AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water Cooling Tricks: ફ્રીજ અને માટલા વગર પણ પાણી થશે ચિલ્ડ, જાણો પાણીને બરફ જેવું ઠંડું રાખવાની 3 જાદુઈ ટ્રિક્સ

શું ગરમીમાં ફ્રીજ બગડી ગયું છે અથવા ઘરે માટલું નથી? ચિંતા છોડો! દાદી-નાનીના આ અદભૂત નુસખાથી વીજળી વગર પણ પાણી રહેશે કુદરતી રીતે ઠંડું.

| Updated on: Apr 27, 2026 | 4:33 PM
Share
ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને આકરા તાપમાં ગળું સુકાવવું સામાન્ય વાત છે. આવી સ્થિતિમાં ઠંડું પાણી અમૃત સમાન લાગે છે. પરંતુ ઘણીવાર વીજળી ડૂલ થવાને કારણે ફ્રીજ કામ નથી કરતું અથવા તો ઘરે માટલું હોતું નથી. જો તમે પણ ગરમ પાણી પીવા મજબૂર છો, તો હવે ટેન્શન લેવાની જરૂર નથી. વિજ્ઞાન અને દાદી-નાનીના જ્ઞાનના સંગમથી તમે કોઈપણ ખર્ચ વગર ઘરે જ પાણીને ઠંડુંગાર બનાવી શકો છો.

ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને આકરા તાપમાં ગળું સુકાવવું સામાન્ય વાત છે. આવી સ્થિતિમાં ઠંડું પાણી અમૃત સમાન લાગે છે. પરંતુ ઘણીવાર વીજળી ડૂલ થવાને કારણે ફ્રીજ કામ નથી કરતું અથવા તો ઘરે માટલું હોતું નથી. જો તમે પણ ગરમ પાણી પીવા મજબૂર છો, તો હવે ટેન્શન લેવાની જરૂર નથી. વિજ્ઞાન અને દાદી-નાનીના જ્ઞાનના સંગમથી તમે કોઈપણ ખર્ચ વગર ઘરે જ પાણીને ઠંડુંગાર બનાવી શકો છો.

1 / 5
ભીના કપડાનો જાદુઈ પ્રયોગ: આ સૌથી સરળ અને અસરકારક રીત છે. તમારે માત્ર એટલું કરવાનું છે કે પાણીની બોટલ કે વાસણની આસપાસ એક જાડું સુતરાઉ (કોટન) કપડું લપેટો અને તેને બરાબર પલાળી દો. હવે આ બોટલને એવી જગ્યાએ રાખો જ્યાં હવાની અવરજવર હોય, જેમ કે બારી પાસે અથવા પંખા નીચે. જેમ જેમ કપડામાંથી પાણીનું બાષ્પીભવન થશે, તેમ તેમ બોટલની અંદરનું પાણી ઠંડું થવા લાગશે. થોડી જ વારમાં તમને ફ્રીજ જેવું ઠંડું પાણી મળશે.

ભીના કપડાનો જાદુઈ પ્રયોગ: આ સૌથી સરળ અને અસરકારક રીત છે. તમારે માત્ર એટલું કરવાનું છે કે પાણીની બોટલ કે વાસણની આસપાસ એક જાડું સુતરાઉ (કોટન) કપડું લપેટો અને તેને બરાબર પલાળી દો. હવે આ બોટલને એવી જગ્યાએ રાખો જ્યાં હવાની અવરજવર હોય, જેમ કે બારી પાસે અથવા પંખા નીચે. જેમ જેમ કપડામાંથી પાણીનું બાષ્પીભવન થશે, તેમ તેમ બોટલની અંદરનું પાણી ઠંડું થવા લાગશે. થોડી જ વારમાં તમને ફ્રીજ જેવું ઠંડું પાણી મળશે.

2 / 5
ઘરે બનાવો રેતીનું 'કુદરતી એસી': જો તમારી પાસે માટલું નથી, તો આ જુગાડ કામ આવશે. એક મોટા વાસણમાં બીજું નાનું વાસણ રાખો અને બંને વચ્ચેની ખાલી જગ્યામાં રેતી ભરી દો. હવે આ રેતીને પાણીથી ભીની કરો. આ પદ્ધતિ માટલાના સિદ્ધાંત પર જ કામ કરે છે. રેતીમાં રહેલું ભેજ અંદરના વાસણને ઠંડક આપે છે અને ગમે તેટલી ગરમીમાં પણ પાણી ઠંડું રહે છે.

ઘરે બનાવો રેતીનું 'કુદરતી એસી': જો તમારી પાસે માટલું નથી, તો આ જુગાડ કામ આવશે. એક મોટા વાસણમાં બીજું નાનું વાસણ રાખો અને બંને વચ્ચેની ખાલી જગ્યામાં રેતી ભરી દો. હવે આ રેતીને પાણીથી ભીની કરો. આ પદ્ધતિ માટલાના સિદ્ધાંત પર જ કામ કરે છે. રેતીમાં રહેલું ભેજ અંદરના વાસણને ઠંડક આપે છે અને ગમે તેટલી ગરમીમાં પણ પાણી ઠંડું રહે છે.

3 / 5
જમીનની ઠંડકનો લોકપ્રિય નુસખો: ગામડાઓમાં આજે પણ આ પ્રાચીન પદ્ધતિનો ઉપયોગ થાય છે. જમીનની અંદરનું તાપમાન બહારના વાતાવરણ કરતા ઓછું હોય છે. તમે પાણીની બોટલ અથવા વાસણને જમીનમાં થોડો ખાડો ખોદીને અંદર રાખી શકો છો અને ઉપરથી ઢાંકી દો. થોડા કલાકો પછી જ્યારે તમે આ પાણી કાઢશો ત્યારે તે કુદરતી રીતે ઠંડું થયેલું જોવા મળશે.

જમીનની ઠંડકનો લોકપ્રિય નુસખો: ગામડાઓમાં આજે પણ આ પ્રાચીન પદ્ધતિનો ઉપયોગ થાય છે. જમીનની અંદરનું તાપમાન બહારના વાતાવરણ કરતા ઓછું હોય છે. તમે પાણીની બોટલ અથવા વાસણને જમીનમાં થોડો ખાડો ખોદીને અંદર રાખી શકો છો અને ઉપરથી ઢાંકી દો. થોડા કલાકો પછી જ્યારે તમે આ પાણી કાઢશો ત્યારે તે કુદરતી રીતે ઠંડું થયેલું જોવા મળશે.

4 / 5
કેમ થાય છે આવું?: આ ત્રણેય પદ્ધતિઓ પાછળ બાષ્પીભવન (Evaporation) નો વિજ્ઞાનનો સિદ્ધાંત કામ કરે છે. જ્યારે સપાટી પરથી પાણી સુકાય છે, ત્યારે તે પોતાની સાથે ગરમી પણ ખેંચી લે છે, જેનાથી અંદરની વસ્તુ ઠંડી થાય છે. આ પદ્ધતિઓ માત્ર સસ્તી જ નથી પણ સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ છે, કારણ કે ફ્રીજનું વધુ પડતું ઠંડું પાણી ગળાને નુકસાન પહોંચાડી શકે છે.

કેમ થાય છે આવું?: આ ત્રણેય પદ્ધતિઓ પાછળ બાષ્પીભવન (Evaporation) નો વિજ્ઞાનનો સિદ્ધાંત કામ કરે છે. જ્યારે સપાટી પરથી પાણી સુકાય છે, ત્યારે તે પોતાની સાથે ગરમી પણ ખેંચી લે છે, જેનાથી અંદરની વસ્તુ ઠંડી થાય છે. આ પદ્ધતિઓ માત્ર સસ્તી જ નથી પણ સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ છે, કારણ કે ફ્રીજનું વધુ પડતું ઠંડું પાણી ગળાને નુકસાન પહોંચાડી શકે છે.

5 / 5

Breaking News: મરાઠી આવડશે તો જ રિક્ષા દોડશે ! મહારાષ્ટ્રમાં પરમિટ મુદ્દે નવો વળાંક : 4 મેના રોજ રસ્તાઓ પર જંગ-એ-એલાન

Follow Us
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">