રાજકોટની સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ફેલાયો રોષ, જુઓ Video

વીજ કંપનીની કચેરીમાં સત્યનારયણની કથા યોજાઈ હતી જેને અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી. જે મુદ્દે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને બ્રહ્મ સમાજ સામ-સામે આવી ગયા હતા. સરકારી કચેરીમાં ધાર્મિક આયોજનને જયંત પંડ્યાએ કાયદાનો ભંગ ગણાવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2024 | 1:51 PM

રાજકોટના પારડી વીજ કંપનીની કચેરીમાં સત્યનારાયણની કથામાં યોજવા બાબતે મોટો વિવાદ થયો હતો. વિજ્ઞાન જાથાએ સત્યનારાયણની કથા બંધ કરાવતા બ્રહ્મ સમાજ રોષે ભરાયો છે. પારડી વીજ કંપનીની પેટા વિભાગીય કચેરીમાં ચાલતી કથા બંધ કરાવી, જે બાદ બ્રહ્મ સમાજ અને વિજ્ઞાન જાથાઓ એકબીજાની સામ-સામે આવી ગયા હતા.

સત્યનારયણની કથા અધવચ્ચે અટકાવી

મળતી માહિતી મુજબ વીજ કંપનીની કચેરીમાં સત્યનારયણની કથા યોજાઈ હતી જેને અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી. જે મુદ્દે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને બ્રહ્મ સમાજ સામ-સામે આવી ગયા હતા. સરકારી કચેરીમાં ધાર્મિક આયોજનને જયંત પંડ્યાએ કાયદાનો ભંગ ગણાવ્યો હતો. તેમણે કહ્યુ કે સરકારી કચેરીયોમાં ધાર્મિક આયોજન બંધારણ અને લોકશાહીનો ભંગ છે.

બ્રહ્મ સમાજના આગેવાનોમાં રોષ

કથા બંધ કરાવતા બ્રહ્મ સમાજના આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે આ મુદ્દે બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા જયંત પંડ્યાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસના નેતાઓ પણ આ ઘટનાથી રોષમાં છે. ભાજપના યજ્ઞેશ દવેએ સો. મીડિયા પર પોસ્ટ મુકી રોષ ઠાલવ્યો છે. યજ્ઞેશ દવેએ પણ આ ઘટનાને વખોડી છે. તેમનું કહેવું છે કે જયંત પંડ્યા પોતાને બચાવવાના પ્રયાસ ન કરે. તેમની પાસે કથા બંધ કરાવ્યાના તમામ પુરાવા છે. કોઈની આસ્થા સાથે આ રીતે રમત કરવી યોગ્ય નથી. મુખ્ય પ્રધાનની ચેમ્બરમાં તેમજ સરકારી કચેરીઓમાં સત્યનારાયણની કથા થતી જ હોય છે

 

Follow Us:
સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ભરાયો રોષ
સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ભરાયો રોષ
વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો
વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
Breaking News : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, જુઓ વીડિયો
Breaking News : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">