Krunal Pandya: જો વરુણ ચક્રવર્તી એશિયન ગેમ્સમાંથી બહાર થાય, તો કૃણાલ પંડ્યા લેશે તેનું સ્થાન?
વરુણ ચક્રવર્તીની ઈજાએ એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધારી છે. અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20I બાદ તેને સ્નાયુમાં ખેંચાણ થયું છે અને હવે તેની એશિયન ગેમ્સમાં ભાગીદારી પણ અનિશ્ચિત છે. જો વરુણ બહાર થશે, તો લાંબા સમયથી ટીમની બહાર રહેલા કૃણાલ પંડ્યાને મોટો મોકો મળી શકે છે.

વરુણ ચક્રવર્તીની ઈજાએ એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધારી છે. હવે તેની ટુર્નામેન્ટમાં ભાગીદારી અંગે નિર્ણય બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સમાં લેવામાં આવશે.

MRI સ્કેનમાં વરુણ ચક્રવર્તીની ના સ્નાયુઓમાં ખેંચાણ હોવાનું સામે આવ્યું છે.

અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20Iમાં ચાર ઓવર બોલિંગ કર્યા બાદ તેને અનફિટ જાહેર કરવામાં આવ્યો હતો.

હવે જો વરુણ ચક્રવર્તી એશિયન ગેમ્સમાંથી બહાર થાય તો તેના સ્થાને કોણ આવશે તેના પર નજર છે.

આ સ્થિતિમાં RCBના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાનું નામ સૌથી આગળ હોવાનું માનવામાં આવે છે.

કૃણાલે IPL 2026માં 226 રન બનાવવાની સાથે 14 વિકેટ પણ ઝડપી હતી.

કૃણાલ લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે અને અફઘાનિસ્તાન શ્રેણી માટે પણ તેના નામ પર વિચાર થયો હતો.

કૃણાલે ભારત માટે છેલ્લી T20I જુલાઈ 2021માં રમી હતી, હવે પાંચ વર્ષ બાદ તેની વાપસી થાય છે કે નહીં તે જોવાનું રહેશે.(PC:PTI/X)
IND vs AFG: સંજુ સેમસન માટે છેલ્લી તક! નિષ્ફળ ગયો તો વૈભવ સૂર્યવંશી માટે તેને ટીમમાંથી કરાશે બહાર?
