહેમાનોનું સ્વાગત પ્રોટોકોલ અનુસાર અધિકારીઓ અથવા મંત્રીઓ કરે છે, પરંતુ આ વખત પીએમ મોદીએ સ્વયં પહોંચીને ભારત-રશિયા મિત્રતાનું અનોખું પ્રતિક રજૂ કર્યું.

India’s Diplomatic Venue : એવુ તો શું છે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં કે, PM મોદી વિદેશી મહેમાનોને ત્યાં જ મળે છે.. !

નવી દિલ્હીમાં આવેલું હૈદરાબાદ હાઉસ ભારતના રાજદ્વારી સંબંધોનું હૃદય છે. વડા પ્રધાનની વિદેશી મહાનુભાવો સાથેની ઉચ્ચસ્તરીય બેઠકોનું આ સૌથી પસંદગીનું સ્થળ છે.

પુતિન ભારત આવે એ પહેલા નરેન્દ્ર મોદીની 25 વર્ષ જુની આ તસવીર બની ચર્ચાનું કેન્દ્ર…. જાણો શું છે કારણ?

પુતિનની ભારત યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા તરફથી ભારતીય વસ્તુઓ પર 50 ટકા ભારે ટેરિફ લગાવવામાં આવ્યો છે અને ભારત અમેરિકાના સંબંધો છેલ્લા 30 વર્ષના તેના સૌથી ખરાબ તૂક્કામાં છે. આ મીટીંગમાં અમેરિકી પ્રતિબંધોની ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવાના કારણે આવનારી અસરોને લઈને પણ ચર્ચા થવાની શક્યતા છે.

ભારતીય શેફે બનાવેલો ખોરાક કેમ નહીં ખાય પુતિન? તો પછી કોણ બનાવશે જાણો અહીં

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે ભારતના શ્રેષ્ઠ શેફની નિમણૂક કરવામાં આવી હતી કારણ કે તેઓ ખૂબ જ તાલીમ પામેલા શેફ છે. તેમ છતાં, પુતિન તેમના ભોજનને સ્પર્શ પણ કરતા નથી. પણ શા માટે?

ભારત અને રશિયા વચ્ચે 23મું શિખર સંમેલન યોજાવા જઈ રહ્યું છે, અમેરિકા અને યુરોપિયન દેશોની ચિંતા વધી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. 2022 પછી આ તેમની પહેલી મુલાકાત છે. પુતિનની મુલાકાતથી યુરોપિયન દેશો નારાજ થયા છે, પરંતુ ભારત તેને એક મોટી તક તરીકે જુએ છે.

પુતિનની મુલાકાત પહેલા દિલ્હી હાઈ એલર્ટ પર, સુરક્ષા ઘેરો તૈયાર, સુરક્ષાની જવાબદારી કઈ ફોર્સ પાસે?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4-5 ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની સુરક્ષા રશિયન ફેડરલ પ્રોટેક્ટિવ સર્વિસ (FPS)અને ભારતના સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) દ્વારા સંભાળવામાં આવશે.

દિવ્ય, ભવ્ય અને મનમોહક… PM મોદીએ ગોવામાં ભગવાન રામની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું

વડાપ્રધાન મોદીએ ગોવામાં ભગવાન રામની ભવ્ય 77 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામ સુતાર દ્વારા બનાવવામાં આવેલી આ પ્રતિમા ભગવાન રામની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. આ અનાવરણ શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠની 550મી વર્ષગાંઠ સાથે સુસંગત છે.

Breaking News : ભારત આવશે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, 4-5 ડિસેમ્બરે લેશે મુલાકાત, જાણો કારણ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવનાર છે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ મુર્મુ અને પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરશે. તેલ ખરીદી, સંરક્ષણ અને વેપાર જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

સદીઓની વેદનાનો આજે આવ્યો અંત, અયોધ્યા રામમંદિરેથી બોલ્યા પીએમ મોદી- ધર્મ ધ્વજાના પુનઃસ્થાપનનો સંકલ્પ પૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રામ મંદિરમાં ધર્મ ધ્વજા ફરકાવી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજે સનાતનીઓ માટે એક ઐતિહાસિક દિવસ છે. સદીઓથી ચાલી આવતી વેદનાનો અંત આવ્યો છે. સદીઓથી ધર્મ ધ્વજાને પુનઃસ્થાપન કરવાનો સંકલ્પ આજે પૂર્ણ થઈ રહ્યો છે.

Breaking News: અયોધ્યા રામમય બની, રામ મંદિર પર PM મોદીએ ધર્મ ધ્વજા લહેરાવી, 3 કિમી દૂરથી થશે ધજાના દર્શન

અભિજિત મુહૂર્ત શરૂ થઈ ગયું છે. ધર્મધ્વજને શિખર પર ચઢાવવામાં આવી રહ્યો છે. વૈદિક વિધિઓ શરૂ થઈ ગઈ છે, અને મંત્રોનો જાપ શરૂ થઈ ગયો છે. PM મોદીએ ધર્મધ્વજ લહેરાવી દીધો છે.

30 મિનિટનું શ્રેષ્ઠ મુહૂર્ત, 8,000 VIP ગેસ્ટ્સ, મોબાઈલ પર પ્રતિબંધ, દેશ બનશે વધુ એક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી

રામ મંદિરમાં 25 નવેમ્બરે આયોજિત થનારા ધ્વજારોહણ સમારોહ સ્વતંત્રતા દિવસ જેવા રાષ્ટ્રીય સમારોહની ગરિમા સાથે સંપન્ન થશે. વૈદિક પરંપરાઓ અને આધુનિક શિષ્ટાચાર વચ્ચે સવારે 11 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધીમાં નિર્ધારીત શુભ મુહૂર્તમાં ધ્વજારોહણની વિધિ સંપન્ન કરવામાં આવશે. આ અવધિની અંદર 30 મિનિટના શ્રેષ્ઠ મુહૂર્તમાં ધજા ચડાવવામાં આવશે. આ મૂહુર્ત બપોરે 12 થી 12:30 વાગ્યા સુધીમાં થશે.

ડ્રગ-આતંકવાદનો સામનો.. G20 સમિટમાં PM મોદીએ કયા-કયા પ્રસ્તાવ રાખ્યા? જાણો

જોહાનિસબર્ગ G20 સમિટમાં PM મોદીએ વૈશ્વિક વિકાસ મોડેલો પર પુનર્વિચાર કરવા હાકલ કરી. તેમણે ત્રણ મુખ્ય પહેલ રજૂ કરી.

દુનિયામાં નવાજૂની..! ત્રણ દિગ્ગજો G20 માંથી ગાયબ, ટ્રમ્પ, પુતિન અને જિનપિંગ કેમ થયા દૂર ?

દક્ષિણ આફ્રિકામાં યોજાઈ રહેલી G20 સમિટ ઐતિહાસિક છે, જ્યાં યુએસ, ચીન અને રશિયાના નેતાઓ - ટ્રમ્પ, જિનપિંગ અને પુતિન - ગેરહાજર રહ્યા છે.

PM નરેન્દ્ર મોદી પહેરે છે એક ખાસ પ્રકારની દેશી ઘડિયાળ, જેમા જડેલો છે એક ખાસ સિક્કો- જાણો ઘડિયાળની કિંમત કેટલી છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'રોમન વાઘ' ઘણી ચર્ચામાં છે, જેમા 1947ની સાલનો એક દુર્લભ પ્રકારનો સિક્કો જડેલો છે. જયપુરમાં વૉચ કંપનીએ તેને બનાવ્યો છે. આ ઘડિયાળ 'મેક ઈન ઈન્ડિયા' અને 'વોકલ ફોર લોકલ' નું પ્રતીક છે. આ ઘડિયાળ આઝાદીની યાત્રા અને આત્મનિર્ભરતાની ભાવના દર્શાવે છે.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">