સુખદેવ સિંહ ગોગામડી રાજપુત સમુદાયમાં મોટું નામ, સુખદેવ સિંહ જ્યાં પણ પહોંચતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા
રાજસ્થાનમાં મંગળવારે રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યાના વિરોધમાં રાજ્યભરમાં દેખાવો થઈ રહ્યા છે. સુખદેવ સિંહ ગોગામડી રાજપુત સમુદાયના મજબુત નેતાઓમાનાં એક છે. આજે આપણે સુખદેવ સિંહના પરિવાર વિશે જાણીએ.

સુખદેવ સિંહ ના પિતાનું નામ આંચલ સિંહ શેખાવત છે. તેમની માતા ઈચ્છરાજ કંવરનું 9 ડિસેમ્બર 2020ના રોજ અવસાન થયું હતું. તેઓ તેમના ભાઈ-બહેનોમાં સૌથી મોટા છે. તેમને બે ભાઈઓ, દલીપ સિંહ અને કાન સિંહ અને એક બહેન મધુ કંવર છે.

rajasthan sukhdev singh gogamedi murder case wife sheela shekhawat allegation against ashok gehlot and dgp

સુખદેવ સિંહ ગોગામડી રાજપુત સમુદાયના મજબુત નેતાઓમાનાં એક હતા. તેઓ કરણી સેનામાં 2013માં જોડાયા હતા. ત્યારથી અત્યારસુધી તેઓ આ સંગઠન સાથે જોડાયેલા હતા. સુખદેવ સિંહ ગોગામેડીને રાજપુત સમાજમાં ખુબ સન્માન પણ મળતું હતુ. તેને યુવાનો ખુબ પસંદ કરતા હતા.

2018 સુધીમાં, કરણી સેનાના ત્રણ મુખ્ય જૂથો હતા, લોકેન્દ્ર સિંહ કાલવીની આગેવાની હેઠળની શ્રી રાજપૂત કરણી સેના, અજીત સિંહ મામડોલીની આગેવાની હેઠળની શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સમિતિ અને સુખદેવ સિંહ ગોગામેડીની આગેવાની હેઠળની શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના.

સુખદેવ સિંહ ગોગામેડી પહેલાથી કરણી સેનામાં જોડાયેલા છે, પંરતુ તે ચુરુ જિલ્લામાં વર્ષ 2017માં ગેંગસ્ટર આનંદપાલના થયેલા એન્કાઉન્ટર અને પછી પદ્માવત ફિલ્મના વિરોધ પ્રદર્શન દરમિયાન વધુ ચર્ચામાં આવ્યા હતા.

5 ડિસેમ્બર મંગળવારના રોજ સુખદેવ સિહં ગોગામડીને રાજધાની જયપુરના શ્યામ નગરમાં તેની ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી.સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ ગેંગસ્ટર રોહિત ગાદારાના નામથી બનેલા ફેસબુક પેઝ પર હત્યાની જવાબદારી લીધી છે.

































































