Breaking News: રજત પાટીદારે સૌથી ઝડપી 100 સિક્સર ફટકારીને બનાવ્યો રેકોર્ડ, જાણો વૈભવ સૂર્યવંશી કેટલો દૂર છે?
સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં રજત પાટીદારે અડધી સદી ફટકારી, જે જીત મેળવવા માટે પૂરતી ન હતી. જોકે, આ ઈનિંગ દરમિયાન તેણે એક એવો રેકોર્ડ બનાવ્યો જે ઘણા સ્ટાર ખેલાડીઓ પણ હાંસલ કરવામાં નિષ્ફળ ગયા છે. જોકે આ રેકોર્ડને જલ્દી 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી તોડી શકે છે.

RCB ના કેપ્ટન રજત પાટીદારે IPL ના ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તે RCB ને ચેમ્પિયનશિપ અપાવનાર પ્રથમ કેપ્ટન બન્યો હતો. પરંતુ તે ફક્ત કેપ્ટનશીપ જ નહીં પણ તેની બેટિંગથી પણ રેકોર્ડ બનાવી રહ્યો છે. તેણે સિક્સરો ફટકારવા મામલે એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ સામે RCBની છેલ્લી લીગ મેચમાં પાટીદારે 39 બોલમાં 56 રન બનાવ્યા હતા, જેમાં છ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. આ એક છગ્ગા સાથે તે IPLમાં સૌથી ઝડપી 100 છગ્ગા ફટકારનાર ભારતીય બેટ્સમેન બન્યો હતો.

પાટીદારે IPLમાં માત્ર 933 બોલમાં 100 છગ્ગા પૂરા કર્યા હતા અને તેણે શિવમ દુબેનો 992 બોલમાં 100 છગ્ગાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. જ્યારે લીગના ઈતિહાસમાં આ ત્રીજો સૌથી ઝડપી 100 છગ્ગાનો રેકોર્ડ છે.

ભલે પાટીદારે ભારતીય બેટ્સમેનોમાં શિવમ દુબેનો રેકોર્ડ 992 બોલમાં 100 છગ્ગાનો રેકોર્ડ તોડી નાખ્યો હોય, પણ તેનો આ રેકોર્ડ લાંબો સમય ટકશે તેવું લાગતું નથી. તેનું કારણ 15 વર્ષીય વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશી છે, જેણે આ સિઝનમાં 53 છગ્ગા ફટકાર્યા છે.

રાજસ્થાન રોયલ્સના આ સ્ટાર બેટ્સમેને પોતાની બે સિઝનની IPL કારકિર્દીમાં ફક્ત 367 બોલમાં 77 છગ્ગા ફટકાર્યા છે. હવે, તેને ફક્ત 23 વધુ છગ્ગા ફટકારવાની જરૂર છે. તે ફક્ત પાટીદારનો જ નહીં, પણ આન્દ્રે રસેલનો રેકોર્ડ પણ તોડી શકે છે. (PC: PTI)
Breaking News: જો લખનૌ સામે પંજાબ હાર્યું, તો શ્રેયસ અય્યર MS ધોનીની બરાબરી કરવાની ગોલ્ડન તક ગુમાવશે
