Surat Breaking News : નાસીરનગર ડિમોલિશન કેસમાં તપાસ રિપોર્ટમાં મોટા ખુલાસા, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
નાસીરનગર ડિમોલિશન મામલે તપાસ દરમિયાન મહત્વપૂર્ણ ખુલાસાઓ સામે આવ્યા છે. ઝોનલ ચીફ આશિષ નાયકે તૈયાર કરેલો 40 પાનાનો પ્રાથમિક તપાસ રિપોર્ટ તપાસ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં ડિમોલિશન દરમિયાન સ્થળ પર હાજર રહેલા 15 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સુરતના નાસીરનગર ડિમોલિશન મામલે તપાસ દરમિયાન મહત્વપૂર્ણ ખુલાસાઓ સામે આવ્યા છે. ઝોનલ ચીફ આશિષ નાયકે તૈયાર કરેલો 40 પાનાનો પ્રાથમિક તપાસ રિપોર્ટ તપાસ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં ડિમોલિશન દરમિયાન સ્થળ પર હાજર રહેલા 15 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
નાસીરનગર ડિમોલિશન 15 જેટલા અધિકારીના નામ આવ્યા સામે
રિપોર્ટ મુજબ, તમામ અધિકારીઓએ પોતાના નિવેદનમાં એકસરખો જવાબ આપ્યો છે કે તેઓ નાસીરનગર વિસ્તારમાં માત્ર “સીમાંકન” માટે ગયા હતા. જોકે, ડિમોલિશન કાર્યવાહી દરમિયાન તેમની ભૂમિકા શું હતી અને ઘટનાક્રમ કેવી રીતે આગળ વધ્યો તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.
સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ડિમોલિશન પહેલાં અસરગ્રસ્તોને નિયમ મુજબ નોટિસ આપવામાં આવી હતી કે નહીં, તે પ્રશ્ન અંગે અધિકારીઓએ કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. આ મુદ્દે તેમના મૌનને કારણે સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.
40 પાનાનો રિપોર્ટ તપાસ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો
હવે તપાસ સમિતિ આ પ્રાથમિક રિપોર્ટના આધારે આગામી કાર્યવાહી નક્કી કરશે. સમિતિ તમામ તથ્યો અને જવાબદારીઓની સમીક્ષા કર્યા બાદ પોતાનો અંતિમ અહેવાલ તૈયાર કરીને મ્યુનિસિપલ કમિશનરને સોંપશે.
રિપોર્ટના આધારે થશે કાર્યવાહી
નાસીરનગર ડિમોલિશન કેસને લઈને શહેરમાં પહેલેથી જ ભારે ચર્ચા ચાલી રહી છે. આવા સંજોગોમાં તપાસ સમિતિનો અંતિમ રિપોર્ટ અને તેના આધારે લેવાતી કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે. આ કેસમાં જવાબદારી નક્કી કરવા અને નિયમોના પાલન અંગે સ્પષ્ટતા મેળવવા માટે આગામી દિવસો મહત્વપૂર્ણ બની શકે છે.
Weather Update: મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીની તૈયારી, આજે અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં વરસાદની આગાહી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
ગુજરાત હાઈકોર્ટને મળશે નવા ન્યાયાધીશ
નવસારીનો ‘વિકાસ’ પાણીમાં! ₹1,000 કરોડના કાર્યો ધોધમાર વરસાદમાં ધોવાયા
ગીરનાર પર્વતનો અદ્દભૂત નજારો આવ્યો સામે, રોપવે શરૂ થતા ઉમટ્યા પ્રવાસીઓ
25 દિવસમાં 5,000 ખાડા પડતાં AMC સામે 'જનઆક્રોશ', ખુલ્લી 'તંત્રની પોલ'

