ભારતના નવા દુશ્મન તુર્કીયેમાં આવેલો છે એક ‘નરકનો દરવાજો’, જે જાય તે જીવતુ પાછુ નથી ફરતુ
તુર્કીયેમાં એક રહસ્યમય સ્થળ આવેલુ છે, જ્યાં જે કોઈ જાય છે તે ક્યારેય પાછો ફરતો નથી. આને નરકનો દરવાજો કહેવામાં આવે છે. તુર્કીમાં આવેલી આ જગ્યા ગાઢ અંધકારમાં ડૂબેલી છે, અહીં કંઈપણ દેખાતું નથી.

તુર્કીયેમાં એક રહસ્યમય સ્થળ આવેલુ છે, જ્યાં જે કોઈ જાય છે તે ક્યારેય પાછો ફરતો નથી. આને નરકનો દરવાજો કહેવામાં આવે છે. તુર્કીમાં આવેલી આ જગ્યા ગાઢ અંધકારમાં ડૂબેલી છે, અહીં કંઈપણ દેખાતું નથી.

તુર્કીયેના પ્રાચીન શહેર હિરાપોલિસમાં એક મંદિર છે, જ્યાં જે કોઈ જાય છે, તેનું મૃત્યુ નિશ્ચિત છે, તેથી જ આ મંદિરને નરકનો દરવાજો પણ કહેવામાં આવતું હતું. જો કોઈ ત્યાં જાય છે, તો તે જીવતો પાછો ફરતો નથી. એવું કહેવાય છે કે ત્યાંના દેવતાઓના ક્રોધને કારણે આવું થાય છે.

આ મંદિરનું રહસ્ય 2018 માં ખુલ્યું છે. વાસ્તવમાં, તુર્કીમાં આવેલું પ્રાચીન શહેર હિરાપોલિસ ભારત અને વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હતું. પુરાતત્વમાં રસ ધરાવતા લોકો ત્યાં જતા હતા, પરંતુ અહીં આવ્યા પછી, આ મંદિરમાં કોઈ આવ્યું હોય તેવી કોઇ સાબીતી મળી નથી.

એવું કહેવાય છે કે અહીં જે કોઈ જાય છે તેનું મૃત્યુ થાય છે. એવું કહેવામાં આવતું હતું કે મંદિરની નજીક જનારા ફક્ત માણસો જ નહીં પણ પ્રાણીઓ અને પક્ષીઓ પણ મૃત્યુ પામે છે. આ જ કારણ હતું કે આ મંદિર રહસ્યમય બન્યું.

આ ઘટનાઓ પછી, તે પ્લુટોના મંદિર તરીકે જાણીતું બન્યું, જ્યારે કેટલાક લોકો તેને મૃત્યુના દેવનું મંદિર કહેવા લાગ્યા. મૃત્યુને કારણે, સ્થાનિક લોકોએ આ મંદિરની નજીક જવાનું બંધ કરી દીધું અને પ્રવાસીઓને ત્યાં જવા દીધા નહીં. એવું કહેવાય છે કે મંદિરના દરવાજા પર પક્ષીઓને ઘણી વખત પાંજરામાં બંધ કરીને સાબિત થયું કે મૃત્યુના દેવતા અહીં રહે છે કારણ કે જે પણ પક્ષી ત્યાં રાખવામાં આવ્યું હતું, તે થોડીવારમાં મૃત્યુ પામતું હતું.

ધીમે ધીમે આ સ્થળનું રહસ્ય વધતું ગયું, આ ઘાતક મંદિર એટલે કે આ પ્લુટો મંદિર લોકો માટે ખતરો બની ગયું. જ્યારે આ મંદિરના ઇતિહાસ વિશે વધુ માહિતી મળી શકી નથી. રોમન પૌરાણિક કથાઓમાં એવું માનવામાં આવતું હતું કે પ્લુટો પૃથ્વીની નીચે એક દેવ છે. કેટલાક લોકો તેને અંધશ્રદ્ધા કહે છે તો કેટલાક તેને નરકનું પ્રવેશદ્વાર કહે છે અને આ મંદિરમાં પ્રવેશતા ડરે છે.

આ મંદિરનું રહસ્ય 2018 માં પ્રકાશમાં આવ્યું જ્યારે પ્રાચીન ગ્રીક ભૂગોળશાસ્ત્રી સ્ટ્રેબોએ પણ પોતાના સંશોધનમાં સ્વીકાર્યું કે જે કોઈ પણ તેની અંદર જાય છે તે જીવતો પાછો આવી શકતો નથી. સ્ટ્રેબોએ મંદિરમાં એક પક્ષી મોકલ્યું જે થોડા જ સમયમાં મૃત્યુ પામ્યું, પરંતુ તેણે આ માટે ગુફામાં હાજર કાર્બન ડાયોક્સાઇડને જવાબદાર ગણાવ્યું, જેનું સ્તર ત્યાં 91 ટકા હતું.

સ્થાનિક લોકો માને છે કે આ સ્થળે બલિદાન આપવામાં આવતા હતા અને તેથી જ ખોદકામ દરમિયાન પ્રાણીઓ અને પક્ષીઓના હાડપિંજર મળી આવ્યા હતા અને આ નરકનો દરવાજો છે.

હવે આ લડાઈ વિજ્ઞાન અને માન્યતા વચ્ચે બની ગઈ છે, કારણ ગમે તે હોય, પણ એ વાત સાચી છે કે જે કોઈ અહીં ગયું છે તે આજ સુધી પાછો ફર્યુ નથી.
જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.
