કરોડો રુપિયાનો સંપત્તિ હોવા છતાં નથી કોઈ ઘમંડ, અંબાણી પરિવારના નાના દીકરાએ પગપાળા જઈ દ્વારકાધીશના દર્શન કર્યા
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અનંત અંબાણી જામનગરથી દ્વારકા પગપાળા જઈ અંદાજે 140 કિલોમીટર પગપાળા ચાલી અનંત અંબાણી દ્વારકાધિશના દર્શન કર્યા છે.તો આજે આપેણે અંબાણી પરિવાર વિશે વાત કરીશું.

અનંત અંબાણીના જન્મદિવસે તેના પરિવાર વિશે જાણીએ.

મુકેશ ધીરુભાઈ અંબાણીનો જન્મ 19 એપ્રિલ 1957ના રોજ ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીના ઘરે એક ગુજરાતી હિન્દુ પરિવારમાં થયો હતો. તેમનો એક નાનો ભાઈ અનિલ અંબાણી અને બે બહેનો, નીના ભદ્રશ્યામ કોઠારી અને દિપ્તી દત્તરાજ સાલગાંવકર છે.(photo : indianhistorypics)

રિલાયન્સ કેપિટલ્સનું નેતૃત્વ કરનાર અનિલ અંબાણીનો જન્મ 4 જૂન 1959ના રોજ થયો છે. તેમણે બોલિવુડ અભિનેત્રી ટીના મુનીમ સાથે લગ્ન કર્યા છે. અનિલ અંબાણી અને ટીના અંબાણીને 2 બાળકો છે.

રિલાયન્સ કેપિટલ્સનું નેતૃત્વ કરનાર અનિલ અંબાણીનો જન્મ 4 જૂન 1959ના રોજ થયો છે. તેમણે બોલિવુડ અભિનેત્રી ટીના મુનીમ સાથે લગ્ન કર્યા છે. અનિલ અંબાણી અને ટીના અંબાણીને 2 બાળકો છે.

અનંત અંબાણીનો જન્મ એપ્રિલ 10, 1995ના રોજ ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ત્યાં થયો હતો. તેઓ Jio પ્લેટફોર્મ્સ લિમિટેડ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ, રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડ અને રિલાયન્સ ન્યૂ સોલર એનર્જી લિમિટેડ સહિત અનેક અગ્રણી કંપનીઓના બોર્ડમાં ડિરેક્ટર તરીકેની તેમની ભૂમિકાઓ માટે જાણીતા છે.

અનંત અંબાણીનો ડ્રીમ પ્રોજેક્ટ 'વનતારા છે. દેશમાં આ પ્રકારનું આ પહેલું એનિમલ રેસ્ક્યૂ સેન્ટર છે.વનતારાએ 3000 એકરની વિશાળ જગ્યાને જંગલ જેવા વાતાવરણમાં પરિવર્તિત કર્યું છે. 200 થી વધુ હાથીઓ અને હજારો અન્ય પ્રાણીઓ, સરિસૃપો અને પક્ષીઓને અસુરક્ષિત પરિસ્થિતિમાંથી બચાવ્યા છે

અનંત અંબાણી તેના ભાઈ આકાશ અંબાણી અને ઈશા અંબાણીને ખુબ પ્રેમ કરે છે. એકબીજા ઉપર ખુબ ભરોસો પણ રાખે છે. મુકેશ અંબાણીનો નાનો દિકરો અનંત રાજાશાહી જીંદગી જીવે છે.

અનંત અંબાણીએ 18 મહિનામાં 108 કિલો વજન ઉતાર્યું હતુ. પરંતુ અચાનક તેનું વજન વધવા લાગ્યું એક ઈન્ટરવ્યુમાં અનંતની માતાએ આ બિમારી વિશે કહ્યું કે, તેને અસ્થમા છે. અસ્થમામાં સ્ટિરોયડ લેવાને કારણે તેનું વજન વધી ગયું હતુ.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટુંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાશે. થોડા દિવસો પહેલા જ જામનગરમાં બંન્નેનું પ્રી વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બોલિવુડથી લઈ હોલિવુડ અને દેશ-વિદેશના મહેમાન આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંન્ને 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે.

તમને જણાવી દઈએ કે, વર્ષ 2022માં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની ગોળધાણાની વિધિ થઈ હતી, જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. રાજસ્થાનના શ્રીનાથજી મંદિરમાં ગોળધાણાની વિધિ થઈ હતી. અનંત અને રાધિકા બાળપણના મિત્રો છે. રાધિકા અંબાણી પરિવારના દરેક ફેમિલી ફંક્શનમાં જોવા મળે છે. હવે એ દિવસ દૂર નથી જ્યારે રાધિકા અંબાણી પરિવારની નાની વહુ બનશે.

થોડા દિવસો પહેલા આ કપલ દુબઈના એક ફેમસ મોલમાં જોવા મળ્યું હતુ. 20 કારોના કાફલા સાથે દુબઈના આ મેલમાં પહોંચ્યા હતા. જેમાં કરોડો રુપિયાનો કાર પણ સામેલ હતી.

બિઝનેસ વર્લ્ડ સિવાય અનંત અંબાણીને જાનવરો સાથે ખુબ પ્રેમ છે. તેઓ જાનવરો સાથે જોડાયેલા કાર્યમાં પણ કામ કરે છે. આ માટે વનતારા એ તેમનો ડ્રીમ પ્રોજેકટ છે. વન્ય પ્રાણીઓ માટે સ્થાપિત 'વંતારા' વિશે માહિતી આપતા એક ઈન્ટરવ્યુમાં અનંત અંબાણીએ કહ્યું કે આ વિશ્વનું સૌથી મોટું રેસ્ક્યુ સેન્ટર છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો



























































