AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પવિત્ર શ્રાવણ માસમાં રસ્તા પર પડેલા પૈસા મળવા શુભ કે અશુભ ? જાણો તેને ખર્ચવા કે શું કરવા . . .

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રસ્તે ચાલતી વખતે અચાનક પડેલા સિક્કા કે નોટો દેખાઈ જાય ત્યારે મનમાં અનેક સવાલો ઊભા થાય છે. શું આ માતા લક્ષ્મી અને ભગવાન શિવની કૃપાનો સંકેત છે કે પછી કોઈ બીજો ઈશારો?

| Updated on: Aug 25, 2026 | 5:56 PM
Share
સામાન્ય રીતે અવારનવાર રસ્તા પર પડેલા પૈસા નજરે ચડતા હોય છે. ખાસ કરીને ભક્તિ અને સાધનાના પવિત્ર શ્રાવણ મહિનામાં જ્યારે આવું બને, ત્યારે મનમાં પહેલો વિચાર આવે છે કે આ પૈસા ઉપાડવા જોઈએ કે નહીં? અને જો ઉપાડી પણ લીધા, તો શું તેને વાપરી શકાય કે પછી તેનો કોઈ દોષ લાગે? જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં રસ્તા પર મળેલા ધનને લઈને મહત્વપૂર્ણ સંકેતો અને નિયમો દર્શાવવામાં આવ્યા છે.

સામાન્ય રીતે અવારનવાર રસ્તા પર પડેલા પૈસા નજરે ચડતા હોય છે. ખાસ કરીને ભક્તિ અને સાધનાના પવિત્ર શ્રાવણ મહિનામાં જ્યારે આવું બને, ત્યારે મનમાં પહેલો વિચાર આવે છે કે આ પૈસા ઉપાડવા જોઈએ કે નહીં? અને જો ઉપાડી પણ લીધા, તો શું તેને વાપરી શકાય કે પછી તેનો કોઈ દોષ લાગે? જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં રસ્તા પર મળેલા ધનને લઈને મહત્વપૂર્ણ સંકેતો અને નિયમો દર્શાવવામાં આવ્યા છે.

1 / 6
શ્રાવણમાં રસ્તા પર પૈસા મળવા શુભ કે અશુભ? જ્યોતિષ અને વાસ્તુ માન્યતાઓ અનુસાર, રસ્તામાં પડેલા પૈસા મળવા સામાન્ય રીતે અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે. શ્રાવણ જેવા પવિત્ર દિવસોમાં અચાનક ધન મળવું એ તમારા જીવનમાં આવનારા કોઈ મોટા સકારાત્મક પરિવર્તન તરફ ઈશારો કરે છે. કેટલીક માન્યતાઓમાં તેને માતા લક્ષ્મીની અસીમ કૃપા માનવામાં આવે છે, તો કેટલીક ધાર્મિક માન્યતાઓ મુજબ તેને પિતૃઓના આશીર્વાદનો સંકેત પણ ગણવામાં આવે છે. ખાસ કરીને જો પૈસા કોઈ ચોખ્ખી અને સામાન્ય જગ્યા પર મળ્યા હોય તો તે અત્યંત ફળદાયી માનવામાં આવે છે.

શ્રાવણમાં રસ્તા પર પૈસા મળવા શુભ કે અશુભ? જ્યોતિષ અને વાસ્તુ માન્યતાઓ અનુસાર, રસ્તામાં પડેલા પૈસા મળવા સામાન્ય રીતે અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે. શ્રાવણ જેવા પવિત્ર દિવસોમાં અચાનક ધન મળવું એ તમારા જીવનમાં આવનારા કોઈ મોટા સકારાત્મક પરિવર્તન તરફ ઈશારો કરે છે. કેટલીક માન્યતાઓમાં તેને માતા લક્ષ્મીની અસીમ કૃપા માનવામાં આવે છે, તો કેટલીક ધાર્મિક માન્યતાઓ મુજબ તેને પિતૃઓના આશીર્વાદનો સંકેત પણ ગણવામાં આવે છે. ખાસ કરીને જો પૈસા કોઈ ચોખ્ખી અને સામાન્ય જગ્યા પર મળ્યા હોય તો તે અત્યંત ફળદાયી માનવામાં આવે છે.

2 / 6
કઈ જગ્યાએ પડેલા પૈસા ભૂલથી પણ ન ઉપાડવા? ધાર્મિક અને લોકમાન્યતાઓ મુજબ અમુક ખાસ જગ્યાઓ પર પડેલા પૈસા ઉપાડવાથી સખત બચવું જોઈએ. જો પૈસા કોઈ સુમસામ જગ્યા, ચાર રસ્તા (ચોક), સ્મશાન ઘાટ કે ગંદી જગ્યા પર પડેલા મળે તો તેને ક્યારેય સ્પર્શ ન કરવો. આવી જગ્યાઓ પર મળેલા ધનને નકારાત્મક ઊર્જા, નજરદોષ કે તાંત્રિક વિધિઓ સાથે જોડીને જોવામાં આવે છે.

કઈ જગ્યાએ પડેલા પૈસા ભૂલથી પણ ન ઉપાડવા? ધાર્મિક અને લોકમાન્યતાઓ મુજબ અમુક ખાસ જગ્યાઓ પર પડેલા પૈસા ઉપાડવાથી સખત બચવું જોઈએ. જો પૈસા કોઈ સુમસામ જગ્યા, ચાર રસ્તા (ચોક), સ્મશાન ઘાટ કે ગંદી જગ્યા પર પડેલા મળે તો તેને ક્યારેય સ્પર્શ ન કરવો. આવી જગ્યાઓ પર મળેલા ધનને નકારાત્મક ઊર્જા, નજરદોષ કે તાંત્રિક વિધિઓ સાથે જોડીને જોવામાં આવે છે.

3 / 6
શું રસ્તા પર મળેલા પૈસા ખર્ચવા જોઈએ? સૌથી મોટો સવાલ એ છે કે આ નાણાંને પોતાના અંગત વપરાશમાં લઈ શકાય? શાસ્ત્રોક્ત માન્યતાઓ મુજબ, આવા અચાનક મળેલા ધનને સામાન્ય કમાણીની જેમ તરત જ પોતાના મોજશોખ કે ખર્ચમાં વાપરવું યોગ્ય નથી. જો શ્રાવણ માસમાં આવા પૈસા મળે, તો તેને અલગ રાખીને તેમાંથી કોઈ ભાગ શિવ મંદિરમાં અર્પણ કરવો જોઈએ અથવા કોઈ ગરીબ-જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરી દેવો જોઈએ. આમ કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને ધનનો સાચો સદુપયોગ થાય છે.

શું રસ્તા પર મળેલા પૈસા ખર્ચવા જોઈએ? સૌથી મોટો સવાલ એ છે કે આ નાણાંને પોતાના અંગત વપરાશમાં લઈ શકાય? શાસ્ત્રોક્ત માન્યતાઓ મુજબ, આવા અચાનક મળેલા ધનને સામાન્ય કમાણીની જેમ તરત જ પોતાના મોજશોખ કે ખર્ચમાં વાપરવું યોગ્ય નથી. જો શ્રાવણ માસમાં આવા પૈસા મળે, તો તેને અલગ રાખીને તેમાંથી કોઈ ભાગ શિવ મંદિરમાં અર્પણ કરવો જોઈએ અથવા કોઈ ગરીબ-જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરી દેવો જોઈએ. આમ કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને ધનનો સાચો સદુપયોગ થાય છે.

4 / 6
પૈસાને તિજોરીમાં રાખવા શુભ કેમ માનવામાં આવે છે? કેટલાક લોકો રસ્તામાં મળેલા શુભ સિક્કા કે રૂપિયાને ગંગાજળથી સાફ અને શુદ્ધ કરીને પોતાની તિજોરી કે પૂજા સ્થાનમાં મૂકે છે. શ્રાવણ માસમાં મળેલા આવા નાણાંને તિજોરીમાં રાખવાથી ઘરમાં આર્થિક સમૃદ્ધિ અને બરકત જળવાઈ રહે છે તેવી લોકવાયકા છે.

પૈસાને તિજોરીમાં રાખવા શુભ કેમ માનવામાં આવે છે? કેટલાક લોકો રસ્તામાં મળેલા શુભ સિક્કા કે રૂપિયાને ગંગાજળથી સાફ અને શુદ્ધ કરીને પોતાની તિજોરી કે પૂજા સ્થાનમાં મૂકે છે. શ્રાવણ માસમાં મળેલા આવા નાણાંને તિજોરીમાં રાખવાથી ઘરમાં આર્થિક સમૃદ્ધિ અને બરકત જળવાઈ રહે છે તેવી લોકવાયકા છે.

5 / 6
શું આ મોટા ધનલાભનો સંકેત છે? જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અચાનક માર્ગમાંથી ધનપ્રાપ્તિ થવી એ ભવિષ્યમાં અટકેલા નાણાં પાછા મળવાનો કે આવકના નવા દ્વાર ખુલવાનો સંકેત હોઈ શકે છે. શ્રાવણના પાવન દિવસોમાં આ સંકેત તમારા અટકેલા સરકારી કે આર્થિક કાર્યો પૂરા થવાની શક્યતા દર્શાવે છે.

શું આ મોટા ધનલાભનો સંકેત છે? જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અચાનક માર્ગમાંથી ધનપ્રાપ્તિ થવી એ ભવિષ્યમાં અટકેલા નાણાં પાછા મળવાનો કે આવકના નવા દ્વાર ખુલવાનો સંકેત હોઈ શકે છે. શ્રાવણના પાવન દિવસોમાં આ સંકેત તમારા અટકેલા સરકારી કે આર્થિક કાર્યો પૂરા થવાની શક્યતા દર્શાવે છે.

6 / 6

નોંધ:

અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ઘરની સુરક્ષા માટે સાદો તાળો સારો કે હાઇટેક સ્માર્ટ લોક? જાણો કિંમત, મજબૂતી અને ફાયદા-ગેરફાયદા

Follow Us
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી બનાસકાંઠામાં આરોગ્ય તંત્ર દોડતુ થયું
કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી બનાસકાંઠામાં આરોગ્ય તંત્ર દોડતુ થયું
સ્મીમેર હોસ્પિટલમાં સીમેન્ટ-રેતીની ડસ્ટ વચ્ચે દર્દીઓની સારવાર ! Video
સ્મીમેર હોસ્પિટલમાં સીમેન્ટ-રેતીની ડસ્ટ વચ્ચે દર્દીઓની સારવાર ! Video
શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ
શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ
g clip-path="url(#clip0_868_265)">