Breaking News : રામ મંદિરના દાનની ગણતરી માટે નવા નિયમો લાગુ, કર્મચારીઓ હવે આ વસ્તુઓ લઈ જઈ શકશે નહીં
Ram Mandir Donation Rules : અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં દાનરાશિની સુરક્ષા પારદર્શિતા વધારવા માટે નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. કર્મચારીઓ હવે દાન ગણતરી ખંડમાં ખિસ્સા વગરના ખાસ કપડાં પહેરીને પ્રવેશ કરશે. મોબાઇલ ફોન, બેગ, પાકીટ અને પર્સનલ સામાન લઈ જવા પર પ્રતિબંધ છે.

અયોધ્યા સ્થિત શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા મળતા દાનની સુરક્ષા અને પારદર્શિતાને લઈ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે નવી વ્યવસ્થા લાગુ કરી છે. દાનની ગણના અને પ્રબંધનની પ્રકિયાને વધારે સુરક્ષિત બનાવવા માટે અનેક કડક પગલાઓ ઉઠાવવામાં આવ્યા છે. નવી વ્યવસ્થાને લઈ હવે દાનના રુમમાં પ્રવેશ કરનાર દરેક કર્મચારીઓ માટે વિશેષ નિયમ લાગુ કરવામાં આવ્યા છે.
ટ્રસ્ટ દ્વારા નવી વ્યવસ્થા મુજબ હવે દાનની ગણતરી કરનાર કર્મચારીઓને ખીસ્સા વગરના કપડાં પહેરવા જરુરી રહેશે. જેનો ઉદ્દેશ્ય ગણના પ્રકિયા દરમિયાન કોઈ પણ ગડબડ કે અનિયમિતતાની સંભાવનાને પુરી રીતે પૂર્ણ કરવાનું છે. ગણતરી ખંડમાં પ્રવેશતા પહેલા સ્ટાફે નિર્ધારિત ડ્રેસ પહેરવાનો રહેશે અને કોઈપણ વ્યક્તિગત સામાન સાથે પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ
સુત્રોના જણાવ્યા અનુસાર ગણતરી ખંડમાં મોબાઈલ, બેગ પર્સ કે અન્ય વસ્તુઓ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કર્મચારીઓ હવે ફક્ત ખાલી હાથે મતગણતરી ખંડમાં પ્રવેશ કરી શકાશે. પ્રવેશ અને બહાર નીકળતી વખતે તેમની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે, જેથી ખાતરી કરી શકાય કે સમગ્ર પ્રક્રિયા દેખરેખ હેઠળ રહે અને કોઈપણ સંભવિત શંકાઓ દૂર થાય.
ટ્રસ્ટે ગણતરી ખંડમાં લાગેલા સીસીટીવીની સંખ્યા વધારી દેવામાં આવી છે. આ સીસીટીવીનો રેકોર્ડ પણ રાખવામાં આવશે. દાનની ગણતરીની પ્રકિયા સંપૂર્ણ રીતે ડોક્યુમેન્ટ આધારિત બનાવવાની તૈયારી કરવામાં આવી છે. જેનો ઉદ્દેશ્ય ભવિષ્યમાં કોઈ પણ વિવાદ, ફરિયાદ કે તપાસની સ્થિતિમાં જરુરી રેકોર્ડ ઉપલબ્ધ કરાવવાનો છે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું માનવું છે કે, દાન વ્યવસ્થાપનમાં આધુનિક દેખરેખ પ્રણાલીઓ, કડક નિયમો અને રેકોર્ડ-આધારિત પ્રક્રિયાઓ સમગ્ર પ્રણાલીને વધુ વિશ્વસનીય બનાવી શકે છે. નવી વ્યવસ્થા લાગુ થયા બાદ દાનની ગણતરી થી લઈ તેના વ્યવસ્થાપન સુધી દરેક સ્તર પર દેખરેખ પહેલાથી વધારે કડક થઈ ગઈ છે.તાજેતરના સમયમાં, મંદિરને આપવામાં આવતી દાનની રકમ અંગે પ્રશ્નો ઉભા થયા અને તપાસ અંગે ચર્ચા થયા પછી, ટ્રસ્ટે સિસ્ટમમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
