Breaking News : ટ્રેનોમાં પ્રતિબંધિત વસ્તુઓ લઈ જવા બદલ રેલવેએ દંડ વધારીને 10,000 રૂપિયા કર્યો
ભારતીય રેલવે હાલમાં નવા નિયમ લાગુ કર્યા છે. જેના ઉલ્લંધન કરવા પર 10 હજાર રુપિયા સુધીનો દંડ અને જેલ થઈ શકે છે. ટિકિટ વગર મુસાફરી ,મહિલા કોચમાં એન્ટ્રી કે ગંદકી ફેલાવવા પર મોટો દંડ લાગી શકે છે.

ભારતીય રેલવે 20 જૂન શનિવારથી નવા નિયમ લાગુ કર્યા છે. નવા નિયમોના ઉલ્લંધન કરવા પર 10 હજાર રુપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. આ સાથે જેલ જવાનો પણ વાળો આવી શકે છે.

ટિકિટ વગર મુસાફરી. મહિલા કોચમાં એન્ટ્રી અને ટ્રેનમાં ગંદકી ફેલાવવા પર હવે વધારે દંડ લાગી શકે છે.

રેલવેએ ટિકિટ વગરના મુસાફરો અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે. નવા નિયમો હેઠળ ટિકિટ વગર કે પછી ખોટી ટિકિટ સાથે મુસાફરી કરતી વખતે પકડાયેલા મુસાફરો 500નો દંડ ફટકારવામાં આવશે.

કોઈ અન્ય વ્યક્તિના આરક્ષિત ટિકિટ પર મુસાફરી કરવા પર 500 રુપિયાનો વધારેનો દંડ ભરવો પડશે. તેમજ ટિકિટ જપ્ત કરવામાં આવશે.

ટ્રેનમાં દારુ પીને હંગામો કરનાર કે અપશબ્દો બોલનાર, થુંક કે ગંદકી ફેલાવવા પર પહેલી વખત એક હજાર રુપિયાનો દંડ ભરવો પડશે. બીજી વખત ભૂલ કરવા પર 5 હજાર રુપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. રેલવે પરિસર અને ટ્રેનમાં સામાન વેચવા કે ભીખ માંગવા પર 2 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે.

મહિલા કોચમાં પ્રેવશ કરનાર પુરુષ યાત્રિકો પર 2500 રુપિયા સુધીનો દંડ લાગશે. ટ્રેન અને રેલવે સ્ટેશનમાં ધ્રુમપાન કરતા જો પકડાયા તો 2 હજાર રુપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. ખતરનાક અને જ્વલનશીલ સામાન લઈ મુસાફરી કરતા પકડાવા પર 10 હજાર સુધીનો દંડ અને સજા થઈ શકે છે.
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. અહી ક્લિક કરો
