AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગરમીમાં સીંગદાણા ખાતા પહેલાં કેમ તેને આખી રાત પાણીમાં પલાળવા જરૂરી છે? જાણો આ દેશી સુપરફૂડના ફાયદા !

સીંગદાણાની પ્રકૃતિ ગરમ હોય છે, પણ તેને પાણીમાં પલાળતા જ એક મોટો ચમત્કાર થાય છે. ઉનાળાની ઋતુમાં રોજ સવારે ખાલી પેટે તેનું સેવન શરીરને કઈ રીતે અંદરથી મજબૂત બનાવે છે તે જાણી લો.

| Updated on: May 23, 2026 | 5:48 PM
Share
સીંગદાણા એટલે કે મગફળીને સામાન્ય રીતે શિયાળાનું હેલ્ધી ફૂડ માનવામાં આવે છે. મોટાભાગના લોકો તેને શેકીને અથવા કાચી ખાવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં મગફળીને સીધી ખાવા કરતાં પાણીમાં પલાળીને ખાવી એ સ્વાસ્થ્ય માટે કોઈ વરદાનથી ઓછી નથી?

સીંગદાણા એટલે કે મગફળીને સામાન્ય રીતે શિયાળાનું હેલ્ધી ફૂડ માનવામાં આવે છે. મોટાભાગના લોકો તેને શેકીને અથવા કાચી ખાવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં મગફળીને સીધી ખાવા કરતાં પાણીમાં પલાળીને ખાવી એ સ્વાસ્થ્ય માટે કોઈ વરદાનથી ઓછી નથી?

1 / 8
સીંગદાણાની પ્રકૃતિ (તાસીર) મૂળભૂત રીતે ગરમ હોય છે, જેના કારણે ગરમીમાં તે ખાવાથી પેટમાં બળતરા કે પિત્ત વધી શકે છે. પરંતુ વિજ્ઞાન અને આયુર્વેદ કહે છે કે જ્યારે સીંગદાણાને આખી રાત પાણીમાં પલાળી રાખવામાં આવે છે, ત્યારે તેની ગરમ તાસીર સંપૂર્ણપણે બદલાઈને ઠંડી થઈ જાય છે. આ નાના ફેરફારથી તે ઉનાળામાં પણ શરીરને કોઈ નુકસાન પહોંચાડતી નથી. આવો જાણીએ રોજ સવારે ખાલી પેટે પલાળેલી મગફળી ખાવાથી શરીરને કયા ક્રાંતિકારી ફાયદા થાય છે.

સીંગદાણાની પ્રકૃતિ (તાસીર) મૂળભૂત રીતે ગરમ હોય છે, જેના કારણે ગરમીમાં તે ખાવાથી પેટમાં બળતરા કે પિત્ત વધી શકે છે. પરંતુ વિજ્ઞાન અને આયુર્વેદ કહે છે કે જ્યારે સીંગદાણાને આખી રાત પાણીમાં પલાળી રાખવામાં આવે છે, ત્યારે તેની ગરમ તાસીર સંપૂર્ણપણે બદલાઈને ઠંડી થઈ જાય છે. આ નાના ફેરફારથી તે ઉનાળામાં પણ શરીરને કોઈ નુકસાન પહોંચાડતી નથી. આવો જાણીએ રોજ સવારે ખાલી પેટે પલાળેલી મગફળી ખાવાથી શરીરને કયા ક્રાંતિકારી ફાયદા થાય છે.

2 / 8
પાચનતંત્ર થશે મજબૂત અને ગેસ-એસિડિટીથી મુક્તિ: કાચી મગફળીમાં 'ફાઇટિક એસિડ' નામનું એક ખાસ તત્વ હોય છે, જે પેટમાં ભારેપણું, ગેસ અને અપચો પેદા કરે છે. જ્યારે તમે તેને પાણીમાં પલાળો છો, ત્યારે આ એસિડ બહાર નીકળી જાય છે અને મગફળીમાં રહેલું ફાઈબર અત્યંત હલકું બની જાય છે. તેનાથી ઉનાળામાં થતી કબજિયાત અને એસિડિટીની સમસ્યા મૂળમાંથી ગાયબ થઈ જાય છે.

પાચનતંત્ર થશે મજબૂત અને ગેસ-એસિડિટીથી મુક્તિ: કાચી મગફળીમાં 'ફાઇટિક એસિડ' નામનું એક ખાસ તત્વ હોય છે, જે પેટમાં ભારેપણું, ગેસ અને અપચો પેદા કરે છે. જ્યારે તમે તેને પાણીમાં પલાળો છો, ત્યારે આ એસિડ બહાર નીકળી જાય છે અને મગફળીમાં રહેલું ફાઈબર અત્યંત હલકું બની જાય છે. તેનાથી ઉનાળામાં થતી કબજિયાત અને એસિડિટીની સમસ્યા મૂળમાંથી ગાયબ થઈ જાય છે.

3 / 8
સક્રિય થઈ જાય છે છુપાયેલા પોષક તત્વો: મગફળીને પલાળવાની પ્રક્રિયાથી તેની અંદર રહેલા વિટામિન્સ અને મિનરલ્સ એક્ટિવ થઈ જાય છે. આના કારણે આપણું શરીર મગફળીમાં રહેલા આયર્ન, કેલ્શિયમ, વિટામિન-ઈ અને પોટેશિયમને ખૂબ જ સરળતાથી પચાવીને લોહીમાં ભેળવી દે છે, જે શરીરને પૂરેપૂરું પોષણ આપે છે.

સક્રિય થઈ જાય છે છુપાયેલા પોષક તત્વો: મગફળીને પલાળવાની પ્રક્રિયાથી તેની અંદર રહેલા વિટામિન્સ અને મિનરલ્સ એક્ટિવ થઈ જાય છે. આના કારણે આપણું શરીર મગફળીમાં રહેલા આયર્ન, કેલ્શિયમ, વિટામિન-ઈ અને પોટેશિયમને ખૂબ જ સરળતાથી પચાવીને લોહીમાં ભેળવી દે છે, જે શરીરને પૂરેપૂરું પોષણ આપે છે.

4 / 8
ઉનાળાના થાક સામે આખો દિવસ મળશે ઊર્જા: ગરમીના દિવસોમાં સખત તડકો અને પરસેવાના કારણે શરીર બહુ જલ્દી સુસ્ત થઈ જાય છે અને કમજોરી અનુભવાય છે. પલાળેલી મગફળીમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ હોય છે. સવારે ખાલી પેટે તેને ચાવીને ખાવાથી શરીરનું મેટાબોલિઝમ સુધરે છે અને આખો દિવસ શરીર એનર્જેટિક રહે છે.

ઉનાળાના થાક સામે આખો દિવસ મળશે ઊર્જા: ગરમીના દિવસોમાં સખત તડકો અને પરસેવાના કારણે શરીર બહુ જલ્દી સુસ્ત થઈ જાય છે અને કમજોરી અનુભવાય છે. પલાળેલી મગફળીમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ હોય છે. સવારે ખાલી પેટે તેને ચાવીને ખાવાથી શરીરનું મેટાબોલિઝમ સુધરે છે અને આખો દિવસ શરીર એનર્જેટિક રહે છે.

5 / 8
હાર્ટ હેલ્થ અને બ્લડ સર્ક્યુલેશન માટે સિક્રેટ કવચ: પલાળેલી મગફળીમાં ઓમેગા-3 ફેટી એસિડ અને હૃદયનું રક્ષણ કરનારા ખાસ ગુણો હોય છે. તે શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ને ઘટાડીને સારા કોલેસ્ટ્રોલ (HDL) ને વધારવામાં મદદ કરે છે. આના નિયમિત સેવનથી શરીરમાં લોહીનું પરિભ્રમણ બરાબર થાય છે અને હૃદયની બીમારીઓનું જોખમ ઘટી જાય છે.

હાર્ટ હેલ્થ અને બ્લડ સર્ક્યુલેશન માટે સિક્રેટ કવચ: પલાળેલી મગફળીમાં ઓમેગા-3 ફેટી એસિડ અને હૃદયનું રક્ષણ કરનારા ખાસ ગુણો હોય છે. તે શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ને ઘટાડીને સારા કોલેસ્ટ્રોલ (HDL) ને વધારવામાં મદદ કરે છે. આના નિયમિત સેવનથી શરીરમાં લોહીનું પરિભ્રમણ બરાબર થાય છે અને હૃદયની બીમારીઓનું જોખમ ઘટી જાય છે.

6 / 8
ત્વચા અને વાળમાં આવશે કુદરતી ચમક: તેજ ધૂપ અને પ્રદૂષણને કારણે ઉનાળામાં ત્વચા બેજાન થઈ જાય છે. પલાળેલી મગફળીમાં રહેલા વિટામિન-ઈ અને એન્ટીઓક્સીડેન્ટ્સ ત્વચાના સેલ્સને ડેમેજ થતા બચાવે છે. તે ચહેરા પર સમય પહેલાં આવતી કરચલીઓને રોકે છે અને વાળને મૂળમાંથી મજબૂત અને ચમકદાર બનાવે છે.

ત્વચા અને વાળમાં આવશે કુદરતી ચમક: તેજ ધૂપ અને પ્રદૂષણને કારણે ઉનાળામાં ત્વચા બેજાન થઈ જાય છે. પલાળેલી મગફળીમાં રહેલા વિટામિન-ઈ અને એન્ટીઓક્સીડેન્ટ્સ ત્વચાના સેલ્સને ડેમેજ થતા બચાવે છે. તે ચહેરા પર સમય પહેલાં આવતી કરચલીઓને રોકે છે અને વાળને મૂળમાંથી મજબૂત અને ચમકદાર બનાવે છે.

7 / 8
સેવન કરવાની સાચી રીત: આ સુપરફૂડનો પૂરો લાભ લેવા માટે રોજ રાત્રે એક મુઠ્ઠી સીંગદાણાને સાફ પાણીમાં પલાળી દો. સવારે ઉઠીને નરણા કોઠે (ખાલી પેટે) તેને ખૂબ ચાવી-ચાવીને ખાઓ. જો તમે ઈચ્છો તો તેની સાથે થોડા પલાળેલા ચણા અથવા કિસમિસ પણ ઉમેરી શકો છો. ઉનાળામાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આ સૌથી સસ્તો અને અસરદાર ઉપાય છે.

સેવન કરવાની સાચી રીત: આ સુપરફૂડનો પૂરો લાભ લેવા માટે રોજ રાત્રે એક મુઠ્ઠી સીંગદાણાને સાફ પાણીમાં પલાળી દો. સવારે ઉઠીને નરણા કોઠે (ખાલી પેટે) તેને ખૂબ ચાવી-ચાવીને ખાઓ. જો તમે ઈચ્છો તો તેની સાથે થોડા પલાળેલા ચણા અથવા કિસમિસ પણ ઉમેરી શકો છો. ઉનાળામાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આ સૌથી સસ્તો અને અસરદાર ઉપાય છે.

8 / 8

Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

કાળઝાળ ગરમીમાં જાંબુ શરીર માટે કેમ ગણાય છે વરદાન? તેના અદભુત ફાયદા જાણો

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">