Travel Tips : ગુજરાતની આ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ તમે ક્યારેય નહીં જોઈ હોય, જુઓ ફોટો
ગુજરાતમાં અનેક ફેમસ ગુફાઓ છે જે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ભૂસ્તરશાસ્ત્રીય મહત્વ ધરાવે છે, જેમ કે જૂનાગઢ ગુફાઓ, ખાપરા કોડિયા ગુફાઓ, ઉપરકોટ ગુફાઓ, સના ગુફાઓ અને ખંભાલિડા બૌદ્ધ ગુફાઓ.તો આજે આપણે ગુજરાતમાં આવેલી ગુફાઓ વિશે વાત કરીશું.

ગુજરાતમાં અનેક તીર્થસ્થાન આવેલા છે, પરંતુ ગુજરાતમાં બૌદ્ધ યાત્રાઓના પણ અનેક સ્થળો આવેલા છે.ગુજરાતમાં ઘણી ગુફાઓ છે જે ઇતિહાસ, આધ્યાત્મિકતા, રહસ્ય, ધ્યાન અને સાહસનું સુંદર મિશ્રણ છે.

કચ્છથી સૌરાષ્ટ્ર અને ભરૂચ સુધી, ગુજરાતનો દરિયાકાંઠા સુધી અનેક બૌદ્ધ ગુફાઓ આવેલી છે. આ ગુફાઓ બીજી સદી બીસી અને છઠ્ઠી સદી એડી વચ્ચે ક્ષત્રપ શાસન દરમિયાન ખોદવામાં આવી હતી.

એક સમયે, ગુજરાતમાં જૂનાગઢ પર સમ્રાટ અશોકનું શાસન હતું જેમણે પોતાના અંગત જીવનમાં બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. અશોકના શાસનકાળ દરમિયાન, ખડક પર તેમના પ્રખ્યાત શિલાલેખો કોતરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સ્તંભો, સ્તૂપ, વિહારો અને ખડકમાં કોતરેલી ગુફાઓની શ્રેણી પર સુશોભિત ખોદકામ અને કોતરણી ગુજરાતમાં બૌદ્ધ ધર્મની હાજરીનો પુરાવો છે.

જૂનાગઢ જિલ્લામાં અનેક ગુફાઓ આવેલી છે જેમાં ઉપરકોટ ગુફાઓ, ખાપરા કોડિયા ગુફાઓ અને બાબા પ્યારે ગુફાઓનો સમાવેશ થાય છે. દામદોર કુંડ પાસે પણ એક પ્રાચીન ગુફા આવેલી છે.

ઉપરકોટમાં આ ત્રણ-સ્તરીય ગુફાઓ તેમની ઉત્કૃષ્ટ કલાકૃતિ માટે પ્રખ્યાત છે, જેમાં સુશોભિત સ્તંભો અને ચૈત્ય રચનાઓ છે.

સૌરાષ્ટ્રમાં હેરિટેજ સાઈટ તરીકે પ્રખ્યાત ખંભાલિડા બૌદ્ધ ગુફા ખુબ સુંદર છે.ખંભાલિડા બૌદ્ધ ગુફાઓનો ઇતિહાસ ચોથી સદીથી શરૂ થાય છે, જ્યારે આ પ્રદેશમાં બૌદ્ધ ધર્મ વેગ પકડી રહ્યો હતો.

કાલિયા ડુંગર ગુફાઓ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ત્રણ ગુફાઓ છે જે બૌદ્ધ સ્થાપત્યના સૌથી જૂના ઉદાહરણો છે.આ ગુફાઓમાં બૌદ્ધ ધર્મનો પ્રભાવ જોઈ શકાય છે, અને તે ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના સાક્ષી છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
