Breaking News: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઈજાના કારણે સ્ટાર ખેલાડી આખી શ્રેણીમાંથી બહાર, BCCI પર ઉઠયા સવાલ
ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામેની પહેલી T20I મેચમાં એકતરફી જીત મેળવી હતી, પરંતુ મેચના બીજા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો હતો. સ્ટાર ખેલાડી ઇજાન કારણે આખી સીરિઝમાંથી બહાર થઈ ગયો હતો. માત્ર 24 બોલ ફેંક્યા બાદ આ ખેલાડી ફરી ઘાયલ થયો હતો. ઇજા બાદ કમબેક શ્રેણીમાં એક મેચ બાદ જ ફરી ઇજાગ્રસ્ત થતાં BCCI પર સવાલ ઉઠયા હતા.

ખેલાડીઓની ઇજાઓ હવે BCCI માટે એક પડકાર બની રહી છે. બે મહિના પછી ઇજામાંથી સ્વસ્થ થયેલા સ્પિનર વરુણ ચક્રવર્તીને ફરીથી ઇજા થઈ છે.

વરુણ ચક્રવર્તી અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20 મેચમાં ઇજાગ્રસ્ત થયો હતો અને T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

આશ્ચર્યજનક રીતે, વરુણ ચક્રવર્તીએ BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં બે મહિના ગાળ્યા હતા અને ક્લીન ચીટ મળ્યા પછી જ તે ટીમમાં પાછો ફર્યો હતો.

જોકે, અફઘાનિસ્તાન સામે પહેલી T20 મેચમાં ચાર ઓવર બોલિંગ કર્યા પછી વરુણ ચક્રવર્તીને ફરી ઈજા થઈ હતી.

વરુણ ચક્રવર્તીની ઇજાએ ફરી એકવાર BCCI અને તેના સેન્ટર ઓફ એક્સેલન્સ પર પ્રશ્નો ઉભા કર્યા છે.

આવું ફક્ત વરુણ ચક્રવર્તી સાથે જ નથી બન્યું. હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી અને જસપ્રીત બુમરાહ સહિત ઘણા ખેલાડીઓએ પહેલા પણ આનો સામનો કરવો પડ્યો છે.

પ્રશ્ન એ છે કે ખેલાડીઓની સતત ઇજાઓ માટે કોણ જવાબદાર છે? BCCI આ મામલે ક્યારે કાર્યવાહી કરશે?

વરુણ ચક્રવર્તી હવે T20 શ્રેણીમાં રમી શકશે નહીં, જોકે ટીમ ઈન્ડિયા પાસે વિકલ્પોની કોઈ કમી નથી.

ભારતીય ટીમ પાસે લેગ-સ્પિનર રવિ બિશ્નોઈ પણ છે, જે બીજી અને ત્રીજી T20I માં રમતા જોવા મળી શકે છે. રવિ બિશ્નોઈએ ટીમ ઈન્ડિયા માટે 49 મેચમાં 67 વિકેટ લીધી છે. (PC:PTI/X)
Breaking News: વૈભવ સૂર્યવંશી એક દિવસમાં કેટલા કરોડ કમાય છે ? 15 વર્ષની ઉંમરે કમાણીમાં બનાવ્યો મોટો રેકોર્ડ
