Gujarati News » Photo gallery » Navy strength will be visible in Visakhapatnam show of strength will be done by ships and planes Navy Day
Navy Day: વિશાખાપટ્ટનમમાં દેખાશે નૌસેનાની તાકાત, જહાજ અને વિમાનો દ્વારા કરવામાં આવશે શક્તિ પ્રદર્શન
TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria
Updated on: Dec 03, 2022 | 9:42 PM
ભારતમાં દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ નેવી દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્વમાં ભારતીય નેવી દ્વારા બતાવવામાં આવેલા પરાક્રમના પ્રતિક રુપે દર વર્ષ આ દિવસ ઉજવવામાં આવે છે.
આ વર્ષે 4 ડિસેમ્બરના રોજ વિશાખાપટ્ટનમમાં નેવી દિવસનું આયોજન કરવામાં આવ્યુ છે. પહેલીવાર એવુ થઈ રહ્યુ છે જ્યારે નેવી દિવસનો મુખ્યક્રમ રાજધાની દિલ્હીની બહાર આયોજિત થયુ છે.
1 / 6
દુનિયાની 7મી સૌથી તાકતવર ભારતીય નેવી આ કાર્યક્રમમાં યુદ્ધ કૌશલ અને ક્ષમતાનું પ્રદર્શન કરશે. વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ઓપરેશન ટ્રાઈડેન્ટમાં નેવીની ઉપલબ્ધિઓને યાદ કરીને દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે.
2 / 6
આ કાર્યક્રમની યજમાની નેવીના પ્રમુખ એડમિરલ આર. હરિકુમાર કરશે. આ કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ રુપે જોડાશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાજ્યપાલ વિશ્વ ભૂષણ હરિચંદન અને મુખ્યમંત્રી વાઈ. એસ. જગન મોહન રેડ્ડી આ કાર્યક્રમમાં સામેલ થશે.
3 / 6
આ કાર્યક્રમ દરમિયાન નેવીના જહાજ, સબમરિન, વિમાન અને પૂર્વ,પશ્વિમ અને દક્ષિણની નેવી દળ ભારતીય નેવીની ક્ષમતા અને બહુમુખી પ્રતિભાનું પ્રદર્શન કરશે.
4 / 6
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સામાન્ય જનતાની નેવી પ્રત્યેની રુચિ વધારવા અને સમુદ્રી ચેતનાને નવીનીકૃત કરવાનું છે.
5 / 6
વર્ષ 1971માં ઓપરેશન ટ્રાઈડેન્ટ હેઠળ પાકિસ્તાનની નેવીના કરાચી સ્થિત મુખ્યાલય અને કરાચીના પોર્ટને બર્બાદ કરવામાં આવ્યુ હતુ.