AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૂર્યદેવ વરસાવશે ‘આગ’ ! આ દિવસથી શરૂ થઈ રહ્યો છે સૌથી ગરમ સમય ‘નવતપા’, પુણ્ય મેળવવા જરૂર કરો આ ‘5 કામ’

વર્ષનો સૌથી ગરમ સમયગાળો હવે ખૂબ જ નજીક આવી ગયો છે, જ્યારે ભારે તડકો અને ગરમી પડવાની શરૂ થઈ જશે. આગામી 9 દિવસ માટે પ્રકૃતિમાં એક મોટો બદલાવ જોવા મળશે, જેને ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે.

| Updated on: May 20, 2026 | 4:16 PM
Share
વર્ષનો સૌથી ગરમ સમય એટલે કે 'નવતપા' ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ દરમિયાન સૂર્યદેવ ધરતી પર અગનગોળા વરસાવશે. નવતપામાં ભયંકર ગરમી પડે છે. એવું કહેવાય છે કે, નવતપા દરમિયાન સૂર્યદેવનો તાપ તેની ચરમસીમાએ હોય છે. તમને જણાવી દઈએ કે, જ્યારે સૂર્યદેવ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે પૃથ્વીનું તાપમાન ખૂબ જ ઝડપથી વધે છે. નવતપા પૂરા 9 દિવસ સુધી ચાલે છે. આ વર્ષે 25 મેથી નવતપા શરૂ થશે, જે 2 જૂન 2026 સુધી ચાલશે. ધાર્મિક દ્રષ્ટિએ નવતપામાં આ 5 કાર્યો કરવાથી શુભ અને પુણ્યશાળી ફળ પ્રાપ્ત થાય છે.

વર્ષનો સૌથી ગરમ સમય એટલે કે 'નવતપા' ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ દરમિયાન સૂર્યદેવ ધરતી પર અગનગોળા વરસાવશે. નવતપામાં ભયંકર ગરમી પડે છે. એવું કહેવાય છે કે, નવતપા દરમિયાન સૂર્યદેવનો તાપ તેની ચરમસીમાએ હોય છે. તમને જણાવી દઈએ કે, જ્યારે સૂર્યદેવ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે પૃથ્વીનું તાપમાન ખૂબ જ ઝડપથી વધે છે. નવતપા પૂરા 9 દિવસ સુધી ચાલે છે. આ વર્ષે 25 મેથી નવતપા શરૂ થશે, જે 2 જૂન 2026 સુધી ચાલશે. ધાર્મિક દ્રષ્ટિએ નવતપામાં આ 5 કાર્યો કરવાથી શુભ અને પુણ્યશાળી ફળ પ્રાપ્ત થાય છે.

1 / 6
નવતપા દરમિયાન ભીષણ ગરમી હોય છે, તેથી આ સમયે જળનું દાન ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. તરસ્યાને પાણી પીવડાવવું એ સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે. આ દરમિયાન તાંબાના અથવા માટીના વાસણમાં પાણી ભરીને દાન કરવું ખૂબ જ શુભ ગણાય છે. જો શક્ય હોય તો, વટેમાર્ગુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા (પરબ) પણ કરી શકો છો. આ સાથે ગરીબો અને જરૂરિયાતમંદોને કેરી, તડબૂચ, ટેટી જેવા ઠંડા અને વધુ પાણી ધરાવતા ફળોનું દાન કરો.

નવતપા દરમિયાન ભીષણ ગરમી હોય છે, તેથી આ સમયે જળનું દાન ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. તરસ્યાને પાણી પીવડાવવું એ સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે. આ દરમિયાન તાંબાના અથવા માટીના વાસણમાં પાણી ભરીને દાન કરવું ખૂબ જ શુભ ગણાય છે. જો શક્ય હોય તો, વટેમાર્ગુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા (પરબ) પણ કરી શકો છો. આ સાથે ગરીબો અને જરૂરિયાતમંદોને કેરી, તડબૂચ, ટેટી જેવા ઠંડા અને વધુ પાણી ધરાવતા ફળોનું દાન કરો.

2 / 6
નવતપામાં સૂર્યદેવની પૂજા અત્યંત ફળદાયી માનવામાં આવે છે. દરરોજ સવારે સૂર્યોદય સમયે તાંબાના લોટામાં જળ, લાલ ચંદન અને ફૂલ ઉમેરીને સૂર્યદેવને અર્પણ કરો. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. નવતપાના કોઈપણ એક દિવસે તાંબાની થાળીમાં ગોળ-ચણા રાખીને સૂર્યદેવને ચઢાવો. આનાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થશે.

નવતપામાં સૂર્યદેવની પૂજા અત્યંત ફળદાયી માનવામાં આવે છે. દરરોજ સવારે સૂર્યોદય સમયે તાંબાના લોટામાં જળ, લાલ ચંદન અને ફૂલ ઉમેરીને સૂર્યદેવને અર્પણ કરો. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. નવતપાના કોઈપણ એક દિવસે તાંબાની થાળીમાં ગોળ-ચણા રાખીને સૂર્યદેવને ચઢાવો. આનાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થશે.

3 / 6
નવતપા દરમિયાન પ્રચંડ ગરમી પડે છે, તેથી પક્ષીઓ અને પ્રાણીઓ માટે પણ ભોજન તેમજ પાણીની વ્યવસ્થા કરો. ઘરની છત, બાલ્કની કે આંગણામાં માટીના વાસણો (કુંડા) માં સાફ પાણી ભરીને રાખો. ગાય અને બીજા પ્રાણીઓ માટે પણ ઘરની બહાર પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરો. આમ કરવાથી સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થશે.

નવતપા દરમિયાન પ્રચંડ ગરમી પડે છે, તેથી પક્ષીઓ અને પ્રાણીઓ માટે પણ ભોજન તેમજ પાણીની વ્યવસ્થા કરો. ઘરની છત, બાલ્કની કે આંગણામાં માટીના વાસણો (કુંડા) માં સાફ પાણી ભરીને રાખો. ગાય અને બીજા પ્રાણીઓ માટે પણ ઘરની બહાર પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરો. આમ કરવાથી સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થશે.

4 / 6
નવતપામાં છોડને પાણી આપવું પણ પુણ્યકારી માનવામાં આવ્યું છે. આવામાં નવતપા દરમિયાન તુલસી, પીપળો અને વડ જેવા પવિત્ર વૃક્ષ-છોડમાં જળ જરૂર અર્પણ કરો. પ્રચંડ તડકાને કારણે વૃક્ષ-છોડ પણ સૂકાવા લાગે છે. પ્રકૃતિને લીલીછમ રાખવી એ પણ આ સમયે એક મોટું પુણ્યનું કામ છે. જો શક્ય હોય તો, આ દરમિયાન છાયા આપતા અથવા ફળ આપતા છોડ વાવો.

નવતપામાં છોડને પાણી આપવું પણ પુણ્યકારી માનવામાં આવ્યું છે. આવામાં નવતપા દરમિયાન તુલસી, પીપળો અને વડ જેવા પવિત્ર વૃક્ષ-છોડમાં જળ જરૂર અર્પણ કરો. પ્રચંડ તડકાને કારણે વૃક્ષ-છોડ પણ સૂકાવા લાગે છે. પ્રકૃતિને લીલીછમ રાખવી એ પણ આ સમયે એક મોટું પુણ્યનું કામ છે. જો શક્ય હોય તો, આ દરમિયાન છાયા આપતા અથવા ફળ આપતા છોડ વાવો.

5 / 6
નવતપામાં પોતાના પિતૃઓનું પૂજન કરો અને પિતૃઓની આત્માની શાંતિ માટે ગરીબોને ભોજન કરાવો. સાથે જ દાન-પુણ્ય પણ કરો. આમ કરવાથી તમારા પર પિતૃઓના આશીર્વાદ હંમેશા બનેલા રહેશે.

નવતપામાં પોતાના પિતૃઓનું પૂજન કરો અને પિતૃઓની આત્માની શાંતિ માટે ગરીબોને ભોજન કરાવો. સાથે જ દાન-પુણ્ય પણ કરો. આમ કરવાથી તમારા પર પિતૃઓના આશીર્વાદ હંમેશા બનેલા રહેશે.

6 / 6
આ લેખમાં આપવામાં આવેલી તમામ વિગતો અને માહિતી સામાન્ય રિપોર્ટ્સ, નિષ્ણાતોના અભિપ્રાયો અને પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી આ માહિતીની ચોકસાઈ, સંપૂર્ણતા કે સત્યતાનો દાવો કરતું નથી

Desi Jugaad For Cooling: કૂવામાં ખાટલો લટકાવી ઠંડક માણી, ગરમી સામે લોકોના અનોખા ઉપાયો વાયરલ, જુઓ એક જ ક્લિકમાં 3થી વધારે Video

Follow Us
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
g clip-path="url(#clip0_868_265)">