Travel Tips : દરેક હિલ સ્ટેશનમાં મોલ રોડ કેમ હોય છે? જાણો કારણ
ભારતમાં લગભગ દરેક હિલ સ્ટેશન પર મોલ રોડ હોય છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, હિલ સ્ટેશન પર મોલ રોડ કેમ હોય છે. તો ચાલો આજે આપણે આની પાછળનું કારણ વિસ્તારથી જાણીએ.

ભારતના લગભગ દરેક હિલ સ્ટેશન પર મોલ રોડ છે. પરંતુ, શું તમે જાણો છો કે આ મોલ રોડ ફક્ત હિલ સ્ટેશનઓ પર જ કેમ છે? આ વિશે વિસ્તારથી વાત કરીએ.

જો તમે પણ ફરવાના શૌખીન છો તો તમે પરિવાર કે મિત્રો સાથે હિલ સ્ટેશન પર જવાનો પ્લાન જરુર બનાવ્યો હશે. શિમલા હોય કે મસૂરી કે ભારતનું કોઈ પણ હિલ સ્ટેશન હોય. તમામ સ્થળો પર મોલ રોડ કોમન હોય છે.

ટુરિસ્ટ હંમેશા મોલ રોડથી અલગ અલગ વસ્તુઓનું શોપિંગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, ભારતના મોટાભાગના હિલ સ્ટેશન પર અંગ્રેજોએ મોલ રોડ કેમ બનાવ્યા હતા? અંગ્રેજોએ આ કેમ બનાવ્યા તેનું કારણ ખરેખર ખૂબ જ રસપ્રદ છે.

તમને જણાવી દઈએ કે, મોલ રોડ બનાવવાનો મતલબ માત્ર શોપિંગ અને ખાણી-પીણી નથી. અંગ્રેજોએ ગરમીથી બચવા માટે મોલ રોડ બનાવ્યો હતો. 18મી શતાબ્દીમાં બ્રિટિશ અધિકારી ભારતના હિલ સ્ટેશનમાં ગરમીઓમાં રિલેકશ થવા માટે આવતા હતા. બ્રિટિશ રાજમાં મોલ શબ્દનો ઉપયોગ એક એવા રસ્તાઓ માટે કરવામાં આવતો જ્યાં પગપાળા ચાલીને જઈ શકાય.

બ્રિટિશ અધિકારીઓ માટે મોલ રોડ બનાવવામાં આવ્યા હતા અને આ રસ્તો શહેરની મધ્યમાં આવેલો હતો. બ્રિટિશ અધિકારીઓ અને તેમના પરિવારના સભ્યો સાંજે ફરવા આવતા હતા. મોલ રોડની નજીક હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય સુવિધાઓ પણ બનાવવામાં આવી હતી.

જોકે, ભારતની આઝાદી પછી, મોલ રોડ સ્થાનિક લોકો માટે પણ એક મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું. સમય જતાં, મોલ રોડ હિલ સ્ટેશનની ઓળખ બની ગયા છે.

હિલ સ્ટેશન પર બનેલા મોલ રોડ સ્થાનીય અર્થવ્યવસ્થા ને ખુબ પ્રોત્સાહન આપે છે. મોલ રોડ દેશ-વિદેશથી આવેલા ટુરિસ્ટને આકર્ષિત કરે છે. આ સિવાય મોલ રોડ્સની મદદથી ટુરિસ્ટને હિલ સ્ટેશનની સ્થાનીય સંસ્કૃતિ વિશે ખુબ જાણવા મળે છે. (photo : pti)

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
