AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગરમ ‘ચા’ કે ‘કોફી’ પીવાની ‘ભૂલ’ ભૂલથી પણ ન કરતા, અન્નનળીના કેન્સરનું જોખમ વધી રહ્યું છે ‘3 ગણું’

જો તમે પણ ઉકળતી ગરમ ચા કે કોફી પીવાના શોખીન છો, તો સાવધાન થઈ જવાની જરૂર છે. એક ચોંકાવનારા સંશોધન મુજબ આ આદતથી અન્નનળીના કેન્સર (Esophageal Cancer) નું જોખમ 3 ગણું સુધી વધી જાય છે. દિવસમાં 6 કે તેથી વધુ વખત અતિશય ગરમ પીણાંનું સેવન કરવાથી અન્નનળીના કોષોને નુકસાન પહોંચે છે.

| Updated on: Sep 15, 2026 | 5:58 PM
Share
ભારતમાં ચા-કોફી પીનારા લોકોની એક લાંબી યાદી છે, જેમાં કેટલાક લોકો ખૂબ જ ગરમ ચા અથવા કોફી જેવા પીણાંનું સેવન કરવાનું પસંદ કરે છે. જો કે, હવે તમારે થોડું અટકવું જોઈએ. વાત એમ છે કે, ખૂબ ગરમ ચા-કોફી પીવાની આદતથી અન્નનળી એટલે કે એસોફેગસ કેન્સરનું જોખમ ત્રણ ગણું વધી શકે છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ, દિવસમાં અતિશય ગરમ પીણાંનું વારંવાર સેવન કરવાથી અન્નનળીના કેન્સરનું જોખમ ત્રણ ગણું વધી જાય છે.

ભારતમાં ચા-કોફી પીનારા લોકોની એક લાંબી યાદી છે, જેમાં કેટલાક લોકો ખૂબ જ ગરમ ચા અથવા કોફી જેવા પીણાંનું સેવન કરવાનું પસંદ કરે છે. જો કે, હવે તમારે થોડું અટકવું જોઈએ. વાત એમ છે કે, ખૂબ ગરમ ચા-કોફી પીવાની આદતથી અન્નનળી એટલે કે એસોફેગસ કેન્સરનું જોખમ ત્રણ ગણું વધી શકે છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ, દિવસમાં અતિશય ગરમ પીણાંનું વારંવાર સેવન કરવાથી અન્નનળીના કેન્સરનું જોખમ ત્રણ ગણું વધી જાય છે.

1 / 8
લગભગ 10 લાખ લોકો પર આ રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને અન્નનળીના સ્ક્વામસ સેલ કાર્સિનોમા (SCC)ના કેસો મળી આવ્યા હતા. આ વિશ્વભરમાં અન્નનળીના કેન્સરનું સૌથી સામાન્ય સ્વરૂપ છે. અન્નનળી એ એક સ્નાયુબદ્ધ નળી છે, જે ખોરાક અને પીણાંને તમારા મોંમાંથી તમારા પેટ સુધી પહોંચાડે છે.

લગભગ 10 લાખ લોકો પર આ રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને અન્નનળીના સ્ક્વામસ સેલ કાર્સિનોમા (SCC)ના કેસો મળી આવ્યા હતા. આ વિશ્વભરમાં અન્નનળીના કેન્સરનું સૌથી સામાન્ય સ્વરૂપ છે. અન્નનળી એ એક સ્નાયુબદ્ધ નળી છે, જે ખોરાક અને પીણાંને તમારા મોંમાંથી તમારા પેટ સુધી પહોંચાડે છે.

2 / 8
WHOની કેન્સર એજન્સી ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) અનુસાર, વર્ષ 2020 માં વિશ્વભરમાં અન્નનળીના કેન્સરના લગભગ 6,04,000 નવા કેસ નોંધાયા હતા અને લગભગ 5,44,000 મૃત્યુ થયા હતા. એજન્સીનો અંદાજ છે કે, વર્ષ 2040 સુધીમાં વૈશ્વિક કેસોમાં 50% થી વધુનો વધારો થશે અને દર વર્ષે લગભગ 10 લાખ નવા કેસ સામે આવશે.

WHOની કેન્સર એજન્સી ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) અનુસાર, વર્ષ 2020 માં વિશ્વભરમાં અન્નનળીના કેન્સરના લગભગ 6,04,000 નવા કેસ નોંધાયા હતા અને લગભગ 5,44,000 મૃત્યુ થયા હતા. એજન્સીનો અંદાજ છે કે, વર્ષ 2040 સુધીમાં વૈશ્વિક કેસોમાં 50% થી વધુનો વધારો થશે અને દર વર્ષે લગભગ 10 લાખ નવા કેસ સામે આવશે.

3 / 8
રિસર્ચમાં જોડાયેલા લોકોને પૂછવામાં આવ્યું હતું કે, તેઓ રોજ કેટલા ગરમ પીણાં પીવે છે? લોકોને આમાંથી રોજ 6 થી ઓછા ગરમ પીણાં અથવા રોજ 6 કે તેથી વધુ પીણાંનો વિકલ્પ પસંદ કરવાનો હતો.

રિસર્ચમાં જોડાયેલા લોકોને પૂછવામાં આવ્યું હતું કે, તેઓ રોજ કેટલા ગરમ પીણાં પીવે છે? લોકોને આમાંથી રોજ 6 થી ઓછા ગરમ પીણાં અથવા રોજ 6 કે તેથી વધુ પીણાંનો વિકલ્પ પસંદ કરવાનો હતો.

4 / 8
તમામ લોકોને બે મોટા રિસર્ચ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા. સાથે જ આ લોકોને પૂછવામાં આવ્યું હતું કે, કોને ગરમ, કોને ખૂબ ગરમ અને કોને નવશેકા (હળવા ગરમ) પીણાં પીવા પસંદ છે?

તમામ લોકોને બે મોટા રિસર્ચ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા. સાથે જ આ લોકોને પૂછવામાં આવ્યું હતું કે, કોને ગરમ, કોને ખૂબ ગરમ અને કોને નવશેકા (હળવા ગરમ) પીણાં પીવા પસંદ છે?

5 / 8
સંશોધકોએ શોધી કાઢ્યું કે, ભાગ લેનારાઓમાંથી લગભગ અડધા લોકોએ પ્રતિદિન 6 અથવા તેથી વધુ ગરમ પીણાંનું સેવન કરવાની માહિતી આપી હતી અને લગભગ 15% લોકોએ કહ્યું હતું કે, તેઓને પોતાના પીણાં ખૂબ ગરમ પસંદ છે.

સંશોધકોએ શોધી કાઢ્યું કે, ભાગ લેનારાઓમાંથી લગભગ અડધા લોકોએ પ્રતિદિન 6 અથવા તેથી વધુ ગરમ પીણાંનું સેવન કરવાની માહિતી આપી હતી અને લગભગ 15% લોકોએ કહ્યું હતું કે, તેઓને પોતાના પીણાં ખૂબ ગરમ પસંદ છે.

6 / 8
પીણાંના તાપમાન અનુસાર અન્નનળીના SCCનું જોખમ વધી જાય છે. એવામાં જે લોકોને ગરમ પીણાં પસંદ હતા, તેમનામાં નવશેકા પીણાં પસંદ કરનારાઓની સરખામણીમાં કેન્સરનું જોખમ લગભગ બમણું હતું. બીજું કે, જે લોકો ખૂબ ગરમ પીણાં પસંદ કરતા હતા, તેમનામાં આ જોખમ ત્રણ ગણાથી પણ વધુ હતું.

પીણાંના તાપમાન અનુસાર અન્નનળીના SCCનું જોખમ વધી જાય છે. એવામાં જે લોકોને ગરમ પીણાં પસંદ હતા, તેમનામાં નવશેકા પીણાં પસંદ કરનારાઓની સરખામણીમાં કેન્સરનું જોખમ લગભગ બમણું હતું. બીજું કે, જે લોકો ખૂબ ગરમ પીણાં પસંદ કરતા હતા, તેમનામાં આ જોખમ ત્રણ ગણાથી પણ વધુ હતું.

7 / 8
આમાં તમે કેટલી માત્રામાં આ લિક્વિડ પી રહ્યા છો, તે પણ મહત્વનું છે. તાપમાનને ધ્યાનમાં લીધા પછી સંશોધકોએ શોધી કાઢ્યું કે, રોજ 6 અથવા તેથી વધુ ગરમ પીણાં પીવાથી અને 6 થી ઓછા પીનારાઓની સરખામણીમાં અન્નનળીના SCCનું જોખમ 71% વધુ હોય છે. આ પછી લોકોને કહેવામાં આવ્યું છે કે, જો ચા અને કોફીને ઓછા તાપમાને પીવામાં આવે, તો એસોફેજિયલ SCCના નવા કેસોને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.

આમાં તમે કેટલી માત્રામાં આ લિક્વિડ પી રહ્યા છો, તે પણ મહત્વનું છે. તાપમાનને ધ્યાનમાં લીધા પછી સંશોધકોએ શોધી કાઢ્યું કે, રોજ 6 અથવા તેથી વધુ ગરમ પીણાં પીવાથી અને 6 થી ઓછા પીનારાઓની સરખામણીમાં અન્નનળીના SCCનું જોખમ 71% વધુ હોય છે. આ પછી લોકોને કહેવામાં આવ્યું છે કે, જો ચા અને કોફીને ઓછા તાપમાને પીવામાં આવે, તો એસોફેજિયલ SCCના નવા કેસોને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.

8 / 8
આ લેખ અને માહિતી માત્ર શૈક્ષણિક તેમજ જાગરૂકતા (Educational & Awareness) ના હેતુથી તૈયાર કરવામાં આવી છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ (Medical Advice) કે નિદાનનો વિકલ્પ નથી. આરોગ્ય સંબંધિત કોઈપણ ગંભીર સમસ્યા કે ફેરફાર માટે હંમેશાં યોગ્ય ડોક્ટર અથવા હેલ્થ એક્સપર્ટની સલાહ લેવી.

મોંઘા સપ્લીમેન્ટ્સ છોડો! રસોડાની આ 3 વસ્તુઓ કરશે ‘લિવર’ સુપરફાસ્ટ ડિટોક્સ

Follow Us
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
g clip-path="url(#clip0_868_265)">