રાજયમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના હિતમાં સરકારનો નિર્ણય, હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય- Video
રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખાસ કરીને ખેડૂતોએ ખેડ કરીને વાવેતર કરી દીધુ છે પરંતુ વરસાદ ખેંચાતા પિયતની સમસ્યા ઉભી થઈ છે, ત્યારે ખેડૂતોના હિતમાં સરકારે હવે 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. જેનાથી ખેડૂતો પિયત કરી શકશે.
રાજ્યમાં ચોમાસુ ખેંચાતા સૌથી વધુ ચિંતામાં ગુજરાતના ખેડૂતો છે.. વરસાદ ન પડવાથી પાકને નુકસાન ન પહોંચે તે માટે ખેડૂતોને અપાતા વીજ પુરવઠાની મર્યાદા વધારાઈ છે. અગાઉ ખેડૂતોને રોજના 8 કલાક વીજ પુરવઠો અપાતો હતો, તેને વધારી હવે ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણયને રાજ્ય કક્ષાના ઉર્જાપ્રધાન કૌશિક વેકરીયાએ આવકારી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતો વતી આભાર વ્યક્ત કર્યો. સાથે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રથમ અમરેલીમાંથી આ નિર્ણયના અમલની શરૂઆત કરાઈ છે.
કૌશિક વેકરીયાએ કહ્યુ હાલ વરસાદ ખેંચાયો છે તો ખેડૂતોને પિયત ની જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે દરેક વિસ્તારોમાંથી ખેડૂતોની માગ આવતી હતી કે વીજળી નો પૂરવઠો 8 કલાક થી વધારીને 10 કલાક કરો. ત્યારે CM એ ખેડૂતોની આ માગ પર વિચાર કરતા જે નિર્ણય લીધો છે તેનાથી ખેડૂતોને થોડી રાહત થશે.
કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેના કપડાનું શું કરવુ જોઈએ? શું મૃત વ્યક્તિના કપડા ઘરમાં રાખવા જોઈએ કે નિકાલ કરી દેવો જોઈએ- જાણો
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
