AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુકેશ અંબાણી, રતન ટાટા, અમિતાભ બચ્ચન… આ 5 સેલિબ્રિટીઓના ઘરની કિંમત કેટલી છે?

Celebrities houses worth : માયાનગરી મુંબઈમાં દેશની ઘણી જાણીતી હસ્તીઓ રહે છે. બીજી ઘણી વસ્તુઓની સાથે આ ઘરો મુંબઈનું આકર્ષણ છે. તેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

| Updated on: Apr 24, 2024 | 9:25 AM
Share
માયાનગરી મુંબઈ દેશની આર્થિક રાજધાની છે. તેને સપનાનું શહેર પણ કહેવામાં આવે છે. ફિલ્મ અને ઉદ્યોગ જગતની ઘણી જાણીતી હસ્તીઓ અહીં રહે છે. તેમના આલીશાન મકાનો અને બંગલા આકર્ષણનું મોટું કેન્દ્ર છે. લોકો જ્યારે મુંબઈ ફરવા જાય છે ત્યારે તેઓ તેમના ઘર પણ જોવા જાય છે. આજે અમે તમને આવી જ 5 વ્યક્તિઓના ઘર અને તેમની કિંમતો વિશે જણાવી રહ્યા છીએ.

માયાનગરી મુંબઈ દેશની આર્થિક રાજધાની છે. તેને સપનાનું શહેર પણ કહેવામાં આવે છે. ફિલ્મ અને ઉદ્યોગ જગતની ઘણી જાણીતી હસ્તીઓ અહીં રહે છે. તેમના આલીશાન મકાનો અને બંગલા આકર્ષણનું મોટું કેન્દ્ર છે. લોકો જ્યારે મુંબઈ ફરવા જાય છે ત્યારે તેઓ તેમના ઘર પણ જોવા જાય છે. આજે અમે તમને આવી જ 5 વ્યક્તિઓના ઘર અને તેમની કિંમતો વિશે જણાવી રહ્યા છીએ.

1 / 6
મુકેશ અંબાણીનું ઘર : મુકેશ અંબાણીના ઘરને એન્ટિલિયા તરીકે ઓળખવામાં આવે છે. એન્ટિલિયા મુંબઈના સાઉથમાં અલ્ટામાઉન્ટ રોડ પર છે. આ 27 માળનું પોતાનું ઘર વિશ્વના સૌથી મોંઘા ખાનગી મકાનોમાંથી એક છે. તેની અંદાજિત કિંમત લગભગ 15,000 કરોડ રૂપિયા છે. એન્ટિલિયાનો વિસ્તાર 400,000 ચોરસ ફૂટથી વધુ છે. તેમાં હેલિપેડ, મૂવી થિયેટર, મલ્ટી-લેવલ ગેરેજ, સ્વિમિંગ પૂલ અને સ્પા સહિતની ઘણી સુવિધાઓ છે. તેની જાળવણીમાં દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. એન્ટિલિયાની ભવ્યતા તેની ઓળખ છે.

મુકેશ અંબાણીનું ઘર : મુકેશ અંબાણીના ઘરને એન્ટિલિયા તરીકે ઓળખવામાં આવે છે. એન્ટિલિયા મુંબઈના સાઉથમાં અલ્ટામાઉન્ટ રોડ પર છે. આ 27 માળનું પોતાનું ઘર વિશ્વના સૌથી મોંઘા ખાનગી મકાનોમાંથી એક છે. તેની અંદાજિત કિંમત લગભગ 15,000 કરોડ રૂપિયા છે. એન્ટિલિયાનો વિસ્તાર 400,000 ચોરસ ફૂટથી વધુ છે. તેમાં હેલિપેડ, મૂવી થિયેટર, મલ્ટી-લેવલ ગેરેજ, સ્વિમિંગ પૂલ અને સ્પા સહિતની ઘણી સુવિધાઓ છે. તેની જાળવણીમાં દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. એન્ટિલિયાની ભવ્યતા તેની ઓળખ છે.

2 / 6
રતન ટાટા અહીં રહે છે : રતન ટાટા મુંબઈના કોલાબા વિસ્તારમાં આવેલા આલીશાન બંગલામાં રહે છે. આ ઘર 14,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. તેની કિંમત 150 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તે સામાન્ય રીતે રતન ટાટાના બંગલા, કોલાબા મેન્શન અથવા 22, કમલા નેહરુ પાર્ક તરીકે ઓળખાય છે. તેને "ટાટા હાઉસ" અથવા "ટાટા મેન્શન" તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઘર તેના ભવ્ય સ્થાપત્ય, લીલાછમ બગીચા અને આધુનિક સુવિધાઓ માટે જાણીતું છે. તેમાં હેલિપેડ, સ્વિમિંગ પૂલ, જિમ અને હોમ થિયેટરનો પણ સમાવેશ થાય છે. ટાટાનું આ ઘર વારંવાર ચર્ચામાં રહે છે. તે ભારતના સૌથી મોંઘા મકાનોમાંથી એક માનવામાં આવે છે.

રતન ટાટા અહીં રહે છે : રતન ટાટા મુંબઈના કોલાબા વિસ્તારમાં આવેલા આલીશાન બંગલામાં રહે છે. આ ઘર 14,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. તેની કિંમત 150 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તે સામાન્ય રીતે રતન ટાટાના બંગલા, કોલાબા મેન્શન અથવા 22, કમલા નેહરુ પાર્ક તરીકે ઓળખાય છે. તેને "ટાટા હાઉસ" અથવા "ટાટા મેન્શન" તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઘર તેના ભવ્ય સ્થાપત્ય, લીલાછમ બગીચા અને આધુનિક સુવિધાઓ માટે જાણીતું છે. તેમાં હેલિપેડ, સ્વિમિંગ પૂલ, જિમ અને હોમ થિયેટરનો પણ સમાવેશ થાય છે. ટાટાનું આ ઘર વારંવાર ચર્ચામાં રહે છે. તે ભારતના સૌથી મોંઘા મકાનોમાંથી એક માનવામાં આવે છે.

3 / 6
બિરલા બંગલો પણ છે શાનદાર : કુમાર મંગલમ બિરલાનું ઘર મુંબઈના મલબાર હિલમાં છે. તેમના નિવાસસ્થાનને 'જટિયા હાઉસ' કહેવામાં આવે છે. આ ઘર ભારતના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે. જેની અંદાજિત કિંમત 425 કરોડ રૂપિયા છે. તે એક વિશાળ હવેલી છે. તેમાં વિશાળ બગીચો, સ્વિમિંગ પૂલ અને હેલિપેડ જેવી સુવિધાઓ છે. જટિયા હાઉસનું નિર્માણ 1920માં થયું હતું. અગાઉ તેની માલિકી સર જમશેદજી ટાટાની હતી. 2016માં બિરલા ગ્રુપે તેને 425 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

બિરલા બંગલો પણ છે શાનદાર : કુમાર મંગલમ બિરલાનું ઘર મુંબઈના મલબાર હિલમાં છે. તેમના નિવાસસ્થાનને 'જટિયા હાઉસ' કહેવામાં આવે છે. આ ઘર ભારતના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે. જેની અંદાજિત કિંમત 425 કરોડ રૂપિયા છે. તે એક વિશાળ હવેલી છે. તેમાં વિશાળ બગીચો, સ્વિમિંગ પૂલ અને હેલિપેડ જેવી સુવિધાઓ છે. જટિયા હાઉસનું નિર્માણ 1920માં થયું હતું. અગાઉ તેની માલિકી સર જમશેદજી ટાટાની હતી. 2016માં બિરલા ગ્રુપે તેને 425 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

4 / 6
અમિતાભ બચ્ચન જલસા ઘરમાં રહે છે : અમિતાભ બચ્ચનના ઘરનું નામ જલસા છે. તે જુહુમાં છે. તે 10,125 ચોરસ ફૂટમાં છે. જેડબ્લ્યુ મેરિયોટ બાજુમાં જ છે. તેમાં સ્ટડી એરિયા, હોમ ઓફિસ અને પર્સનલ જિમ પણ છે. આ બંગલાની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે.

અમિતાભ બચ્ચન જલસા ઘરમાં રહે છે : અમિતાભ બચ્ચનના ઘરનું નામ જલસા છે. તે જુહુમાં છે. તે 10,125 ચોરસ ફૂટમાં છે. જેડબ્લ્યુ મેરિયોટ બાજુમાં જ છે. તેમાં સ્ટડી એરિયા, હોમ ઓફિસ અને પર્સનલ જિમ પણ છે. આ બંગલાની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે.

5 / 6
શાહરૂખની હવેલી આવી છે : શાહરૂખ ખાનનું 'મન્નત' બાંદ્રામાં છે. આના પરથી દરિયો સાફ દેખાય છે. આ બંગલો 27,000 સ્ક્વેર ફૂટમાં બનેલો છે. જેમાં પર્સનલ ઓડિટોરિયમ, લાયબ્રેરી, જીમ સહિતની તમામ સુવિધાઓ છે. દરિયાની સામે આવેલી આ ભવ્ય છ માળની ઈમારતની અંદાજિત કિંમત 200 કરોડ રૂપિયા છે.

શાહરૂખની હવેલી આવી છે : શાહરૂખ ખાનનું 'મન્નત' બાંદ્રામાં છે. આના પરથી દરિયો સાફ દેખાય છે. આ બંગલો 27,000 સ્ક્વેર ફૂટમાં બનેલો છે. જેમાં પર્સનલ ઓડિટોરિયમ, લાયબ્રેરી, જીમ સહિતની તમામ સુવિધાઓ છે. દરિયાની સામે આવેલી આ ભવ્ય છ માળની ઈમારતની અંદાજિત કિંમત 200 કરોડ રૂપિયા છે.

6 / 6
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">