AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

F&Oની તેજી પર આવશે અંકુશ ! SEBI એ રોકાણકારોની સુરક્ષા અને બજારની સ્થિરતા માટે 7 સ્ટેપ સૂચવ્યા

જો સેબીનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવે તો NSE અને BSEના ટ્રેડિંગ વોલ્યુમમાં ઘટાડો થઈ શકે છે અને તેમના નફાને પણ અસર થઈ શકે છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ ફોર્મેટમાં 7 મહત્વપૂર્ણ ફેરફારોની દરખાસ્ત કરી છે. આ સ્ટેપનો હેતુ રોકાણકારોની સુરક્ષા અને બજારની સ્થિરતા વધારવાનો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2024 | 12:56 PM
Share
નિષ્ણાત કાર્યકારી જૂથની ભલામણોના આધારે માર્કેટ રેગ્યુલેટરે ઓપ્શન્સ ડીલમાં નીચા સ્ટ્રાઈક પ્રાઈસ, ઓપ્શન પ્રીમિયમ અપફ્રન્ટ લેવા, લઘુત્તમ કોન્ટ્રાક્ટનું કદ ત્રણ ગણું વધારવા અને સાપ્તાહિક સેટલમેન્ટ ઘટાડવાની દરખાસ્ત કરી છે. આ બહુપ્રતિક્ષિત ભલામણો વિવિધ નાણાકીય નિયમનકારો અને અર્થશાસ્ત્રીઓ દ્વારા ડેરિવેટિવ્ઝ માર્કેટમાં વધુ પડતી અસ્થિરતાને પગલે નાના રોકાણકારો દ્વારા ભારે નુકસાન સહન કરવાની ચિંતા વચ્ચે આવી છે. ડેરિવેટિવ્ઝ માર્કેટમાં દરરોજ રૂપિયા 400 લાખ કરોડથી વધુનો વેપાર થાય છે.

નિષ્ણાત કાર્યકારી જૂથની ભલામણોના આધારે માર્કેટ રેગ્યુલેટરે ઓપ્શન્સ ડીલમાં નીચા સ્ટ્રાઈક પ્રાઈસ, ઓપ્શન પ્રીમિયમ અપફ્રન્ટ લેવા, લઘુત્તમ કોન્ટ્રાક્ટનું કદ ત્રણ ગણું વધારવા અને સાપ્તાહિક સેટલમેન્ટ ઘટાડવાની દરખાસ્ત કરી છે. આ બહુપ્રતિક્ષિત ભલામણો વિવિધ નાણાકીય નિયમનકારો અને અર્થશાસ્ત્રીઓ દ્વારા ડેરિવેટિવ્ઝ માર્કેટમાં વધુ પડતી અસ્થિરતાને પગલે નાના રોકાણકારો દ્વારા ભારે નુકસાન સહન કરવાની ચિંતા વચ્ચે આવી છે. ડેરિવેટિવ્ઝ માર્કેટમાં દરરોજ રૂપિયા 400 લાખ કરોડથી વધુનો વેપાર થાય છે.

1 / 6
આજે એડવાઈઝરી બહાર પાડતા પહેલા નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે એક ઈવેન્ટમાં બોલતા સેબીના ચેરપર્સન માધવી પુરી બુચે જણાવ્યું હતું કે, 'જો ડેરિવેટિવ ડીલમાં પરિવારની બચતને કારણે વાર્ષિક રૂપિયા 50,000 થી રૂપિયા 60,000નું નુકસાન થાય છે, તો તે એક મોટી ચિંતાનું કારણ છે.

આજે એડવાઈઝરી બહાર પાડતા પહેલા નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે એક ઈવેન્ટમાં બોલતા સેબીના ચેરપર્સન માધવી પુરી બુચે જણાવ્યું હતું કે, 'જો ડેરિવેટિવ ડીલમાં પરિવારની બચતને કારણે વાર્ષિક રૂપિયા 50,000 થી રૂપિયા 60,000નું નુકસાન થાય છે, તો તે એક મોટી ચિંતાનું કારણ છે.

2 / 6
જ્યારે એક્સચેન્જના નફા પર નવા નિયમોની અસર વિશે પૂછવામાં આવ્યું ત્યારે, NSEના મેનેજિંગ ડિરેક્ટર અને CEO આશિષ કુમાર ચૌહાણે કહ્યું કે, એક્સચેન્જ પ્રથમ લેવલનું નિયમનકાર છે અને નફો બીજા ક્રમે આવે છે. તેમણે કહ્યું કે, એકવાર ડેરિવેટિવ્ઝને આખરી ઓપ અપાયા બાદ તેઓ સેબીની માર્ગદર્શિકાનું પાલન કરશે.

જ્યારે એક્સચેન્જના નફા પર નવા નિયમોની અસર વિશે પૂછવામાં આવ્યું ત્યારે, NSEના મેનેજિંગ ડિરેક્ટર અને CEO આશિષ કુમાર ચૌહાણે કહ્યું કે, એક્સચેન્જ પ્રથમ લેવલનું નિયમનકાર છે અને નફો બીજા ક્રમે આવે છે. તેમણે કહ્યું કે, એકવાર ડેરિવેટિવ્ઝને આખરી ઓપ અપાયા બાદ તેઓ સેબીની માર્ગદર્શિકાનું પાલન કરશે.

3 / 6
સેબીની દરખાસ્તનો અર્થ એ છે કે એક્સચેન્જોએ ઓપ્શન સેગમેન્ટમાં દરેક સાપ્તાહિક સેટલમેન્ટ માટે બેન્ચમાર્ક રાખવો પડશે. હાલમાં ઈન્ડેક્સનું સાપ્તાહિક સેટલમેન્ટ અઠવાડિયાના દરેક દિવસે થાય છે. આનાથી સટ્ટાકીય વેપારને પ્રોત્સાહન મળે છે અને મોટાભાગના સટ્ટાકીય વેપાર સમાધાનના દિવસે જ થાય છે. આ સાથે રેગ્યુલેટરે ઓછામાં ઓછું કોન્ટ્રાક્ટનું કદ વર્તમાન રૂપિયા 5 લાખથી વધારીને રૂપિયા 15-20 લાખ કરવાની યોજના બનાવી છે. આ કરાર અમલમાં આવ્યા પછી બીજા 6 મહિના માટે લંબાવવામાં આવશે.

સેબીની દરખાસ્તનો અર્થ એ છે કે એક્સચેન્જોએ ઓપ્શન સેગમેન્ટમાં દરેક સાપ્તાહિક સેટલમેન્ટ માટે બેન્ચમાર્ક રાખવો પડશે. હાલમાં ઈન્ડેક્સનું સાપ્તાહિક સેટલમેન્ટ અઠવાડિયાના દરેક દિવસે થાય છે. આનાથી સટ્ટાકીય વેપારને પ્રોત્સાહન મળે છે અને મોટાભાગના સટ્ટાકીય વેપાર સમાધાનના દિવસે જ થાય છે. આ સાથે રેગ્યુલેટરે ઓછામાં ઓછું કોન્ટ્રાક્ટનું કદ વર્તમાન રૂપિયા 5 લાખથી વધારીને રૂપિયા 15-20 લાખ કરવાની યોજના બનાવી છે. આ કરાર અમલમાં આવ્યા પછી બીજા 6 મહિના માટે લંબાવવામાં આવશે.

4 / 6
આ ઉપરાંત સેબીએ અગાઉથી ખરીદદારો પાસેથી ઓપ્શન પ્રીમિયમ લેવા પતાવટના દિવસે કોન્ટ્રાક્ટ માર્જિન વધારવું. ઇન્ટ્રા-ડે ધોરણે મોનિટરિંગ પોઝિશન લિમિટ કોન્ટ્રાક્ટ સ્ટ્રાઇકને તર્કસંગત બનાવવું અને સેટલમેન્ટ ડે પર કૅલેન્ડર સ્પ્રેડનો લાભ દૂર કરવા જેવા અન્ય પ્રસ્તાવો કર્યા છે.

આ ઉપરાંત સેબીએ અગાઉથી ખરીદદારો પાસેથી ઓપ્શન પ્રીમિયમ લેવા પતાવટના દિવસે કોન્ટ્રાક્ટ માર્જિન વધારવું. ઇન્ટ્રા-ડે ધોરણે મોનિટરિંગ પોઝિશન લિમિટ કોન્ટ્રાક્ટ સ્ટ્રાઇકને તર્કસંગત બનાવવું અને સેટલમેન્ટ ડે પર કૅલેન્ડર સ્પ્રેડનો લાભ દૂર કરવા જેવા અન્ય પ્રસ્તાવો કર્યા છે.

5 / 6
સેબીના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2024માં NSE પર ઈન્ડેક્સ ડેરિવેટિવ્ઝના ટ્રેડિંગથી 92.5 લાખ રોકાણકારો અને કંપનીઓને કુલ રૂપિયા 51,689 કરોડનું નુકસાન થયું છે. એક્સચેન્જો સિવાય નવા નિયમો બ્રોકર્સને પણ અસર કરશે. જેઓ પહેલાથી જ ઘણા નિયમોમાં ફેરફાર સાથે સંઘર્ષ કરી રહ્યા છે.

સેબીના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2024માં NSE પર ઈન્ડેક્સ ડેરિવેટિવ્ઝના ટ્રેડિંગથી 92.5 લાખ રોકાણકારો અને કંપનીઓને કુલ રૂપિયા 51,689 કરોડનું નુકસાન થયું છે. એક્સચેન્જો સિવાય નવા નિયમો બ્રોકર્સને પણ અસર કરશે. જેઓ પહેલાથી જ ઘણા નિયમોમાં ફેરફાર સાથે સંઘર્ષ કરી રહ્યા છે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">